Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ ( ૧૮ ). અર્થ––હે ચેતન ! તું શા માટે દેશ-પરદેશમાં ફરે છે? શા માટે સમુદ્રને અવગાહે છે–સમુદ્રમાં સફર કરે છે? હે મૂર્ખ ! શા માટે પારકી આશા કરે છે? અને શા માટે નીચની કે રાજાની ચાકરી (સેવા–નેકરી) ઈચ્છે છે? શા માટે ઘણે શાચ ને વિચાર કર્યા કરે છે ? અને શા માટે અંતરના તાપથી બન્યા કરે છે? એટલે જ વિચાર કર કે જેણે અહીં મનુષ્યાવતાર આપે છે તેના ભારને નિર્વાહ તેજ કરશે. અર્થાત તારા ભાગ્યની પ્રતીત રાખ, બેટી દોડાદોડ ન કર. ૨૩ કહેલું જંતર મંતર સાધત? કાકું નિસા મસાણમેં જાવ? કાહે દેવકી સેવ કરો તુમ ? કાહકુ આક ધતુર ક્યું ખાવું? રંચક વિત્ત અસારકે કારણ, કહેલું એર કે દાસ કહાવે? આશ કહા કરીએ પરકી નર, હોઇ નિરાશ નિરંજન ધ્યા. ૨૪ અર્થ–હે નર ! હે મનુષ્ય ! તું શા માટે જંતર ને મંતર સાધવાને પ્રયત્ન કરે છે? અને શા માટે રાત્રે સ્મશાનમાં જાય છે? શા માટે આકડો ને ધતુરે ખાવાની જેમ અન્ય દેવી દેવતાની સેવા કરે છે? વળી એક રંચમાત્ર અને અસાર દ્રવ્યને માટે શા સારૂ બીજાનું દાસપણું કહેવરાવે છે? શા માટે પારકી આશા કરવી પડે છે? નિષ્કામ બનીને એક નિરંજન (સિદ્ધ સ્વરૂપી) એવા પરમાત્માનું જ ધ્યાન ધર કે જેથી સર્વ વાંછિત પ્રાપ્ત થશે. ૨૪ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44