SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દ્રવ્યપૂજા અને ભાવપૂજાને વ્યવહાર બહુમાનનીય છે, તેમ દ્રવ્યકૃત અને ભાવકૃતનું પણ જાણવું. પાલીતાણું, ગિરનાર, આબુ, રાણકપુર આદિ દ્રવ્યતીર્થ છે અને તે તે તીર્થસ્થળમાં ભ્રમણ કરતાં કરતાં આત્મા પોતે જ પોતાને તારક બને છે, ત્યારે તે આત્મા ભાવતીર્થ કહેવાય છે. સમજવું સરળ છે કે આત્માની તેવા પ્રકારની :વિશિષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરાવવામાં તે તે તીર્થ સ્થળે જ મુખ્ય હેતુરૂપ છે. પ્રતિક્રમણ, પૂજા, જપમાળા આદિ દ્રવ્યકિયા છે અને તે તે દ્રવ્યક્રિયાઓને કરતે આત્મા એક દિવસે મન-વચન અને કાયાથી, કરણ–કરાવણ અને અનુમોદનથી રાશી લાખ જીવ પેનિના જીનું હનન આદિ તથા અઢાર પાપસ્થાનકોના સેવન આદિનું “મિચ્છામિ દુક્કડમ” દેવાની ભાવકિયાને પણ માલીક બનશે. આજે કઈક ભાગ્યશાળી દ્રવ્યપૂજામાં મસ્ત છે, તે તે દ્રવ્યકિયાને કરતે આત્મા એક દિવસે ઇરિયાવહી કે નમુત્થણું બોલતાં બોલતાં જ પિતાનું કલ્યાણ સાધી શકશે. તીર્થંકર પરમાત્માઓના જીવાત્માઓ પણ એક દિવસે દ્રવ્યમુનિ હતાં. પરંતુ તે તે ક્રિયાઓને અભ્યાસ જેમ જેમ વધતે ગયે, ત્યારે તીર્થકરના ભવમાં ભાવમુનિવને પણ પ્રાપ્ત કરવામાં પૂર્ણ સફળ બન્યા છે. દ્રવ્યલિંગધારીને જોઈને ભાવલિંગી મુનિની કલપના તથા સ્થાપના તીર્થકરને જોઈને ભાવતીર્થકરને પણ હદયકમળમાં સ્થાપિત કરી શકીએ છીએ. તેવી રીતે દ્રવ્યશ્રત અને ભાવકૃતને પણ જાણવું. પ્રત્યેક સાધક ભાવશ્રતને હૃદયંગમ કરવાની ઉત્કટ ભાવનાવાળા જ હેય છે, પરંતુ તેની પ્રાપ્તિ દ્રવ્યશ્રુતને જ આભારી છે. સમવસરણમાં બેસીને તીર્થકરની વાણું શ્રોતામાત્રને દ્રવ્યશ્રત જ
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy