Book Title: Adhyatmasara
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 472
________________ કરવી. જીવને જીવરૂપે અને અજીવને અજીવરૂપે જાણી બન્ને વચ્ચે ભેદજ્ઞાન કરી આત્મતત્વનો સાક્ષાત્કાર કરવો. શુભાશુભ આશ્રવથી પણ આત્માનો ભેદ ગ્રહણ કરવો. સંવર નિર્જરાના શુભ અધ્યવસાય દ્વારા કર્મની નિર્જરા કરી શુદ્ધ પરિણામ દ્વારા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું. અર્થાત્ આત્માદિક તત્ત્વનો અનુભવ કરવો, તેમાંથી ચિત્તની નિર્દોષ પ્રસન્નતા ધારણ કરવી. આવા બોધના અનુક્રમથી અનુભવ વડે કરેલા આત્મસ્વરૂપને અનુરૂપ આચરણ તે જ્ઞાની પુરુષોને હિતકારી છે, અને સિદ્ધિને આપનાર મંગળકારી છે. અનુભવ અધિકાર પૂર્ણ - - - - - - - - - - - અનાસંગ મતિ વિષયમ્, રાગ-દ્વેષકો છેદ, સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. જ્યારે ઈન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ-અનાસંગ પ્રગટે છે અને રાગ-દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે ! આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે અને ચિદાનંદની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને “સમાધિશતકમાં ઉદાસીનતા સુખસદન ઉદાસીનતા જ્ઞાનફળ ઉદાસીનતા સુરલતા કહેવામાં આવી છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી જ ચિદાનન્દ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનન્દનો જય પોકારે - - - - - - સામ્યશતકમાંથી - - - - - - - - - - - - -ના તાર જ મા - જ નજર - - - - - અનુભવાધિકાર : ૪૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490