Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ ૩૩ ધર્મને માટે તો વિશેષ કહેવા જેવું રહેતું જ નથી. કારણ કે, સંસારમાં અજ્ઞાની મનુષ્ય જે ધર્મનું નામ કલેશ કરે છે, તે વસ્તુતઃ ધર્મ જ નથી. જે ધર્મથી મનુષ્યો મુક્તિનું સુખ લેવા ચાહે છે અથવા જેનાથી મુક્તિનું સુખ મળે છે, તે ધર્મમાં કલેશ હાઈ શકે જ નહિ; ખરી રીતે તે ધર્મ તે એનું નામ છે કે અન્નજળ શુદ્ધિવં ધર્મવં જેનાથી અંતકરણની શુદ્ધિ થાય, હૃદયની પવિત્રતા થાય, તેનું નામ જ ધર્મ છે. પછી અંત:કરણની શુદ્ધિ-નિર્મળતા ગમે તે કારણોથી થાય.બીજા શબ્દોમાં કહીએ તે વિષયનિત્તિ વં ધર્મના વિષયથી નિવૃત્ત થવું દૂર–થવું એનું નામ જ ધર્મ છે. હવે એમાં વિચાર કરવાની વાત એ છે કે, આ પ્રમાણે ધર્મનું લક્ષણ કરવામાં આવે, તો કેઈને પણ કલેશનું કારણ રહે ખરું? કલેશનું કારણ તો દૂર રહ્યું, પરંતુ કોઈને અસ્વીકાર કરવાને પણ વખત આવે ખરો? કદાપિ નહિ. ખરો ધર્મ તો દુનિયામાં આ જ છે અને આ જ ધર્મથી મનુષ્ય ઈચ્છિત સુખનેચાવત મુક્તિસુખને પણ પ્રાપ્ત કરે છે. હીરવિજયસૂરિના વ્યક્તિત્વના પ્રભાવથી શહેન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44