Book Title: Dharm Parikshano Ras
Author(s): Nemvijay, Chamanlal Sankalchand Marfatiya
Publisher: Chamanlal Sankalchand Marfatiya

View full book text
Previous | Next

Page 361
________________ (૩૪૮) ખંડ ૮ મે. સૂર ઉઠો શેઠજી, હય નવિ દીઠે તેથ; અશ્વપાલને પૂછીયું, કોણ જાણે ગયો કેથ એ છે ઠગી ગયો તે ધર્મ ઠગ, ો ઉત્તર નૃપ દેસ; ધર્મ કરતાં એહવે, આવી પડી પ્લેસ | ૨ ટાલે શ્રી ભગવંતજી, મરણાંતગ ઉવસગ; સરણ કરી જિનધર્મને, ચૈત્ય કયો કાઉસગ ૩ પછી જ્યારે તે શેઠ સવારે ઉઘમાંથી ઉઠ્યો, ત્યારે ઘડાને ન દેખવાથી તેણે અશ્વપાળને પુછયું, ત્યારે તેણે કહ્યું કે, મને ખબર નથી કે તે કયાં ગયે છે ૧ છે પછી તેણે વિચાર્યું કે, ખરેખર તે ધર્મ ઠગ માણસ આપણને ઠગી ગયે, હવે રાજાને જવાબ શું આપશું? આતે ધર્મ કરતા આવી રીતે દુઃખ આવી પડયું છે. ૨ છે શ્રી જિનેશ્વર પ્રભુના પસાયથી મરણ આદિક ઉપસર્ગ પણ નાશ પામે છે, એમ વિચારી જૈન ધર્મનું શરણું લઈ એ શેઠે દેરામાં કાઉસગ કર્યો છે ૩ છે યુગલે જઈ ચાડી કરી, કહે અશ્વ ઉદંત, ઘર લુંટી ભૂપતિ કહે, કરે એહને અંત ૪ ચાકર ચિત્યે દેડીયા, કર સાહી કરવાલ, દેરામાંહી પેસતાં, દેવે થંભ્યા તતકાલ પા સેનાની નૃપ મુકી, કહેવા તેહ હેવાલ કોપી સેના સજ કરી, ચડી આવ્યો ભૂપાલ છે ૬ વળી ત્યાં કઈ દુષ્ટ ચાડીયાએ રાજા પાસે જઈ અશ્વ ગયા વિષેને સઘળો વૃતાંત કહેવાથી, રાજાએ હુકમ કર્યો કે, શેઠનું ઘર લુંટી લઈ તેને મારી નાખે છે ૪ પછી સિપાઈઓ તે હાથમાં તરવાર લઈ શેઠને મારવા સારૂં દેડતા દેરાસરે ગયા, પણ તેજ વખતે દેવે તેને દેરામાં પેસતાં અટકાવ્યા છે ૪ છે ત્યારે કોટવાલે રાજા પાસે માણસ મુકી તે વૃતાંત કહેવરાવ્યું, ત્યારે રાજા પોતે કોપાયમાન થઈ લશ્કર તૈયાર કરી ત્યાં આવ્યા છે ૬ ભૂપ વિના સદુથંભીયા, ચિંતે રાજ ચિત્ત કોઈ ઉપાય છે હયે, રહે રતન ને મિત હા વિધાધર જિનવર નમી, સામી સાહાજય નિમિત, અશ્વ લઈને આવીયા, ચંપાપરી તુરત. ૮ ત્યાં રાજા વિના સઘળાઓ બહાર અટકી ગયા, ત્યારે રાજા મનમાં વિચારવા લાગ્યું કે, રત્ન (ઘડા) મળે અને મિત્ર બચે એ કેઈ ઉપાય મળે તે ઠીક. છે તે વખતે પેલા વિદ્યાધર તે શેઠને મદદ કરવા વાસ્તે જિનેશ્વરને નમસ્કાર કરી તે ઘોડે લઈ ચંપાપુરીમાં આવ્યા ચડ્યા છે.૮ છે ढाल अगिआरमी. જગજીવન જગ વાલએ દેશી. - અશ્વને મૂકી આંગણે, જિનહર માંહી જાય લાલ

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380