Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 258
________________ ૪૫૮ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દહાડે કાચો પથરો. તેય ડેવલપ થયા સિવાય યુગને લઈને લાભ મળ્યા કરે, બસ. કશું વિચારવું ના પડે. અને મગજ આઈડલ (નિષ્ક્રિય) બધું. પ્રશ્નકર્તા : પણ અત્યારે લોકોએ એટલું બધું વિચારી કાઢ્યું છે આ કાળમાં, તે હવે વિચાર એને ઝેરસ્વરૂપ લાગ્યા વગર છૂટવાનો નથી ને ત્યાર વગર કલ્યાણ નથી. દાદાશ્રી : તેથી ડેવલપ થયા કહેવાયને ! પહેલાં આ વિચારેલું નહીં કોઈ દહાડો. સતયુગમાં તો કશું વિચારેલું નહીં. પ્રશ્નકર્તા : પહેલાં શી રીતે વિચારે ? અત્યારે આ કાળમાં જ બધા વિચાર પેઠા. ભીડ પડી ત્યાં જ વિચાર આવેને ? દાદાશ્રી : હા, તે જ કહું છું ને ! એને ખાવાની ચીજની ભીડ નહીં, કોઈ ભીડ નહીં, બૈરીની ભાંજગડ નહીં, એને બીજી સ્ત્રી સંબંધી વિચાર આવે નહીં, ત્યારે એવું બધું અંડરડેવલપ હતું. આ તો લોકસંજ્ઞાથી લોકોએ માની લીધું કે આમાં સુખ છે. આ તો લોકોએ સુખ માન્યું, તેમાં સુખ માન્યું. એવું સરસ માની લીધું કે વિચારવાનો સ્કોપ (અવકાશ) જ ના રહ્યો. આમાં જે વિચારકો જભ્યા તેમણે વિચાર કર્યો કે આવું તે હોતું હશે ? આવું આ કઈ જાતનું ? આ લોકો દોડ્યા છે પાછળ ! મહીં વિચારકો જભ્યા, તેમને થયું. બાકી ઘણું ખરું આખું જગત વિચારમાં જ નહીં. વિચારક તો કોણ હોય ? ફરી ફરી કેટલાય અવતારથી મનુષ્ય થતો આવ્યો હોય તે વિચારક હોય. આ તો ત્યાંથી રાડાં ખાતાં ખાતાં, રોટલી ખાવા આવ્યો હોય. અને પછી કહેશે, વિચાર આવતા નથી. શાના વિચાર આવે ? બત્રીસ માર્ક હતા, તે ગધેડો રહ્યો ને તેત્રીસ માર્કે માણસ થયો. એક માર્ક તેના દેહમાં ગયો. ગુણ તો તેના તે જ રહ્યા ને ! તે અહીં આગળ સ્ટેશન પર પોટલાં ઊંચકે. તે હવે એની જોડે આપણે ત્યાં ઝઘડો કરીએ તો શું થાય ? ચપ્પ મારી દે કો'ક વખત ! તે સાઠ ટકાનો માણસ હોય, એની જોડે ઝઘડો કરીએ તો ચપ્પ ના મારે, કશું ના કરે. આ આની જોડે ઝઘડો થાય નહીં, અત્યારે ઘણો ખરો માલ એવો છે. આ મનની મૂંઝવણનો ઉકેલ ૫૯ ત્યાંથી રિટર્ન ટિકિટ લઈને આવ્યો છે, તિર્યંચ સ્ટેશનથી. અને ફરી પાછા ત્યાં જ જવાના. ખરો વિચારક મળ્યો હોય ને, એને તો હું એક જ વાક્ય કહું કે, ‘ગોડ હેઝ નોટ ક્રિયેટેડ ધીસ વર્લ્ડ. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.” એટલું કહે તો બાર કલાક સુધી તો એના વિચારમાં જ રહે, આ એક જ વાક્ય બોલું તેના વિચારમાં ! પણ લોકોની કંઈ મતિ પહોંચતી નથી અને ઉઘાડી આંખે ઊંધે છે. નહીં તો ‘વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ' એટલું સાંભળતાં જ તો એના મનમાં કંઈનું કંઈ થઈ જાય. એટલા બધા વિચાર આવી જાય, વિચારક માણસને ! ત ખાય જ્ઞાતી, બે ખોટ કદી ! આ તો લોખંડના ભાવ બજારમાં બેઠા, એવું ખબર પડે તો શું થાય ? બહુ આનંદ થાયને ? પ્રશ્નકર્તા : બ્લડપ્રેશર વધી જાય. દાદાશ્રી : હા, આપણને બ્લડપ્રેશર વધી જાય, એવા આપણા લોક ! એના બદલામાં ત્યાં નફો મળે ને ? તેય ખોટ ગઈ ને આય ખોટ ગઈ, બેય ખોટ સાથે ખાવ ! અને આ ખોટ જાય તો, પેલી ખોટ બંધ ના થાય ? થતી હશે, મને લાગે છે ? પ્રશ્નકર્તા : એમાં ત્યાં કંઈ ફેરફાર ના થાય. દાદાશ્રી : એટલે મહાવીર ભગવાને કહ્યું હતું કે એક ખોટ ખાજો, બે ખોટ ના ખાશો. તમને કયું પસંદ ? એક ખોટ ખાવી તે પસંદને, તે બે ખોટ શું કામ ખાવાની જરૂર આપણે ? હવે એ શાથી બે ખોટ ખાય છે ? પોતાની નબળાઈઓ છે. તમારી ઇચ્છા ના હોય, આ બ્લડપ્રેશર વધે એવું તમારે કરવું નથી અને ડૉક્ટરે કહ્યું હોય કે બહુ વિચાર કરશો નહીં. ત્યારે આ કહેશે, સાહેબ, તમે ના કહો છો, પણ મને મહીં એની મેળે જ થયા કરે છે.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287