Book Title: Atmanand Prakash Pustak 029 Ank 01
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ થઈ જાય છે, ત્યારે સદ્દગુરૂને સદુપદેશ શિષ્યના હૃદયમાં પ્રવેશ કરીને વિકસિત બને છે. તમે હિમાલયની ગુફામાં રહો કે શહેરમાં રહો, ગમે ત્યાં રહે, પણ તમારૂં ચિત્ત સ્થિર નથી હોતું તો તમારા માટે બને સમાન છે. તમે ઘણે દૂર નિર્જન ગુફામાં ચાલ્યા જાઓ તે પણ તમારા પિતાના વિચારે તમારી સાથે જ આવશે, કેમકે મન તો તેજ રહેવાનું. શાંતિ તે અંદરથી આવે છે. ઉદ્વેગ, કધ, અસંતોષ, પ્રતિહિંસાને ભાવ, સંદેહ, પક્ષપાત, ઇર્ષ્યા, ષ, અસહિષ્ણુતા, ઉત્તેજના, વ્યાકુળતા, વિષાદ, પ્રજવલિત મનોરાગ,-એ સર્વને આધ્યાત્મિક સાધના દ્વારા, સત્વગુણના ઉત્કર્ષ દ્વારા, કારના ધ્યાન દ્વારા અને હમેશાં વિચાર દ્વારા સમૂળગાં નષ્ટ કરી દેવા જોઈએ. ત્યારેજ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. મન અનેક જન્મમાં ઉત્પન્ન થયેલી વાસનાઓ સિવાય કશું નથી. જેઓએ આત્માનુભવ કરી લીધો છે, તેઓની શુદ્ધ વાસનાઓ પુનર્જન્મનું કારણ નથી થઈ શકતી. એ પ્રકારનું ચિત્ત સાત્વિક કહેવાય છે, પરંતુ જ્ઞાનહીન ચિત્ત સાધારણ રીતે મન જ કહેવાય છે. જ્ઞાનમય ચિત્ત તો પિોતે જ સત્વ છે, પરંતુ જ્ઞાન વગરને પુરૂષ તો પોતાના મનથી સંકેત કરેલા માર્ગે જ ચાલે છે. મન કાં તે ચિન્તન, મનન, અનુભવ અને જ્ઞાન સંપાદન કરતું રહે છે. અને કાં તે સંકલ્પ કરે છે, તમારે સ્વતંત્ર અંન્તદ્રષ્ટિદ્વાર એટલું જાણતા રહેવાની જરૂર છે કે અમુક સમયે મને ખરેખરી રીતે શું કરી રહ્યું છે. એને અભ્યાસ કરવા માટે એક સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે. ઉત્તમ ગ્રંથોના અભ્યાસથી, સત્સંગથી, ઈન્દ્રિય નિગ્રહથી તથા સાત્વિક આહારથી બુદ્ધિ અતિસૂક્ષ્મ બનાવી શકાય છે. આધ્યાત્મિક સાધનાનું તત્વ જાણું લેવાની જરૂર છે. મનમાં બે દોષ હાય છે. રાગ અને દ્વેષ. એ બનેએ તમને મનુષ્ય બનાવ્યા છે. બંધનું રવરૂપ પણ એ રાગ અને દ્વેષ જ છે. એ જ રાગદ્વેષ અજ્ઞાનનું સ્વરૂપ છે. વિચાર તથા સંભાવનાવડે એને નિર્મુલ કરી દે. બસ, પછી તમે બ્રાહ્મતેજથી દેદીપ્યમાન થઈને ઉઠશે. ભાવના જળની અને મનુષ્યની સૃષ્ટિ કરે છે. અને એ ભાવના જ તેનાથી વિપરીત સદ્ભાવના થવાથી મનુષ્યને ઇન્દ્રિય-સુખ તથા ભૌતિક ભાવનાઓથી મુકત કરી દે છે. વાઘ એક વખત મનુષ્યનું લોહી ચાખે છે, પછી તે હમેશાં મનુબેને મારવાની તક શોધતો ભમે છે. તે મનુષ્ય–ભક્ષી થઈ જાય છે, એવી જ રીતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49