Book Title: Agam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ૧/-I-I૧૫,૧૬ ૩૪ પરંપરસિદ્ધ છે. તેમાં જેઓને સિદ્ધ થયાને એક પણ સમયનું અંતર નથી તે થતું વર્તમાન સમયે સિદ્ધ થયેલા છે તે અનંતર સિદ્ધ. • X - X - જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઈત્યાદિ સમયોનું અંતર પડેલ છે, તે પરંપર સિદ્ધ. વિવક્ષિત પ્રથમ સમયે જેઓ સિદ્ધ થયેલા છે, તેની અપેક્ષાએ જેને સિદ્ધ થયાને બીજો સમય થયો હોય તે પર, એ રીતે બીજો સમય ઈત્યાદિ સમયની વૃદ્ધિ કરતા યાવત્ અનંત અતીત કાળ સુધી મોક્ષે ગયેલ તે બધાં પરંપર સિદ્ધો કહેવાય છે - x - x - = શબ્દ સ્વગત ભેદ સૂચક છે. અનંતરસિદ્ધ - અસંસાર સમાપન્ન જીવપજ્ઞાપના કેટલા ભેદે છે ? પંદર પ્રકારે છે, કેમકે અનંતર સિદ્ધો સિદ્ધાવસ્થાની પૂર્વેની વિશેષતાના ભેદથી પંદર પ્રકારે છે. તે આ પ્રમાણે - (૧) તીર્થસિદ્ધ - જેનાથી સંસારસાગર તરાય છે, તે તીર્થ - યથાવસ્થિત સર્વ જીવાજીવાદિ પદાથના સાથે પ્રરૂપક તીર્થકર પ્રણીત પ્રવચન, તે નિરાધાર ન હોય, તેથી તેના આધારભૂત સંઘ કે પ્રથમ ગણધરને પણ તીર્થ જાણવા. કહ્યું છે - તીથી [શાસન] એ તીર્થ (તરણ સાધન છે કે તીર્થકર તે તીર્થ છે ? ગૌતમ ! અરહંત નિયમા તીર્થંકર છે, ચાતુવર્ણ સ્કંધ કે પ્રથમ ગણધર તીર્થ છે. તે તીર્થમાં ઉત્પન્ન સિદ્ધ, તે તીર્થસિદ્ધ. (૨) અતીર્થસિદ્ધ - તીર્થનો અભાવ તે અતીર્થ, આ અભાવ બે રીતે- તીર્થની ઉત્પત્તિ ન થઈ હોય કે તીર્થનો વિચ્છેદ થયો હોય, તેમાં જે સિદ્ધ થાય અતીર્થ સિદ્ધ, તેમાં તીર્થની ઉત્પત્તિ પૂર્વે સિદ્ધ તે મરદેવી આદિ. કેમકે મરદેવીના સિદ્ધિગમન કાળે તીર્થ ઉત્પન્ન થયેલ ન હતું. તયા સુવિધિનાથ સ્વામી આદિ તીર્થકરના આંતરામાં જે જાતિ સ્મરણાદિ વડે મોક્ષ પામીને સિદ્ધ થયા તે તીર્થ વ્યવચ્છેદ સિદ્ધ. a) તીર્થકસિદ્ધ • તીર્થકર થઈને જેઓ સિદ્ધ થયા છે તે તીર્થંકરસિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ - સામાન્ય કેવલી થઈને જે સિદ્ધ થયા છે તે... (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ - સ્વયં બોધ પામીને જે સિદ્ધ થયા છે તે... (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ • પ્રત્યેક બુદ્ધ થઈને સિદ્ધ થયેલ... સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શો ભેદે ? તેઓમાં બોધિ, ઉપધિ, શ્રત અને બાહ્ય વેશથી ભેદ છે. તેથી કહે છે કે- સ્વયંભુદ્ધ કોઈપણ બાહ્ય કારણ વિના બોધ પામે છે, કેમકે પોતાના જાતિસ્મરણાદિ વડે બોધ પામેલા તે સ્વયંબુદ્ધ. તેઓના બે ભેદ છે - તીર્થકર અને તીર્થકર સિવાયના - અહીં તીર્થકર સિવાયના સ્વયંભુદ્ધનો અધિકાર છે. નંદિસૂઝ ચૂર્ણિકારે પણ આ કહેલ છે. પ્રત્યેકબુદ્ધ કોઈપણ બાહ્ય કારણથી બોધ પામે છે બાહ્ય - વૃષભાદિ કારણ જોઈને બોધ પામેલા તે પ્રત્યેક બુદ્ધ, વળી સંભળાય છે કે - કઠંડૂ આદિ રાજર્ષિને બાહ્ય કારણથી બોધિ પ્રાપ્ત થયેલ છે અને તે બોધિ પ્રાપ્ત કરીને એકાકી જ વિચારે છે પણ ગયછવાસી સાધુ માફક સાથે મળીને વિચરતા નથી. નંદીના ચૂર્ણિકાર પણ આમ જ કહે છે. 2િ0/3]. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧ સ્વયંબુદ્ધને બાર પ્રકારે પાત્ર આદિ ઉપધિ હોય છે. પ્રત્યેકબુદ્ધને જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારે ઉપધિ હોય છે. જઘન્ય ઉપધિ બે પ્રકારે, ઉત્કૃષ્ટ ઉપધિ વરુ સિવાય નવ પ્રકારે હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વ જન્મમાં અધ્યયન કરેલ શ્રત હોય અથવા ન પણ હોય, જો પૂર્વે અધ્યયન કરેલ હોય તો દેવો વેશ આપે છે અથવા ગુરુ પાસે જઈને વેશને સ્વીકારે છે, જો એકલા વિચરવા સમર્થ હોય અથવા ઈચ્છા હોય તો એકલા વિચરે. અન્યથા ગચ્છવાસમાં રહે છે. જે પૂવધિીત વ્યુત ઉપસ્થિત ન હોય તો નિયમાં ગુરની પાસે જઈને વેશ સ્વીકારી, ગ૭નો ત્યાગ ન જ કરે. આ અંગે આ જ અર્થવાળો સાક્ષીપાઠ પણ વૃત્તિમાં છે. પ્રત્યેક બુદ્ધને તો પૂર્વે ભણેલ શ્રત નિયમથી હોય છે, તે જાન્યથી અગિયાર અંગ, ઉત્કૃષ્ટથી કિંચિત્ જૂન દશ પૂર્વ હોય છે. તથા દેવતા તેને વેશ આપે છે અથવા કદાચિત્ તે લિંગરહિત પણ હોય છે. આ અંગે સાક્ષીપાઠ પણ વૃત્તિમાં નોંધેલ છે. વૃદ્ધ - આચાર્યો વડે બોધિત થઈ જે સિદ્ધ થાય છે તે બદ્ધબોધિત સિદ્ધ. ઉપરોક્ત બધામાં કેટલાંક સ્ત્રીલિંગ સિદ્ધ છે. સ્ત્રીલિંગ એ સ્ત્રીપણાનું સૂચક છે. આપણે ત્રણ પ્રકારે છે – વેદ, શરીરાકૃતિ, વેશ. અહીં શરીરાકૃતિનો અધિકાર છે. વેદ અને વેશનો નથી. કેમકે વેદ હોવા છતાં સ્ત્રીત્વનો અભાવ હોય. વેશ અપ્રમાણ છે. આવો સાક્ષીપાઠ નંદિ અધ્યયન ચૂર્ણિમાં પણ છે. તે સ્ત્રીલિંગમાં વર્તતા હોય અને સિદ્ધ થયા હોય તે સ્ત્રીલિંગસિદ્ધ. ઉક્ત કથન દ્વારા - જે આકાશાંબરો [દિગંબરો કહે છે કે – સ્ત્રીઓને નિવણિ નથી તેનો પ્રતિષેધ જાણવો. કેમકે આ સૂગથી આ નિવણિને સાક્ષાત્ સૂત્ર વડે જણાવેલ છે. તેનો પ્રતિષેધ કરવો તે યુક્તિસંગત પણ નથી. તેથી કહ્યું છે. મુક્તિપચ - સમ્યક દર્શન જ્ઞાન યાત્રિ રૂપ છે, તવાર્થસૂત્રમાં પણ તે કહ્યું છે. સમ્યમ્ દર્શનાદિ પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સંપૂર્ણપણે હોય છે, સ્ત્રીઓ પણ સંપૂર્ણ પ્રવચનના અર્ચની રુચિવાળી હોય છે. તેઓ પડાવશ્યક, કાલિક અને ઉકાલિક ભેદવાળા શ્રુતને જાણે છે. સત્તર પ્રકારના નિર્દોષ સંયમનું પાલન કરે છે. દેવ અને અસુરોને પણ દુધર એવા બ્રહ્મચર્યને ધારણ કરે છે. માસક્ષપણાદિ તપશ્ચર્યા કરે છે. તો પછી તેમને મોક્ષનો સંભવ કેમ ન હોય ? તેિઓ કહે છે –] સ્ત્રીઓને સમ્યગદર્શન અને જ્ઞાન હોય છે, પણ ચારિત્ર હોતું નથી. કેમકે તેમને સંયમનો અભાવ છે. તે આ પ્રમાણે - સ્ત્રીઓને અવશ્ય વાનો ઉપભોગ કરવો પડે છે અન્યથા નગ્ન સ્ત્રીઓ તિર્યચીની માફક પક્ષોના પરાભવને યોગ્ય થાય છે. પરિગ્રહની પ્રાપ્તિમાં સંયમ હોતો નથી. | [સમાધાની આ કથન અયોગ્ય છે. સમ્યક સિદ્ધાંતના જ્ઞાનનો અભાવ છે. કેમકે પરમાર્થથી “મૂછ એ પરિગ્રહ” કહેલ છે. તેથી મૂછરિહિત ભરત ચક્રવર્તી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 ... 352