Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ ( ૨૩ ) છે. કોઈનું કાંઈ પણ અહીં રહ્યું નથી અને રહેવાનું નથી. એમાં કેના ગુરૂ અને કોના ચેલા? એવી સ્થિતિ છે. શ્વાસશ્વાસ તે જેમ પાણીને રેલે ચાલ્યો જાય તેમ ક્ષણે ક્ષણે ચાલ્યાજ જાય છે અને આયુષ્ય ઘટતું જ જાય છે. કર્તા કહે છે કે-આ કારણથી હે ભવ્ય ! વિચાર કર. રાજ્ય–સમાજ જે હશે તે બધું અહીં પડયું રહેશે અને આત્મા એકલો પરભવમાં ચાલ્યા જશે, ૩૦ ભપકા મંડન નીતિ યહે નિત, રૂપકા મંડન શીલ સુજાણ; કાયાકા મંડન હંસજ હે જગ, માયાકા મંડન દાન વખાણે. ભેગીકા મંડન હે ધનથી કુન, જેગીકા મંડન ત્યાગ પિછાને; જ્ઞાનીકા મંડન જાણ ક્ષમ ગુણ, થાનીકા મંડન ધીરજ ઠાણ. ૩૧ અર્થ–રાજાનું મંડન-રાજ્યની શોભા નિરંતર નીતિ છે, રૂપનું મંડન-રૂપને શોભાવનાર સદાચાર છે, કાયાનું મંડન આત્મા છે ( આત્મા વિના કાયા નકામી છે ), લક્ષ્મીનું મંડન–તેની શોભા દાન ગુણ છે, ભેગી-સંસારીનું મંડન–તેની શોભા દ્રવ્યવડે છે અને રોગીનું મંડનતેની શોભા ત્યાગ વડે છે, તેમજ જ્ઞાનીનું મડન ક્ષમાગુણ છે અને ધ્યાનીનું મંડન ધીરજ અર્થાત્ મનની સ્થિરતા છે. આ પ્રમાણે હે ભવ્ય જન ! તમે સમજે. ૩૧ ૧ આત્માન ૨ લક્ષ્મીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44