Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 235
________________ મન કા ચલતા તન ચલે... ૪૧૩ ૪૧૨ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આ ભૂલ થઈ મારી.” એ બે વચ્ચે થઈ જાય છે ને ? એ બે કોણ ? દાદાશ્રી : એમાં એક બાજુ મન કરે છે અને એક બાજુ પ્રજ્ઞા કરે છે. પ્રશ્નકર્તા : આ બે જ છે ? વચ્ચે અહંકાર કશું નથી ? દાદાશ્રી : બે જ છે. અહંકારનું ચલણ જ નથી. અહંકાર તો ‘ગૉન’ (ગયો). એ અહંકાર તો પછી મડદાલ રહ્યો એટલે આપણો જેનો સિદ્ધાંત હોય તેમાં એ કામ કર્યા કરે. આપણે જે સિદ્ધાંત નક્કી કરીએ તે પ્રમાણે એ કામ કર્યા કરે. અહંકારને કશું લેવાદેવા નહીં. એ ડિસ્ચાર્જ ને ! પ્રશ્નકર્તા: એક બાજુ મન છે ને એક બાજુ પ્રજ્ઞા છે, તો મનનું ચલણ કયા આધારે થઈ જાય છે ? દાદાશ્રી : અજાગૃતિને લીધે. અજાગૃતિ ને લાલચ. લાલચ તો આપણે કંઈ રહી ગયું હોય ને, કે આ ફલાણું શાક ભાવતું હોય એટલે આપણે મનનું કહ્યું એક્સેપ્ટ કરીએ. પ્રશ્નકર્તા : એ આપણે એટલે કોણ મહીં કરે છે ? દાદાશ્રી : એ તો મૂળ અહંકાર, બીજું કોણ ? આ હું ઘણી વખત કહું છું ને, જુઓ ને ! આ સરસ નાસ્તો છે, તોય મઠિયાં ખાય છે. હું કહુંય ખરો કે ખાવ. પણ એ ‘પાંચ ખાવાનું કહે ત્યારે બે ખાવા દઉં”. પ્રશ્નકર્તા : એટલે મન બતાડે કે પાંચ ખાવા છે ત્યારે ? દાદાશ્રી : એટલે હું ખવડાવું ખરો, ‘સારું કરીને ખાવ’ કહું. એ જુએ છે ને, ગરમ નાસ્તો હોય તોય. સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ, ટાઢો ના લેશો. ને છતાંય બે મઠિયાં ખવડાવવા. એ કહે, ‘પાંચેક મઠિયાં ખાઈએ.' ત્યારે અમે કહીએ, ‘ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.” એ હઉ કહું એટલું. આમ તો હું બે મઠિયાં રોજ ખાઈ જઉં છું. પ્રશ્નકર્તા : એટલે પાર્શયલ (અંશતઃ) સિદ્ધાંતનું રાખ્યું ને પાર્શીયલ મનનું રાખ્યું, ત્યારે એનું સમાધાન થયું ને ? દાદાશ્રી : ના, એવું નહીં. એ સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં એને જરા નોબીલિટી (વિશાળતા) જોઈએ છે. સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય ત્યાં નોબલ રહેવું જોઈએ આપણે. તમને શું લાગે છે આમાં ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ? પ્રશ્નકર્તા : મનથી જ કરેલો. દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહિ તો હું તમને કહું જ નહીં ને ! કશુંય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિદ્ધાંતની વાત કરું જ નહીં. ના પહોંચી શકે માણસ. જ્ઞાન છે એટલે તમે પહોંચી શકો. નિશ્ચયો, જ્ઞાન અને મતતા ! ફેર, બન્ને નિશ્ચયમાં ! પ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાન કરીને થયેલો નિશ્ચય એનું ડિમાર્કશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ? દાદાશ્રી : જ્ઞાન કરીને કરેલા નિશ્ચયમાં તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. મન જોડે કેમ વર્તવું એ તો બધી સમજણ હોય જ. એને પૂછવો ના જવું પડે કે મારે શું કરવું ! જ્ઞાન કરીને નિશ્ચય તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ! એટલે તમારે જાણવું જોઈએ કે કો'ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે. જે મને આ ટ્રેનમાં બેસાડ્યા તે જ ટ્રેનમાંથી પાડી નાખે. એટલે જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે. પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય એ જ્ઞાન કરીને થઈ જવા માટે શું કરવું ? દાદાશ્રી : હવે જ્ઞાન કરીને તમારે એને ફીટ કરી દેવાનું.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287