________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ વચન, કાયાથી કોઈ પણ જીવને તકલીફ પહોંચે એવું કામ પણ ન કરે. પાંચે ઈદ્રિના વિષયેને કાબૂમાં રાખવા પ્રયત્ન કરે. માન-અપમાનની દરકાર કરે નહિ. સ્ત્રી, પશુ અને નપુંસકના સહવાસથી દૂર રહે. એકાંત સ્થાનમાં સ્ત્રીની સાથે વાત પણ કરે નહિ, તેમ શરની શુશ્રુષા પણ કરે નહિ. હંમેશ યથાશક્તિ તપસ્યાને આદર કરે. ચાલતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, દરેક ક્રિયા કરતાં બરાબર ઉપયોગ રાખે; રાત્રે ભજન કરે નહિ, અને મંત્રજંત્ર વગેરેથી પણ દૂર રહે. વળી અફીણ આદિનું વ્યસન પણ રાખે નહિ. ઇત્યાદિ અનેક આચાર સાધુઓએ–ગુરુઓએ પાલન કરવાના છે. ટૂંકાણમાં કહીએ તો ‘ ગુદાનાં વત્ મૂળે તત સાઘનાં ઘorg ગૃહસ્થોને જે ભૂષણ છે, તે સાધુઓને દૂષણરૂપ છે.” - સૂરિજીએ આ પ્રસંગે એ પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે, “જે કે આ પ્રમાણેના ગુના આચારોને અમે સંપૂર્ણ પાળીએ છીએ, એમ હું કહેવા માગતો નથી; પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે યથાશક્તિ તે આચારોને પાળવા અમે અવશય પ્રયત્ન કરીએ છીએ.
For Private And Personal Use Only