Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 575
________________ ૫૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દ્રવ્યપૂજા અને ભાવપૂજાને વ્યવહાર બહુમાનનીય છે, તેમ દ્રવ્યકૃત અને ભાવકૃતનું પણ જાણવું. પાલીતાણું, ગિરનાર, આબુ, રાણકપુર આદિ દ્રવ્યતીર્થ છે અને તે તે તીર્થસ્થળમાં ભ્રમણ કરતાં કરતાં આત્મા પોતે જ પોતાને તારક બને છે, ત્યારે તે આત્મા ભાવતીર્થ કહેવાય છે. સમજવું સરળ છે કે આત્માની તેવા પ્રકારની :વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરાવવામાં તે તે તીર્થ સ્થળે જ મુખ્ય હેતુરૂપ છે. પ્રતિક્રમણ, પૂજા, જપમાળા આદિ દ્રવ્યકિયા છે અને તે તે દ્રવ્યક્રિયાઓને કરતે આત્મા એક દિવસે મન-વચન અને કાયાથી, કરણ–કરાવણ અને અનુમોદનથી રાશી લાખ જીવ પેનિના જીનું હનન આદિ તથા અઢાર પાપસ્થાનકોના સેવન આદિનું “મિચ્છામિ દુક્કડમ” દેવાની ભાવકિયાને પણ માલીક બનશે. આજે કઈક ભાગ્યશાળી દ્રવ્યપૂજામાં મસ્ત છે, તે તે દ્રવ્યકિયાને કરતે આત્મા એક દિવસે ઇરિયાવહી કે નમુત્થણું બોલતાં બોલતાં જ પિતાનું કલ્યાણ સાધી શકશે. તીર્થંકર પરમાત્માઓના જીવાત્માઓ પણ એક દિવસે દ્રવ્યમુનિ હતાં. પરંતુ તે તે ક્રિયાઓને અભ્યાસ જેમ જેમ વધતે ગયે, ત્યારે તીર્થકરના ભવમાં ભાવમુનિવને પણ પ્રાપ્ત કરવામાં પૂર્ણ સફળ બન્યા છે. દ્રવ્યલિંગધારીને જોઈને ભાવલિંગી મુનિની કલપના તથા સ્થાપના તીર્થકરને જોઈને ભાવતીર્થકરને પણ હદયકમળમાં સ્થાપિત કરી શકીએ છીએ. તેવી રીતે દ્રવ્યશ્રત અને ભાવકૃતને પણ જાણવું. પ્રત્યેક સાધક ભાવશ્રતને હૃદયંગમ કરવાની ઉત્કટ ભાવનાવાળા જ હેય છે, પરંતુ તેની પ્રાપ્તિ દ્રવ્યશ્રુતને જ આભારી છે. સમવસરણમાં બેસીને તીર્થકરની વાણું શ્રોતામાત્રને દ્રવ્યશ્રત જ

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610