Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 237
________________ ૪૧૬ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : શું કારણથી ? મહીં ચોખ્ખું કર્યું ને ! આખી રાત મેં ચોખ્ખું કર કર કરેલું. અને સવારના પહોરમાં છૂટું મૂક્યું, તે પછી મેલું થાય જ નહિ ને ! આમ પાસા ફેરવે, તેમ પાસા ફેરવે, ચોખ્ખું કર કર કર્યા કરે. પ્રશ્નકર્તા : કેવી રીતે કર્યું દાદા ? એ શું કર્યું ? દાદાશ્રી : કેટલાય પ્રતિક્રમણ કર્યા. કેટલાં બધા લોકો, એની જોડે મળવાનું, વાતચીત કરવાની. આ બધાં લોકો જોડે રાત્રે મળવા જાઉં, વાતચીત કરું. એના મનનું સમાધાન કરી નાખું, ત્યાં ને ત્યાં. હવે અહીં આવે તો એને સમાધાન લાગે. પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિ જોડેનું મન આપ ચોખ્ખું કેવી રીતે કરો છો ? દાદાશ્રી : હું તો ત્યાં જઈને એકલું પ્રતિક્રમણ નથી કરતો, ત્યાં જઈને બધી વાતચીત કરીને એનું બધું ચોખ્ખું કરી આપીને પછી પાછો આવતો રહું. પ્રશ્નકર્તા : શું વાતચીત કરો ? દાદાશ્રી : કે ‘ભઈ, મારી ભૂલ થઈ છે ને હવે આપણે મોક્ષે જઈએને, આ ભાંજગડમાં શું કામ પડો છો ? આપણે શું લેવાદેવા છે તે ?' એનું મન ખુશ કરી દઈએ. પ્રશ્નકર્તા : એનું મન તમને એક્ઝેક્ટ વંચાય ? એનું મન શું શું બૂમો પાડે છે તે તમને વંચાય ? દાદાશ્રી : હા, હા, બધું સમજી જાય. એની જોડે ત્યાં જઈને કરી આવવાનું. અને અહીં આવ્યો હોઉં પાછો, જઈને પાછો આવું. એનું ચોખ્ખું થઈ ગયું હોય ને અહીં આગળ મને જુએ તો બધું ચોખ્ખું જ દેખાય. મન કા ચલતા તને ચલે... ૪૧૭ નિર્દોષ દૃષ્ટિતી કેળવણી... બધાં માણસને જોઈએ તો ખરાં ને કે ના જોઈએ ? દોષિત તો કોઈ દેખાવો જ ના જોઈએ. મનમાંય ના હોવું જોઈએ. બુદ્ધિમાં તો હોવું જ ના જોઈએ. પ્રશ્નકર્તા : બુદ્ધિમાં પાછું કેવું હોય ? દાદાશ્રી : બુદ્ધિ ક્લીયર હોય. મને બહુ ગાળો દઈ ગયો હોય તેને હું આવું કહું કે ‘એ બહુ સારો માણસ, આના જેવો માણસ મળે નહીં !' પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે એવું કહીએ કે ‘આ બહુ સારો માણસ છે’ પણ પાછું જોડે જોડે ફરી મહીં દેખાડે કે ‘શું સારો છે ?’ આવું તો કરી ગયો, એને કેમનો સારો કહેવાનો ? દાદાશ્રી : એ કહે તો પણ અમે પાછા એને સમજાવીને અમારું એડજસ્ટ કરી દેવડાવીએ. એને સમજાવીએ બધું સારી રીતે. પ્રશ્નકર્તા : એ કઈ સમજણ પાડો એને ? દાદાશ્રી : છેલ્લી રીત એ સમજાવીએ કે ખરી રીતે આત્માએ કરીને, નિશ્ચય કરીને તો શુદ્ધ છે અને વ્યવહારમાં એ બિચારો પરવશતાથી કરે છે, એમાં એનો શો દોષ બિચારાનો ? એવું તેવું બધું સમજાવીને આમ સમજણ પાડીએ પણ છેવટે એની પાસે કબૂલ કરાવીએ. એક જ શબ્દથી ના પતે. બહુ બહુ જાતના શબ્દોથી સમજાવું પડે. પ્રશ્નકર્તા : આપે એક વખત એમ કહેલું કે ‘એ શુદ્ધાત્મા છે’ એટલું કહેવાથી કંઈ એ નિર્દોષ ના દેખાય. મન થોડીવાર આગળ જઈને ચડી બેસે. એટલે એ બધાં પાસાં દેખાડીએ ત્યારે એ નિર્દોષ છે એવું એક્સેપ્ટ કરે. દાદાશ્રી : હા. મન તો એકલું એક્સેપ્ટ કરે જ નહિ ને ! મન જ્ઞાનની વાતેય ના એક્સેપ્ટ કરે. આ જ્ઞાનની જ વાત છે કે, ભઈ,

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287