________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપાદકનું કર્તવ્ય.
કામના, તૃષ્ણા, વાસના તથા અહંકારને ત્યાગ કરી દે. જો તમારું મન નિષ્કલંક છે, અનાસકત છે, અનહંકારી અને વાસનારહિત છે તો તમે સાચા સન્યાસી છે, ભલે તમે જંગલમાં રહેતા હો અથવા નગરના કોલાહલમાં રહેતા હે, ભલે તમે માથું મુંડાવી નાખે કે વાળ વધારે રાખો.
મનને એક ન ગમે તેવું કામ આપ તે તે વિદ્રોહ કરશે. તેને સમજાવે, પછી તે આજ્ઞાનુવર્તન કરશે.
–––ચાલુ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સંપાદકનું કર્તવ્ય.
( અનુવાદકગાંધી ) આજકાલ જ્યાં જ્યાં દષ્ટિપાત કરીયે છીયે ત્યાં ત્યાં સંવાદ પત્ર, માસિકપત્ર તેમજ નાના મોટા પ્રકાશિત ગ્રંથને મોટા પ્રમાણમાં પ્રચાર થતે જોવામાં આવે છે. દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, વૈમાસિક વગેરે સર્વ પ્રકારના સામયિક સાહિત્ય પત્રો ભારતના પ્રાયઃ સર્વ પ્રાંતમાં પ્રકાશિત થઈ રહેલ છે. અજૈન સામયિક અને સ્થાયી સાહિત્યની તે ગણના થવી કઠીન છે, પરંતુ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદિ આદિ ભાષાઓમાં પ્રકાશિત જૈન ગ્રંથ અને સાહિત્ય પત્રોની સંખ્યા પણ પ્રતિદિન વધતી જાય છે. પરંતુ અનુભવસિદ્ધ એ વાત છે કે થોડા એક સ્ખ લિત કાર્ય બહુ રીતે શૃંખલા વિહિન તેમજ સબ્યુટી કાર્યથી કંઈ ઠીક થાય છે, જેથી કે કોઈ વખત યથાવત્ ન કરવાથી કામનું થવું તે નહિ થવા જેવું થાય છે. જેથી તેવું કે પુસ્તક અશુદ્ધ અથવા નષ્ટભ્રષ્ટ સંસ્કરણ વિદ્વાનોની દષ્ટિમાં બહુજ ષનિક થાય છે. સાહિત્યના ગ્રંથના સંપાદન માટે ભારે શકિતશાલી હાથે અને વ્યુત્પન્ન મસ્તિષ્કની આવશ્યકતા હોય છે. સંપાદનના કાર્યને અમે બે ભાગમાં વહેંચણી કરીયે છીયે.
(૧) ગ્રંથ સંપાદન. (૨) સામયિક પત્ર સંપાદન.
સર્વ પ્રકારના સાહિત્ય પ્રચારના કાર્યમાં પ્રાચીન સાહિત્યનું સંપાદન કાર્ય વિશેષ કઠીન છે. પ્રાચીન સાહિત્યના પ્રચારને માટે સંપાદકેને પ્રથમ તેની ભાષા ઉપર ધ્યાન દેવું પડશે. જ્યાં સુધી મૂલ ગ્રંથકર્તાના વિચાર અવિ.
: “વીર” વર્ષ ૨ નું અંક ૧૧-૧૨ હિંદિ લેખને અનુવાદ. હિંદિમાં પત્રિકા રૂપે પ્રકાશક શ્રીમાન બાબુ સાહેબ પૂરણચંદજી હાર કલકત્તા,
For Private And Personal Use Only