Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 318
________________ સૂત્ર-૯૨ આનુપૂર્વીઆદિ દ્રવ્યો કયા ભાવમાં છે. અલ્બબહુત્વ. [૯૨] પ્રશ્ન-મૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. આ પ્રથમ ભેદ છે. [૩] મૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે ? અસંખ્યાત છે ? અથવા અનંત છે ? સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યો પણ અનંત જાણવા. આ બીજો ભેદ. [૯૪] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે ? અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે ? કે સંખ્યાતભાગોમાં અવગાઢ છે કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ છે ? કે સમસ્ત લોકમાં અવગાઢ છે ? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોય છે. કોઈ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોયછે. સંખ્યાત ભાગોમાં અવગાઢ હોયછે. અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોયછે અથવા સમસ્ત લોકમાં અવગાઢ હોય છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ તે સમસ્ત લોકમાં અવગાઢ છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત ભાગમાં અવગાઢછે યાવત્ સમસ્ત લોકમાં અવગાઢછે ? એક અનાનુપૂર્વીદ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમાં ભાગમાં અવગાઢ નથી. અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, સંખ્યાત ભાગોમાં અવગાઢ નથી, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ નથી. અનેક અનાનુપૂર્વીદ્રવ્યો નિયમથી સમસ્ત લોકમાં અવગાઢ છે. આ પ્રમાણે જ અવકતવ્ય દ્રવ્યના વિષયમાં સમજવું. [૫] મૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતમા ભાગને સ્પર્શે છે ? અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે ? સંખ્યાતમા ભાગોને સ્પર્શે છે, અસંખ્યાતમા ભાગોને સ્પર્શે છે ? કે સમસ્ત લોકને સ્પર્શે છે ? એક-એક આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શે છે યાવત્ સમસ્ત લોકને સ્પર્શે છે, અનેક આનુપૂર્વીદ્રવ્યો નિયમથી સમસ્ત લોકને સ્પર્શે છે. નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો શું લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શેછે યાવત્ સમસ્ત લોકને સ્પશેછે? એક-એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શતું નથી પણ અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે,સંખ્યાત ભાગોને,અસંખ્યાત ભાગોને કે સર્વલોકને સ્પર્શતું નથી. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તે નિશ્ચયથી સમસ્તલોકને સ્પર્શે છે. અવકતવ્યદ્રવ્યોની સ્પર્શના પણ આજ પ્રમાણે સમજવી જોઇએ. ૩૧૫ [૯૬] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? એક આનુપૂર્વીદ્રવ્ય જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી તે સ્વરૂપે રહે છે. વિવિધ આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચયથી સર્વકાળમાં હોય છે, અનાનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્યોની સ્થિતિ પણ ઉપર પ્રમાણે એટલે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સમજવી.. [૭] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાન-વિરહકાળ કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ વિરહકાળ થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396