Book Title: Apunarbandhaka Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 125
________________ ૧૦૨ અપુનબંધકદ્વાચિંશિકા/શ્લોક-૨૮ રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. એ રીતે=પૂર્વમાં બતાવ્યું કે અનુબંધવાળી સિદ્ધિ જ તાત્વિકી સિદ્ધિ છે એ રીતે, સિદ્ધિના અંતરંગ અંગોના સંયોગથી ઉત્તરોત્તર સિદ્ધિનું અવંધ્ય કારણ બને એવા સિદ્ધિના અંતરંગ અંગોના સંયોગથી, આત્માદિ પ્રત્યયવાળાને જસિદ્ધિ સિદ્ધ થાય છે. હાઠિકોને પણ=બળાત્કારચારીઓને પણ, આ સિદ્ધિ આત્માદિ પ્રત્યય વિતા થતી નથી. અહીં પ્રશ્ન થાય કે “આત્માદિ પ્રત્યય વિના મારે સાધ્યને સિદ્ધ કરવું છે' એવા દૃઢ યત્નપૂર્વક લક્ષ્યને સાધવા માટે પ્રયત્ન કરે તેવા હાઠિકોને પણ સિદ્ધિ કેમ ન થાય ? તેથી કહે છે -- મૃપિંડારિરૂપ ઉપાયાતરથી સાધ્ય એવું ઘટાદિ કાર્ય, હજારો બળાત્કારથી પણ ઉપાયાંતરથી=મૃતિંડારિરૂપ ઉપાયોને છોડીને અન્ય ઉપાયોથી, સાધવા માટે શક્ય નથી જ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ll૨૮. પ્રાસારનાયા' અહીં ‘’ થી જિનાલય, ઘર વગેરેનું ગ્રહણ કરવું. “ fÅનર્વાદ' અહીં ‘વ’ થી મિથ્યા પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. માત્માદિત્ય' અહીં ‘દિ’ થી ગુરુ પ્રત્યય અને લિંગ પ્રત્યયનું ગ્રહણ કરવું. કૃત્પિાદિ’ અહીં ‘દ થી તન્તુ આદિનું ગ્રહણ કરવું. ‘ઘટવ' અહીં ‘વ’ થી પટાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :ત્રણ પ્રત્યયોનો વિચાર કર્યા વિના સ્વીકારેલા અનુષ્ઠાનથી કાર્યસિદ્ધિનો અભાવ : શ્લોક-ર૭માં કહ્યું કે આત્માદિ ત્રણ પ્રત્યય દ્વારા કરાયેલી પ્રવૃત્તિ ઇષ્ટની નિષ્પત્તિનું અવ્યભિચારી કારણ બને છે, તેને દૃઢ કરવા માટે કહે છે. જે સિદ્ધિ ઉત્તરની સિદ્ધિનું અવંધ્ય બીજ હોય તે સિદ્ધિ તાત્વિકી છે. તેથી એ ફલિત થાય કે કોઈ સાધક આત્મા કોઈ ધર્માનુષ્ઠાન સ્વીકાર કરવાની ઇચ્છા કરે, પણ તે ધર્માનુષ્ઠાન વિચાર્યા વગર સ્વીકારે, અને બાહ્ય રીતે તે આત્મા તે ધર્માનુષ્ઠાનનું સેવન કરે, તોપણ તે ધર્માનુષ્ઠાન ઉત્તરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142