Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 444
________________ બોધ કરનારા છે એ નયોના રચનારૂપ પુષ્પોરૂપી વ્યાપ્ત સ્યાદ્વાદરૂપ કલ્પતરૂ સર્વોત્કૃષ્ટ છે. કે જેમાંથી તત્ત્વજ્ઞાનના ફળની પ્રાપ્તિ થાય છે. તે તત્ત્વજ્ઞાન દ્વારા અધ્યાત્મનું રહસ્ય પ્રગટ થવાથી એ દર્શનોનું માહાસ્ય વિસ્તાર પામે છે. તે દરેક નય પોતામાં પૂર્ણ છે. અને અન્યોન્ય પૂરક છે. તેવા નયોને દર્શાવનારા સિદ્ધાંતોનો અભ્યાસ સાધકને જરૂરી છે. દર્શનોનો વિશાળ દૃષ્ટિએ વિચક્ષણ સાધકો અભ્યાસ કરી, સત્યને ગ્રહણ કરે છે. તે અધ્યાત્મ સાધકને શ્રેણિએ ચઢાવી મુક્ત કરે છે. ૭િ૬] પિત્રો ગુમાવવા વિના સાથિયાનકવૃતઃ | श्रद्धानन्दनचन्दनद्रुमनिभप्रज्ञोल्लसत्सौरभः ॥ भ्राम्यद्भिः परदर्शनग्रहमणैरासेव्यमानः सदा । तर्कस्वर्णशिलोच्छ्रितो विजयते, जैनागमो मन्दरः ॥ ३ ॥ મૂલાર્થ: નાના પ્રકારના ઉત્સર્ગ અને શુભ અપવાદની રચનારૂપી શિખરોની શોભાવડે જે અલંકૃત છે, શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલા ચંદનવૃક્ષો સદશ બુદ્ધિથકી જેમાં સુગંધ પ્રસરેલી છે, પરિભ્રમણ કરતાં અન્ય દર્શનરૂપી પ્રહના સમૂહ વડે નિરંતર જે સેવાતો છે અને તર્કરૂપી સુવર્ણની શિલાઓ વડે જે અતિ ઉન્નત છે એવો જિનાગમરૂપી મેરૂ પર્વત વિજયવંત વર્તે છે. ભાવાર્થ : આ છએ દર્શનનો સમન્વય કરનારા જિનાગમો કેવા છે ? સામાન્યપણે ઉત્સર્ગ અને ઉત્કૃષ્ટપણે અપવાદની રચનાથી શોભાયમાન છે. શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલા ચંદનવૃક્ષની જેમ બુદ્ધિને પવિત્ર કરનારા છે. અન્યદર્શનોનીઓને પણ ગુણ-ગુણીનો અભેદ જણાવનારા છે. વળી શુદ્ધ તર્ક વડે સમુન્નત છે. તેવા જિનાગમો જયવંત વર્તો. [૭૭] દોષાપમસ્તમાંસિ ગતિ, ક્ષીયત્ત વ ક્ષI | अध्वानो विशदीभवन्ति निबिडा, निद्रा दशोर्गच्छति ॥ यस्मिनभ्युदिते प्रमाणदिवसप्रारम्भकल्याणिनी । प्रौढत्वं नयगीदधाति स रवि जैनागमो नन्दतात् ॥ ४ ॥ આગમસ્તુતિ અધિકાર : ૪૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490