Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 226
________________ ૧૭૪ १ ત્રીજું અધ્યયન સુજાતકુમાર ***** | तच्चस्स उक्खेवो । શ્રી વિપાક સૂત્ર ભાવાર્થ : ત્રીજા અઘ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. २ वीरपुरं णयरं । मणोरमं उज्जाणं । वीरकण्हमित्ते राया । सिरीदेवी । सुजाए कुमारे । वलसिरीपामोक्खाणं पंचसयकण्णगाणं पाणिग्गहणं । सामीसमोसरणं पुव्वभवपुच्छा । उसुयारे णयरे । उसभदत्ते गाहावई । पुप्फदत्ते अणगारे पडिलाभिए । माणुस्साउए णिबद्धे । इह उप्पण्णे जाव महाविदेहवासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणमंतं काहि । णिक्खेवो जहा पढमस्स । ।। તત્ત્વ અયળ સમાં ।। ભાવાર્થ : શ્રી સુધર્માંસ્વામીએ કહ્યું–હે જંબૂ ! વીરપુર નામનું નગર હતું. ત્યાં મનોરમ નામનું ઉધાન હતુ. ત્યાં મહારાજા વીરકૃષ્ણમિત્ર રાજ્ય કરતા હતા. તેમની રાણી શ્રીદેવી હતી અને સુજાત નામનો કુમાર હતો. બલશ્રી પ્રમુખ પાંચસો રાજકન્યાઓ સાથે સુજાતકુમારનું પાણિગ્રહણ થયું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. સુજાતકુમારે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ભગવાન ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો. ઉત્ત૨માં શ્રી ભગવાને ફરમાવ્યું કે– હે ગૌતમ ! ઈયુકાર નામનું નગર હતું. ત્યાં ઋષભદત્ત ગાથાપતિ રહેતા હતા. તેણે પુષ્પદત્ત અણગારને નિર્દોષ આહારદાન આપ્યું. પરિણામે શુભ મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો. આયુષ્ય પૂર્ણ થતાં પર અહીં સુજાતકુમારના રૂપમાં વીરપુર નામના નગરમાં જન્મ ધારણ ર્યો યાવત્ મહાવિદેહક્ષેત્રમાં ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધ પદ પ્રાપ્ત કરશે યાવત્ સર્વ પ્રકારના દુઃખોનો અંત કરશે. નિક્ષેપ :– ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની જેમ જાણવું. વિવેચન : બીજા અધ્યયનની જેમ ત્રીજા અધ્યયનનું પણ સંપૂર્ણ વર્ણન પ્રથમ અધ્યયનની જેમ જ છે. માત્ર નામ અને સ્થાનનો ભેદ છે તેથી બધું વર્ણન સુબાહુકુમારની જેમ જ જાણી લેવું જોઈએ. ॥ અધ્યયન-૩ સંપૂર્ણ ॥

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284