Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 215
________________ મન કા ચલતા તન ચલે... ૩૭૩ ૩૭૨ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) નબળાઈ જ છે ખાલી. મનના કહ્યા પ્રમાણે ચલાય જ કેમ ? એક અક્ષરેય મનનો માનવો નહિ. “ચલે જાવ’ કહીએ. પછી બીજું કશું નહિ. આવે ખરું મનમાં, પણ તે ગાંઠે નહિ. એક અક્ષરેય ગાંઠતો નથી. ઉકેલ લાવી નાખ ને ! તું તારા મનમાં માની બેઠો હોય કે સાવ સોનું છે પણ નકામું જશે. ધૂળમાં જતું રહેશે. સાવ સોનું પણ શું કરે ? જ્યાં ધણી જ નહિ. જે મકાનમાં ધણી નહિ, એ મકાનમાં સોનું પછી કામનું જ શું છે ? કરવાથી નહિ, સમજવાથી છૂટાય... પ્રશ્નકર્તા : હવે ફાઈનલી મારે આ મનના કહ્યા પ્રમાણે ચલાય છે, તેમાંથી છૂટવા માટે શું કરવું ? દાદાશ્રી : કરવાનું હોતું હશે ત્યાં ? પ્રશ્નકર્તા : અમુક સ્ટેપ તો લેવાનાં ને ? દાદાશ્રી : શાનાં સ્ટેપ લેવાનાં ? એ તો સમજવાનું છે. સમજીને ચોકડી મૂકી દેવાની. આપણો અનિશ્ચય છે એની ઉપર ચોકડી મૂકી દેવાની અને નિશ્ચયનો સ્વીકાર કરી લેવાનો. પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાનું નહિ. મન બતાવે એટલે ‘નથી ચાલવું' એમ શરૂ જ કરી દેવાનું. દાદાશ્રી : નાપાસ જ કરી દેવાનું. આપણા ધ્યેયને ચૂકવે એ ભાગ બધો ઊડાડી દેવો. આમાં કરવાનું શું છે ? નિશ્ચય ફક્ત. તે નિશ્ચય ડગે નહીં એવો કર્યો છે કે નથી કર્યો ? પ્રશ્નકર્તા : નિશ્ચય ડગે નહિ એવો કર્યો છે. દાદાશ્રી : સો ટકા ડગે નહીં એવો ? પ્રશ્નકર્તા : એવું લાગે છે. દાદાશ્રી : પણ થોડો કાચો ખરો તું અને તે છતાંય અમે કહીએ કે ભઈ, હજુ મન છે તે સાચી વસ્તુમાં કૂદાકૂદ કરતું હોય તો કર ! અમે લેટ ગો કરીએ, કે ભઈ, એ સાચી વસ્તુ છે. કંઈ આ ગાયનો (ગીતો) સાંભળવા એ કંઈ સાચી વસ્તુ નથી. આ ખાવાનું એ સાચી વસ્તુ છે. તે એને અમે લેટ ગો કરીએ. સૂવાની વસ્તુ સાચી છે, તે એને અમે લેટ ગો કરીએ કે ભઈ, અમુક ચાર કલાક સુધી સૂજે કે પાંચ-છ કલાક સૂઈ જજે. આ પતંગ ઉડાડું એની જરૂરિયાત કેટલી ? કેટલાય લોક, જેને જ્ઞાન ના હોય તેય કહે કે આની શી જરૂરિયાત છે ? આ તો વગર કામની, અનાવશ્યક પીડા ! એવું જ્ઞાન ના હોય તોય કહેનારા હોય કે ના હોય? પ્રશ્નકર્તા : હોય ને. દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચાલવું એટલે મિકેનિકલ કહેવાય. આ બુદ્ધિજીવીઓ છે તે મનના કહ્યા પ્રમાણે નહિ ચાલવાના, બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલવાના. પણ તેય ખોટું. એ બુદ્ધ બનાવે, છેવટે. આપણે પુરુષ થયા પછી, પુરુષ અને પ્રકૃતિ બે જુદાં પડ્યા પછી, નિશ્ચય ના હોય તો એ કામનું જ શું છે ? અને મન તો ‘રિલેટિવ'માં ગયું. એનો તો સ્વીકાર જ ના હોય ને ! બધું જ “ગમતું રાખવું ! અને વ્યવહારમાં પાંચ માણસો શું કહે છે એ આપણે કરવું. આપણે લોકોને પૂછીએ કે ‘ભાઈ, મારે હવે શું કરવું ?” ત્યાં હજુ (બ્રહ્મચારીઓને સાથે રહેવાનું) મકાન તૈયાર ના હોય તો કંઈ નોકરી કશું કરે ? પ્રશ્નકર્તા : પણ વ્યવહારના લોકો તો વ્યવહારની સલાહ આપે ને બધી ? દાદાશ્રી : એ બધાય ના આપે. એ તો પાંચ જણને પૂછીએ, બધાંને. જ્યાં પંચ બોલે ત્યાં પરમેશ્વર આપણે ત્યાં કહેવાય છે. અને તે આપણને સમજણ પડે એવી બાબત છે. આમાં બીજું શું હોય ?

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287