Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 246
________________ ૪૩૪ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) મન કા ચલતા તન ચલે.. ૪૩૫ પ્રશ્નકર્તા : ધ્યેય જ્યારે નક્કી કરે છે, તે વખતે અહંકાર જ હોય ને ? દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારે એ તો નિર્જીવ અહંકાર છે ને ! દાદાશ્રી : આ બધાંને કશું રાખવાની જરૂર નથી. એક મનની એકલાની જ વાત પૂછતો નથી ને.... તારે બીજી ભાંજગડમાં પડવું નહીં અને મનેય એક ફેરો વળી ગયા પછી કશું કરવાની જરૂર નથી. આ તો મન ના વળ્યું હોય ત્યાં સુધી ભાંજગડ. આપણો ધ્યેય નક્કી કરવાનો. એટલે પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બાજુ જ જાય. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારને એમ નહીં કહેવાનું કે તમે આમ કરો, પણ આપણે ધ્યેય જ નક્કી કરવાનો. આજ્ઞા પાળવી છે એનો જે ધ્યેય નક્કી કર્યો, તો એ બાજુ જાય ને નથી પાળવી એવું નક્કી કરે તો પછી એવું ચાલે. તું શું કરે ? પ્રશ્નકર્તા : ધ્યેય જ નક્કી કરવાનો. દાદાશ્રી : શું શું ધ્યેય નક્કી કર્યો ? પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞામાં રહેવાનું. દાદાશ્રી : એ તો બહુ મોટામાં મોટી વાત. ‘દાદા'ની આજ્ઞામાં જ રહેવું છે, એવું જેને ધ્યેય છે ને, એને ઘણું ખરું બધું જ આવી જાય. તેથી ભગવાને કહેલું ને, ‘આજ્ઞા’ એ તપ ને “આજ્ઞા” એ જ ધર્મ. બીજાં તપ તપવાની જરૂર જ શું છે ? ખાજે-પીજે ને, નિરાંતે. એટલે ધ્યેય નક્કી કરીએ ત્યાર પછી ધ્યાન એનું પરિણામ છે. હવે આપણે ધ્યેય શું રાખવાનો છે કે ભૂલ કોઈનીય છે નહીં. જગત આખું નિર્દોષ જ છે, એવો ધ્યેય રાખવો જોઈએ. એટલે પછી પેલું અંતઃકરણ, એ બધુંય એ બાજુ ચાલે. અને આ તો તમારે ખાલી નક્કી જ કરવાનું છે. તારો અનુભવ શું કહે છે ? દોષ કોઈનો છે ખરો ? પ્રશ્નકર્તા: ના, કોઈનો દોષ જ નથી. પોતાનો જ દોષ છે. દાદાશ્રી : એવું જ અનુભવમાં આવી ગયું ? તો એ પછી ધ્યેય બદલાઈ ગયો. ધ્યેય બદલાયો એટલે પછી એ બાજુ ચાલ્યા જ કરે. જેટલું કષાયનું જોર ઓછું થતું જાય ને તેમ તેમ રાગે પડતું જાય. કષાયો જ નિર્દોષ દૃષ્ટિ નથી થવા દેતાં ને ! અને કષાયો તે પાછાં કોનાં ? પ્રશ્નકર્તા : પોતાનાં. દાદાશ્રી : મિશ્રચેતનનાં. પ્રશ્નકર્તા : કોઈના દોષ દેખાય તો સામે પેરેલલ (સમાંતરે) પેલું પણ દેખાય કે આ પોતાના ક્યા દોષના આધારે આનો દોષ દેખાય છે. એટલે આ બીજા લોકો ધ્યાન કરવા જાય છે. અલ્યા, ધ્યેય નક્કી કરને, તો પછી બીજા ધ્યાન એની મેળે થશે. અહીંથી બોરીવલી જવાનું ધ્યેય તમે નક્કી કર્યું હોય તો તમારે ધ્યાન શું રહે ? પ્રશ્નકર્તા : બોરીવલીનું ધ્યાન રહે. દાદાશ્રી : હા, એવું ધ્યેય નક્કી કરે તો ધ્યાનેય થયું. અને ધ્યાન કરવા ગયો તો ધ્યાન થાય નહીં, અહંકારથી ધ્યાન થાય નહીં. ધ્યાન તો પરિણામ છે. દાદાશ્રી : એવું દેખાય. એ જેમ જેમ દૃષ્ટિ નિર્મળ થતી જાય ને તેમ તેમ દેખાય. હવે જડનું માનીને કેટલા દહાડા ચાલે ? એમાં તો આખું

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287