________________
ગુપ્તવંશના લેખો
નં. ૧૫ સ્કન્દગુપ્તને જૂનાગઢને શિલાલેખ
શુ સંવત ૧૩૬,૩૯ અને ૧૩૮
આ લેખની શોધ પ્રથમ મી. જેમ્સ પ્રિન્સેપે ઈ. સ. ૧૮૩૮ માં જ, બે. એ. સે. . ૭ પા. ૩૪૭ ઉપર પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૪૪ માં જ. બે. છે. . . . . ૧ ૫, ૧૪૮ ઉપર તેની શિલાછાપ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે જનરલ સર જર્જ, લીગ્રેડ જેકબ, મી. એન. એલ. વેસ્ટરગાર્ડ તથા એક બ્રાહ્મણ મદદનીશ એએએ તૈયાર કરી બે વર્ષે પહેલાં એસયટી પાસે મૂકેલી નકલ ઉપરથી બનાવવામાં આવી હતી. ડે. ભાઉ દાજીએ ઈ. સ. ૧૮૬૨ માં તે જ જર્નલનાં વે, પા. ૧ર૧ ઉપર પિતાને પાઠ તથા ભાષાન્તર પ્રસિદ્ધ કર્યો હતાં. તે સાથે ઈ. સ. ૧૮૯૧ માં ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ કપડાંપર ઉપજાવેલ છાપ ઉપરથી બનાવેલી શિલાછાપ પણ પ્રસિદ્ધ કરી હતી. ઈ. સ. ૧૮૭૬ માં ડે, ભાઉદાજીને પ્રઠ તથા પ્રોફેસર ઈગલને તપાસેલ ભાષાન્તર ફરીથી આ. સ. વે. ઈ. વે, ૨ . ૧૩૪ ઉપર પ્રસિદ્ધ થયાં હતાં અને તેની સાથે છે. ભગવાનલાલ ઈન્દ્રજીની નકલ ઉપરથી બનાવેલી જરા નાની શિલાછાપ આપવામાં આવી હતી.
મુંબઈ ઈલાકામાં કાઠિઆવાહનાં દેશી સંસ્થાન જૂનાગઢ સંસ્થાનનું મુખ્ય શહેર જૂનાગઢ છે. આ શહેર અથવા તેના અસલ નામધારી શહેરનું વર્ણન આ લેખમાં છે. પણ તેનું અસલ નામ આપેલું નથી. પરંતુ રુદ્રદામનના લેખની પહેલી પંક્તિમાં તેનું નામ ગિરિનગર એટલે ડુંગરનું અથવા ડુંગરપરનું શહેર આપેલું છે. પાછળથી લેખમાં કહેલ ઊયત પર્વતને જ તે ગિરનાર નામ આપવામાં આવ્યું અને આ ઉપરથી એમ માનવાને કારણે મળે છે કે અસલનું શહેર હાલની જગ્યાને બદલે પર્વતની તદ્દન પાસે અગર કદાચ તેની ખીણમાં જ હોવું જોઈએ. આ લેખ એક મહાન પત્થરની શિલાના વાયવ્ય કેણું ઉપર છે અને તેમાં અશેકનાં ચૌદ શાસને તથા મહાક્ષત્રપ રુદ્રદામનને મેટ લેખ પણું ખાસ રક્ષણ માટે હમણાં ઉભી કરેલ છાપરી નીચે છે. આ સ્થળ ગિરનાર પર્વતને ફરતી ખીણ પાસે જવાના નાળાના મુખ આગળ શહેરથી પૂર્વમાં લગભગ એક માઈલ ઉપર આવેલું છે.
લખાણ ૧૦ ફૂટ પહોળી અને છ ફૂટ ૩ ઇંચ જગ્યામાં અને સુરક્ષિત સ્થિતિમાં છે. લેખમાં ભાંગી ગએલ પત્થરને લીધે ૨૨ મી પંક્તિમાં જ કુકત કેટલેક ભાગ રહી ગયા છે. આડાંઅવળાં અને છીછરા કેતરકામ, ખડબચડે ખડક, કુદરતી નિશાનીઓનું અક્ષરે સાથે મળી જવું, અને ખડકના ખડબચડાપણાને લીધે કેતરનારે છેડી દીધેલી કેટલીક જગ્યા, વિગેરે કારણોને લીધે તે સહેલાઈથી વાંચી શકાય તે લેખ નથી. અક્ષરનું કદ ઇંચ અને ૧૪ ઇચ વધે છે.
"Aho Shrut Gyanam"