________________
પશુતાના નાશ માટે પાંચ કર્તવ્ય : ૧. અમારિ પ્રવર્તન : ક્રૂરતારૂપ પશુતાને નાથવા માટે. ૨. સાધર્મિક ભક્તિ સ્વાર્થોધતારૂપ પશુતાને ઓગાળવા
માટે. ૩. ક્ષમાપના : દુશ્મનાવટરૂપ પશુતાને હણવા માટે. ૪. તપ : આસક્તિરૂપ પશુતાનો નાશ કરવા માટે, ૫. ચૈત્યપરિપાટી: અહંકારરૂપ પશુતાનો છેદ ઉડાડવા માટે.
[ ૫. સમ્યકત્વ-
મિથ્યાત્વી
( ૪. પર્યુષણા કર્તવ્યો પર્યુષણાના પાંચ કર્તવ્ય : ૧. અમારિ પ્રવર્તન : હિંસાની આગ ઠારે. ૨. સાધર્મિક ભક્તિ : સ્વાર્થની આગ શમાવે. ૩. ક્ષમાપના : વેરની આગ શમાવે. ૪. અમનો તપ : સ્વાદની આગ શમાવે. ૫. ચૈત્ય પરિપાટી : અહંકારની આગ બુઝાવે. પાંચ કર્તવ્ય - પાંચ પરમેષ્ઠી : ૧. અમારિ પ્રવર્તન : મારું બરાબર પાલન કરવું હોય તો
સાધુ બની જાવ. કારણ કે સંપૂર્ણ અહિંસા સાધુ જ પાળી શકે છે. સાધર્મિક ભક્તિ: મારું સારી રીતે પાલન કરવું હોય તો ઉપાધ્યાયની ઉપાસના કરો. તેઓ સાધુઓને ભણાવતા રહીને કેવી સુંદર સાધર્મિક-ભક્તિ કરી રહ્યા છે. સાધુ
તેમના સાધર્મિક છે. અન્નદાનથી જ્ઞાનદાન મહાન છે. ૩. ક્ષમાપના : આચાર્ય ભગવંતની આરાધનાથી મારું
પાલન સારી રીતે થઇ શકે. આશ્રિતોની ભૂલ અંગે ટોકવા છતાં જે ક્ષમાશીલ રહી શકે, તે જ આચાર્ય
બની શકે. ૪. તપ : મારું પાલન કરવું હોય તો સિદ્ધ બની જાવ.
સિદ્ધો સદા માટે અણાહારી છે. ૫. ચૈત્ય પરિપાટી : સાચા અર્થમાં પ્રભુના દર્શન કરવા
હોય તો પ્રભુ બની જાવ. ‘દેવો ભૂત્વા દેવ યજેતુ’ જે દેવ બને છે, તે જ દેવને ઓળખી શકે, પૂજી શકે.
| આકાશગંગા • ૧૪ }
પાંચ મિથ્યાત્વ : ૧. આભિગ્રહિક : મિથ્યા ધર્મને સત્ય માનવો. જેમ કે
ખોટા રૂપિયાને પણ સાચો માનવો. ૨. અનાભિગ્રહિક : મિથ્યા ધર્મ અને સત્ય ધર્મ – બધાને
સમાન માનવા ! જેમકે ખોટા-સાચા રૂપિયા – બંનેને
સાચા માનવા ! ૩. આભિનિવેશિક : જાણવા છતાં અસત્યને ન છોડવું.
જેમ કે રિઝર્વ બેન્કની સહી વિનાના રૂપિયાને રૂપિયો
માનવો. ૪. સાંશયિક : સત્ય - ધર્મમાં પણ શંકા રાખવી, જેમકે
સાચા રૂપિયામાં પણ ખોટાની શંકા રાખવી ! ૫. અનાભોગિક : સત્ય કે અસત્યની જાણકારી જ ન
હોવી. જેમકે ભારતીય માણસને જાપાની યેન કે રશિયાના રૂબલ વિષે માહિતી ન હોય.
| આકાશગંગા • ૧૫