________________
૪.
છે. લેખકારની જે તે શબ્દો માટે પસંદગી ઉપર જણાવી છે તે પણ પ્રચલિત હોઈ શકે છે પરંતુ તેથી કચ્છીના જ ભાષકો પાસેથી મેળવેલા શબ્દાવલિના શબ્દોની “જોડણી” અયોગ્ય ઠરતી નથી ! આવા જ ગમાઅણગમા લેખકારના ‘જોડણીફરક તથા અન્ય ફરકવાળા' શીર્ષક તળેના શબ્દોને નોંધવામાં જણાય છે.
શબ્દાવલિમાં છે
આંટી ભરાણી ભેગા થીણુ
લેખકાર સૂચવે છે આંટાણ્ ભેરો થીણુ
શબ્દાવલિમાં છે નીસાસો વીંજણો લીટા પાડ્યા
જોડણીથી શું ઉદ્દિષ્ટ છે અમારે ‘લીટા પાણા'
શબ્દાવલિના, આ બધા શબ્દોની ‘ખરી જોડણી’ લેખકાર આ સૂચવે છે! તે સમજવામાં અમે નિષ્ફળ ગયા છીએ તેમ કબૂલવું જોઈએ! અથવા તો માંના ‘પાણા’ની જોડણી (લીટા) કઢણા કરવી જોઈએ!! વળી બે કિસ્સાઓમાં તો લેખકાર શબ્દાવલિના ‘ઇસારો કેણૂ’ને બદલે ‘એંસારો કરવો’ તથા ‘બચીડેણી’ને બદલે ‘બોચી કરવી’ જેવી કચ્છી જોડણી સૂચવે છે!! (પૃ. ૩૩૮-૩૯)
આ ચર્ચાથી લેખક માને છે કે લેખકારને ‘જોડણીફરક’થી શું કહેવું છે તે સ્પષ્ટ નથી એટલું જ નહીં પરંતુ જોડણીનું તત્ત્વ શું છે તે વિષે પણ, અહીં આપેલા દાખલાઓમાંથી કોઈ જાણકારી પ્રગટ થતી જણાતી નથી.
હવે બાકી રહે છે ‘અર્થફરક’ની ચર્ચા.
લેખકારે કુલ અર્થફરકના જે ૫૩ કિસ્સાઓ નોંધ્યા છે તેમાંથી રૃ. ૩૪૧-૪૨ પરના કુલ ૩૦ કિસ્સાઓમાં શબ્દાવલિના શબ્દોના અર્થનો વિસ્તાર-સંકોચ કે અર્થભેદ દર્શાવેલ છે. જેમ કે
શબ્દાવલિનો અર્થ
લેખકારનો અર્થ ગીંગોડું
ગંધ
શબ્દ અચો
जू
જીવાત
દુર્ગંધ
મચ્છ
માછલું
મોટું માછલું
આ ઉપરાંત પૃ. ૩૪૩ પરના ૬ ક્રિયાવાચકોમાં પણ ઉપર મુજબ જ છે. બાકી રહેતા પૃ. ૩૪૩ પરના ૧૭ ક્રિયાવાચકોમાંથી
લેખકાર સૂચવે છે નીંસાકો વિજણ્ લીટા કઢણા
ઓકાણ્
પૂજણ્
ભાણ્
ભલ્લાણ્
મુજાણ્
આ પાંચના અર્થમાં લેખકાર નોંધે છે તેથી અર્થભેદ બને તેવો ખાસ તફાવત નથી. બાકી રહેતા ૧૨ના અર્થો લેખકાર શબ્દાવલિથી ભિન્ન નોંધે છે. જો શબ્દાવલિએ આપેલા અર્થોથી
(જઓ શબ્દાવલિમાં પૂજણ્)
"9
ભચાણ્ `)
આ ભિન્ન અર્થે કચ્છીમાં પ્રચલિત હોય તો લેખકને એની સ્વીકૃતિમાં કશો જ વાંધો નથી. એટલું જ નહીં પરંતુ શબ્દાવલિ આ વૃદ્ધિ માટે નિમિત્ત બની તેનો આનંદ પણ છે જ. શબ્દાવલિએ તો અર્થ વિષે આગળના પૃ. ૩૨ પર નોંધ્યું છે કે “કેટલાક પ્રકારના શબ્દોમાં અર્થને મર્યાદિત રીતે નોંધ્યો છે. વૃક્ષો, પશુપંખીઓ અને રોગ વગેરેમાં ખાસ આમ બન્યું છે.”
આમ સમગ્ર રીતે લેખને જોઈએ તો લેખકારે ખૂબ જ શ્રામ લીધો હોવા છતાં ભાષાવિજ્ઞાનની વિભાવનાઓની અપરિચિતતા, જોડણી વિશેના બાલિશ ખ્યાલો અને આ પ્રકારનાં