Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Author(s): Subodh Lalbhai Ahmedabad
Publisher: Subodh Lalbhai Ahmedabad

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૧ | અથ પંચમ વ્યાખ્યાન જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જન્મ્યા તે રાત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા એવા ઘણા દેવ અને દેવીઓથી જાણે અતિશય આકુલ થઈ હોયની 1, તથા આન દથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અધ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ હોયની ! એવી થઈ આ સૂત્ર વડે, દેવતાઓએ પ્રભુને જન્મત્સવ વિસ્તાર સહિત કર્યો એમ સૂચવ્યું, તે વિસ્તાર આ પ્રમાણે– પ્રભુના જન્મ સમયે અચેતન પણ દિશાઓ જાણે હર્ષિત થઈ હોયની ! એવી રમણીય દેખાવા લાગી, વાયરે સુખકર અને મદ મદ વાવા લાગ્યા, ત્રણે જગત ઉતમય થઈ ગયા, આકાશમાં દુદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી ઉચ્છવાસને પામી, અને દુખવ્યાસ નારકીને જેને પણ તે સમયે આનદ પ્રર્વત્યે. તીર્થ કરના જન્મના સૂતિકર્મ માટે પહેલાં તે છપ્પન દિકુમારીઓ આવીને પિતાને શાશ્વત આચાર કરે છે. તે આ પ્રમાણે— શ્રી મહાવીર પ્રભુના જન્મ સમયે છપન દિકુમારીઓના આસન કંપવાથી અવધિજ્ઞાનથી શ્રી અરિ. || હત પ્રભુને જન્મ થયેલે જાણી તે છપન દિકુમારીએ હર્ષ પૂર્વક સૂતિકારને વિષે આવી. તેઓમા ૧૪૧

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170