Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
Ibollebic 1%
A દાદાસાહેબ, ભાવનગર, [8 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
5A2A૦૦૯
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી જિન પ્રતિમા પૂજન-સ્વરૂપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
40Busuuuuul
०००००
Shre
जन्मतिथि-विक्रम संवत १९५३ कार्तीक वद १० न रविवार लघु दीक्षातिथि-१९७३ ना वैशाख शूकल अक्षयतृतीया बोरुगाम
००००
०००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००
CoiceDE
प्रीतिविजयजी गणीवर
महाराजश्री
PRODSHAHRead
अनुयोगाचार्य पन्यासजी महाराज श्रीमद् विजय मोहनसूरीश्वर पटधर शासन प्रभावक अजोड व्याख्याता आचार्य
O
bitto
DEOD
3११)
MED:00:(0):०००००(50866600):०,०००(69)8०००.०००(0)
ODMOD
०००००
०००००००००००००००००००००००००००००००००००००००००००००००00000000000000०००००००००००००००००००
बृहक्षा -राजनगर १९७३ अषाड शुकल ११ अनुयोगाचार्य पंन्यास १९९ना पोप वदी ने शुक्र श्रेष्ठीवर्य
श्री माणेकलाल मनसुखभाईना संघमां गाम आटकोट मुकामे 10००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००००
०००००
000
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
W T U V W Uy:
T
T U
VER
શ્રી જિન પ્રતિમા પૂજન-સ્વરૂપ
a A000000000000000000000000000
: પ્રકાશક :
ડાહ્યાભાઇ મહાકમલાલ
પાંજરાપોળ, અમદાવાદ,
મુકા-શા. મોહનલાલ મગનલાલ બદામી. મુદ્રણાલયઃ-ધી જેનાનંદ પ્રીપ્રેસ.
દરીયામહેલ-સુરત,
પ્રથમ
)
( વિ. સંવત ૧૯૯૪
( વીર સંવત ૨૪૬૪ AAAAAAA AAAA A A A A A A A
આવૃતી |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
“શ્રી જિન પ્રતિમા પૂજન સ્વરૂપ” નામનો લેખ ચાલુ વર્ષ (૧૯૯૪) માં ચૈત્ર વૈશાખ માસમાં “વીરશાસન ” પત્રના અંકમાં શાસન પ્રભાવક અજોડ વ્યાખ્યાન આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્ય મેહનસૂરીશ્વરના પટ્ટધર અનુચોગાચાર્ય પન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણધર તરફથી લખાઈને પ્રસિદ્ધ થયેલ હતું. આ લેખ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય એવી ઘણું ભવ્યજીવોની આગ્રહ ભરેલી માંગણી મુંબઈ શહેરમાં થવાથી આજે એને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આથી ઘણા ભવ્યાત્માઓ શ્રીજિનમંદિરમાં અજાણપણે આશાતના કરતાં બચી જશે અને તેની સાથે શુભ કર્મને બંધ પડશે એવી આશા રાખવામાં આવે છે. આ નેહાના પુસ્તકની પ્રસ્તાવના લખવાને હેતુ પ્રસિદ્ધિનું કારણ જણાવવા પુર છે.
લી. પ્રકાશક ડાહ્યાભાઈ મહેકમલાલ
પાંજરાપોળ અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનપ્રતિમા–પૂજનસ્વરૂપ
શાશન પ્રભાવક અજોડ વ્યાખ્યાતા આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયમાહનસૂરીધરપટ્ટધરશિષ્ય-વ્યાખ્યાન વાચસ્પતિ અનુયોગાચાર્ય પન્યાસપ્રવર શ્રી પ્રીતિવિજયજી ગણીવર, (લેખક.) શાસ્ત્રકાર મહારાજા પાંચ પ્રકારના ચૈત્યાની હકીકત જણાવતાં ભક્તિકૃત તથા અશાશ્વત જિનચૈત્યાના દાષાનું વર્ણન કરે છે. કેવા સ્વરૂપવાળી જિનપ્રતિમા પૂજવાથી ભગવાને રત્નત્રયી વિગેરે લાભાની પ્રાપ્તિ થાય ? કપાલ, નાસિકા, મુખ, ગ્રીવા, હૃદય, નાભિ, ગુહ્યુ, સાથળ, જાનુ, પીડિ અને ચરણ પ્રમુખ અગીયાર અંગામાં જે પ્રતિમા વાસ્તુકાદિ ગ્રન્થની અંદર કહેલા પ્રમાણવાળી હાય, નેત્ર, કાન, ખાંધ, હાથ અને અંગુલિ આદિ સ અવયવા વડે અદુષિત હાય, સમયેારસ સંસ્થાને રહેલ હાય, પ કાસને યુક્ત હાય, કાયાત્સગે કરી વિરાજીત હાય, સર્વાંગે સુ ંદર હાય અને વિધિ વડે ચૈત્યાદિકમાં પ્રતિાષ્ઠત કરી હેાય, તેવી પ્રતિમા પૂજવાથી સ` ભાવિ પ્રાણીઓને રત્નત્રયી વિગેરે લાભાની પ્રાપ્તિ થાય. ઉપર કહેલાં ચિન્હાથી રહિત એવી જિનપ્રતિમા અશુભ અની સૂચક હાવાથી અપૂજનિક ગણાય છે. જે પ્રતિમા ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
કહેલાં લક્ષણાથી યુક્ત હાય, પણ જો સે વ પહેલાં કાઇ પ્રકારે અવયવાથી દૂષિત થઈ હાય, તા તે પૂજનિક ગણાતી નથી. પણ જો ઉત્તમ પુરૂષે વિધિપૂર્વક ચૈત્યાદિકને વિષે પ્રતિષ્ઠિત કરેલી હાય અને તે સેા વર્ષે આદ અંગથી ખંડિત થઇ હાય તા તેને પુજવામાં જરા પણ દોષ નથી. તેને સારૂ શાસ્ત્રમાં પ્રમાણ આપેલુ છે કે—
"वरससयाओ उर्दू जं बिंबं उत्तमेहिं संठवियं । वियलंमुवि पूइजाइ तं बिंत्र निफ्फलं न जओ ।"
અહીં એટલું વિશેષ છે કે–મુખ, નેત્ર, ડાક અને કઢીભાગ આદિ પ્રદેશને વિષે ખડિત થયેલ મૂળનાયક બિંબ સવથા પ્રકારે પૂજવાને અયામ્ય છે.
આધાર પરિકર તથા લાંછનાદિક પ્રદેશે કરીને ખંડિત હાય તા તે પૂજનિક છે. જેમ ધાતુ તથા લેપ આદિના બિબે વિકલ અંગ થવાથી ફરીથી સમારાય છે, તેમ પાષાણુ, કાષ્ટ તથા રત્નમય અિબ ખડિત થવાથી પુનઃ સજ્જ કરી શકાતા નથી. અતિશય અંગવાળી, હીન અંગવાળી, શાદરી, વૃધ્ધાદરી, કૃશ હૃદયવાળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
નેત્રાદિકથી હીન, ઉચી દૃષ્ટિવાળી, નીચી દ્રષ્ટિવાળી, અઘમુખવાળી અને ભયંકર મુખવાળી પ્રતિમાં દેખનારને શાંત ભાવ નહીં ઉત્પન્ન કરનારી, તેમજ સ્વામીને નાશ, રાજાદિકને ભય, દ્રવ્યનો નાશ અને શેક–સંતાય આદિ અશુભને સૂચવનારી હોવાથી, તે ભવ્યાત્માઓને અપૂજનિક જણાવેલી છે. ચોક્ત ઉચિત અંગને ધરનારી, શાંત દ્રષ્ટિવાળી જિનપ્રતિમા સુંદર ભાવને ઉત્પન્ન કરનારી, શાંતિ અને સૌભાગ્યની વૃદ્ધિ કરવા વિગેરે શુભ અર્થને આપનારી હોવાથી હિંમેશાં પૂજનીય કહેલી છે.
ઘર-દહેરાસરમાં ગૃહસ્થાએ કેવી રીતે પ્રતિમા પૂજવી જોઈએ? અગાઉ જણાવેલા દોષથી રહિત, એકથી લઈ અગીયાર આંગળ સુધી માનવાળી, પરિકર સહિત એટલે અષ્ટમહાપ્રાતિહાર્ય સહિત, સુવર્ણ, રૂપું, રત્ન અને પિત્તલાદિ ધાતુમય સર્વ અંગે સુંદર એવી જિનપ્રતિમા ગૃહસ્થોએ ઘરદહેરાસરમાં પધરાવીને પૂજા-ભક્તિ કરવી જોઈએ, શાસ્ત્રમાં કહ્યું છે કે – 'समयावलिसूताओ लेबोरल कदंत लोहाणं । परिवारमाणरहियं घरंमि नहु पूपए बिवं ॥'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
પરિકર વિનાની ઉપર કહેલા માનથી રહિત, પાષાણ, લેપ, દાંત કાઝ, લેહ અને ચિત્રમાં આલેખેલી જિનપ્રતિમા ગૃહસ્થાને પિતાના ઘરને વિષે પૂજનિકે નથી એટલે પૂજવી ન જોઈએ.”
ઘર-દહેરાસરની પ્રતિમાની આગળ બલિબાકલને બહુ વિસ્તાર ન કરો, પણ ભાવથીજ નિરંતર હાવણ કરવું અને ત્રિકાલ પૂજા કરવી. અગીયાર આંગળથી અધિક પ્રમાણવાળી જિનપ્રતિમા ઘરની અંદર પૂજવી નહિ. તેવી પ્રતિમા તે દહેરાસરને વિષેજ પૂજવા ગ્ય છે. તેમજ અગીયાર આંગળથી હીન પ્રમાણુવાળી પ્રતિમા મોટા દહેરાસરમાં સ્થાપન કરવી નહીં, એ પણ વિવેક રાખવાની અગત્યતા છે. વિધિપૂર્વક જિનબિંબના કરનાર તથા કરાવનારને સર્વ કાળ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દારિદ્ર, દુર્ભાગ્ય, નઠારૂં શરીર, દુર્ગતિ, હીનબુદ્ધિ. અપમાન, રોગ અને શક વિગેરે દોષો કોઈ કાળે પણ થતા નથી. જિનપ્રતિમા જિનેશ્વરના સમાનજ કહેલી છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં પણ જિનપ્રતિમાની એકૃતિવાળા મસ્યો ઉત્પન્ન થાય છે. ત્યાં બીજા મત્સ્ય-જિનપ્રતિમાની આકૃતિવાળા મસ્યાને દેખીને જાતિસ્મરણજ્ઞાન પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
'नालिय वलयाकारं मुक्त्वा ।
अनेकनरादिरूपेण मत्स्याः सन्ति ॥ “સ્વયંભૂરમણ સમુદ્રમાં નલિ આકાર અને વલિ આકાર વઈને અનેક પ્રકારના મનુષ્યાદિ સંસ્થાનવાળા મસ્યો ઉત્પન થાય છે.”
દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાના પૂજનથી પૂર્વે અનંત જીવોનું કલ્યાણ થયું છે, વર્તમાનમાં સંખ્યાબદ્ધ આત્માઓ કલ્યાણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા આત્માઓ કલ્યાણ કરશે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાના પૂજાસ્વરૂપને ઉત્થાપન કરનારાઓ પિતાના આત્માને ડૂબાડી રહ્યા છે અને બીજાઓને પણ ડૂબાડી રહ્યા છે. જિનમંદિરમાં જનારાઓએ આશાતના વર્જવી જોઈએ. ચૈત્યવંદન મહાભાષ્યમાં પાંચ પ્રકારની આશાતના જવાનું કહેલું છે.
શ્રી જિનપ્રતિમા–પૂજનસ્વરૂપનું વર્ણન કરતાં શાસ્ત્રમાં શ્રી જિનચૈત્ય પાંચ પ્રકારના કહ્યાં છે. તે સંબંધીનું સંક્ષેપથી વર્ણન યતિ છતકલ્પવૃતિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
चैत्यं पंचधा । यथा वारत्तक महर्षेः पुत्रः स्वपितरि भक्तिभरापूरिततया चैत्यगृहकारयित्वा तत्र रजोहरण मुखवत्रिका प्रतिगृहधारिणीं पितुः प्रतिमामचीकरत् तदे. तत साधर्मिकचैत्यं ॥१॥ मथुरादिस्थानेषु गृहे कृते मंगलनिमित्तमुत्तरंगेषु प्रथममहत्प्रतिमा स्थाप्यते। अन्यथा तदगृहं पतति तन्मंगलचैत्यं ॥२॥ शाश्वतचैत्यं नंदीश्वरादि व्यवस्थितं ॥३॥ भक्तिचैत्यं भक्तया क्रियमाणं जिनायतनं तद् द्विधा साधूमां निश्रया क्रियमाणं निश्राकृतं ॥४॥ तदनिश्रया विधीयमान मनिश्राकृतं ॥५॥ तस्य द्रव्यं हिरण्य स्वणोदिकं काष्ठोपलेष्टादिकं वा तस्योपद्रव-- स्तान्निवारणार्थ अयमभिप्रायः। सति सामर्थ्य चैत्यद्रव्योपद्रवमुपेक्षमाणः साधुरम्यननसंसारितदंडभाजनं भवति।'
“શ્રી જિનચે પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તેમાં પ્રથમ સાધર્મિક જિનચૈત્ય કેને કહેવું? તે સંબંધી સ્વરૂપને જણાવે છે કે-વારત્તક નામના મહર્ષિના સંસારી પુત્રને પિતાના પિતામુનિમાં અત્યંત ભકિત હોવાથી શ્રીજિનમંદિર કરાવરાવીને, તેમાં પોતાના પિતામુનિની રજેહરણ મુખવત્રિકા અને દંડને ધારણ કરનારી પ્રતિમા પણ કરાવી. તે સાધમિક જિનચૈત્ય જાણવું. મથુરા વિગેરે નગરમાં લેકે ઘર બાંધી રહ્યા બાદ ઘરના બારણાની બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
સાખમાં મંગલ નિમિત્તે પહેલી અહમતિમા સ્થાપન કરતા હતા. જે શ્રી જિનપ્રતિમા સ્થાપન ન કરે તો તે ઘરે પડી જતાં હતાં, તેથી મંગલને માટે બારણાની બારસાખમાં સ્થાપન કરવામાં આવેલી શ્રી અહમતિમાવા ઘર મંગલચૈત્ય તરીકે કહેવાતું. મારા શાશ્વત જિનચૈત્ય કોને કહેવું? તે નંદીશ્વર વિગેરે સ્થળોમાં રહેલું જિનચત્ય તે શાશ્વત જિનચત્ય જાણવું. ૩ ભકિતચિત્ય કેને કહેવું? તે ભકિત વડે કરીને કરવામાં આવેલું જિનાયતન તે ભક્તિચૈત્ય જાણવું. તેના બે ભેદ છે, નિશ્રાકૃત અને એનિશ્રાકૃત. તેમાં સાધુની નિશ્રા વડે કરવામાં આવેલું તે નિશ્રાત જિનચૈત્ય જાણવું મકા સાધુની નિશ્રાહિત કરવામાં આવેલું તે
અનિશ્રાકૃત જાણવું. પા શ્રી જિનચત્યનું દ્રવ્ય -સુવર્ણ વિગેરે, લાકડાં, પત્થર વિગેરે તે શ્રી જિનચૈત્યના ઉપદ્રવના નિવારણ અર્થે વાપરવું યોગ્ય છે. બીજામાં વાપરી શકાય નહિ. શકિત હોવા છતાં પણ શ્રી જિનચૈત્યના દ્રવ્યને નાશ થયો હોય. તેવા વખતે રક્ષણ કરે નહિ અને ઉપેક્ષા કરે, તે મુનિ પણ અનંતીવાર સંસારમાં રખડવાનું કર્મ ઉપાર્જન કરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
આજે બેકારીના નામે દેવદ્રવ્યનું ભક્ષણ કરવાની ચાલબાજી ખેલાઈ રહેલી છે, તેથી ધર્મિષ્ટ વર્ગે એ માટે ઘણું જ સાવધાન રહેવાનું છે.
ઉપરના પાઠમાં સ્પષ્ટ જણાવી દીધું છે કેદેવ-દ્રવ્ય શ્રી જિનમંદિરના રક્ષણ સિવાય બીજામાં વાપરી શકાતું નથી. યતિ છત કલ્પવૃત્તિમાં પાંચ પ્રકારના જિનચ કહેલાં છે. તે સંબંધમાં સહજ ફારફેર વર્ણન છાપેલી પ્રત ધર્મસંગ્રહ ગ્રન્થના પાના ૧૨૫માં આ પ્રમાણેજ જણાવ્યું છે.
"चैत्यानि च भक्ति १ मंगल २ निश्राकृता ३ ऽनिश्राकृत ४ शाश्वतं ५ चैत्यभेदात् पञ्च, यतः-भत्ती मंगलचेइअ निस्सकडमनिस्सचेइए वाबि । सासयचेइअ पंचममुवइटं जिणवरिंदेहिं ॥१॥ तत्र नित्यपूजार्थं गृहे कारिताऽहत्प्रतिमा भक्तिचैत्यं, गृहद्वारोपरि तिर्यकष्टमध्यमागे घटितं मंगलचैत्यं, गच्छसत्कचैत्यं निश्राकृतं, सर्वगच्छसाधारणं अनिश्राकृतं ४, शाश्वतचैत्यं प्रसिद्धं ५, उक्तंच
गिहजिणपडिमाए भक्तिचेइअं उतरंगघडिअंमि । जिणबिंब मंगलचेइ ति समयन्नुणो विति ॥२॥ निस्सकडं जं गच्छसतिअं तदिअरं अनिस्सकडं ! सिद्धायणं च इम, चेइअपणगं विनिद्दिष्टं ॥२॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
“પાંચ પ્રકારના જિનચૈત્ય જાણવાં. ભકિતચૈત્ય, મંગલચત્ય, નિશ્રાકૃતચૈત્ય અનિશ્રાકૃતત્ય અને શાશ્વત્ય. ગૃહસ્થો હંમેશાં પૂજાને માટે પિતાના ઘરમાં આશાતના ન થાય તેવી રીતે ઘરના એક ભાગમાં જિનપ્રતિમાને સ્થાપન કરીને પૂજા વિગેરે કરે તે ભકિતત્ય જાણવું. મંગલચૈત્ય કેને કહેવું? ઘરના બારણાની બારસાખ ઉપરના મધ્ય ભાગમાં જિનપ્રતિમા સ્થાપન કરવી તે મંગલત્ય જાણવું. નિશ્રાતત્ય કોને કહેવું? તે ગચ્છને આશ્રિને કરવામાં આવેલું હોય તે નિશ્રાકત જિનચૈત્ય જાણવું. જે જિનમંદિરમાં સર્વ ગ૭વાળા જેનો જઈ શકે છે તે અનિશ્રાકત જિનમદિર જાણવું. અને શાશ્વત ચિત્ય તે પ્રસિદ્ધજ છે નંદીશ્વર વિગેરે સ્થાનોમાં.”
ચૈત્યવંદન મહાભાષ્યમાં આશાતનાના પાંચ પ્રકાર જણાવેલાં છે. " असायणा अवन्ना अणायरो, भोग दुप्पणीहाणं । अणुचियवित्ति सव्वा, वज्जेयव्वा पयत्तेणं ॥"
“આ પાંચ પ્રકારની આશાતનાના નામે કહે છે. અવજ્ઞા આશાતના, અનાદર આશાતના, ભેગ આશાતના, દુપ્રણિધ્યાન આશાતના અને અનુચિત્તવૃત્તિ આશાતના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
આ પાંચ પ્રકારની આશાતના પ્રયત્નપૂર્વક એટલે ઉપયોગ પૂર્વક વર્જવા યોગ્ય છે. આ આશાતનાઓ પ્રધાનપણે તે જિનમંદિરમાં વર્જવાની કહી છે અને ઉપલક્ષણથી યથાયોગ્ય ગુરૂમહારાજ પાસે પણ વર્જવાયોગ્ય છે તથા તીથીદિક ભૂમિમાં પણ યથાસંભવ એ આશાતના વર્જય કહેલી છે. આશાતના શબ્દનો અર્થ જણાવે છે. મા એટલે સમસ્ત પ્રકારે રાતના એટલે વિનાશ અથતુ શુભ કાર્યને વિનયગુણને અથવા ઉચિત વ્યવહારને સર્વથા પ્રકારે જે કૃત્યથી વિનાશ થાય તે આશાતના કહેવાય છે. આશાતના તજવી જોઈએ એમ તે બધાય જૈન બધુઓ કહે છે અને કંઈક સમજે પણ છે, પરંતુ આશાતના એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? એ વિગેરે સ્વરૂપને જે યથાર્થ જાણવામાં આવે, તે જિનમંદિરમાં આવનાર સર્વે જીવે એ આશાતેનાથી બચે છે અને શુભકામને બંધ પડે છે.
આ પાંચ પ્રકારની આશાતનાઓમાંથી
૧. પ્રથમ અવજ્ઞા આશાતનાનું સ્વરૂપ કહે છે. १ पायपसारण २ पल्लच्छिबंधणं ३ बिंबपिठिदाणं च । જ વરસાવિયા, નિાપુરા મા ગવ || શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જિનમંદિરમાં શ્રી જિનપ્રતિમાની સન્મુખ પગ લાંબા કરીને બેસવું, હસ્ત અથવા વસ્ત્રાદિકથી પલાઠી બાંધીને બેસવું, શ્રી જિનપ્રતિમાને પીક દેવી એટલે તેને પુંઠ દઇને બેસવું અથવા ઉભા રહેવું અને ઊંચા આસન ઉપર બેસવું, એટલાં વાનાં શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી પાસે કરવાથી અવજ્ઞા આશાતના થાય છે. આ ચાર પ્રકારની આશાતના સમજી શકાય તેવી છે, છતાં તેને લગતી કેટલીક બીજી બાબતો પણ સમજી લેવી જરૂરની છે. શ્રી જિનબિંબની પાસે ભૂમિ ઉપર બેસવું યોગ્ય છે. કેઈપણ પ્રકારના આસનને પરિભેગ કરો તે યોગ્ય નથી. કેટલાક પ્રસંગમાં જાજમ ઉપર–પાટલા ઉપર બેસવું અથવા ઉભા રહેવું પડે છે તેવાં કારણેને લઈને ઉંચા આસનને સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે. વર્તમાનકાલે પૂજા વિગેરે પ્રસંગમાં હારમેનિયમ વગાડતાં ઉંચું આસન ખુરશી વાપરવી પડે, તે તો અપવાદ રૂપ જ છે. આ આશાતના દેવગુરૂ બંનેની પાસે સરખી રીતે ત્યાગ કરવા યોગ્ય છે. તીર્થભૂમિમાં પણ જિનમંદિરમાં અવશ્ય વર્જવાની છે જ, પણ તે સિવાયના ભાગમાં પણ ઉચિત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શક્યતાના પ્રમાણમાં વર્જવાની જણાવી છે. શ્રાવકશ્રાવિકાએ આ ચાર પ્રકારની આશાતના ગુરૂ મહારાજની પાસે વજવી જોઈએ. શ્રાવિકાએ સાધ્વીજી પાસે આ ચાર પ્રકારની અશાતના વર્જવી જોઈએ.
૨. પાંચ પ્રકારની અશાતના પિકી પ્રથમ અવજ્ઞા અશાતનાનું સ્વરૂપ દેખાડીને બીજી અનાદર આશાતનાનું સ્વરૂપ જણાવે છે. ૧ ગારિસતાरिसवेसो, जहा तहा जम्मि ३ तम्मि कालम्मि । ४ પુચારુ કુરુ સુનો, ગાય સાથvi gar) ૧. જેવા તેવા વિષે એટલે પોતાને ઉચિત નહિ તેવાં ફાટેલાં તુટેલાં કે મેલાં અથવા શક્તિના પ્રમાણમાં અલ્પ કિંમતનાં વસ્ત્ર વિગેરે પહેરીને પૂજા કરવી તે, ર. જેવી તેવી રીતે એટલે પૂજની વિધિ અથવા દર્શન ની વિધિ દશત્રિક યથાસ્થાને ત્રણ નિસિહી. ૨. શ્રી જિનમંદિર ફરતી ત્રણ પ્રદક્ષિણ, ૩.ત્રણવાર પંચાંગ પ્રણામ, ૪. અદ્ધવનત ત્રણ પ્રણામ-પ્રભુજી નજરે પડે કે તત્કાલ અંજલી જે મસ્તકને ત્રણ વાર અર્થે નમાવવું. ૫. પ્રભુની ત્રણ અવસ્થાછદ્મસ્થાવસ્થા, કેવળી અવસ્થા, નિર્વાણુ અવસ્થા. ૬. શ્રી જિનપ્રતિમાની સન્મુખ સિવાય ત્રણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
દિશાને સંયમ કરે. ૭, પ્રભુને પ્રણામ કરતાં ત્રણવાર ભૂમિનું પ્રમાર્જન કરવું. ૮, ચૈત્યવંદન સમયે સૂત્રાદિક શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક બેલવાં. ૯. યંગ મુદ્રા વડે નમુથુર્ણ અને બન્ને જાવંતિ કહેવી. મુક્તાશુક્તિ મુદ્રાવડે જયવીયરાય કહેવા. જિનમુદ્રાવડે કાઉસગ્ન કર. એ પ્રમાણે મુદ્રાત્રિક સાચવવી. ૧૦. ત્રણ પ્રકારની પૂજા. અંકપૂજા, અગ્રપૂજા, અને ભાવપૂજા. આ પ્રમાણે દશ ત્રિકનાં નામે જણાવ્યાં.
આ દશ ત્રિકનું સ્વરૂપ કિંચિત્ જણાવવામાં આવે છે.
૧. ત્રણ નિસિહિ. ૧. દેરાસરના મૂળ બારણે પેસતાં પોતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ નિસિહી. ૨. ગભારાની અંદર પેસતાં દેરાસરને પુજવા સમારવાના કાર્યને ત્યાગ કરવા રૂપ. ૩. ચિત્યવંદન કરવા સમયે દ્રવ્ય પૂજાના ત્યાગ કરવા રૂ૫.
૨. ત્રણ પ્રદક્ષિણ-શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૩. ત્રણ પ્રકારના પ્રણામ શ્રીજિન પ્રતિમાને દેખીને બે હાથ જોડી કપાલે લગાડીને પ્રણામ કરો તે અંજલિબદ્ધ પ્રમ. ૨. કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરે તે બીજે અદ્ધવનત પ્રણામ. બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો નમાવીને પ્રણામ કરવો તે પંચાંગ પ્રણામ.
૪. ત્રણ પ્રકારની પૂજા. ભગવાનને અંગે કેસર, ચંદન પૂષ્પ ચડાવવા તે પહેલી અંગ પૂજા ધૂપ દીપ નૈવેદ્યાદિકની ભગવાનની આગળ સ્તુતિ, સ્તિત્ર ગાયન, નાટક પ્રમુખ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા.
૫. ત્રણ અવસ્થા–પિંડસ્થ એટલે છઘસ્થાવસ્થા પદસ્થ એટલે કેવલી અવસ્થા અને રૂ૫ એટલે સિદ્ધાવસ્થા.
૬. ત્રણ દિશાને ત્યાગ એટલે જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિનાની ત્રણ દિશાએ ન જેવું. - ૭. ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પૂંજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
૮. નમ્રુત્યુણ વિગેરે ભણતાં સૂત્ર શુદ્ધ - લવું, અર્થ વિચારવા અને શ્રી જિનપ્રતિમાનુ સ્વરૂપ આલેખન ધારવું,
૯. ત્રણ મુદ્રામાં ચેાગમુદ્રા એટલે એ હાથની દશે આંગલીએ માંહામાંહે રાખી ક્રમલના દાડાના આકારે હાથ જોડી પેટ ઉપર કાણી રાખવી. એ હાથ ભેગા કરી કપાલે અડાડવા તે મુક્તામુક્તિ મુદ્રા બે પગનાં આંગલાંના વચમાં આગળથી ચાર આંગળના અને પછવાડેથી કાંઇક આછે અંતર રાખી કાઉસગ્ગ કરવા તેજિનમુદ્રા જાણવી.
૧૦ ત્રણ પ્રાણીધાન જાવતિ ચેઆઇ એ ગાથાએ ચૈત્ય વાંઢવારૂપ મણિધાન, જાવ ત વિસાહુ એ ગાથાએ ગુરૂને વાંદવારૂપ પ્રણિધાન અને જયવીયરાય સૂત્ર એ ત્રીજી પ્રાર્થના મણિયાત સમજવુ.
પ્રભુના મંદિરમાં ગમન કરતાં પાંચ અભિગમ સાચવવાં. ૧. પ્રભુના મદિરમાં ગમન કરતાં, પુષ્પ, તાંબુલ, સાપારી. બદામ, છરી, કટારી, સુડી, મુગટ, વાહન વિગેરે સચિત્ત અચિત્ત દ્રવ્યને ત્યાગ કરવા. ૨ મુગટ સિવાય માકીનાં આભૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ષણાદિ અચિત્ત દ્રવ્યનો ત્યાગ કરે નહિ. ૩. એકવડા અને પહોળા વસ્ત્રને ઉત્તરાસંગ કરો. ૪ શ્રી જિનેશ્વર પ્રભુનાં દર્શન થતાં જ મસ્તકે અંજિલ જેડા જિનાય નમઃ એમ કહી નમસ્કાર કર. ૫. મનમાં એકાગ્રતા કરવી. આ પાંચ
અભિગમાદિ જાણ્યા સિવાય જેમ તેમ દર્શન પૂજા અવિધિથી અજ્ઞાનપણે કરવી.
૩. જે તે વખતે એટલે દર્શનનો અવસર અથવા પૂજાને વખત શાસ્ત્રમાં જે પ્રમાણે બતાવવામાં આવ્યો છે તે અવસર સિવાય જ્યારે ત્યારે સહજ માત્ર વખત મલી ગયો તે વખતે રેડ ને વારે પતાવવાની માફક દર્શન અથવા પૂજાદિક કરવું તે. અને ૪. શૂન્ય ચિત્ત જે ક્રિયા કરવામાં આવે તે મન, વચન, કાયાના રોગની એકાગ્રતા સિવાય મન ક્યાંક ભટકતું હોય, વાજાના ફેનેગ્રાફની પેઠે મુખેથી ક્રિયાના શબ્દો પ્રવાહની જેમ બોલ્યા કરવું અને શરીરની ચંચલતા ટેવ પડી જવાથી જેમ થતી હોય તેમ કર્યા કરવી, તે આ ચારે પ્રકારના દેષ જિનપૂજા વિગેરેમાં કરવાથી શ્રી જિનેશ્વર ભગવંતની અનાદર કરવારૂપ આશાતના થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૭
શ્રાદ્ધવિધિ ગ્રન્થની ટીકામાં શ્રી જિનપૂજાદિ વિગેરેમાં સમ્યગૂ બહુમાન અને સમ્યગ વિધિની ચતુર્ભગી શુદ્ધ અને અશુદ્ધ રૂપીઓ અને મહારછાપ સાથે ઘટાડેલી છે, તે આ પ્રમાણે
देवपूजादौ च हार्दबहुमानसम्यविधिविधानयोः शुद्धाशुद्धरौप्यटककद्दष्टांतेन ॥ यथा शुद्धं रुप्यं शुद्धामुद्रा ॥२॥ शुद्धं रुप्यं अशुद्धा मुद्रा ॥२॥ सुद्धा मुद्रा अशुद्धं रुप्यं ॥३॥ अशुद्धं रुप्यं शुद्धा मुद्रा ॥४॥ सम्यग् बहुमानः सम्यग् विधिः ॥ १ ॥ सम्यग् बहुमानः न तु सम्यविधिः ॥२॥ सम्यग् विधिः न तु सम्यग्बहुमाना ॥३॥ न सम्यग् विधिः न सम्यग् बहुमानः द्वयोरभावे તઃ | | _
ભાવાર્થ દેવપૂજા વિગેરેમાં હૃદયનું બહુમાન અને સમ્યગ વિધિએ પ્રથમ ભાંગે જાણ. એટલે રૂપું પણ શુદ્ધ છે અને ઉપર મહાર છાપ પણ શુદ્ધ છે. બીજા ભાંગામાં દેવપૂજાદિકમાં હદયનું બહુમાન છે, પણ સમ્યગવિધિ નથી એટલે રૂ૫ શુદ્ધ છે પણ ઉપર મહાર છાપ અશુદ્ધ છે. આ બીજો ભાંગે જાણવા. ત્રીજા ભાંગામાં સમ્યગવિધિ છે પણ હૃદયનું બહુમાન નથી એટલે રૂપું અશુદ્ધ છે પણ ઉપર મહોર છાપ ખરી છે. હદયનું બહમાન પણ નથી અને સમ્મવિધિ પણ નથી. રૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
અશુદ્ધ છે અને મહાર છાપ પણ ખોટી છે. આ ચેાથા ભાંગા જાણવા.
જે કાઇપણ ભવ્યાત્માના હૃદયમાં આદર બહુમાન હેાય છે, ત્યાં તે માણસ જેવે તેવે વેષે જતા નથી. રાજદરબાર વિગેરે સ્થળામાં અથવા મહાન અધિકારી પાસે જવું હાય છે ત્યારે પેાતાની લક્ષ્મીની સ્થિતિ અનુસાર અનુકુળ વેષ એટલે સારાં કપડાં ડાધ વિગેરેથી રહિત હાય છે તે પહેરીને જાય છે. જેવી તેવી રીતે જતા નથી, પણ વિવેક સાચવીને ચાગ્ય રીતેજ જાય છે. પેાતે જાણકાર ન હેાય તે! જે જાણકાર હાય તેને જવા-આવવાની, બેસવાની, વાત કરવાની, રજા લેવાની વિગેરે રીતભાત પૂછી લઇને પછી જાય છે, વળી જે તે અવસરે જતા નથી પણ તેના રસદના (નવરાસના) વખત જાણીને-પૂછાવીને પ્રસન્નતાવાળે સમયે જાય છે. શુન્ય ચિત્તે જતા નથી પણ સાવધાનપણે જાય છે. અને જે કામને માટે જાય તે કામને ગાખી રાખે છે, ક્યા શબ્દમાં કહેવું તે વિચારી રાખે છે અને પછી થાયેાગ્ય શબ્દોમાં જણાવે છે.
જિનપૂજામાં આ ચારે ભાખત બહાળે ભાગે વિસરી જવામાં આવે છે. શકિત છતાં પેાતાને માટે એકાદ સારા કપડાની જોડ અલગ રાખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮
આવતી નથી. દેરાસરના સાધારણ ખાતાનાં કપડાં ફાટેલાં, તુટેલાં કે મેલાં જેવાં હોય તેવાં પહેરવામાં આવે છે. વિધિ વગેરે જાણવાને ખપનહિ કરતાં જિનદર્શન, જિયપૂજા વિગેરે જેમ તેમ કરી આવે છે અથવા તે બીજા કરતા હોય તેમ કરે છે, પરંતુ એ સંબંધીને વિચાર કરવામાં આવતા નથી. ઉચિત અવસર પણ જોતા નથી. રાત્રી હોય, સૂર્યને ઉદય પણ થયું ન હોય. જીવજંતુ જોઈ શકાય તેમ ન હોય, તેવે વખતે સ્નાન કરવા બેસી જાય છે. એટલું જ નહિ પણ શ્રી જિનેશ્વર ભગવંતની પખાલ પણ કરવા માંડે છે. તેવીજ રીતે મધ્યાહન વીતી જાય તો પણ કામમાંથી
ટે ત્યારે પૂજા કરવા દોડે છે. આ સંબંધી ઊંચિત અવસરને વિચાર કરતા નથી. શુન્ય ચિત્તની વાત તો પૂછવી પડે તેમ નથી. શ્રીજિનેશ્વર ભગવંતની પખાળ કરે, મન કયાંક ભમે, અગલુહણા બે કર્યો કે ત્રણ તે પણ ભૂલી જાયભગવંતની અવસ્થાત્રિક ભાવવાને બદલે પોતાની અવસ્થાનું ત્રિક ભાવવા માંડી જાય. ચૈત્યવંદનાદિ ભાવસ્તવમાં પણ તે ક્રિયાની દ્રવ્યસ્તવ જેટલી પણ યોગ્યતા ન દેખાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આ બધા શુન્ય ચિત્તને લગતા દોષે છે. આ પ્રકારની અનાદર આશાતના દરરેજ-હંમેશાં થતી જોવામાં આવે છે. અનાદર આશાતના ગુરૂમહારાજના સંબંધમાં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. ત્યાં પણ જે તેવે વેષે જેવી તેવી રીતે જવું વ્યાજબી નથી. શુન્ય ચિત્તને દોષ ત્યાં પણ તજવા યોગ્ય છે.
અધ્યાત્મી આનંદધન્યજી મહારાજ પણ શ્રી ગષભદેવના સ્તવનમાં જણાવે છે કે-ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યું રેપૂજા અખંડિત એહ ! અથત ! ચિત્તની પ્રસન્નતા એજ પૂજાનું ફલ કહ્યું છે અને એજ પૂજા અખંડિત કહેવાય છે. તેમજ આ અનાદર આશાતના સામાયિક પ્રતિક્રમણદિ ક્રિયામાં પણ તજવાની છે. જે ભવ્યાત્માઓ આ પ્રમાણે અનાદર આશાતનાનું સ્વરૂપ સમજીને આદર કરે છે, તે અલ્પકાળમાં મુક્તિગામી બને છે.
ત્રીજી બેગ નામનિ આશાતનાનું સ્વરૂપ જણાવે છે. "भोगो दसप्पयारो कीरंतो जिणवरिंदभवणंमि । आसायणत्ति बाढं वज्जेयना जओ वुत्तं ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
ર૧
દેવાધિદેવ શ્રી વીતરાગ ભગવંતના ભુવનમાં દશ પ્રકારના ભાગ કરવા તે ભાગ નામની આશાતના કહેવાય છે, અને તે પ્રયત્નપૂર્વક વ - વાની જણાવેલી છે.
શ્રી જિનમ ંદિરમાં વજ્ર વા યાગ્ય ભાગ આશતનાના દશ પ્રકાર જણાવેલાં છે.
" तंबोलपाण भोयणुवाहगच्छी भोगमुयणनिहुयणं । मु-तुच्चारं जुयं वज्जे जिणमंदिरस्संतो ||"
તાળ, જળપાન, ભેાજન, પગરખા, સ્ત્રીભાગ, શયન, થુંકવું, સૂત્ર, ઉચ્ચાર અને જુગાર, આ દશવાના શ્રી જિનમંદિરમાં વવાના છે. આ ભાગ આશાતના સબંધી શ્રાવકા કેટલાક તા ન કરે તેમ સ્પષ્ટ છે. પાન ખાવું. જળ પીવુ, ભાજન કરવું, સ્ત્રીભાગ કરવા, થુંકવું, લધુનીતિ કરવી અને વડીનીતિ કરવી,—આ સાત આશાતના તેા ખાળે ભાગે થવાના સંભવ હાતા નથી. જોડા મૂકવાના સંબંધમાં કેટલેક સ્થળે મૂકવાની સગવડ ન હેાવા પીગેરેના કારણાથી દહેરાસરના કાટની અંદર લઈ જવામાં આવે છે, તે લઈ જવા
ન જોઇએ. શ્રી જિનમંદિરના વહીવટ કરનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
રર
એાએ તે મૂકવા માટે યોગ્ય સગવડ કરી આપવી જોઈએ. સુવાની બાબતમાં કેટલીક વખત ઠંડા પવન ખાવાની બુદ્ધિએ વધારે વખત બેસી રહેતાં નિદ્રા આવી જાય છે–પ્રમાદ સેવાય છે, તે નહિ કરવાનું ધ્યાનમાં રાખવા યોગ્ય છે- જિનભકિત અથવા ધર્મચર્ચાના કારણ સિવાય શ્રી જિનમંદિરમાં વધારે વખત રોકાવું નહિ. જુગાર રમવાના સંબંધમાં લધુવયવાળા છોકરાઓ કેડીએ, પાના પૈસા વિગેરેથી ઘણી વાર રમે છે, તેનું સખ્ત રીતે નિવારણ થવું જોઈએ. પ્રથમની સાત આશાતનામાં પણ નાનાં બાળકોને સાથે લઈને આવનાર સ્ત્રી તથા પુરૂષોએ બાળક મૂત્ર કરે નહિ અથવા વડીનીતિ (ઝાડા) કરે નહિ, તેને માટે ઘણું જ ધ્યાન રાખવાની જરૂર છે. કેટલીક વખત શ્રાવિકા બહેનો એવી આશાતનાના સંબંધમાં બેદરકાર રહે છે. કેટલીક શ્રાવિકા બહેને તે બાળકે એની આશાતના કરી હોય, તે સાફ કર્યા વગર અથવા કરવાનું કહ્યા વિના ગુપચુપ ચાલી જાય છે, પણ એ મહા આશાતના છે. કેટલીક શ્રાવિકા બહેને
તુ આવવાના દિવસ નજીક હોય છતાં વધારે વખત જિનમંદિરમાં બેસી રહે છે અને એ સં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૩
બંધી આશાતના થતાં શરમની મારી બેલ્યાચાલ્યા વિના ચાલી જાય છે. આવી આશાતના મહોત્સવાદિ પ્રસંગે તેમજ પર્વતિથિએ ઘણું કરીને થવાનો સંભવ છે. પ્રતિષ્ઠા, બૃહસ્નાત્રાદિક પ્રસંગે પણ શ્રાવિકા બહેનો તરફથી ઉપર કહેલી આશાતનાને ભય વધારે રાખવામાં આવે છે. તેવી આશાતના થવાથી કેટલીક વાર વિપરીત પરિણામ આવે છે. તે સારૂ ઉપર જણાવેલી તમામ પ્રકારની અને ઉપલક્ષણથી તેને લગતી બીજા પ્રકારની ભેગ આશાતનાઓ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
ઉપાશ્રયાદિકમાં પણ આશાતના વન્ચે જણવેલી છે, તેથી વિવેકપૂર્વક વિચારીને યોગ્ય વર્તન કરવું. આ પ્રમાણે ત્રીજી બેગ નામની આશાતનાનું કિંચિત વર્ણન જણાવ્યું. ચોથી દુપ્રણિધાન આશાતનાનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. "रामेण व दोसेण व, मोहेण व दुसिया मणोवित्ती । दुप्पाडहाणं भन्नइ, जिणविसये तं नं कायव्वं ॥"
રાગ વડે કરીને અથવા ફેષ વડે કરીને અથવા મોહ–અજ્ઞાન વડે કરીને ચિત્તની વૃત્તિ જે દુષિત થાય, તેનું નામ દુપ્રણિધાન કહેવાય છે. તે આશાતના જિનમંદિરમાં ન કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આ આશાતના બહુ ગંભીર અને વિચારવા યોગ્ય છે. જિનમંદિરમાં પ્રવેશ કર્યા પછી સ્ત્રી પુત્ર કે મિત્રાદિ તરફની રાગદશાથી અથવા અપ્રીતિના ઉત્પાદક કેઈપણ સ્ત્રી પુરૂષાદિક તરફ દ્વેષ જાગવાથી તેમજ અજ્ઞાનદશાને લઇને થતા અનેક પ્રકારના મેહથી ચિત્તની વૃત્તિ ડોળાઈ જાય છે એ ચેક્સ વાત છે. જ્યારે એ ભાવે ચિત્તમાં જાગે છે ત્યારે તેની અંદર પરમ તારકદેવ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ, શ્રી જિનેશ્વર ભગવંતનું બહુમાન, શ્રી જિનેશ્વર ભગવંતના અનંત ગુણનું ચિંત્વન, પોતાના સ્વાભાવિક ગુણે વિકસ્વર કરવાની તીવ્રછા અને તે નિમિતે શ્રી જિનેશ્વર ભગવંતની એકાગ્ર ચિતે પ્રાર્થના એ બધું ટકી શકતું નથી. સુંદર વિચારની સ્થિતિરીતિ જ બદલાઈ જાય છે, ચિત્ત ચકડોળે ચડે છે અને તે પોતાનું કર્તવ્ય ચુકી બીજી દિશામાં ગમન કરે છે. સાધ્ય ભૂલી જવાય છે.
આ આશાતના નહિ કરનારા ઉત્તમ જીવે જગતમાં આદરણીય છે. આવા ઉત્તમ છે અનુકરણ કરવા યોગ્ય છે. શ્રી જિનેશ્વર ભગવંતની પૂજામાં ચિત્તવૃત્તિને કપ કરવી, બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
રપે
સર્વ વ્યાપાર ભૂલાવી દેવા, રાગદ્વેષ અથવા મહિને પ્રવેશ કરવા ન દેવે, તે પ્રસંગ આવવા ન દે, તે ખરેખર આત્મસંયમ છે. આ આશાતના થવાથીજ ભવ્યાત્માઓ શ્રી જિનપૂજદિક અમૃતમય કરણના સુંદર અનુપમ મેક્ષફળને મેળવી શક્તા નથી. એ કારણથી જ ભવ્યાત્મા
એ દુપ્રણિધાન આશાતના ન થાય તે માટે હંમેશાં જાગૃત રહેવું. રાગ, દ્વેષ અને મેહની ત્રિપુટી છળ જોનારી ચોરની પંક્તિ તરીકે જણ વેલી છે. બાહ્ય કારણ પ્રાપ્ત થયા સિવાય પણ માત્ર મનની અંદર વિચાર માત્રથીજ ઉદભવી તેઓ પોતાને અમલ ચલાવે છે, તે પછી જ્યારે બાહ્ય નિમિત્ત મળે ત્યારે તો તેના બળનું શું કહેવું? એથીજ બનતાં સુધી દુપ્રણિધાન થાય તેવાં કારણોથી દૂર રહેવું, છતાં કદી તેવા કારણો મળી જાય તો તે વખતે ચિત્તને કબજે રાખવું અને રાગ, દ્વેષ કે મેહના સામ્રાજ્યને આધીન ન થવું. આ આશાતના ઘણીવાર તે માત્ર માનસિક વિચારણાથી જ થાય છે. હાથ વડે શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરે અને મન તો ક્યાંય ભમતું હોય, તેમાં રાગદ્વેષાદિકની ફુરણું થયાજ કરે અને આત્મા તેને આધીન થઈ કર્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ચુકી જાય. માટે આ આશાતનાથી બચવા સારૂ ઘણી સંભાળ રાખવાની જરૂર છે. ગુરૂવંદનના સંબંધમાં પણ આ આશાતના તજવા ચોગ્ય છે. એ પ્રમાણે ચેથી પ્રણિધાન આશાતનાનું સ્વરૂપ કહેવાયું.
પાંચમી અનુચિત્તવૃત્તિ આશાતનાનું સ્વરૂપ જણાવે છે. 'विकहाधरणयदाणं,
कलहविवोवाइ गेहकिरियाउ। अणुचियवित्ति सव्वा, __परिहिरियव्वा जिणगिहभिम ॥'
વિકથા કરવી, ધરણું ઘાલીને બેસવું, કલહવિવાદાદિ કરવા તેમજ ક્રિયાઓ (ઘરનાં કામકાજ) કરવી, એ સર્વે અનુચિત આશાતના કહેવાય છે. તે શ્રી જિનમંદિરમાં વર્જવી. ધર્મચર્ચાથી અનભિન્ન માણસે તે દહેરામાં બેસીને તડાકાજ મારે છે. તે વિકથારૂપજ છે-તે તો સર્વથા વર્ષ છે.”
માત્ર ધર્મચર્ચા સિવાય બીજી કશી વાતચીત શ્રી જિનમંદિરમા કરી શકાય નહિ. કેટલાક માણસે બેસે છે તે ધર્મચર્ચા કરવા, પણ તેમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૭
આડા ફંટાઇ વિકથા કરવા મંડી જાય છે. તેમણે વધાન રહેવાની જરૂર છે, વિકથા કાને કહેવી અને તે કેટલા પ્રકારની છે, ઇત્યાદિનું વિવરણ અહીં કરવામાં આવતુ નથી. વિકથાના ચાર અને છ, સાત વિગેરે ભેદેા છે, તે સુજ્ઞ મનુષ્ય પાસેથી સમજી લઇને વવા. ધરણુ ધાલીને બેસવુ એટલે લાંધવા બેસવું, કાઇની પાસેના લેણાને પ્રસગે અથવા નાતજાતના કે સંધના વાંધા કે તકરાર વિગેરે પ્રસઞાએ આ ક્રિયા કરવામાં આવે છે. પરંતુ શ્રી જિનમ ંદિરે તેવા કાઈ પણ કારણસર બેસવું કે બેસવાની સલાહ આપવી તે તદ્દન અયેાગ્ય છેઃ અનુચિત્તવૃત્તિરૂપ હેાવાથી તદૃન વર્જ્ય છે. કલહુ અને વિવાહાદિ તે જુદા જુદા કારણને લઈ ને શ્રી જિનમંદિરની અંદર શું સાધ્ય છે, થ્રુ કન્ય છે, તેને નહિ સમજનારા અથવા સમયા છતાં સાધ્યને ચુકી જનારા ત્તવ્યથી ભ્રષ્ટ થનારા કરે છે. તે વખતે ક્રાય તેમજ અભિમાનનું સામ્રાજ્ય એટલું વિસ્તાર પામી જાય છે કે તેટસ્ય રહીને જોનારજ તેના તાલ કરી શકે છે. કલહ-વિવાહાદિને વર્જ્ય સમ જનારા પણ એ વાતને ભૂલી જાય છે. ઘરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ક્રિયાઓ તે નાના ગામડાં વિગેરેમાં દહેરાસરને જ ઘરરૂપ માની બેસનારા સ્ત્રીઓ અને પુરૂષો દહેરાસરની પાસેના વસવાટથી અનેક પ્રકારની કરે છે. દહેરાસરમાં અનાજ સુકવે છે, લુગડાં ધુએ છે, લુગડાં સુકવે છે, માથાં ઓળે છે. પુરૂષ નામાં માંડે છે, હિસાબ કરે છે, વાંધાઓ પતાવે છે, પંચાત કરે છે, ઈત્યાદિ અનેક પ્રકારની આશાતનાઓ કરે છે. શ્રી જિનમંદિર સંબંધી જે ૮૪ આશાતનાઓ કહેવામાં આવેલી છે, તેમાં અનુચિત્ત વૃત્તિના પેટામાં સમાય એવીજ ઘણી આશાતનાઓ છે. સમજી સ્ત્રી-પુરૂષ તે પ્રાયઃ આ આશાતના ઓછી કરે છે, તેમજ મોટા શહેરમાં પણ આવી આશાતમાં થોડી થાય છે, પરંતુ નાના ગામડાંઓમાં તે ઘણે ઠેકાણે થતી જોવામાં આવે છે. તેનું નિવારણ કરવામાં બનતા પ્રયત્ન કરવાની જરૂર છે, ઉત્તમ પુરૂષાનું કામ પોતે આશાતના ન કરવી અને બીજા પાસે ન કરાવવી તે છે. આગેવાને ધારે તે આ જાતિની આશાત ન ન થાય તેવા બંદોબસ્ત કરી શકે છે. અનુચિત્તવૃત્તિની અંદર ઉપર કહેલી અવજ્ઞા આશાતના અનાદર આશાતના, ભાગ આશાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
ર૯ અને દુપ્રણિધાન આશાતના–એ ચારેને સમાવેશ થઈ શકે તેમ છે, કારણ કે-તે સર્વ અનુચિત વર્તન રૂપજ છે. પરંતુ અહીં તો માત્ર બહોળે ભાગે કાયિક વર્તનનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રમાણેની પાંચ પ્રકારની આશાતના ભવભીરૂ પ્રાણીઓ અવશ્ય વર્જવા યોગ્ય છે. એમાં ત્રણ પ્રકાર માનસિક આશાતનાના અને બે કાયિક આશાતનાના છે. અવજ્ઞા, અના૨ અને દુપ્રણિધાન-એ ત્રણે પ્રકાર માનસિક છે, છતાં તે પિકી અવજ્ઞા અને અનાદરમાં કાયિક વર્તનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનાદરની અંદર શુન્ય ચિત્તે શ્રી જિનપૂજાદિ કરવા રૂ૫ આશાતના બતાવેલી છે તે માનસિક છે.
આ બધા પ્રકાર જુદા જુદા બતાવવાનો હેતુ માત્ર અલ્પજ્ઞ પ્રાણી ભૂલ ન ખાય તે છે. બાકી સજ્ઞ જને તે આ કૃતિ કરવામાં આશાતના થાય છે કે કર્તવ્ય બજાવાય છે તે તરત જ સમજી શકે છે. માટે કઈ પણ પ્રકારે આશાતના ન થાય અને કર્તવ્યપરાયણ રહી સાધ્ય સિદ્ધ કરાય તે પ્રયત્ન કરે. ઉત્તમ જનોનું રટણ નિરંતર એજ હોય છે અને તેથી જ તેઓ પોતાની ફરજ સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી જિનેશ્વર ભગવંત કે જેઓ પરમ ઉપકારી છે, તેમના ઉપકારનું સ્મરણ કરી તેના અણુ થવા માટે બનતા પ્રયત્નમાં મચ્યા રહે છે.
આવા સતત્ ઉદ્યમી પુરૂષને ધન્ય છે. તેજ પિતાના અમૂલ્ય અને દુર્લભ મનુષ્યજન્મને સફળ કરે છે.
જ સમાસ -
હ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________ Vollen! すねたよ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com