________________
વલભીવંશના લેખો ભમોદરા હેટામાંથી મળેલું દ્રોણસિહનું
તામ્રપત્ર
વ. સંવત ૧૮૩ શ્રાવણ સુદ ૧૫ નીચે લેખ મૂળ મી. એ. એમ. ટ. જેકસને જ. ફ. બ. બ્રા. ર. એ. સે. વૉ. ર૦, પાને ૫૪ મે નકલ વિના પ્રકટ કર્યો હતે.
મી. જેસન જણાવે છે કે આ લેખવાળું પતરું તેમ જ એક બીજું દાનપત્ર “૧૮૯૫ માં ભાવનગર પાસે ભદ્રા મોટા ગામના એક ખેતરમાં દટાએલાં જડયાં હતાં,” અને ભાવનગર સ્ટેટના એજીનીઅર મી. એલ. પ્રકટર સિમ્સ મેળવ્યાં હતાં. આકારમાં તે સહેજ વાયુ છે. હની વધારેમાં વધારે ઉંચાઈ ૪ ઈંચ અને વધારેમાં વધારે પહોળાઈ ૧ ફેટ, ૨ ઈંચ છે. તે તદ્દન સારી સ્થિતિમાં છે. લિપિ તે જ સ્થાન અને સમયનાં બીજ દાનપત્રોની લિપિને મળતી છે, પણ વધારે ખુણાવાળી છે. તેની ભાષા સંસ્કૃત છે. લીટી ૯ અને ૧૦ માંના ચાલુ ૩ હેક સિવાય બાકીને ભાગ ગદ્યમાં છે. વ્યાકરણ ઘણું અશુદ્ધ છે, પણ તે દેષ મુત્સદ કરનારને હો જોઈએ.
દાનપત્રને આશય વલભીના મહારાજ દ્રોહે હસ્તવાહરણમાં ત્રિસંગમક નામનું ગામ પાડુરાજ () દેવીના પંથ અર્થ આપ્યું તે નોંધવાને છે. તે દેવીના કમાન્તિક અથવા દેવીની મિલકતના વ્યવસ્થાપક ભિરૂવકની તેમાં સહી છે. અને ષણિદત્તના પુત્ર કુમારિલટિકે (૧) તેની સાફ નકલ કરી હતી. દ્રોણસિંહ વલભીના મિત્રક વંશ સ્થાપનાર ભટ્ટાર્કને બીજે પુત્ર હતું. આ વિષયમાં મેસસ જેકસનની તેમ જ મિથ અલ હિસ્ટરી ઓફ ઈન્ડીયા બીજી આવૃત્તિ પાનું ૩૧૪ )ની ચર્ચા વાંચવી બસ થશે.
તિથિ પંક્તિ ૧૧ માં સંવત ૧૮૩ શ્રાવણ સુદ ૧૫ આપી છે જે ઈ. સ. ૧૦૨ ની ૬ ઠી જુલાઈ શનિવાર સાથે મળે છે.
વલભી, હસ્તવમાહુરણી, ને ત્રિસંગમક એટલાં જ સ્થળનાં નામ આપ્યાં છે. વલભી તે કાઠિઆવડમાં હાલનું વળી છે. હસ્તવપ્ર, ભાવનગર સ્ટેટમાં ઘેઘાની દક્ષિણે ૬ માઈલ ઉપર હાલનું હાથબ છે; આને માટે હું છું. કેનોની ટીકાએ એ. ઈ. વૈ. ૧૧ પાનું ૧૦૬ વાંચવાનું સૂચવું છઉં, ત્રિસંગમકને હાથબ પાસે તસંમિઆ તરીકે મ. જેકસને ઓળખાવ્યું છે.
૧ એ. ઈ. વિ. ૬૧ પા. ૧૭ એલ. ડી. બારને
૧૪
"Aho Shrut Gyanam"