Book Title: Agam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 335
________________ ૩૩૨ અનુગદારા-(૧૫૯), નારીજાતિના “જબૂ' બહુ ઉદાહરણ છે. ધન આ અંકારાન્ત નપુંસકલિંગનું પદ છે. સ્થિ’ (અસ્થિ) ઈકારાન્ત નપુંસકલિંગનું છે. “પીલું “મહું ઉંકારાન્ત નપુંસકલિંગના પદ છે. આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ છે. [૧૫ચતુનામનું સ્વરૂપ કેવું છે? ચર્તુનામના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેઆગમનિષ્પનનામ લોપનિષ્પનનામ પ્રકૃતિનિષ્પનનામ અને વિકારનિષ્પન્નનામ. આગમનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? આગમરૂપ અનુસ્વારવડે જે જે શબ્દો બને તે આગમનિષ્પન નામ છે. તે આ પ્રમાણે-પદ્મનિ એવીજ રીતે પાંસિ’ અને ‘કુણ્ડનિ’ પણ આમગનિષ્પન્ન નામ છે. લોપનિષ્પન્ન નામનું સ્વરૂપ શું છે ? તે અ = - તેડત્ર, પટો + અત્ર- પટોડત્ર, ઘટો + અત્ર-ઘટોડત્ર, આ પદોમાં “અ” નો લોપ થયો છે, માટે આ પદો લોપનિષ્પન્ન નામ કહેવામાં છે. પ્રકૃતિનિષ્પનનામનું સ્વરૂપ કેવું. અગ્ની-એતૌ, પટૂ-મી, શાલે એતે, માલ-ઈમે, આ પ્રયોગોમાં પ્રતિભાવ હોવાથી કોઈ વિકાર ન થતાં પ્રકૃતિરૂપે રહેતા હોવાથી પ્રકૃતિનિષ્પન્નનામ છે. વિકારનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? વિકારનિષ્પનનામ-જે નામમાં કોઈ એક વર્ણને સ્થાને બીજાવર્ણનો પ્રયોગ થાય તે. તે આ પ્રકારનું છે-દંડ + અગ્ર = દંડાઝ, સા+આગતા=સાગતા, દધિ+ઈદ= દધીદે, નદી+હ=નદીહ, મધુ+ઉદક= મધૂદક, વધૂ+ઊહો-વધૂહો. આ બધા નામો વિકારનિષ્પન્ન છે. ચર્તુનામનું સ્વરૂપ છે. [૧૦] પંચ નામનું સ્વરૂપ કેવું છે? પંચનામના પાંચ પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે- નામિક-વસ્તુવાચક નૈપાતિક આખ્યાતિક-ક્રિયાપ્રધાન, ઔપસર્ગિક, મિશ્ર. અશ્વ' પદ નામિકનામનું ઉદાહરણ છે. “ખલું' પદ નૈપાતિકનું ઉદાહરણ છે. “ધાવતિ' દોડવું) આખ્યાતિકનું ઉદાહરણ છે. “પરિ’ ઔપસર્ગિક નામ છે. સંયત-સમ' ઉપસર્ગ અને “યત્ ધાતુના સંયોગથી બન્યું હોવાથી મિશ્રનામનું ઉદાહરણ છે. આ પાંચ નામનું સ્વરૂપ છે. [૧૧] છનામના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે ઔદયિક ઔપથમિક સાયિક ક્ષાયોપથમિક પરિણામિક અને સાનિપાતિક. ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવ બે પ્રકારનો છે. જેમકે- ઔદયિક અને ઉદયનિષ્પન. ઔદયિકનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિઓનો ઉદય તે ઔદયિકનામ સમજવું. ઉદયનિષ્પન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ)નું સ્વરૂપ કેવું છે ? ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. જીવોદયનિષ્પન અને અજીવોદય નિષ્પન. જીવોદયનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કર્મના ઉદયથી જીવમાં જે ભાવ નિષ્પન થાય તે જીવોદનિષ્પનનામ. તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે-નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ. પૃથ્વીકાયાદિ સ્થાવર, ત્રસકાયિક, ક્રોધકષાયી યાવતુ લોભકષાયી,સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્યી યાવતું શુક્લલેશ્યી, મિથ્યાવૃષ્ટિ (૩) અસંશી, અજ્ઞાની, આહારક, છદ્મસ્થ, સંયોગી, સંસારસ્થ, અને અસિદ્ધ. આ પ્રકારનું જીવોદયનિષ્પનઔદયિકભાવનું સ્વરૂપ છે. અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? અજીવોદયનિષ્પન્ન ઔદયિક ભાવના અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે ઔદારિકશરીર, ઔદારિકશરીરના વ્યાપારથી ગૃહીત દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય શરીરનું પ્રયોગથી ગૃહીત દ્રવ્ય, તેજ પ્રમાણે આહારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396