________________
૪૫
ચિહ્નોએ તેઓને સાદી સમજણમાં પણ થાપ ખવરાવી છે. ઉ. ત., ભ (ગે) વિષ્ણુ અને અલ્હાજી વિષ્ણુ (હૃસ્વ “વિ” લેખકારે નોંધ્યો છે. શબ્દાવલિમાં તો દીર્ઘ છે. જુઓ શબ્દાવલિ પૃ. ૩) અહીં લેખકાર “બ” માટે ' અને ' માની બેઠા છે! આ ધ્વનિ તો vinnu માંના 1 માટે છે! અને લેખકારે નોંધ્યો છે તેવો હ્રસ્વ-
દીનો ભેદ તો ' માટે પણ શબ્દાવલિમાં નથી!! આવી જ ગેરસમજ “કચ્છીને ‘૨’ ઘટક ગુજરાતી ‘ળ'ને બદલે આપ્યો છે” તે, પૃ. ૩૨૮ પરના વિધાનમાં જોવા મળે છે. ભાષાવિજ્ઞાનની માત્ર સાદી સમજ હોય તો પણ આવું વિધાન સંભવે નહીં. અને વિશેષમાં લેખકારે આની જાણે પુષ્ટિ થતી હોય તેમ શબ્દાવલિના પૃષ્ઠ ૩૧નો હવાલો આપ્યો છે! અમે પ્રસ્તુત પૃષ્ઠ પર આ અંગે જે કંઈ કહ્યું છે તે નીચે આપીએ છીએ.
અમારી સામગ્રીમાં “શ” અને “ળ”ના જે બે કિસ્સાઓ છે તે અમારા પ્રથમનાં કાર્ય વખતની, ભણેલા-ભાષકો પાસેથી પ્રાપ્ત કરેલી સામગ્રીમાંના છે. આ અંગે વિશેષ સ્થળ પરની તપાસે ‘શ ને બદલે ‘સ’ અને ‘ળ'ને બદલે “ર” ઘટકો આપ્યા છે. તેમ છતાં અમે આ બંનેને કૌસમાં રાખ્યા છે. વિશેષ સામગ્રી અને વધારે ઘનિષ્ઠ સ્થળતપાસ આના આખરી નિર્ણય માટે જરૂરી ગણાય.”
આમાં લેખકાર નોંધે છે તેવો, “રને ‘ળનો વિકલ્પ ક્યાં ગણાવ્યો છે? ઊલટું, માત્ર ભણેલા વર્ગમાં જે “શ” અને “ળ” ધ્વનિ મળે છે તેના બદલે અનુક્રમે એ બંને કિસ્સાઓમાં સ” અને “ર” મળતા હોઈ, શ. અને |ળ) ઘટક વિશે આશંકા પેદા કરવામાં આવી છે. લેખકારે તારવેલો અર્થ ઉપરના પરિછેદમાં કયાંયે વાચકોને વરતાય છે ખરો?
હવે ભેદસૂચક દૃષ્ટાંતોની પસંદગી અંગે. લેખકાર આ અંગે જણાવે છે કે આ શબ્દોનો “કચ્છીમાં કોઈ પ્રકારમાં ઉપયોગ નથી” (પૃ. ૩૨૮). શબ્દાવલિએ જે દસ શબ્દો આપ્યા છે તેના બદલે લેખકારે અન્ય શબ્દો સૂચવ્યા છે. ઉ.ત. “કિચ્ચડીને બદલે “ચીખલી, “ફેફસોને બદલે ‘ફિફડ, વરુને બદલે “ભગાડ વગેરે. આ દસમાંથી માત્ર ૩ શબ્દો જ શબ્દાવલિમાં નથી. બાકીનાં ૭ તો લેખકારે નોંધ્યા છે તે જ ત્યાં છે!!
અહીં એટલું નેધવું પર્યાપ્ત છે કે કર્તાએ નોંધેલા આ બધા શબ્દો કચ્છી ભાષકો પાસેથી જ લીધેલા છે. આથી તે શબ્દો કચ્છીના નથી તેમ કહી શકાશે નહીં. લેખકાર તે તે શબ્દો માટેના પોતાના કચ્છી શબ્દોને પસંદ કરતા હોય તો તેથી લેખકની સામગ્રીને કોઈ બાધ આવતો નથી. આ શબ્દો શબ્દાવલિને સમૃદ્ધ કરવામાં મદદરૂપ જરૂર બને.
લેખકાર કચ્છીના મૂળ શબ્દો કયા તે લપસણી ભૂમિમાં અહીં પ્રવેશ્યા છે. ભાષાવિદને મન તો ભાષાનો ભાષક જે શબ્દો વાપરે છે તે બધા જ ભાષાના શબ્દો છે. એટલે આ શબ્દોનો “કચ્છીમાં કોઈ પ્રકારમાં ઉપયોગ નથી' તેવી લેખકારની ટીકા ટકી શકે તેવી નથી. તેમ છતાં કરછીના આ લેખકારના પર્યાયો અમે ઉપર જણાવ્યું છે તેમ શબ્દસમૃદ્ધિ જરૂર વધારે છે. પણ એ પણ દસમાંથી ત્રણ શબ્દોની જ! બાકીના સાત શબ્દો તો શબ્દાવલિમાં છે જ!!
હવે આપણે લેખકારની શબ્દો અંગેની ટીકા તપાસીએ.
લેખકાર જેને ઈષ્ટ કચ્છી ગણે છે તેનાથી ભિન્ન રૂપી શબ્દાવલિમાં છે. ઉ.ત., લેખકાર ખે, “ગિન્ગ', નિકણું, “વિજ| ઇત્યાદિને ઈષ્ટ ગણે છે, જ્યારે શબ્દાવલિમાં આ રૂપોને બદલે અનુક્રમે ખાણુ, ગળુ, નકકણું, વણ્ વગેરે છે.