Page #1
--------------------------------------------------------------------------
________________
नगरसूरि धीनगर.
देवद्रव्यनी उपयोग
शास्त्रीय आधार
निवेश मिला पत्रावाला
Page #2
--------------------------------------------------------------------------
________________
કેવદ્રવ્યનો ઉયો
શાશય આધાર
* લેખક
નરેશ રસિકલાલ પન્નાલાલા
૪, આકાશદીપ, ડુંગરશી રોડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૧
ફોન : ૩૭૯૧૪૩૩
Page #3
--------------------------------------------------------------------------
________________
નકલ : ૧૦૦૦ આવૃત્તિ : પ્રથમ પ્રકાશન દિન : સંવત ૨૦૫૪, આસો સુદ-૧૦
: પ્રાપ્તિસ્થાન :
નરેશ રસિકલાલ પત્રાવાલા ૪, આકાશદીપ, ડુંગરશી રોડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬ :
ફોન : ૩૯૧૪૩૩
Page #4
--------------------------------------------------------------------------
________________
:પ્રસ્તાવના:
પૂર્વે આ પુસ્તિકાનું જ લખાણ “કલ્યાણ' માસિકના વર્ષ-૫૪, અંક-૯,૧૦, ડિસેમ્બર- જાન્યુઆરી, ૧૯૯૮ના અંક દ્વારા પ્રસિદ્ધ કરી, વાચકોનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. તેને કોઈ વિરોધ સાંપડ્યો ન હતો. તેથી હવે એક નક્કર વિચારણા રૂપે તે લખાણ આ પુસ્તિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.
દેવદ્રવ્યના પૂજા-દેવદ્રવ્ય, નિર્માલ્ય દેવદ્રવ્ય અને કલ્પિત દેવદ્રવ્ય એ ત્રણ પ્રકારો અંગે છેલ્લા વર્ષોમાં ઘણી ઘણી વિચારણાઓ થવા પામી. તેમાંથી એક સૂર એવો પણ ઉક્યો કે, પ્રતિષ્ઠા આદિના ચઢાવાઓ દ્વારા થયેલી દેવદ્રવ્યની ઉપજ', પૂજા- દેવદ્રવ્ય કે નિર્માલ્ય દેવદ્રવ્ય રૂપ ગણી શકાય એવી ન હોવાથી એને કલ્પિત દેવદ્રવ્ય જ ગણવી જોઈએ. આ સૂર તદ્દન અયોગ્ય છે, એ વાત આ પુસ્તિકાથી અત્યંત સ્પષ્ટ થઈ જશે. વાસ્તવમાં તો પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખીને બોલાતી પ્રતિષ્ઠાદિ બોલીઓની રકમ પૂજા-દેવદ્રવ્ય જ છે અને તેનો ઉપયોગ જિનમંદિર નિર્માણ-ઉદ્ધાર અથવા પરમાત્માના આભૂષણો આદિમાં જ થઈ શકે, એ વાત આ પુસ્તિકામાં સચોટ રીતે વિવક્ષી છે અને દરેક સંઘોના આરાધકો તેમજ
Page #5
--------------------------------------------------------------------------
________________
વહીવટકર્તાઓના ચિત્તમાં તે સ્થિર બને એ જ આ પુસ્તિકાનો હેતુ છે. દેવદ્રવ્યનો કોઈ પણ પ્રકાર એવો નથી કે જેમાંથી સ્વકર્તવ્યરૂપ દેવપૂજા થઈ શકે. એ વાત પણ આ પુસ્તિકાથી અત્યંત સ્પષ્ટ થાય છે. દેવદ્રવ્યનો શાસ્ત્ર વિરુદ્ધ ઉપયોગ ભયંકર સંસાર વધારનાર હોવાથી ભવભીરુ આત્માઓ તટસ્થ ભાવે શાસ્ત્રના અર્થને સમજી લઈ પોતાના અહિતથી અટકે એ જ અભ્યર્થના.
શાસ્ત્ર વિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડં. આ લખાણમાં જ્યાં જ્યાં ભુલ જણાતી હોય ત્યાં ભવભીરુ એવા ગીતાર્થ ગુરુ ભગવંતોને તથા સુજ્ઞ શ્રાવકોને આ વિષયમાં યોગ્ય સુધારા-વધારા પ્રકાશકના સરનામે સુચવવા ખાસ વિનંતી.
– નરેશ રસિકલાલ પત્રાવાલા
Page #6
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યનો ઉપયોગ
શાસ્ત્રીય આધટ
સાતમા સૈકામાં લખાયેલ સંબોધ પ્રકરણમાં પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેવદ્રવ્ય સંબંધી નીચે પ્રમાણે નિરૂપણ કર્યું છે.
चेइयदव्वं तिविहं पूआ-निम्मल्ल- कप्पियं तत्थ । आयाणमाई पूयादव्वं जिणदेहपरिभोगं ॥ | १ || अक्खयफलबलिवत्थाइसंतिअं जं पुणो दविणजायं । तं निम्मल्लं वुच्चइ, जिणगिहकम्मंमि उवओगं ॥ २ ॥ दव्वंतरनिम्मवियं निम्मल्लं पि हविभूसणाइहिं । तं पुण जिणंग संसग्गि ठंविज्ज गणत्थ तं भयणा । । ३ । । रिद्धिजुअसम्मणहिं सड्ढेहिं अहव अप्पणा चेव । जिणभत्ती निमित्तं जं चरियं सव्वमुवओगि ।।४ ।।
દેવદ્રવ્યનો ઉપયો! - શાસ્ત્રીય આધાર
--
Page #7
--------------------------------------------------------------------------
________________
અહીં દેવદ્રવ્યના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) પૂજા-દેવદ્રવ્ય (૨) નિર્માલ્ય-દેવદ્રવ્ય (૩) કલ્પિત-દેવદ્રવ્ય. આ ત્રણે પ્રકારના દેવદ્રવ્યની વ્યાખ્યા અને તેના ઉપયોગનું ક્ષેત્ર અહીં શ્લોકોમાં જ આપ્યું છે. તે બરાબર સમજવા માટે, પ્રથમ નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લઈએ.
(A) પદનો અર્થ એ રીતે કરવો જોઈએ કે, જેથી અન્યત્ર કહેલ પ્રરૂપણામાં બાધ-વિરોધ ન આવે.
(B) આપણે ત્યાં શાસ્ત્રમાં કોઈ પણ પદાર્થના ભેદ ભલે જુદી જુદી વિવલાએ જુદી જુદી રીતે પાડ્યા હોય, પણ તે પ્રત્યેક વિવક્ષા-પદ્ધતિમાં પદાર્થના બધા ભેદોનો સમાવેશ કરી દીધો હોય છે. દા.ત., જીવના જુદી જુદી વિવક્ષા-રીતથી ભલે ૧, ૨, ૩, ૪, ૫, ૭, ૧૪ કે પ૬૩ ભેદો બતાવ્યા હોય, તો પણ તે દરેક પદ્ધતિમાં બધા જીવોનો સમાવેશ થઈ જતો હોય છે. એટલે કે જ્યાં ફક્ત એક જ ભેદ બતાવ્યો હોય, તેમાં પણ બધા જીવોનો સમાવેશ થઈ શકતો હોય છે અને જ્યાં બે જ ભેદ બતાવ્યા છે, તો ત્યાં બે ભેદોમાં પણ સંસારના બધા જીવોનો સમાવેશ થઈ જતો હોય છે. એ જ રીતે તત્ત્વોના પ્રકાર ભલે ૧, ૨, ૫, ૭, ૯ વગેરે એમ જુદા જુદા પ્રકારે બતાવ્યા હોય પણ તે દરેક વિવક્ષામાં બધાં તત્ત્વોનો સમાવેશ થઈ જતો હોય છે. એ જ રીતે પ્રસ્તુત વિષયમાં પણ જ્યારે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેવા સમર્થ શાસ્ત્રકાર
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #8
--------------------------------------------------------------------------
________________
ભગવંત દેવદ્રવ્યના ત્રણ પ્રકાર બતાવે છે, તો તે ત્રણ પ્રકારોમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય આવી જવું જોઈએ, આ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.
(C) વિષયોના – તત્ત્વોના પ્રકારોનો ક્રમ પણ શાસ્ત્રમાં જે આપ્યો હોય છે, તે સહેતુક જ હોય છે.
આ ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખી ઉપરના શ્લોકોનો અર્થ નીચે મુજબ ઘટાવવો જોઈએ.
બીજું અન્ય શાસ્ત્રોના આધારે એ વાત પણ ખ્યાલમાં રાખવી જોઈએ કે, જિનપૂજા સ્વકર્તવ્યરૂપ છે અને તેથી તે સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે. માટે અહીં બતાવેલ દેવદ્રવ્યનો કોઈપણ પ્રકાર એવો ન જ હોઈ શકે છે, જેમાંથી સ્વકર્તવ્યરૂપ જિનપૂજા થઈ શકે. આ વાત ઉપરના શ્લોકોના સાચા અર્થઘટનથી આગળ સાબિત પણ થશે જ. “ ૧. પૂજા-દેવદ્રવ્ય :
પહેલા, પૂજા-દેવદ્રવ્યનો અર્થ સમજી લઈએ.
અહીં દેવદ્રવ્યના ભેદોના સૂચક નામો સ્વરૂપ સૂચક જ છે, નહીં કે ઉપયોગ સૂચક. જેમકે પૂજાથી-ભક્તિથી આવેલ તે પૂજાદેવદ્રવ્ય. પૂજામાં વપરાઈને ફરી તે જ રૂપે વાપરવા માટે અયોગ્ય થયેલ તે નિર્માલ્ય-દેવદ્રવ્ય. પ્રત્યક્ષ પૂજાના નિર્દેશપૂર્વક અપાયું નથી, પણ જિનભક્તિ નિમિત્તનું હોય તે કલ્પિત
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #9
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્ય. એટલે કે અહીં બધાં ભેદોનાં નામોમાં સ્વરૂપનો જ નિર્દેશ છે. માટે પૂજાથી-ભક્તિથી (પૂજારૂપે-ભક્તિરૂપે) આવેલ તે પૂજા-દેવદ્રવ્ય એ સ્વરૂપ નિર્દેશક અર્થ અહીં અભિપ્રેત છે. પૂજા માટે આવેલ” એવો રૂઢ અર્થ તો ઉપયોગ સૂચક છે, માટે તે અહીં અભિપ્રેત નથી.
વાસ્તવમાં તો ગાથામાં આયાણમાઈ પૂઆદધ્વ' એટલું જ કહ્યું છે એટલે કે ભેટ વગેરેથી આવેલું તે પૂજા-દેવદ્રવ્ય. પૂજા માટે ભેટ આવેલ એમ કહ્યું પણ નથી..
હવે પરિભોગ શબ્દનો અર્થ સમજી લઈએ. વંદિતા સૂત્રની ૨૦મી ગાથામાં શ્રાવકના ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતના વિષયમાં એવી સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે, “એકવાર ભોગવાય તે ઉપભોગ (આહાર, પુષ્પ વગેરે) અને વારંવાર ભોગવાય તે પરિભોગ (આભૂષણ, ઘર વગેરે)” અહીં જિનેશ્વર પરમાત્માની મૂર્તિના-દેહના અનુસંધાનમાં કેસર, વરખ, પુષ્પ વગેરે જે એકવાર જ ભોગવાય છે, તે ઉપભોગ અને જિનમંદિર, આભૂષણ વગેરે જે વારંવાર ભોગવાય છે તે પરિભોગ. પરિભોગ શબ્દનો આ અર્થ અહીં અભિપ્રેત છે.
જિનપડિમા એવો શબ્દ ન મૂકતા જિનદેહ એવો શબ્દ વાપરીને પણ એવો જ અંગુલીનિર્દેશ કરાયો છે કે, જેમ આપણા દેહના ઉપયોગમાં આવતા દ્રવ્યો ઉપભોગ અને પરિભોગમાં વહેંચાય છે, તેમ અહીં પણ જિનદેહના સંદર્ભમાં સમજવું.
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #10
--------------------------------------------------------------------------
________________
કોઈ કહેશે કે સર્વ બાજુથી ભોગવાય (ઉપભોગ + પરિભોગ) એવો પણ પરિભોગ શબ્દનો અર્થ થાય છે, તો તે અહીં કેમ નહિ લેવાનો? જવાબ એ છે કે આગળની ગાથામાં નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં કહ્યું છે કે, પૂજામાં ચઢાવેલ ફળ આદિ ફરીથી અષ્ટપ્રકારી પૂજામાં કે જે એકવાર ભોગવવાનો વિષય છે, તેમાં ન વપરાય, પણ રૂપાંતરિત કરીને તે આભૂષણ આદિ કે જે વારંવાર ભોગવવાનો વિષય છે તેમાં વપરાય. એટલે એ વાત સ્પષ્ટ છે કે, અહીં દેવદ્રવ્યની ઉપયોગિતાનું સ્વરૂપ ઉપભોક્તા (એકવાર) કે પરિભોક્તા (વારંવાર)ના આધારે છે.
પૂજામાં વપરાયેલ દ્રવ્ય જે ઉપભોગરૂપ છે તે કોઈ ફરીથી દેવને અર્પણ કરે તો તે દેવનો વિનયભંગ છે અને દાતાભક્તને પણ તે ઈષ્ટ નથી. એટલે કે ઉપભોગરૂપ દ્રવ્યનો ફરીથી ઉપભોગરૂ૫ ઉપયોગ હોતો નથી. તે દ્રવ્ય કાયમી રૂપે ભક્તિનો આધાર બની જાય તો દાતાભક્તના હૃદયમાં પ્રીતિ ઉપજાવે અને એ જ હેતુઓથી શાસ્ત્રકાર ભગવંતે પૂજારૂપે આવેલ પૂજાદેવદ્રવ્યનો ઉપયોગ જિનદેહના પરિભોગ એટલે કે જિનમંદિર અથવા આભૂષણ આદિમાં બતાવેલ છે. માટે પરિભોગનો અર્થ ઉપભોગ અને પરિભોગ” એમ ભેગો લઈએ, તો તે અહીં અસંગત કરે છે. કારણ ઉપર સાબિત કર્યા પ્રમાણે ઉપભોગરૂપેપૂજારૂપે આવેલ દ્રવ્ય ફરીથી ઉપભોગ માટે – પૂજા માટે ન વપરાય.
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #11
--------------------------------------------------------------------------
________________
બીજું ‘પૂજા-દેવદ્રવ્ય એટલે પૂજા માટે આવેલ દ્રવ્ય એવા રૂઢ અર્થથી ભંડાર દ્રવ્ય કે પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી બોલીઓનું દ્રવ્ય દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારની બહાર રહી જાય છે અને તેથી અવ્યાપ્તિ નામનો દોષ લાગે છે. જ્યારે ‘પૂજારૂપે-ભક્તિરૂપે આવેલ તે પૂજા-દેવદ્રવ્ય’ એવા અર્થઘટનથી કોઈ દોષ લાગતો નથી.
જ
સંબોધ પ્રકરણની રચનાકાળમાં કોઈપણ અનુષ્ઠાન પ્રસંગે બોલીઓની પ્રથા કદાચ સર્વથા ન હતી એમ માનીએ, તો પણ ભંડાર દેવદ્રવ્ય અથવા કોઈ પણ જુદી રીતથી ભક્તિરૂપે ભેટ આવતો દેવદ્રવ્યનો પ્રકાર કોઈ પણ કાળે હોય જ. કારણ શ્રાવક માટે દ્રવ્યની મૂર્છા ઉતારવા એ જ શ્રેષ્ઠ ઉપાય બતાવાયો છે અને આમ ભક્તિરૂપે આવેલ દ્રવ્ય એ જ દેવદ્રવ્યનું મુખ્ય અંગ ગણાય. તેનો જ સમાવેશ શાસ્ત્રકાર ભગવંત પોતે બતાવેલ પ્રકારોમાં ન કરે એવું કેવી રીતે બને ? ભંડાર દેવદ્રવ્ય પ્રખ્યાત છે માટે એનો સમાવેશ ન કર્યો હોય એવું કેવી રીતે કહેવાય ? પ્રખ્યાત પદાર્થના વિવેચનની કદાચ જરૂર ન હોય પણ તેનો ઉલ્લેખ તો જરૂ૨ કરે જ. દા.ત. ચૈત્યવંદન ભાષ્યમાં દશત્રિકના વિષયમાં પ્રદક્ષિણાત્રિક વગેરે સમજવા સહેલા હોવા છતાં ‘સેસ તિગત્થો ય પયડુત્તિ' એમ કહીને વિવરણ ભલે ન કર્યું હોય, પણ તેનો ઉલ્લેખ કરીને પ્રકાર તો બતાવ્યો જ છે. બોલીઓની પ્રથા પછીથી શરૂ થઈ એમ માનીએ, તો પણ સુવિહિત મહાપુરુષોએ
ન
૬
કેવઢવ્યનો ઉપયોા - શાસ્ત્રીય આધાર
Page #12
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રને નિરપેક્ષ રહી તેનો ઉદ્દભવ કર્યો નથી, માટે તેનો સમાવેશ પૂર્વકાલીન શાસ્ત્રમાં થઈ શકે છે અને અહીં તે યોગ્ય રીતે થાય જ છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણમાં, કોઈએ કરેલ આંગી ઉપર કોઈ બીજી આંગી કરે, તો તે પૂર્વની આંગી નિર્માલ્ય ગણાય કે નહિ એ સવાલના જવાબ માટે નિર્માલ્ય દ્રવ્યના સ્વરૂપને સમજાવવા માત્રનો જ્યાં પ્રસંગ છે, ત્યાં ભાષાંતરકારે દ્રવ્યપૂજાની સામગ્રીને જ લક્ષ્યમાં રાખી (૧) પૂજા માટે કલ્પેલ અને (૨) નિર્માલ્ય થયેલ એમ તેના બે ભેદ બતાવ્યા છે. આ બે ભેદોમાં દ્રવ્યપૂજાની બધી સામગ્રીનો સમાવેશ થઈ જ જાય છે.
વાસ્તવમાં તો મૂળ ગ્રંથમાં વિચારસાર પ્રકરણનું અવતરણ આપ્યું છે. વિચારસાર પ્રકરણમાં વળી દેવદ્રવ્ય ભક્ષણફળનો જ્યાં અધિકાર આવે છે, ત્યાં શાસ્ત્રકાર ભગવંતે દેવદ્રવ્યના ભેદો માટે નીચેની બે ગાથાઓ આપી છે.
चेइअदव्वं दुविहं, पूआ निम्मलभेअओ इत्थ । आयाणाई दव्वं, पूआरित्थं मुणेयव्वं ॥ १ ॥ अक्खयफलबलिवत्थाइ संतिअं जं पुणो दविणजायं । तं निम्मल वुच्चइ, जिणगिहकमंमिं उवओगो ॥ २ ॥ અહીં દેવદ્રવ્યના (૧) પૂજા-દેવદ્રવ્ય અને (૨) નિર્માલ્યદેવદ્રવ્ય એમ બે પ્રકાર બતાવ્યા છે. તે પૂજાને માટે યોગ્ય અને અયોગ્ય દ્રવ્ય એમ યોગ્યાયોગ્યતાના આધારે છે. તેથી પૂજા
કેવટવ્યનો ઉપદ્ર - શાસ્ત્રીય આધાર
૭
Page #13
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યની વ્યાખ્યા અહીં સંબોધ પ્રકરણના પૂજા-દેવદ્રવ્યના ભેદથી જુદી પડે છે. અહીં કહ્યું છે કે આદાન આદિથી આવેલ બધુ દ્રવ્ય પૂજાને-ભક્તિને માટે યોગ્ય કહેવાય અને તે પૂજા દેવદ્રવ્ય છે. આમાં પૂજાથી-ભક્તિથી, પૂજા માટે-ભક્તિ માટે, પૂજાના-ભક્તિના નિર્વાહ માટે આવેલ એમ બધા દ્રવ્યનો સમાવેશ થઈ શકે છે. કારણ બધા જ ભેટ આદિથી આવેલ હોઈ પૂજાને માટે યોગ્ય છે. આમ અહીં બતાવેલ બે પ્રકારોમાં બધા જ દેવદ્રવ્યનો સમાવેશ થઈ જાય છે અને તે શાસ્ત્રકાર ભગવંતને ઈષ્ટ જ છે. કારણ દેવદ્રવ્યનો કોઈ એવો ભાગ બાકી રાખવાનો નથી કે જે સ્વકર્તવ્યરૂપ પૂજાને કે ભક્ષણને યોગ્ય હોય ! પૂજામાં વપરાઈને અયોગ્ય થયેલ નિર્માલ્યનું ભક્ષણ પણ મહાહાનિકારક છે. તેમાંથી પણ યોગ્ય ઉપજ કરવાની હોય છે.
પ્રાયઃ વિસ્તારભયથી જ પૂજા-દેવદ્રવ્યનું કાર્યક્ષેત્ર તે ગ્રંથમાં બતાવ્યું નથી. કારણ પ્રસંગ બીજો ચાલે છે, પણ દરેક પ્રકારના દેવદ્રવ્યનો ઉપયોગ સંબોધ પ્રકરણ મુજબ સમજી શકાય છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ અને વિચારસાર પ્રકરણ એ બંને ગ્રંથોમાં દેવદ્રવ્યના ભેદોનો ઉલ્લેખ અન્ય પ્રસંગવશાત કરવામાં આવ્યો છે, માટે તે સંક્ષેપમાં છે. તેથી પૂર્વકાલીન સંબોધ પ્રકરણ જ દેવદ્રવ્યના પ્રકાર અને ઉપયોના વિષયમાં વિશેષ ઉપયોગી ગણાય.
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #14
--------------------------------------------------------------------------
________________
આ રીતે એ વાત સ્પષ્ટ થાય છે કે, શાસ્ત્રોમાં ગમે તે વિવક્ષા. પદ્ધતિથી પદાર્થના પ્રકારો બતાવ્યા હોય પણ તે સર્વવ્યાપી હોય છે. એટલે બધાનો સમાવેશ તેટલા પ્રકારોમાં થઈ જતો હોય છે. ખરેખર શાસ્ત્રકાર ભગવંતોની રચના ચતુરાઈ અદ્ભુત હોય છે!
જિનમંદિરમાં કે તેની બહાર ક્યાંય પણ પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખીને બોલાતી પ્રતિષ્ઠા, અંજનશલાકા, કેસરાદિ પૂજા, આરતી, રથયાત્રા, સ્વપ્નો, ઉપધાનની માળ, સંઘમાળ વગેરે સર્વ પ્રકારની બોલીઓની રકમ દેવદ્રવ્ય છે, એ વાત બધાએ સ્વીકારી જ છે. બોલી બોલીને જે વ્યક્તિ પ્રથમ પૂજા આદિનો લાભ લે છે અને પ્રથમ પૂજા આદિ કરે છે, તેના તે ધર્મકાર્યમાં અને બીજો જે બોલી બોલ્યા વગર પૂજા આદિ કરે છે, તેના તે ધર્મકાર્યમાં કોઈ તફાવત નથી. પણ બોલી બોલનારને જે વિશેષ લાભ મળે છે, તે એ કારણે મળે છે કે, એણે ધન પરની મૂચ્છ ઉતારી વિશેષરૂપે ભક્તિ કરી, માટે આ રકમ જે દેવદ્રવ્ય જ છે, ભલે તે પ્રથમ પૂજા આદિની શરતવાળી હોય, તો પણ તે પરમાત્માની ભક્તિરૂપે આવેલ હોવાથી તેનો સમાવેશ પૂજા-દેવદ્રવ્યમાં થાય છે. ભંડારદ્રવ્ય પણ ભક્તિરૂપે આવેલ હોવાથી તેનો સમાવેશ પણ પૂજાદેવદ્રવ્યમાં થાય.
વળી ત્રણ પ્રકારોનો જે ક્રમ બતાવાયો છે, તેની જો વિચારણા કરીએ, તો પૂજા-દેવદ્રવ્ય એટલે “પૂજા માટે આવેલ દ્રવ્ય એવા રૂઢ અર્થથી પૂજા-દેવદ્રવ્યનો ક્રમ પહેલો આવી
કેહવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #15
--------------------------------------------------------------------------
________________
શકતો નથી, કારણ પૂજા માટે આવેલ દ્રવ્ય એ કાંઈ દેવદ્રવ્યની આવકનું મુખ્ય અંગ ન ગણાય. પૂજારૂપે આવેલ દ્રવ્ય જ મુખ્ય ગણાય.
ટૂંકમાં ‘આયાણમાઈ પૂયાદİ, જિણદેહ-પરિભોગ'નો સીધો અર્થ એમ થાય કે પરમાત્માની પૂજારૂપે-ભક્તિરૂપે ભેટ આદિથી આવેલ તે પૂજા-દેવદ્રવ્ય. આમાં ભંડાર દ્રવ્ય તેમજ પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી સર્વ પ્રકારની બોલીઓનું દ્રવ્ય આવે. તેનો ઉપયોગ આભૂષણ વગેરે વારંવાર ભોગવી શકાય એવી વસ્તુમાં અથવા તો સ્વયં જિનમંદિર નિર્માણ કે જીર્ણોદ્ધારમાં થાય, કારણ જિનમંદિર એ જિનમૂર્તિના પરિભોગની વસ્તુ થઈ. ,
આમ છતાં આપેલા દ્રવ્યનો વપરાશ વિશિષ્ટ પૂજા માટે કરવાનો નિર્દેશ દાતાએ ભેટ આપતી વખતે જ કર્યો હોય તો તે પણ પૂજા-દેવદ્રવ્ય જ છે. કારણ તે પૂજારૂપે જ થવાનું છે. તેનો ઉપયોગ દાતાના નિર્દેશ મુજબ જ પૂજા માટે કરવો ઘટે છે. તે પૂજા દાતા તરફથી જ થઈ ગણાય. માટે સ્વકર્તવ્યરૂપે પૂજા માટે અન્ય વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે નહિ. ૨. નિર્માલ્ય-દેવદ્રવ્યઃ
ભક્તિરૂપે આવેલ પૂજા-દેવદ્રવ્ય પછી ક્રમ આવે છે નિર્માલ્યા દેવદ્રવ્યનો ! એનો અર્થ થાય છે “અખયફલબલિ વત્થાઈ સંતિએ જે પુણો દવિણજાય' એટલે કે પૂજામાં ચઢાવેલ અક્ષત,
૧૦
- કેરવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #16
--------------------------------------------------------------------------
________________
ફળ, નૈવેદ્ય, વસ્ત્ર વગેરે, વરખ, બાદલું વગેરે પણ ફરી વાપરવા યોગ્ય ન હોવાથી નિર્માલ્ય ગણાય છે અને તેના વેચાણથી જે રકમ પ્રાપ્ત થાય તે નિર્માલ્ય-દેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ ‘જિણગિહકમ્મમિ ઉવઓગં' એટલે કે દેરાસર સંબંધી કાર્યોમાં થઈ શકે. પણ અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યો માટે ન થાય. નિર્માલ્ય-દેવદ્રવ્ય જો રૂપાંતરિત કર્યું હોય, તો તે પરમાત્માના આભૂષણોમાં વાપરી શકાય. ૩. કલ્પિત-દેવદ્રવ્ય :
-
ભક્તિરૂપે આવેલ તે પૂજા-દેવદ્રવ્ય અને ભક્તિમાં વપરાઈ જવાથી બનેલ તે નિર્માલ્ય-દેવદ્રવ્ય. તે પછી ક્રમ આવે છે કલ્પિત-દેવદ્રવ્યનો. એનો અર્થ થાય છે ઋદ્ધિમાન અને સમ્મત શ્રાવકોએ અથવા પોતે ‘જિણભત્તીઈ નિમિત્તે જં ચરિયું' એટલે જિનભક્તિ પ્રસંગે બોલાતી બોલીઓ વગેરેથી ભેગું કરેલ એમ નહિ, પણ જિનભક્તિના નિમિત્તે એટલે જિનભક્તિના ચૈત્યના નિર્વાહ માટે ભેગું કરેલ (ચરિય) કે કલ્પીને મૂકેલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. તેનો ઉપયોગ ‘સવ્વમુવઓગિ' એટલે‘કે દેરાસર સંબંધી સર્વ કાર્યોમાં થાય. આ પ્રકાર દેવદ્રવ્યના નામે હોવાથી જૈન પૂજારીને એમાંથી પગાર આપવો ઉચિત નથી, જ્યારે આગળ જે જિનભક્તિ સાધારણ દ્રવ્ય બતાવાશે, તે સાધારણના નામે હોવાથી તેમાંથી જૈન પૂજારીને પણ પગાર આપી શકાય. વર્તમાનમાં ભલે
કેવદ્રવ્યનો ઉપયોગ -
Page #17
--------------------------------------------------------------------------
________________
કલ્પિત-દેવદ્રવ્યનો પ્રવાહ ઓછો થઈ ગયો હોય, તો પણ જ્યાં તે છે, તેનો જુદો પ્રકાર આ રીતે જ રખાય છે અને ઉપયોગ પણ એમ જ થઈ શકે છે.
ઉપરના વિવેચનથી એ સાબિત થાય છે કે પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબે સંબોધ પ્રકરણમાં બતાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકારોમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય સમાઈ જાય છે. પરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી બોલીનું દ્રવ્ય તે પૂજા-દેવદ્રવ્ય જ છે, જેનો ઉપયોગ જિનમંદિર નિર્માણઉદ્ધાર અથવા આભૂષણ આદિમાં થઈ શકે છે. બીજું એ સાબિત થાય છે કે ત્રણ પ્રકારના દેવદ્રવ્યમાંથી કોઈનો પણ ઉપયોગ સ્વકર્તવ્યરૂપ જિનપૂજા માટે કરવા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે બતાવ્યો નથી.
હવે કોઈ પૂછે કે દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નિર્માણમાં માન્ય રાખ્યો, તો તે જ દેવદ્રવ્યનો ઉપયોગ જિનપૂજામાં શા માટે નહિ? તો એનો જવાબ સરળ છે કે જિનમંદિર કે જિનપ્રતિમાજી જે ભક્તિનું આલંબન છે, તે બીજાના દ્રવ્યથી કે દેવદ્રવ્યમાંથી બનાવેલ હોઈ શકે. પણ ભક્તિની જે સામગ્રી છે, તે દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી ન લવાય. કારણ ભક્તિ પોતાના કર્તવ્યરૂપે કરવાની છે. જેમ જ્ઞાનદ્રવ્યની બાબતમાં પણ જ્ઞાન પ્રત્યેની ભક્તિથી આવેલ દ્રવ્ય તે જ્ઞાનદ્રવ્ય કહેવાય છે અને તેનો ઉપયોગ જ્ઞાનભંડાર કે જે જ્ઞાનની
દેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #18
--------------------------------------------------------------------------
________________
આરાધના માટે આલંબનરૂપ છે, તેને માટે થઈ શકે. પણ તેમાંથી શ્રાવક માટે જ્ઞાન ભણવાની સામગ્રી ન લાવી શકાય, પંડિતનો પગાર વગેરે ન આપી શકાય, તેવો જ ભેદ અહીં દેવદ્રવ્યના વિષયમાં છે.
હવે અન્ય શાસ્ત્રો પર દષ્ટિપાત કરતાં દ્રવ્યસપ્તતિકા નામના ગ્રંથમાં કહ્યું છે કે, ગૃહચત્યનું નૈવેદ્ય, અક્ષતાદિ દેવમંદિરમાં સંઘના દેરાસરે મૂકવું. જો એમ ન કરે તો ગૃહચૈત્યના દ્રવ્યથી જ ગૃહમૈત્યની પૂજા થઈ ગણાય, પણ સ્વદ્રવ્યથી નહિ, તેમજ અનાદર, અવજ્ઞા વગેરે દોષો પણ લાગે. એટલે ગૃહમંદિરના માલિકે તો સ્વદ્રવ્યથી જ ગૃહત્યમાં પૂજા કરવી એ સાબિત થઈ જ જાય છે. હવે ગૃહચૈત્યનું દ્રવ્ય જે સંઘના દેરાસરે મૂકવા કહ્યું છે, તે સંઘના દેરાસરમાં ગૃહચત્યના માલિકે પૂજાનું જે સ્વકર્તવ્ય અદા કરવાનું છે, તેના બદલામાં નહિ, પણ ગૃહચૈત્યમાં આવેલ દ્રવ્યના યોગ્ય વપરાશ માટે કહ્યું છે. કારણ આગળ જણાવ્યું જ છે કે “દેવગૃહે દેવપૂજાપિ સ્વદ્રવ્યર્થવ યથાશક્તિ કાર્યા” એટલે કે સંઘનાં મંદિરમાં દેવપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. આ વાત સર્વ શ્રાવકોને પણ લાગુ પડે છે, નહિ કે ફક્ત ગૃહમંદિરના માલિકને જ લાગુ પડે છે. જેને ગૃહમંદિર બનાવવાનું પોતાનું કાર્ય પણ કર્યું નથી, તેને વળી પૂજા સ્વદ્રવ્યથી નહિ ને પરદ્રવ્યથી કરવાની છૂટ શાસ્ત્ર આપી છે, એવું કેવી રીતે બોલાય ?
રાવ્યનો ઉપયોગ : શાસ્ત્રીય આધાર
Page #19
--------------------------------------------------------------------------
________________
આગળ વધીને નિર્ધન શ્રાવકોને પણ દેવદ્રવ્ય કે પરદ્રવ્યથી પૂજાની છૂટ ન આપતાં તેમને પોતાની કાયાનો ઉપયોગ ફુલની માળા ગુંથવા વગેરે કરવારૂપ જિનભક્તિમાં યોજવા દ્વારા લાભ લેવાનું વિધાન કર્યું છે.
કોઈ કહેશે કે નિર્ધનને આમ બાકાત કેમ રાખ્યા ? તો જવાબ છે કે, શાસ્ત્રકારોએ એમને પારકાના દ્રવ્યની અપેક્ષા રાખવી પડે, એટલી નીચેની કક્ષા સુધી ન ઉતારતાં એમના પર કરૂણા કરી છે અને એમને આરાધનાના બીજા ઉપાયો બતાવ્યા જ છે. બીજી રીતે જોતાં, પૂજા વગેરેની જે બોલી બોલાવાય છે, તેમાંથી પણ તે નિર્ધન વર્ગ બાકાત ક્યાં નથી રહી જતો ? પણ એમને માટે ધર્મના બીજા ઉપાયો ઉપલબ્ધ હોવાથી, દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી તો સ્વકર્તવ્યરૂપ પૂજા ન કરાય, એ વિધાનથી વિસ્મય પામવા જેવું નથી. વ્યવહારમાં પણ આપણે સ્વકર્તવ્યો
સ્વદ્રવ્યથી જ કરતા હોઈએ છીએ, તો ધર્મના ક્ષેત્રમાં જ્યાં સર્વ ધર્મકાર્યો યથાશક્તિ જ કરવાનાં કહ્યાં છે, ત્યાં દેવદ્રવ્ય કે પરદ્રવ્યની અપેક્ષા કેમ રખાય ? ' કોઈ કહેશે કે જેમ તપની બાબતમાં શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો આપણે જેમ નીચે ઉતરીએ છીએ, એમ પૂજાની બાબતમાં પણ જેની શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો તેને ભાવ લાવવા માટે દેવદ્રવ્યથી કે પરદ્રવ્યથી પૂજા કરવામાં શો વાંધો છે ? જવાબમાં કહી શકાય કે શક્તિ હોવા
૧૪.
કેટaવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #20
--------------------------------------------------------------------------
________________
છતાં જો ભાવના ન હોય, તો ય જિનાજ્ઞા વિરુદ્ધ નવકારશીથી નીચે તો આપણે જેમ ઉતરી નથી શકતા, તેમ અહીં પણ શક્તિ હોય છતાં ભાવના ન હોય, તો જેટલી ભાવના હોય તેટલું જ દ્રવ્ય વાપરી પૂજા કરવાનું વિધાન છે, પણ જિનાજ્ઞા વિરુદ્ધ દેવદ્રવ્યથી પૂજા કરવામાં તો નુકસાન જ છે. ભાવનાની વૃદ્ધિ માટે શાસ્ત્રોક્ત માર્ગોનું જ અનુસરણ કરવું યોગ્ય છે.
કોઈ કહેશે કે શક્તિ હોવા છતાં પણ આપણે બીજાએ કાઢેલ સંઘ આદિમાં ક્યાં નથી જતા ? આનો જવાબ એ છે કે, બીજાએ જે સંઘ કાઢ્યો છે, તે તેને સંઘ કાઢવાના સ્વકર્તવ્યરૂપે સ્વદ્રવ્યથી જ કાઢ્યો છે અને એમાં આપણે મુખ્યત્વે તેમના ભાવની અભિવૃદ્ધિ કરવા જોડાઈએ છીએ, તે જોડાવવું – પરસ્પર ભક્તિમાં ઉપયોગી થવું, એ ય આપણું કર્તવ્ય છે, એમ સમજી જોડાઈએ છીએ, નહિ કે પરદ્રવ્યથી ધર્મનો લાભ લેવા માટે જોડાઈએ છીએ. ત્યાં પણ જિનચૈત્યોમાં સ્વકર્તવ્યરૂપ દેવપૂજા વગેરે તો સ્વદ્રવ્યથી જ કરવાના છે.
કોઈ કહેશે કે દ્રવ્યસપ્તતિકા વગેરે અનેક ગ્રંથોમાં એવા ભાવના શ્લોકો છે કે “સતિ દેવાદિદ્રવ્ય પ્રત્યાં ચૈત્યાદિ સમારચન-મહાપૂજા-સત્કાર સન્માનવખંભાદિ સમ્ભવાતું” એટલે કે દેવદ્રવ્ય વગેરે હોય, તો નિત્ય ચૈત્ય સમારચન, મહાપૂજા, સત્કાર-સન્માનાદિને ટેકો મળવા સંભવિત બને. પણ આ વિધાનથી એ સાબિત નથી જ થતું કે, સ્વકર્તવ્યરૂપ પૂજ
કેવાવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #21
--------------------------------------------------------------------------
________________
વગેરે કાર્યો દેવદ્રવ્યથી થઈ શકે. કારણ અહીં ભાવાર્થ એ છે કે જુદા જુદા પ્રકારોનું દેવદ્રવ્ય હશે, તો તેથી તે તે પ્રકારના જિનભક્તિના કાર્યો થઈ શકશે, માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. અહીં દેવાદિદ્રવ્ય- દેવદ્રવ્ય વગેરે દ્રવ્ય – આવો શબ્દપ્રયોગ એમ સુચવે છે કે દેવદ્રવ્ય સિવાય બીજાં પણ દ્રવ્યો છે, એટલે બધાં જ કાર્યો દેવદ્રવ્યથી નથી કરવાનાં. બીજો અર્થ એમ પણ ફલીભૂત થાય છે કે, કદાચ આપત્તિ કાળે કોઈ જ બીજી સામગ્રી ઉપલબ્ધ ન રહી હોય તો દેવદ્રવ્યથી પણ ઉપરોક્ત બધાં કાર્યો થઈ શકે માટે તેની વૃદ્ધિ કરવી.
ઉપરનાં વિવેચનથી સ્પષ્ટ થાય છે કે, પરમાત્મા અપૂજ રહેતા હોય કે એવા કોઈ વિશિષ્ટ 'કારણે, બીજા સાધનના અભાવમાં દેવદ્રવ્યનો ઉપયોગ દેવ અપૂજ ન રહે તે માટે સંઘે દેવપૂજામાં કરવો પડે, પણ તેનો અર્થ સ્વકર્તવ્યરૂપ દેવપૂજા દેવદ્રવ્યમાંથી થઈ શકે એવો તો ન જ થાય.
કેટલાક સંઘોમાં દેવદ્રવ્યનો દુરૂપયોગ રોકવા પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીના ચડાવા બોલવામાં આવે છે અને તેમાંથી પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે. દેવદ્રવ્યનો દુરૂપયોગ રોકવાનો હેતુ હોવાથી આ પ્રથા અયોગ્ય નથી. આ સામગ્રીનો ઉપયોગ કરનારને દેવદ્રવ્યના ઉપભોગનો દોષ લાગતો નથી. પણ બીજી બાજુ સ્વદ્રવ્યથી પૂજાનો છેં લાભ થાય, તે તેને મળતો નથી.
૧૭
જૈવમ્રવ્યનો ઉપયોજ - શાસ્ત્રીય આધાર
Page #22
--------------------------------------------------------------------------
________________
આજના પ્રતિકૂળ સંજોગોમાં દરેક શ્રાવક માટે પોતાનું કેસર વગેરે લાવી પૂજા કરવાનું જ્યારે કઠિન બનતું ગયું, ત્યારે સંઘે જિનભક્તિ સાધારણ ખાતું ઊભું કર્યું અને તેમાંથી પૂજાની સામગ્રીની વ્યવસ્થા કરી. પણ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિએ પોતે વાપરેલ સામગ્રીના પ્રમાણમાં યથાયોગ્ય રકમ તે ખાતામાં જમા કરાવવી જ જોઈએ, એવો હેતુ હોવાથી સંઘે જિનભક્તિ સાધારણના નામે પરદ્રવ્યથી પૂજા કરવાની વ્યવસ્થા કરી છે, એવું ન કહી શકાય. બીજું પૂજા માટે વરખ, બાદલું, ચોખા, નૈવેદ્ય, ફળ, નાણું વગેરે વસ્તુઓ વિનામૂલ્ય આપવાની વ્યવસ્થા કોઈ પણ સંઘમાં દેખાતી નથી, એ વાત પણ સાબિત કરે છે કે, પૂજા સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે.
બધા વિવેચનનો સાર નીચે મુજબ છે : જ સંબોધ પ્રકરણમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ
સાહેબે બતાવેલ દેવદ્રવ્યના ત્રણ પ્રકાર અને તેનો ઉપયોગ અત્યંત સ્પષ્ટ છે. ત્રણ પ્રકારમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય સમાઈ જાય છે. છેપરમાત્માની ભક્તિને લક્ષ્યમાં રાખી બોલાતી પ્રતિષ્ઠાદિ
બોલીઓની રકમ પૂજારૂપે આવેલ પૂજા-દેવદ્રવ્ય જ છે, જેનો ઉપયોગ જિનમંદિર નિર્માણ-ઉદ્ધાર અથવા આભૂષણ
આદિમાં થઈ શકે. ક દેવદ્રવ્યના ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકાર એવો નથી કે
કેલાવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
• ૧૭
Page #23
--------------------------------------------------------------------------
________________
જેમાંથી સ્વકર્તવ્યરૂપ દેવપૂજા થઈ શકે.
દેવદ્રવ્યથી કે ૫૨દ્રવ્યથી સ્વકર્તવ્યરૂપ દેવપૂજાનું ક્યાંય વિધાન નથી. આજના કાળમાં સંઘે કરેલ જિનભક્તિ સાધારણની વ્યવસ્થા પણ સ્વદ્રવ્યથી પૂજા કરવાના વિધાનને ટેકો આપવા માટે છે.
* સ્વકર્તવ્યરૂપ પૂજા દેવદ્રવ્યથી ક૨વાથી અવજ્ઞા આદિ દોષો લાગે છે અને પરંપરાએ મહાઅનર્થનું કારણ બને છે.
♦ માટે ચાલી આવતી દેવદ્રવ્યના ઉપયોગ સંબંધી પ્રાચીન શાસ્ત્રીય પરંપરામાં શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ ફેરફાર કરવો ઉચિત નથી.
દેવદ્રવ્યનો શાસ્ત્ર વિરુદ્ધ ઉપયોગ ભયંકર સંસાર વધા૨ના૨ હોવાથી ભવભીરૂ આત્માઓ તટસ્થ ભાવે શાસ્ત્રના અર્થને સમજી લઈ પોતાના અહિતથી અટકે એ જ અભ્યર્થના. શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
૧૮
કેવટવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #24
--------------------------------------------------------------------------
________________
દેવ દ્રવ્યનો મહિમા
. (સ્રોત દર્શનશુદ્ધિ પ્રકરણ) भक्खेइ जो उवक्खेइ, जिणदव्वं तु सावओ । पन्नाहीणो भवे जो उ, लिप्पइ पावकम्मुणा ।।५४।।
જે શ્રાવક જાણકાર હોવા છતાં દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્ય નાશ પામતું હોય તો ઉપેક્ષા કરે છે, તથા જે બુદ્ધિહીન આત્મા દેવદ્રવ્યનો ખોટી રીતે વ્યય કરે છે; તે બન્નેયને અશુભ કર્મનો બંધ થાય છે. ૫૪
आयाणं जो भंजइ, पडिवन्नं धणं न देइ देवस्य । नस्संतं समुवेक्खइ, सो वि हु परिभमइ संसारे ।।५५ ।।
વળી, રાજા-અમાત્ય આદિએ જિનભક્તિમાં અર્પણ કરેલ ઘર, ખેતર વગેરે રૂ૫ ધનનો નાશ કરે છે, તથા પિતાદિ સ્વજનોએ વચન આપીને નિર્ણત કરેલ દેવના દ્રવ્યને આપતો નથી, અને બીજા લોકો દેવદ્રવ્યનો નાશ કરતા હોય તે જોવા છતાં તેની ઉપેક્ષા કરે છે, તે આત્મા પણ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. પપ
चेइयदव्वं साहारणं च, जो दुहइ मोहियमइओ । धम्मं व सो न जाणइ, अहवा वद्धाउओ नरए ।।५६।। તે જ પ્રમાણે દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધાર આદિ માટે એકત્રિત કરેલ સાધારણ દ્રવ્યનું જે આત્મા ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વશપ્રણીત ધર્મને જાણતો જ નથી. અથવા તેણે પૂર્વમાં દુર્ગતિનું
કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
Page #25
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય બાંધી લીધું છે, હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનો છે એમ નિશ્ચિત થાય છે. પકા
चेइयदव्वविणासे, तद्दव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ मणिओ ।।५७।।
દેવદ્રવ્યનો તથા જિનમંદિરમાં ઉપયોગી લાકડું, પથ્થર, માટી આદિ દ્રવ્યનો નાશ અનેક રીતે બે બે પ્રકારે થાય છે. આ રીતે તેનો નાશ થતો હોવા છતાં જે સાધુ તેની ઉપેક્ષા કરે, તે સાધુ પણ અનંત સંસારી થાય છે. ૫૭ નિપવળવુવિકર, માવા નાગવંસગુણા | " भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ।।५८ ।।
શ્રી અરીહંત પરમાત્માના શાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન, દર્શનાદિ આત્મિક ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારો આત્મા અનંત સંસારી થાય છે. ૫૮
जिणपवयणवुड्डिकरं, पभावगं नाणदसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ।।५९।। જિનપ્રવચનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાન-દર્શનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારો આત્મા અલ્પ સંસારી થાય છે. પ૯ जिणापवयणवुडिकरं, पभावगं नाणदंसणगुणाणं । वटुंतो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ।।६० ।। જિનશાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું મેળવે છે. ૬૦ पीकैलासरापस्सरि-ज्ञानमन्दिर
Page #26
--------------------------------------------------------------------------
________________ આર્ષ વાપી जिणदलं नाणदलं साहारणमाइ दलसंगहणं / / न करेइ जइ करेइ नो कुज्जा नियघणप्पसंगं // જ્યાં સુધી શ્રાવક દેવત્ર અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિ ન કરે ત્યાં સુધી પોતાના દ્રવ્યની વૃદ્ધિ ન કરે. एरा तित्थयरत्त पावइ तप्पण्णुओ महासको इय विहीविवरीओ जो सो दुल्लहबोहिआ हवइ ||2|| આ પ્રમાણે દેવ દ્રવ્યાદિની વૃદ્ધિ કરવાવાળો મહાન શ્રાવક તે પુણ્યથી તીર્થંકરપુણું પામે છે જ્યારે આ વિધિથી વિપરીત જે વર્તે છે તે દુર્લભ બોધિ બને છે. TRISHLA PRINTERS 8659527/8622844