SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંત દેવદ્રવ્યના ત્રણ પ્રકાર બતાવે છે, તો તે ત્રણ પ્રકારોમાં સર્વ પ્રકારનું દેવદ્રવ્ય આવી જવું જોઈએ, આ વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. (C) વિષયોના – તત્ત્વોના પ્રકારોનો ક્રમ પણ શાસ્ત્રમાં જે આપ્યો હોય છે, તે સહેતુક જ હોય છે. આ ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખી ઉપરના શ્લોકોનો અર્થ નીચે મુજબ ઘટાવવો જોઈએ. બીજું અન્ય શાસ્ત્રોના આધારે એ વાત પણ ખ્યાલમાં રાખવી જોઈએ કે, જિનપૂજા સ્વકર્તવ્યરૂપ છે અને તેથી તે સ્વદ્રવ્યથી જ કરવાની હોય છે. માટે અહીં બતાવેલ દેવદ્રવ્યનો કોઈપણ પ્રકાર એવો ન જ હોઈ શકે છે, જેમાંથી સ્વકર્તવ્યરૂપ જિનપૂજા થઈ શકે. આ વાત ઉપરના શ્લોકોના સાચા અર્થઘટનથી આગળ સાબિત પણ થશે જ. “ ૧. પૂજા-દેવદ્રવ્ય : પહેલા, પૂજા-દેવદ્રવ્યનો અર્થ સમજી લઈએ. અહીં દેવદ્રવ્યના ભેદોના સૂચક નામો સ્વરૂપ સૂચક જ છે, નહીં કે ઉપયોગ સૂચક. જેમકે પૂજાથી-ભક્તિથી આવેલ તે પૂજાદેવદ્રવ્ય. પૂજામાં વપરાઈને ફરી તે જ રૂપે વાપરવા માટે અયોગ્ય થયેલ તે નિર્માલ્ય-દેવદ્રવ્ય. પ્રત્યક્ષ પૂજાના નિર્દેશપૂર્વક અપાયું નથી, પણ જિનભક્તિ નિમિત્તનું હોય તે કલ્પિત કેવવ્યનો ઉપયોગ - શાસ્ત્રીય આધાર
SR No.005800
Book TitleDevdravyano Upayog Shastriya Aadhar
Original Sutra AuthorN/A
AuthorNaresh R Patrawala
PublisherNaresh R Patrawala
Publication Year1998
Total Pages26
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy