Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 8
________________ સંવત ૨૦૧૬થી ત્રણ વર્ષ માટે શ્રી જગજીવનભાઈ—નિવૃત્તિ નિવાસ વડિયાના સ્વ. શ્રાવક શ્રી જેઠાભાઈ રૂપાણી સ્વ. મુ.-ઝવેરચંદ બાપા કામદાર સ્વ. રાવ સાહેબ મણીભાઈ તથા સ્વ. ઠાકરશી બાપાની સાથે રહ્યા, ને પિતાને અભ્યાસ વધાર્યો. આ સમયથી પોતે વ્યાપારમાંથી તદ્દન નિવૃત્તિ લીધી. હાલ તેમના સુપુત્ર ભેળા રહી સંયુક્ત વહીવટ ચલાવે છે. આ અરસામાં મારવાડમાં વિરાજીત બા.બ્ર. પંડિતરત્ન બહુશ્રુત પૃજ્ય સમરથમલજી મ. સા. ના દર્શનાર્થે સપરિવાર ગયા, અને તેઓશ્રીના સુપરિચયથી તેમને ઘણે હર્ષ થયે. અને તેમને પરિચય થયા પછી તેઓશ્રીની ગ્યતા વિ. સંબંધી રાજકોટના ધર્મપરાયણ સદ્દગૃહસ્થ દુર્લભજીભાઈ વીરાણીને–વાત કરવાથી દુર્લભજીભાઈની ઉત્કૃષ્ટ ઈચ્છાને લઈ પુ. શ્રી સમરથમલજી મ. સા. ને ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પ્રથમ રાજકેટમાં અને બાદમાં દામનગરમાં થયેલ. દામનગર પૂ. સમરથમલજી મ. સા ના ચાતુર્માસ દરમિયાન તેમના દર્શનાર્થે દૂર દૂરથી આવતા અનેક સજ્જનેની સેવાને લાભ શ્રી જગજીવનભાઈની પ્રેરણાથી દામનગર શ્રી સંઘને મળે. પૂ. આચાર્યવર્ય શાસ્ત્રોદ્ધારક શ્રી ઘાસીલાલજી મ. સા. દ્વારા ચાલતા આગમ પ્રકાશનના કાર્યના પ્રારંભથી જ શ્રી જગજીવનદાસભાઈએ તન, મન, ધનથી સહકાર આપેલ છે. અને તે માર્ગને અનુસરી તેમના સુપુત્રો પણ અનુસરશે જ સ્વ. પૂ. ઘાસીલાલજી-મ. સા. પ્રત્યે તેઓને અનન્ય પૂજ્યભાવ હતું અને છે. આ રીતે દામનગર ક્ષેત્ર સંપ્રદાયવાદથી તદ્દન અલીત રહેલ છે. તે ઘણું જ હર્ષને વિષય છે. શ્રી જગજીવનભાઈને જૈન ધર્મ પ્રત્યે બાલ્યકાળથી જ દઢ શ્રદ્ધા હોઈ કઈ મિથ્યાત્વનું સેવન નહીં. તેમજ સવાર-સાંજ નિયમિત પ્રતિકમણ વિહાર નેકારશી, ચૌદ નિયમની ધારણું વિગેરે ચાલુ જ છે. - આ રીતે પરિવાર સંબંધી વ્યાવહારિક કાર્યથી નિવૃત થઈ શ્રી જગજીવનરામભાઈ તથા જેકુંવરબેન ઉભય દંપતિ પિતાના પુત્ર પુત્રવધુઓ અને પરિવારની પૂર્ણ અનુકૂળતાને લઈ ધર્મસંસ્કારોથી રંગાઈ પિતાના જીવનને સંપૂર્ણ સફળ અને ધન્ય બનાવવા પૂર્ણ રીતે ધર્મક્રિયાનું આરાધન કરી સુખપૂર્વક જીવન વીતાવી રહ્યા છે. આવી ધર્મપરાયણ વ્યક્તિનું આત્મકલ્યાણ થાય એમાં કઈ સંદેડ કે આશ્ચર્ય જેવું નથી. પિતાની ઉચ્ચ ભાવનાને અનુસરી તેમના સુપુત્રોએ આ શાસ્ત્રોદ્ધારના કાર્યને સક્રિય સહકાર આપવાની ઉદ્દેશથી હાલમાં પ્રસિદ્ધ થતાં પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા ભાગના પ્રકાશનાથે રૂા. ૫૦૦ ની ઉદાર સખાવત કરેલ છે. જે શાસ્ત્રોદ્ધાર સમિતિએ સાભાર સ્વીકારી પ્રજ્ઞાપના સૂત્રના આ ત્રીજા ભાગનું પ્રકાશન તેમની સહાયતાથી કરેલ છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 955