________________
૩૭૨
પ્રકરણ ૯ મું.
nonamna
પડતી મહેસુલ સર્વત્ર કમી કરવામાં આવી, અને ૧૮૨૫ થી ૧૯૩૧ દરમિયાનનાં છ વર્ષમાં ૧ કરોડ ત્રીસ લાખ ઉપરથી ખસીને એક કરોડ સાડા અગ્યાર લાખ સુધી ઉતરી આવી. પણ ખરચમાં કરકસર કરવાથી આ ખાટ પુરી પડી ગઈ. ૧૮૨૮ માં જ્યારે બેન્કિ હિંદુસ્તાનમાં આવ્યો ત્યારે બે કરોડ ચાળીસ લાખ જેટલું ખરચ હતું; જ્યારે તેણે ૧૮૩૫ માં હિંદુસ્તાન છેડયું ત્યારે એક કરોડ સાઠ લાખ જેટલું ખરચ થઈ ગયું હતું અને ચાળીસલાખ જેટલી પુરાંત પડી રહેવા માંડી હતી.
હિંદુસ્તાનમાં આ તરેહના કાર્યભારીઓની પરંપરા આવી હતી તે હિંદુસ્તાનને બહુ સુખ હતું. પણ ખર્ચમાં જેટલી કરકસર કરવામાં આવે તેટલા બધાની ઈંગ્લંડના ઉપરના વર્ગ ઉપર અવળી અસર થવા લાગી; અને કપની સરકારની નીચેના કોઈ પણ ગવર્નર જનરલની નિન્દા નથી થઈ તેવી લેર્ડ વિલ્યમ બેટિન્કની નિંદા થઈ. હિંદુસ્તાનના લેકનાં હિત સાચવવામાં પોતાના દેશબંધુ. ઓનો કોપ હેરી લે એ મનુષ્યસ્વભાવમાં નથી. રાજ્યના અત્યારના તંત્રમાં ખરચમાં વધારો કરવાને હમેશાં દબાણ ચાલુ જ રહે છે, પણ કરકસર કરવા તરફ કાંઈ પણ સૂચના થતી નથી. લૈર્ડ વિલ્યમ બેન્ટિકના વખત પછી જાહેર કરજ કુદકા મારતું વધ્યું છે; અને આને માટે લેકને પિતાના વહિવટમાં કાંઈ ભાગ આપ્યા સિવાય બીજું કાંઈ જ ઉપાય નથી. જ્યારે ખરચ કરૂ નારના હાથમાં જ તમામ લગામ હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ખરચે વચ્ચે જાય છે. જ્યારે કર ભરનારાઓને કંઈ હાથ હોય છે, ત્યારે અવશ્ય ખરચ ઉપર કંઇક અંકુશ મૂકાય છે. આ પ્રમાણે આખી દુનિયામાં નિયમ છે, અને હિંદુસ્તાન અપવાદ નથી .
ઉપર કહેવાઈ ગયું છે કે હિંદુસ્તાનની લડાઈઓનાં તમામ ખર્ચ તેમજ વહિવટનાં ખરચ પણ હિંદની ત્રિજોરીમાંથી જ કાઢવામાં આવેલાં છે. અહીંઆ એટલું નોંધવું જોઈએ કે આ બધાં ખરચ કાઢતાં મહારાણી