Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત્રદાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે : पात्रदानचतुर्भग्या माधः संशुद्ध इध्यते । द्वितीये भजना शेषावनिष्ट फलदो मतो ॥२१॥ અર્થ : પાત્રદાનની ચાર પ્રકારની ભંગી છે. તેમાં પહેલે ભંગ વિશુદ્ધ છે. બીજા ભંગમાં ભજના છે. અને બાકીના બે અનિષ્ટ ફળને આપનારા જાણવા. વિવેચન : પાત્રને અપાતા દાનના વિષયમાં ચાર પ્રકારના ભંગ (વિકલ્પ) શાસ્ત્રકાર બતાવે છે. [૧] સંયતને શુદ્ધદાન: સંયમધારી, શુદ્ધ આચારના પાલક સાધુને શુદ્ધ એવા આહારાદિનું દાન કરવું. [૨] સંયતને અશુદ્ધદાનઃ સંયમધારી, શુદ્ધ આચારના પાલક સાધુને અશુદ્ધ અર્થાત્ આધાકર્મ વગેરે દેજવાળ દેષિત આહારદિનું દાન કરવું. [] અસંયતને શુદ્ધદાન: અસંયમી, માત્ર સાધુવેષ ધારણ કરનારા કુ-સાધુને શુદ્ધ-નિર્દોષ આહારાદિનું દાન કરવું. [4] અસયતને અશુદ્ધદાનઃ અસંયમી, ભાગ સાધુવેષ ધારણ કરનારા પરંતુ સાધુના આચારને શુદ્ધ રીતે નહિ પાળનારા એવા કુ-સાધુને આધાકમવાળું અશુદ્ધ ભજન વગેરે આપવું. આ ચાર ભંગમાં જે પ્રથમ ભંગ છે તે અત્યંત શુદ્ધ છે. કારણ કે તે દાન દેનાર અને લેનાર બને માટે શુદ્ધ ધર્મમાં પ્રવૃત્તિરૂપ છે એનાથી કમનિર્જરા થાય છે. અર્થાત કમેને ક્ષય કરવામાં પુટ આલંબનરૂપ બને છે. [૩] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80