Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 403
________________ ને ૧૦૭ નાગવર્ધનનાં નિરપણુમાંથી મળેલાં તામ્રપત્રો સંવત્ + આ તામ્રપત્રો જ, બે. છે. . એ. સે. . ૨ પા. ૪ બાલગંગાધર શાસ્ત્રીએ અને છે. ૧૪ પા. ૧૬ મે છે. ભાંડારકરે પ્રસિદ્ધ કર્યા છે. શિલાછાપ પહેલી જ વાર આંહી પ્રસિદ્ધ થાય છે. મારું અક્ષરાન્ડર મૂળ પતરાંમાંથી કરેલું છે. તે પતરાં નાસિક પરગણાના વિગતપુરી તાલુકામાંના નિરપણ ગામના નન્સ વલઇ કજુની માલકિનાં હતાં. પતરાં બે છે અને દરેક ૮"x પગ માપનાં છે. કાર ચઢાવેલી છે અને લેખ સુરક્ષિત છે. જમણી બાજુની કડી સાદા ત્રાંબાના તારની છે. તાર ” જાડે છે અને કડીને વ્યાસ ૧” છે. કડીના છેડા રેવ્યા હોય એમ લાગતું નથી. ડાબી બાજુની કડી અખંડ હતી અને તે ” જાડી છે અને તેને ૧૫ વ્યાસ છે. તેના ઉપરની સીલ વ્યાસ ૧છુ છે અને નીચી સપાટી ઉપર ઉપડતા અક્ષરે વચમાં વાત્ર લખેલું છે અને તેની ઉપર ચન્દ્રની અને નીચે કમળની આકૃતિઓ છે. પાશ્ચાત્ય ચાલુક્ય સહવર્માના દીકરા નાગવર્ધન ઉર્ફે ત્રિભુવનાશ્રયનું આ દાનપત્ર છે. સીલ ઉપરના લેખથી અટકળ થાય છે કે જયાહવાને પણ જયાશ્રયને ઇલકાબ હતે. દાનપત્રમાં સાલ આપી નથી. રુદ્રમાળ પહેરનાર શિવ કપાલેશ્વરની સ્થાપના માટે ગોપરાષ્ટ્ર પરગણામાં બેલેગ્રામ નામનું ગામ દાનમાં આપ્યું છે. મી. જે. એ. બેઈસે તે ગામ વિગતપુરીથી બાર માઈલ ઉપર બેલગામ તરાળા તરીકે શેડ્યું છે. આ તામ્રપત્ર માટે ચાર મુદા શંકાસ્પદ છે. (૧) તે ગુર્જર લિપિમાં છે. (૨) તે કીતિવમને સ્રયાશ્રયને ઈલકાબ આપે છે. (૩) પુલકેશી બીજાને ચિત્રક8 ડે હોવાનું વર્ણવે છે. (૪) પુલકેશી બીજાને પરમ માહેશ્વર વર્ણવે છે. છતાં એકંદર જોતાં મને તેની સત્યતા માટે શિક નથી. પાશ્ચાત્ય પાટનગર વાતાપીથી એટલું બધું છે. ઉત્તરમાં અને ગુર્જર ચાલુકયના સ્થાનથી એટલું બધું નજીક દાન અપાયું છે કે ગુર્જર લિપિ વપરાય એ બનવાજોગ છે. આ હર હોવાના કારણુ સબબ ચાલુકય વંશાવલિનું ખરું જ્ઞાન ન હોય, એ પણ બનવાજોગ છે. અગર કેનરનારની માત્ર બેદરકારીથી પણ પુલકેશી બીજાને બદલે કીર્તિવમીને સત્યાશ્રયને ઈલકાબ આપ્યો હોય, કે પરમમાહેશ્વર લખાય તે અનન્ય શિવભક્ત પુલકેશી બીજે ન હતે છતાં પશ્ચિમાત્ય ચાલુકયે બ્રહ્મા, વિષ્ણુ અને જીનેન્દ્રની માફક શિવ પૂજાને પણ ઉત્તેજન આપતા. પં. ૧૩ માં વર્ણવેલ નાગવર્ધન પુલકેશી બીજાને ગુરૂ હેવે જોઈએ. પુલકેશીને શ્રી નાગવર્ધન પાદાનધ્યાત કો છે તેને ખરો અર્થ તો તે થ જોઈએ. પરંતુ કેટલાંક તામ્રપત્રમાં તારા સુરા: અગર સાપુત્ર ની સાથે પણ માત્ર વાત્સલ્ય ભાવ બતાવવા વાળા શબ્દ વપરાય છે. (ઈ. એ. વ. ૬૫. ૧૯ નં. ૩ ને ન. ૧૦,, ૪ ૫. ૯૪, વે. ૬ પા. ૧૩ અને ૧૭) તે મુજબ અર્થ કરવામાં નાગવર્ધન તે કીર્તિવમનું બીજું નામ હોય એમ કહપના કરવી જોઈએ તેથી હારી માન્યતા છે કે આંહી તે માત્ર મજાના અર્થમાં વપરાયે છે (સરખા છે. ૭ પા. ૧૯૧૫, ૧ . ૫ પ. ૫૧ ૫, ૧૩-૧૪. પા. ૧૫૫ પં. ૧૨-૧૩), . ૫ નં.૧૨ પં. ૧૪ અને નં. ૧૫ ૫. ૧૩ માં ઉભજ ને ઉપયોગ થએલ છે. –- - - - - -. . . . . . ૧ ઈ. એ. જે. ૯૫. ૧૨૩ છે. જે, એફ. ફીટ. (1) મહાભારતને બીજે ઍક બીજા પતરામાં મુશ્કેલીથી કરવાની જગ્યા છે તેવી સંભવ છે કે સાલ ધન પતરાની પાછળ કેરી હેય. મૂળ પતરાંના અભાવથી તે બાબત મસ કહી ચતું નથી. (અ. ગિ. વ. ) "Aho Shrut Gyanam

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406