Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ શ્રી આત્માનંદ પ્રકાશ 999999999999999999999 મનનું રહસ્ય અને તેનું નિયંત્રણ. ૪ 700000000000000000008 (ગતાંક પૃષ્ટ ર૯૮ થી શરૂ ) અનુર–વિઠ્ઠલદાસ મૂ. શાહ અહંકાર મનનું બીજ છે અને બુદ્ધિ અહંકારને આધાર છે. બુદ્ધિ વિશિષ્ટ આત્મા જ અહંકાર છે. સંયુક્ત સંકલ્પ અને પ્રજ્ઞા જ સાંખ્યદર્શન કહે છે કે બુદ્ધિનું સ્વરૂપ છે. જેવી રીતે એક પાંજરામાં પુરે સિંહ તેના સળીયા તેને બહાર નીકળી આવે છે તેવી રીતે જ્ઞાની પુરૂષ આ ક્ષેતિક શરીરરૂપી પાંજરામાંથી સતત વિચાર ( આત્મ-જીજ્ઞાસા ) નિરંતર નિદિધ્યાસન તથા બ્રહ્મભાવના દ્વારા વિજય પ્રાપ્ત કરીને બહાર નીકળે છે. એક વાર મન શરીરમાંથી નીકળી ગયું અને એક વર્ષ સુધી બહાર રહીને પાછું આવી શરીરના બીજા અવયવને પૂછવા લાગ્યું કે મારી વગર તમે કેવી રીતે રહ્યા ? તેઓએ જવાબ આપે કે જેવી રીતે એક બાળક માનસિક શક્તિ વગર પ્રાણથી શ્વાસ લે છે, વાણીથી બોલે છે, તેનાથી જીવે છે, કાનથી સાંભળે છે તેવી રીતે મનની ક્રિયાઓ પ્રાણાધીન છે. પ્રાણુ અથવા જીવનમાંથી જ સઘળું ઉત્પન્ન થાય છે. ધ્યાનમાં વાસનાઓજ બાધક બને છે. બધી છુપી વાસનાઓને સંકલ્પ તથા વિચાર દ્વારા વશીભૂત કરવી જોઈએ. કામ-વાસના અને તૃષ્ણા એ બેજ ધ્યાનમાં મહાન વિધા ઉપસ્થિત કરનાર છે. તક મળતાં જ તેમાં આક્રમણ કરી બેસે છે. તેઓ સાધક ઉપર વારંવાર ચઢાઈ કરે છે. મહાન પ્રયત્ન, વિચાર, આત્માનાત્મ વિવેક અને શુભ ભાવના દ્વારા તેને નિર્મૂળ કરી નાંખવી જોઈએ. ધ્યાનનાં બીજાં વિઘ્ન તન્ના, આળસ્ય, માનસિક ઉત્તેજન, મનની ચંચળતા તથા ઉગ છે. તંદ્રા તથા આલસ્ય પ્રાણાયામ, શીર્ષાસન, સર્વાગાસન, મયૂરાસન તથા અલ્પ ભેજનવડે દૂર કરી શકાય છે. બાધાઓ શેધી શોધીને દૂર કરતા રહેવું જોઈએ. જે લોકો બાધક જણાય તેવાઓને સહવાસ તજવો જોઈએ. ખોટા તર્ક કે વિવાદ ન કરે. બુદ્ધિ વગરના મૂઢમતિ માણસને સમજાવવાનો પ્રયત્ન ન કરો. મિતભાષી બને, મન સાધન કરો, અને એકાંત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49