________________
૨.
આમ આ સમગ્ર પુસ્તક લેખકની વિષય પરની પકડનું ઘોતક છે. સમગ્ર પુસ્તકમાં લેખકે ભાષાને મુખ્યત્વે એક સામાજિક સંસ્થા તરીકે જોઈ છે. સાથોસાથ ભાષાશાસ્ત્ર ભાષાનું જે પૃથક્કરણ કરે છે તે, વાચકો પાસે, લેખક પૂરી શાસ્ત્રીયતાથી મૂકતા જાય છે.
કૃતિનું વિશેષ પ્રદાન તેની વર્યરીતિ પણ ગણાવું જોઈએ. ભારતીય ભાષાઓમાં ભાષાશાસનો વિષય હજી નવો નવો જ છે. શાસ્ત્રીયતાનો ચીલો ચાતર્યા વગર કોઈ શાસ્રને પ્રાદેશિક ભાષામાં કેમ ઉતારાય તેના માટેનો આ એક સરસ નમૂનો ગણાય.
ગુજરાતના આ વિષયના અભ્યાસીઓનું આના પ્રતિ ધ્યાન દોરાય અને કોઈ તેનો અનુવાદ કરવા પ્રેરાય તે પણ ઇચ્છવા જેવું ખર.