Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વીતરાગાય નમઃ
વગામી Eવ
ઉપગ
|
ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરોધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી
Page #2
--------------------------------------------------------------------------
________________
| સ્વ. પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો
નntપુર } { (Priી જ
इमण चव जुन्साहि किंतजुझणबसमा उद्यारिटंखलु दुल्लहं
आचारा अ-५उ.३ હ માણીઆ પળ આમાના સાથે યુદ્ધર બર્મ યુદ્ધ કરવા મતલબ
કુષ્ટ આ સ્મા ના સમાન , યોગેમ બીજી વસ્તુ કુલભભ.
in y{[u/s 2 w
જા જા જા (
onક મા કાકી
અપ્રાસ્તાગાન સાથે યુદ્ઘ વ્યા6vcની
no
જવાબ>FT કોઈ | નિકુલ પીસ કહેશો ? ઇમથે તેનામાં 1971શને એક '
- 9વનના નુકસાર જોક્સ જાધો , ધનંજય નાગરિક્ષિત नाणं संजमसार संजम सारे च निवाणं ।
નાવીના H-3.૨ સમસ્તલોડૅ (સંસાર)નો સાર ( સમછે સદ્ધર્મનો સાર જ્ઞાન છે રનના સાર સંયમ -સાવ છે સંયમ ચારિત્ર )નો સારે નવા (મો) છે
વરને ત્રસદ જ નારા પ મ ન જાવા મળી જ છે! ના બિલ ફી સાથે પાપ ( નો રૂકન : ધ બે વિકેટ પછી નળબા વીકનાં 7
હા જા જ કરી ને
S
C(@Rારાવલv>(t મા ઉરાલર આશ્વાસનાર ઉનાળ તારલાયા (
કુરૂનાબા વે ઇજા ના ચરણ I }14 નાનોબાજી
નથiટરી , 02691 મન ને કવિ ક દુઝનth a |ીલા પIBAU૪ કળો તેજ તો છે,
HE 71 kinકોરજી નથી કે
ની વાત ગામને ર૫ સુરતા નાણાં 7 થી કાળ કે ફી ચૂત મા બાપના વન તે હઠ 9ઇ જાને ના
Page #3
--------------------------------------------------------------------------
________________
КИТ2 101спе
elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line
The are were gta aena kate ene on the a nеете па kее
КУП2 101с
162172 PECINE KX12 Tele 112 22 lec112
та келе ала естлар коп дести ега
271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શા ની ચીર સ્મૃતિ તથા પણ દશાબ્દી વર્ષ ઉપલ
સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રદ
શ્રી વીતરાગાય નમઃ
ગોંડલ ગચ્છ જયવંત હો પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ
શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીસી ગરદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ સ્થવિર શશિત ઉપાંગ
શ્રી ઉપાંગ સૂત્ર શ્રી નિમ્યાવલિકા મૂત્રો કcણાવર્તાસકા, પુષ્પકા, યુધ્ધચૂલિકા, વૃશિદશા (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ)
: પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા.
સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા.
: પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ઃ શુભાશિષ :
* પ્રધાન સંપાદિકા ઃ મંગલમૂર્તિ પૂજ્યવરા
અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ.
= અનુવાદિકાઃ
પૂ. શ્રી લીલમબાઈ મ. પૂ. શ્રી કિરણબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા :
* સહ સંપાદિકા : ઉત્સાહધરા
ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.", પૂ. શ્રી ઉષાબાઈ મ.
: પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન
PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
Page #6
--------------------------------------------------------------------------
________________
: આગમ પ્રકાશન પ્રારંભ :
ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ. ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ
પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯
પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર
પ્રથમ આવૃત્તિ પ્રત પ્રકાશન તારીખ
: ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રત ઃ ૧૦૦૮ : આસોવદ અમાસ – વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન
શ્રી પરાગભાઈ શાહ શ્રી સુમતિભાઈ શાહ •
૧. મુંબઈ – પાસધામ વલ્લભબાગ લેન,
ગુરુ પ્રાણ પ્રકાશન
શ્રી શૈલેષભાઈ દેસાઈ - શ્રી બર્જીશભાઈ દેસાઈ
શ્રી ગિરીશભાઈ શાહ
શ્રી જિતેનભાઈ શાહ
પ્રાપ્તિ સ્થાન :
www.parasdham.org * www.jainaagam.org
ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
૩. રાજકોટ –
શેઠ ઉપાશ્રય
પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ,
કાલાવડ રોડ,રાજકોટ - ૩૬૦૦૦૫
ફોન - ૯૮૨૪૦૪૩૭૬૯
2. U. S. A. -
Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 ૪. વડોદરા –
શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૯૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯
મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮
Page #7
--------------------------------------------------------------------------
________________
.
સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ " શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ સ્વીકારો મમ દાદા ગુર, ઉપાંગ સૂત્ર અનુવાદલું નજરાણું. Guસમ્રાટ આશિષે કૃતજ્ઞભાવે, ઘરું લવ કરકમલમાં આ ભેટશું. ઓ શ્રદ્ધાતિલકમંડળ !અવિરત વાવો
અમ પરકૃપાપ્રસાદળું ઝરણું. યાવિત્ વંતિવાર રહેશે,
આ શતાબ્દીનું સંભારણું. સૌરાષ્ટ્રની ઘન્યવતી áશ પર જયાં
નિત્ય સાગર ઘુઘવી રહ્યો છે, તેવા વેરાવળના આંગણે જેઓનો જન્મ થયો,
ત્યાં જ વૈરાગ્યની પ્રાપ્તિ થઈ,
બડભાગી બગસરાની ભૂમિ ઉપર સંયમના સાજ સજી અગારમાંથી અણગાર બન્યા,
સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે વિચારી વીરવાણીતું પાછા જૈન જૈોતર સમાજ
કરાવનાર પરગુણ ઉદ્યોતક, એડવાના ઉદ્ઘોષક, છોટસરિતાવાહક એવા પરમ શ્રદ્ધેય પૂ. દાદા રતા કરકમલમાં
જન્મ શતાબ્દી પ્રસંગે ઉપાંગ સૂત્રના અgવાદનું જરાણું
શ્રદ્ધા ભકિતસભર ધ્યે સમર્પણ કરું છું. - પૂ. મુક્ત - લીલમ - ઉષા ગુરુણીના સુશિષ્યા
સાધ્વી કિરણ
Page #8
--------------------------------------------------------------------------
________________
તપ સમ્રાટ તપસ્વી ગુરુદવ પૂ
શીર્વ
રતિલાલજી મ. સા. ના
ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે,
તમે સહુ સાધ્વીવૃંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે.
મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાધ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં
ગૂંજતી કરે તેવા શુભાશિષ.
4
મુનિ રતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય,
રાજકોટ.
Page #9
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી જયંતમુનિ મ..
શરોમણિ પૂ. શ્રી.
ના સ્વહસ્તાક્ષરે
છે
.
ગોંડલ ગચ્છ જિ.
બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય –
नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ –
'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની
A
% ન ખેંn -
7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ!
તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ.
શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું.
તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર.
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ
સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.
પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ.
સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા
સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ.
સૂત્રનું નામ
અનુવાદિકા
શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર
પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ.
પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ.
Page #11
--------------------------------------------------------------------------
________________
* 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ
પ્રણામાંજલિ
જાગૃતતા આર્જવતા
સહિષ્ણુતા લધુતા
સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો
દાંતો
Gutheile
પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા
પ્રૌઢતા
કરુણતા ક્રાંતિકાર કતા
સેવાશીલતા સૌમ્યતા
આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા.
અકુતૂહલતી
નયુકતતી સામ્યતા
તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા
| ધર્મકલાધરતા
એકાંતપ્રિયતા શૂરવીરતા
રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા
- સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા
ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા
શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો
પવિત્રતા વિશાળતા દયાળુતા
સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા
સૌષ્ઠવતા
લાવણ્યતા સમયસતી
પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા
| પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા
ગંભીરતા કર્મનિષ્ઠતા
વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા
અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા
ચારિત્ર પરાયણતા વીરતા
ખમીરતા
વરિષ્ઠતા
દિવ્યતા
રોચકતા ઉપશમતા
શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પપ
(
ઉદી દરી
anna
વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક
ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત
- પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd-
aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર
F:
O)
મંગલ મનીષી મુનિવરો
શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા.
જદિન 0-00 000000ર3
૦
9 * =
૦
f
૦
9 90 9
$ $
૦
$ 6
છે.
-
VVVV
=
રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2:
૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ.
પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ.
પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ.
પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ.
પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ.
પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ.
પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ.
પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ.
૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ.
પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ.
પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ.
પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ.
પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ.
પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ.
પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ.
પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ.
પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ.
પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ.
પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ.
પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ.
પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ.
પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ.
પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ.
પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ.
પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ..
૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ.
પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ.
પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ.
૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ.
૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ.
૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ.
andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT
$ VVVVUUUUUUU
$ $ $ # #
$
UU
$
$ $
to જ
Page #13
--------------------------------------------------------------------------
________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી કિશોરભાઇ નંદલાલ શાહ.
“વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે” ગરીબ, દુઃખીના બેલી કિશોરભાઇ સાચા અર્થમાં વૈષ્ણવ છે. દશાશ્રીમાળી વૈષ્ણવ કુળમાં જન્મેલાં કિશારભાઇ, ભગવાનમાં શ્રદ્ધા રાખનાર આસ્તિક માનવ છે.
હાર્ડ વર્ક, જાત મહેનત અને પ્રબળ પુરુષાર્થથી મિનરલ પાવડરના ધંધાથી શરૂ કરેલી ધંધાકીય કારકિર્દી એવરેસ્ટ બિલ્ડરર્સ તરીકે તેઓએ પ્રસિદ્ધિની ટોચને હાંસલ કરી છે. તેઓ મૃદુભાષી અને બોલેલું કાર્ય પાર કરનાર છે.
તેઓ શ્રી નાઘેર સમાજના ટ્રસ્ટી છે. વૈષ્ણવ સંપ્રદાય સાઈ બાબા (ર્શડી) ના અનુયાયી છે. શ્રી જગજીવન બાપુ સેવાશ્રમ - શીમરના પરમ ભક્ત છે. જાયન્ટ ગ્રુપ ઓફ ઘાટકોપર સેન્ટ્રલના પાયાના પથ્થરરૂપ પ્રેસીડેન્ટ છે. પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. ના જ્ઞાનમય, પ્રકાશમય સાંનિધ્યે તેઓએ અધ્યાત્મની ઝાંકી અનુભવી છે. તેમના સમર્પિત ભક્ત બનીને રહ્યા છે.
તેમના ધર્મપત્ની શ્રી સર્યુબેન પણ ગુરુદેવ પ્રતિ અનન્ય શ્રદ્ધા ધરાવે છે. તેઓ સોશ્યલ વર્કર છે અને જાયન્ટ ગ્રુપ ઓફ ઘાટકોપરના પ્રેસીડેન્ટ છે. સુપુત્ર વિરલ અને નયનેશ પણ ગુરુદેવને સમર્પિત છે. સુપુત્રી ગ્રીષ્મા તેની મેરેજ લાઇફમાં સુખી છે અને બંને કુટુંબને ઉજ્જવળ કરી રહી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ના ૩૯ માં જન્મદિને, કોઇપણ કાર્ય માટેની પૂ. ગુરુદેવની પ્રેરણા કે આજ્ઞા શ્રેષ્ઠતાનું સર્જન કરશે તેવા ભાવને, ગુરુ ચરણે સમર્પિત કરતાં તેઓ આગમ પ્રકાશનના મૃતધાર બન્યા છે. તે માટે તેઓ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે.
ગપ્રાણ પ્રકાશન
PARASDHAM
Page #14
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સ્વાધ્યાય
સદ્વિવેક
તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ.
તીર્થંકરોની અનુપસ્થિતિમાં તીર્થંકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થંકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા.
પ્રતિદિન તીર્થંકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવ વંદન કરવા . ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું.
વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી.
૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે.
પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં.
૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં.
ઘરમાં સંડાસ – બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે.
માસિક ધર્મવાળા બહેનોએ શાસ્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી.
આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાલમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું.
8
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પુનઃ પ્રકાશનના બે બોલ પૂર્વ પ્રકાશનના બે બોલ
અભિગમ
સંપાદકીય
સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે
૩૨ અસ્વાધ્યાય
શાસ્ત્ર પ્રારંભ
(વર્ગ-૧ : નિરયાવલિકા
વર્ગ-૧, અધ્ય—૧ઃ કાલકુમાર
અધ્યયનસાર
રાજગૃહનગર,ઉદ્યાનાદિ
કાલકુમાર
કાલકુમારનું રથમુશળ સંગ્રામમાં ગમન
કાલીરાણીની ચિંતા
ભગવાનની દેશના;કાલીરાણીની જિજ્ઞાસા
કાલકુમારની ગતિ
કોણિકનું ચેલણાની કુક્ષિમાં આગમન ચેલણાનો દોહદ અને આર્તધ્યાન અભયકુમાર દ્વારા દોહદપૂર્તિ ગર્ભ પ્રતિ ચેલણા દેવીનો વિચાર રાજા શ્રેણિકની બાળક પર અનુકંપા રાજકુમારની વેદના અને નામકરણ રાજ્ય લોભે કોણિકનો કુવિચાર કાલકુમારાદિ ભાઈઓ દ્વારા સ્વીકૃતિ કોણિકનું પરિવર્તન
શ્રેણિકનો મતિભ્રમ અને આત્મહત્યા વેહલ્લકુમારની ક્રીડા
વિષયાનુક્રમણિકા
પૃષ્ટ
Ø ? o = ળે છે કે
25
37
46
૧
૪
८
૭o o o હૈં? 9 ન ન »
૧૫
૨૧
૧૫ વર્ગ-૩, અધ્ય.-૧ઃ ચંદ્રદેવ
૨૮
૩
વિષય
પદ્માવતિ રાણીની હઠથી હાર હાથીની માંગ વેહલ્લકુમારનું મનોમંથન, વૈશાલીગમન દૂતનું વૈશાલી ગમન
દૂત સત્કાર : ચેડારાજાનો ઉત્તર રોષયુક્ત દૂતનું ગમન અને યુદ્ધ ઘોષણા ચેડારાજાની ગણરાજાઓ સાથે મંત્રણા ચેડારાજા અને કોણિકનું યુદ્ધ કાલકુમારનું મૃત્યુ, નરકગમન કાલકુમારનું ભવિષ્ય
વર્ગ–૧, અધ્ય.—૨ થી ૧૦ સુકાલકુમારાદિ (વર્ગ-ર : કલ્પવતંસિકા
વર્ગ–૨, અધ્ય.—૧ઃ પદ્મકુમાર
9
અધ્યયન સાર
પદ્માવતીનું સ્વપ્નદર્શન, પદ્મકુમારનો જન્મ,દીક્ષા
પદ્મ અણગારની તપ-સંયમસાધના
પદ્મ અણગારનું ભાવી વર્ગ–૨, અધ્ય. ૨ થી ૧૦ મહાપદ્મકુમારાદિ (વર્ગ-૩ : પુષ્પિકા
અધ્યયન સાર
ચંદ્રદેવનું રાજગૃહમાં આગમન
ચંદ્રનો પૂર્વ ભવઃઅંગતિ ગાથાપતિ અંગતિ અણગારનો ચંદ્ર દેવ રૂપે જન્મ
ચંદ્ર દેવનું ભવિષ્ય વર્ગ–૩, અઘ્ય.—૨ ઃ સૂર્યદેવ
અધ્યયન સાર
સૂર્યદેવનું સમવસરણમાં આગમન વર્ગ-૩, અધ્ય.—૩ઃ શુક્રદેવ
અધ્યયન સાર
મહાશુક્રદેવનું પ્રભુદર્શને આગમન
પૃષ્ટ
*_*_*
૪૯
૫૧
૫૪
૫૭
૫૭
9 %
કર
૪
* * * * *
૭૭
૭૮
८०
૮૨
Page #16
--------------------------------------------------------------------------
________________
વિષય
કૃષ્ટ
વિષય ana
|
પૃષ્ટ
૧૩૨
८४
૧૩૭
૧૩૭ ૧૩૯
૧૪૧
૧૪૨
૧૦૦ ૧૦૩ ૧૦૫
૧૪૪
૧૦૬
૧૦૯
૧૪૭
૧૧૨
૧૫૦
શુક્રમહાગ્રહનો પૂર્વભવ–સોમિલ બ્રાહ્મણ સોમિલ બ્રાહ્મણ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર દષ્ટિ પરિવર્તન-મિથ્યાત્વની પ્રાપ્તિ સોમિલની દિશાપોષિક સાધના સોમિલનું મહાપ્રયાણ માટે પ્રસ્થાન દેવ દ્વારા સોમિલને પ્રતિબોધ સોમિલ દ્વારા પુનઃ શ્રાવકધર્મ ગ્રહણ સોમિલની શુક્ર મહાગ્રહમાં ઉત્પત્તિ શુક્ર મહાગ્રહનું ભવિષ્ય વર્ગ-૩, અધ્ય.-૪: બહુપુત્રિકા દેવી અધ્યયન સાર બહુપુત્રિકાદેવી પરિચય બહુપુત્રિકાદેવી–પૂર્વભવ સુભદ્રા સુભદ્રાને સંતાન પ્રાપ્તિની ઝંખના સુભદ્રાનું શ્રાવક વ્રત ગ્રહણ સુભદ્રાનો દીક્ષાનો સંકલ્પ સુભદ્રાની દીક્ષા વિધિ સુભદ્રાઆર્યાનો બાળકોમાં અનુરાગ સુભદ્રા આર્યાનો ગચ્છત્યાગ સુભદ્રાઆર્યાની સંલેખના, દેવગતિ બહુપુત્રિકા દેવીનો ભાવી ભવઃ સોમા સોમાનું રાષ્ટ્રકૂટ સાથે પાણિગ્રહણ બહુ સંતાનથી પીડિત સોમા સુવ્રતા આર્યાનું આગમન સોમાનું પરિવર્તનઃ ધર્મભાવ સોમાની પ્રવ્રજ્યા સોમાં આર્યાની દેવગતિ, મુક્તિ વર્ગ–૩, અધ્ય.–૫: પૂર્ણભદ્રદેવ અધ્યયન સાર પૂર્ણભદ્રદેવનું નાટયપ્રદર્શન પૂર્ણભદ્રદેવનો પૂર્વભવ–પૂર્ણભદ્ર ગાથાપતિ પૂર્ણભદ્ર અણગારની સાધના પૂર્ણભદ્રનું ભવિષ્ય વર્ગ–૩, અધ્ય. ૬થી ૧૦
મણિભદ્ર દેવના પૂર્વ–પશ્વાદું ભવ (વર્ગ- ૪ : પુષ્પચૂલિકા ) અધ્યયન સાર વર્ગ-૪, અધ્ય.-૧ઃ શ્રી દેવી શ્રીદેવીનું દર્શનાર્થે આગમન શ્રીદેવીનો પૂર્વભવ:ભૂતા ભૂતાનું પ્રવ્રજ્યા ગ્રહણ ભૂતા સાધ્વીની સંયમમા બકુશતા ભૂતા સાધ્વીનું મૃત્યુ અને ભવિષ્ય વર્ગ-૪, અધ્ય.-૨થી ૧૦ હી દેવી આદિ વર્ગ-પ : વૃષ્ણિદશા ) અધ્યયન સાર વર્ગ-૫, અધ્ય.-૧:નિષધકુમાર અધ્યયન પ્રારંભ અરિહંત અરિષ્ટનેમિનું આગમન નિષધકુમારનું દર્શનાર્થ ગમન નિષધકુમારનો પૂર્વભવ-વીરાંગદકુમાર સિદ્ધર્વાચાર્ય પાસે દીક્ષા ગ્રહણ વીરાંગદની પાંચમા દેવલોકની ઉત્પત્તિ વીરાંગદદેવનો નિષધકુમારરૂપે જન્મ નિષધકુમારની દીક્ષા, આરાધના નિષધકુમાર અણગારની મુક્તિ શેષ અગિયાર અધ્યયન પરિશિષ્ટ-૧ સૂત્રગત કથાનાયકોનું વિવરણ પરિશિષ્ટ-૨ આગમમાં વર્ણિત વિશેષ નામ પરિશિષ્ટ-૩ વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા પરિશિષ્ટ-૪ બૌદ્ધસાહિત્યમાં વૈશાલીનાશનો પ્રસંગ
૧૫રે
૧૫૩
૧૫૪
૧૫૪
૧૫૫
૧૫૭
૧૫૯
૧૨૯ ૧૩૦
૧૩૧
૧૭
Page #17
--------------------------------------------------------------------------
________________
ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર
પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન
નામ
: : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ
: વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ
: માંગરોળ. પિતાશ્રી
: ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી
? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત
: માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને
પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની
: ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર
: વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ
: પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ,
ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના
: અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ
નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો
અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના
રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ
આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા,
સમયસૂચકતા વગેરે..
ન
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રમુખશિષ્ય
: આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા
: પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી
માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન
? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ
સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે
માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર
: કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ,
પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં
ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ
? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ. ઉત્તરાધિકારી
: આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ
: ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા
: ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ
પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
12
.
Page #19
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.
જીવન દર્શન
શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ
વેરાવળ. પિતા
શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા
સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ
વિસા ઓસવાળ. જન્મદિન
વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની
ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર
૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર.
તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ
બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા
ગોંડલ ગચ્છ. સંયમદાતા
મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા
પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય,
વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ
અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ
ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા.
ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા
વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧
Page #20
--------------------------------------------------------------------------
________________
સમાજોત્કર્ષ
જ્ઞાન પ્રસાર
દેહ વૈભવ
આવ્યંતર વૈભવ
વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ
ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે.
સ્વહસ્તે દીક્ષિત પરિવાર
અંતિમ ચાતુર્માસ, દેહ વિલય
અંતિમ વિધિ શિષ્ય પરિવાર
14
Page #21
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું
- જીવન દર્શન
શુભ નામ
જન્મસ્થાન
જન્મદિન
પિતા
માતા
વૈરાગ્ય ભાવ
દીક્ષા ગુરુદેવ
રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ.
ગચ્છ પરંપરા
અભ્યાસ યોગ
સાધના યોગ
સેવાયોગ તપયોગ
|
15T
Page #22
--------------------------------------------------------------------------
________________
મૌનયોગ
દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨
નવેમ્બરથી આજીવન મૌન આરાધના. પુણ્ય પ્રભાવ
ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને છે
ભાવની વૃદ્ધિ થઈ છે. . વિહાર ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ જ્ઞાન અનુમોદન શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦
વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ
સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. દીક્ષા પ્રદાનસંખ્યા ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. આચરિત સૂત્રો જતું કરવું, ગમ ખાવો, વાદ-વિવાદ કે દલીલ ન કરવા, જે
થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કેનિંદા ન કરવી. જીવંત ગુણો વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા,
સમાધાન વૃત્તિ, જ્ઞાનચ. અનશન પ્રત્યાખ્યાન ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને
૫૯ દિવસની અનશન આરાધના કરાવી. અંતિમ ચાતુર્માસ રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ
સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) મહાપ્રયાણ
રાજકોટ, તા. ૮-૨-૧૯૯૮ મહા સુદ ૧૧ રવિવાર
મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. અંતિમ દર્શન તથા પાલખી શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. અંતિમક્રિયા સ્થાન 'તપસમ્રાટ તીર્થધામ',
રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ.
16
Page #23
--------------------------------------------------------------------------
________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરુદેવની દીર્ઘદષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ ‘પારસધામ’ ના ઉપક્રમે પ્રગટ કરવી છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ.
અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દર્શનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહયોગ આપીને અમારું કાર્ય વેગવાન બનાવેલ છે.
અમે તે સર્વના આભારી છીએ.
અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહયોગી બને એ જ ભાવના.
શ્રી ગુરુપ્રાણ પ્રકાશન -
-
PARASDHAM
વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭
ફોન - ૩૨૦૪ ૩૨૩૨.
18
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ્રકાશકના બે બોલા
(પહેલી આવૃત્તિ)
અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે.
આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું.
આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી.
રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા.
Page #26
--------------------------------------------------------------------------
________________
નેટ
C
આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ.
વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ.
શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ.
આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે.
જય જિનેન્દ્ર
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર)
શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી)
શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી)
Page #27
--------------------------------------------------------------------------
________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
ઉપાંગ શાસ્ત્રની તત્ત્વભૂમિ
--
નિરયાવલિકાદિ પાંચ શાસ્ત્રો રૂપે પ્રસિદ્ધ પાંચ વર્ગાત્મક આ ઉપાંગસૂત્ર વાંચતા મનમાં આહ્લાદક ભાવ તો જન્મે જ છે, સાથે સાથે ધર્મકથાનો પણ બોધ થાય છે. તે સમયની ધર્મકથાઓ કહેવાની શૈલી પણ મન પર અંકિત થાય તેવી હોય છે. શાસ્ત્રકારે સ્વયં મહાવીર ભગવાનના શ્રીમુખથી ગૌતમ સ્વામીના પ્રશ્નોના ઉત્તર રૂપે બધી કથાઓનો ભાવ પ્રવાહિત કરેલો છે. ગૌતમ સ્વામી ભગવાનની સામે જાણે કે એક નાનું બાળક હોય એ રીતે કુતૂહલ—જિજ્ઞાસા ભાવે, ચૌદ પૂર્વના ધારક ગણધર ભગવાન સાદા પ્રશ્નો કરે ત્યારે મનમાં પ્રીતિભાવ જન્મે છે અને ભગવાનનો તથા ગણધરનો આપસી સંવાદ કેવો મધુરો લાગે છે, તે અધ્યયન કરનારને જરૂર અનુભવ થાય છે.
AB
આ શાસ્ત્ર વિષે ઘણું લખી શકાય તથા કહી શકાય તેવું છે. પ્રથમ નિરયાવલિકા વર્ગના ઐતિહાસિક યુદ્ધનો સંપુટ રૂંવાડા ઊભા કરી શકે તેવો હૃદયવિદારક ભાવવાહી છે. અત્યાર સુધી પૂરા ભારતમાં મહાભારતના યુદ્ધને જ લોકો મહાયુદ્ધ તરીકે જાણે છે પરંતુ વૈશાલી અને ચંપાપુરીના આ મહાયુદ્ધને જાણે પડળ ચડી ગયા હોય, તેમ શાસ્ત્રના પાનાઓમાં દબાયેલું જ છોડી દેવામાં આવ્યું છે. સાક્ષાત્ વૈશાલીના યુદ્ધનું વિશદ વર્ણન શાસ્ત્રના પાનાઓમાં ભરેલું છે. નવ લિચ્છવી અને નવ મલ્લવી એ અઢાર રાજાઓના ગણતંત્ર અને તેના નેતા તરીકે વૈશાલીના મહારાજા ચેડા નેતૃત્વ લઈને રણમોરચે આવ્યા. વિપક્ષમાં રાજગૃહીની સેનાઓથી સુસજ્જિત, થયેલ મૂળ રાજગૃહીનો રાજા કૂણિક, જેણે પાછળથી ચંપાપુરીને રાજધાની બનાવી, ત્યાંનો રાજા બન્યો હતો, એક વિશાળ સેનાને સંગઠિત–એકત્રિત કરી, પોતાના સગા ભાઈઓને તથા ઓરમાન ભાઈઓને લડાઈનું સૂત્ર સુપરત કરી, બહુ જ વિશાળ સાગર જેવી સેના લઈને આવ્યો અને અંતે વૈશાલી ઉપર આક્રમણ કરી, વૈશાલીનો વિનાશ કર્યો. એ આખું રોમાંચક વર્ણન નિરયાવલિકા નામના પ્રથમ વર્ગનું પ્રથમ અધ્યયન પૂરું પાડે છે.
આપણે અહીં શાસ્ત્રની મૂળ વાતને યથાતથ્ય નમુના રૂપે રજુ કરશું. સમળે
21
Page #28
--------------------------------------------------------------------------
________________
ભાવે મહાવીરે ઋત્તિ વિ પર્વ વીતી અહીંથી શાસ્ત્રની લગભગ દશ, પંક્તિઓનો ક્રમશઃ ગુજરાતી અનુવાદ કરશું, જેથી યુદ્ધની ઘટના પ્રત્યક્ષ થાય.
'હે કાલીદેવી ! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીઓની સેનાથી સજ્જ થયેલો, કૂણિક રાજાની સાથે રથમુશલ નામના સંગ્રામમાં સંગ્રામ કરતો, શત્રુદલના વિરોને આહત, મથિત અને ઘાત કરતો, તેઓની સંકેત સૂચક ધજાઓને ભૂમિસાત કરતો, દિશાઓને અંધકારમય કરતો, પોતાના રથથી ચેડા રાજાના રથની સામે આવ્યો. ત્યાર બાદ તે વૈશાલી નરેશ મહારાજા ચેડાએ કાલ કુમારને પોતાની સામે આવતો જોયો, જોઈને એકદમ ક્રોધથી ભભૂકી ઉઠ્યા, પગની એડીથી માથાની ચોટી સુધી રુષ્ટ થયેલા ચેડા રાજા કંપાયમાન થઈ ગયા. તેઓ ક્રોધથી આંખો પટપટાવવા લાગ્યા અને હુંકારો કરી પોતાના ધનુષ્યને ગ્રહણ કર્યું અને તીરને પણ નિશાન ઉપર ઠીક કર્યું, ચોક્કસ કેન્દ્રબિંદુ ઉપર નજર સ્થિર કરી, ધનુષ્યને તીર ચડાવી, કાન સુધી ખેંચ્યું, ને સડસડાટ કરતું કાલકુમાર ઉપર તીર છોડ્યું. એક જ નિશાને કાલકુમારને આહત કરી, રક્તરંજિત કરી, જમીનદોસ્ત કરી, જીવનથી મુક્ત કરી તેની જીવનલીલા સમાપ્ત કરી દીધી.' આ પ્રમાણે યુદ્ધ વર્ણન કરી ભગવાને કાલીરાણીને કહ્યું- હે કાલીરાણી ! કાલકુમાર યુદ્ધમાં મરી ગયો છે, માટે હવે ફરીથી તું તારા પુત્રને જીવિત જોઈ શકીશ નહીં.
આ વર્ણનથી પાઠક સમજી શકે છે કે યુદ્ધનું કેટલું બીભત્સ કડીબદ્ધ વર્ણન છે. મોરચે આવેલા રાજાઓ કેટલું યુદ્ધ કૌશલ્ય બતાવે છે. જેનધર્મનું પાલન કરતા હોવા છતાં ચેડા રાજા યુદ્ધને મોરચે પોતાના કર્તવ્યથી ટ્યુત થયા નથી. ભગવદ્ ગીતામાં અર્જુન યુદ્ધને મોરચે કાયરતાની વાત કરે છે અથવા ધર્મ-અધર્મની વાત કરી પાપથી બચવા માંગે છે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન તેમને કર્તવ્યનું ભાન કરાવે છે. યુદ્ધનો પણ એક નિરાળો ધર્મ છે.
| નિરયાવલિકાની જેમ બાકીના ચાર વર્ગ (૧) પૂર્વાસિ (૨) પુષ્ય (૩) પુષ્પવૃત્તિથી (૪) વદિશા છે. કથાનું મુખ્ય આધાર ક્ષેત્ર 'રાજગૃહી' તથા 'દ્વારિકા' છે. આમેય રાજગૃહી અને દ્વારિકાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અપાણી છે. એક પછી એક લગાતાર અધ્યયનો દ્વારિકા તથા રાજગૃહી સાથે જોડાયેલા છે. સાથે સાથે કેટલીક વિલક્ષણ કથાઓ પણ જોડવામાં આવી છે. આ બધી કથાઓના આધારે જૈનશાસ્ત્રોનો એક મુખ્ય સિદ્ધાંત અથવા દીર્ધદષ્ટિ, દષ્ટિગોચર થાય છે. સાધારણતયા
35 22,
Page #29
--------------------------------------------------------------------------
________________
જીવને પતિત માની તેની દુર્ગતિ થઈ, ત્યાં સુધીનો ઉલ્લેખ જગતનાં સામાન્ય ગ્રંથોમાં જોવામાં આવે છે. જ્યારે જૈનશાસ્ત્રની કથાઓમાં આવા પતિત જીવોને નરકના દુઃખો ભોગવ્યા પછી પુનઃ તેનામાં ધર્મનો અભ્યદય થાય છે અને તે જન્મ મૃત્યુના ચક્રમાં ઘણા ગોથા ખાધા પછી પણ આખરે મોક્ષગામી બને, ત્યાં સુધીનું વર્ણન મળે છે.
આ શાસ્ત્રમાં આચારહીન થયેલી સાધ્વીઓના ચરિત્રનું હુબહુ વર્ણન છે. તેમની ઉપભોગ પ્રત્યેની દબાયેલી મહેચ્છાઓ સાધુજીવન સ્વીકાર્યા પછી પુનઃ પ્રગટ થઈ છે અને તેઓ ગુણીનો કે પોતાના સમુદાયનો ત્યાગ કરી સ્વચ્છેદ વિહારી બની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પોતાની તપસ્યા સંબંધી નિષ્ઠા અને ત્યાગ માર્ગને ન છોડવાથી દેવગતિને પામી અને ત્યાં પણ પોતાની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ કરી પુનઃ માનવજીવનમાં આવી ધર્મનું અવલંબન લઈ ત્યાગના પ્રભાવે મોક્ષગતિને પામે છે. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે વિકતિ અને વિભાવોની લડાઈમાં ઘણી વખત જીવ પરાજય પામે છે પરંતુ તે આત્મા સર્વથા નિંદનીય નથી, વિભાવો નિંદનીય છે કે જેના પ્રભાવે જીવ દુઃખ પામે છે. પરંતુ "જીવ તો જીવ જ છે"વિભાવોથી મુક્ત થતાં તે પોતાના દિવ્ય સ્વરૂપને પુનઃ પ્રગટ કરે છે.
જૈન ધર્મમાં જીવની આ દીર્ઘકાલીન યાત્રાનું વર્ણન કરી, તત્ત્વદષ્ટિ અપનાવી, ઉપદેશ આપવાની શૈલી મૂળભૂત છે. જૈન તીર્થકરો કે જેને મહર્ષિઓ અથવા જૈન શાસ્ત્રો સમગ્ર માનવજીવન કે સમગ્ર જીવરાશિ પ્રત્યે બહુ જ ઉદાર અને ઉત્તમ દષ્ટિ ધરાવે છે. તે જીવના કલ્યાણની સાંગોપાંગ આશાનો ક્યારે ય પરિત્યાગ કરતા નથી, કિંતુ તેઓ દ્વારા એક અદ્ભુત કલ્યાણની આશાનું કેન્દ્રબિંદુ સ્થાપિત કરી જીવનું તમામ ચરિત્ર તે કલ્યાણમયી કેન્દ્રબિંદુ તરફ ઢળે, એ રીતે કથાચરિત્રોનું સદાય લક્ષ રાખવામાં આવ્યું છે. સાતમી નરકમાં સબડતો જીવ પણ છેવટે સર્વાર્થસિદ્ધવિમાનનાં ચરમ સખોનો ઉપભોગ કરી, સુખાતીત દશા–મોક્ષને પ્રાપ્ત કરે છે. જૈનધર્મની દ્રવ્ય દષ્ટિ એટલી સચોટ છે કે ખંડ ખંડ થતી સુખ દુઃખાત્મક પર્યાય દષ્ટિને પરિહરી તે શાશ્વત દ્રવ્યમાં જ શુદ્ધ ઉપયોગની સ્થાપના કરે છે.
આ સૂત્રના બહુપુત્રિકા અધ્યયનમાં ઉપરનું વિવેચન સાંગોપાંગ જોવા મળે છે. સાથે સાથે સંસ્કારોની પ્રબળતા અને અતૃપ્ત ભાવનાઓનું પ્રતિક્રિયાત્મક રૂપ તે અધ્યયનમાં દેવભવ રૂપે પણ જોઈ શકાય છે. બીજા પણ કેટલાક અધ્યયનો છે જેમાં વર્ણિત સાધકો સંપૂર્ણ નિર્દોષભાવે સાધના કરી સદ્ગતિ પામ્યા છે.
C 23 ON :
Page #30
--------------------------------------------------------------------------
________________
- ટૂંકમાં અમારે એ જ કહેવાનું છે કે આ શાસ્ત્ર વર્ણનોનું ચિંતન મનન કરતાં જૈન સમાજે ખૂબ જ ઉદાર દષ્ટિકોણ કેળવવો જોઈએ. શાસ્ત્રોમાં કદમ કદમ ઉપર ઉદાર દષ્ટિકોણનું જ દર્શન થાય છે. છતાં પણ વર્તમાનમાં કેટલાક "કટ્ટરપંથીઓ" પોતે જૈનધર્મના કે જૈન ઉપાસનાના મોટા ઠેકેદાર હોય તેવી રીતે કટ્ટરતાનું પ્રદર્શન કરી એકબીજા સંપ્રદાયો માટે કે સાધકો માટે હલકા શબ્દોનો પ્રયોગ કરી, હલકા દષ્ટિકોણનું પ્રસારણ કરી, વસ્તુતઃ તેઓ જૈન શાસ્ત્રને તથા જૈન સંસ્કૃતિને જ હાનિ પહોંચાડે છે. શાસ્ત્રોની મૂળ વાતો તો ગ્રંથકાર તથા સંપાદક મંડળ સ્વયં વિવેચન સાથે પ્રગટ કરશે એટલે અહીં સામાન્ય અભિપ્રાય માત્ર પ્રગટ કર્યો છે.
આગમમનીષી પૂ.ત્રિલોકમુનિ મ.સા. અને અમારા ગોંડલ ગચ્છના મુક્તમણી જેવા મહાસતીજીઓએ જે અથાગ પ્રયાસ શરૂ કર્યો છે અને મૂળ શાસ્ત્રોની સ્પર્શના કરી, ગુજરાતી ભાષામાં ભાવાત્મક અનુવાદ કરી, જૈન સમાજને જે લાભ આપવાની શરૂઆત કરી છે, તેનું વર્ણન અવર્ણનીય છે. સંત સતીજીઓના આ પ્રયાસ અને પરિશ્રમ સામે નતમસ્તક થઈ જવાય છે. શ્રુત સાધના, એ સાધુ જીવનનો મુખ્ય સ્તંભ છે. જેનું નિર્માણ આ કઠિનકાલમાં શરૂ થયું છે તે વસ્તુતઃ બેજોડ કાર્ય છે.
સાધુ-સાધ્વીજીઓ ! આજના યુગમાં આપ સહુએ સંગઠિત થઈ, રાજકોટ જેવા જૈનકેન્દ્રથી અને રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘનો આલંબન લઈ, તેના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના કુશલ સંરક્ષણમાં સંપૂર્ણ સમાજને નિર્મળ સ્નાન કરાવી શકે તેવી શ્રુતગંગા પ્રવાહિત કરી છે. તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. આ શાસ્ત્રોમાં ગોંડલ- ગચ્છનું સંચિત પડેલું શ્રુત જવાહિર ઝળકવા માંડ્યું છે. બધા શાસ્ત્રો પ્રગટ થયા પછી આગામી કાળમાં આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે. ઈતિહાસનાં પૃષ્ઠો પર તેનું મૂલ્યાંકન અંકિત થશે ત્યારે આપની તપસ્યા અને આ શ્રુત સાધના લાખો લાખ જીવોના કલ્યાણનું નિમિત્ત બનશે.
અંતે આ આગમશ્રેણીનું પ્રકાશન વિસ્તાર પામતું રહે અને સૌના ઉત્તમ ક્ષયોપશમનું પ્રતિબિંબ આગમ સરોવરમાં ઝળકતું રહે તથા આ પ્રકાશન સર્વવિશ્વવ્યાપી બની રહે તેવી અંતરની ઊર્મિ સાથે આનંદ મંગલમ્..
જયંત મુનિ પેટરબાર
Page #31
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
બોધિ બીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી, "મુક્ત લીલમ" તણા તારક થયા, ગુરુપ્રાણ, "ઉજમ ફૂલ અંબા" ગુરુણીવર્યાને, વંદન કરું ભાવ ભર્યા. સંપાદન કાર્ય કરવામા કૃપા વરસાવી, શ્રુતજ્ઞાન બળ પૂરજો, ભાવ પ્રાણ પ્રકાશ કરવામાં, મમ અંતરયામી સદા બની રહેજો. સ્વાનુભૂતિ કરવાના જિજ્ઞાસુ વાચક ગણ !
જ્ઞાયકના જ્ઞાનેશ્વરી; પરમદષ્ટિના પારમેશ્વરી; ભેદ જ્ઞાનના અજોડ દાનેશ્વરી; અનંત જ્ઞાની, અનંત દર્શની એવા શ્રી વીતરાગ પરમાત્માની દિવ્ય દેશનાના ઝીલનારા, શ્રુત જ્ઞાનના પારગામી એવા શ્રી ગણધર રચિત પરમાગમ દ્વાદશાંગીની પુષ્ટિ કરતું; સ્થવિર ભગવંતોએ પામર જીવોને પરમાર્થ માર્ગમાં લઈ જવા માટે રચેલું; શ્રી ઉપાંગ સૂત્ર–નિરયાવલિકાદિ પંચક વર્ગ સંપુટનો ગુજરાતી અનુવાદ દેવ, ગુરુ, ધર્મ પસાયે, પંચ પરમેષ્ઠિના મંગલ સ્મરણના નિર્મળ શ્રદ્ધા બળે અને શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ૨૬૦૦મા અવતરણ અભિષેક અવસરે ગુરુ, ગુરુણી દેવોના કૃપા બળે, ગોંડલ ગચ્છ શિરોમણી જયંત ગુરુવર્યના પ્રેરક અનુગ્રહ બળે, તેમની જ નેશ્રા અનુજ્ઞા બળે, આપ સમક્ષ પ્રગટ કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત ઉપાંગસૂત્ર સંપુટમાં ધર્મકથાનુયોગની ખુશ્બ મઘમઘે છે. તદાકાલે સાક્ષાત્ ચોવીસમાં ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પાસે ભક્તિ કરવા દેવો તથા દેવીઓ આવે છે. પ્રભુના દર્શન કરીને, પોતાની ઋદ્ધિનું દર્શન કરાવી રવાના થાય છે. ત્યારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે. ભગવન્ ! એ કોણ હતા ? અને એમનો મોક્ષ કયારે થશે ? છકાય જીવોના રક્ષક અણગાર, શીઘ્ર સ્વ–પરના બંધન તૂટે અને મોક્ષ મળે તેવી ભાવનાથી ભરેલ, ભક્તિ સભર હૃદયવાળા, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધારક, ઈન્દ્રભૂતિ અણગાર ગણધર ગૌતમ સ્વામી નાભિના અવાજથી આવો પ્રશ્ન પૂછે છે ત્યારે....
તેના જવાબમાં કર્મની વિચિત્રતા ભરેલું, મોહ સામ્રાજ્યના સમ્રાટ રાગકેસરી રાજાના કેદી થયેલા, દ્વેષ યુવરાજના હાથથી બંધાયેલા, બાવન આત્મામાંથી કેટલાક આત્માઓનું રોમાંચક કથાનક ભગવાન સ્વયં શ્રીમુખેથી કહે છે. તો કેટલાક આત્માઓનું
25
Page #32
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્યપૂર્વક ગ્રહણ કરેલ સંયમી જીવન પણ કહે છે. તે ધર્મકથાઓ આ ઉપાંગ સંપુટમાં સ્થવિર ભગવંતોએ ભરેલ છે.
આ ઉપાંગ શાસ્ત્રના પાંચ વર્ગ છે. પ્રથમ વર્ગ નિરયાવલિકા, બીજો વર્ગ કલ્પાવંતસિકા, ત્રીજો વર્ગ પુષ્પિકા, ચોથો વર્ગ પુષ્પચૂલિકા, પાંચમો વર્ગ વૃષ્ણિ દશા.
પહેલો વર્ગ નિરયાવલિકા હોવાથી આ ઉપાંગ સૂત્રનું નામ નિરયાવલિકા રૂપે પ્રચલિત થયું છે. તે નિરયાવલિકા પદ બે શબ્દથી બને છે. નિરય+આવલિકા. નિરયનો અર્થ છે નરક, આવલિકાનો અર્થ છે પંક્તિ પૂર્ણ અર્થ થાય છે– નરકમાં જનારા જીવોનું પંક્તિબદ્ધ વર્ણન. જીવો પાપ કેમ બાંધે છે? મનુષ્યભવ હારી જઈને અધોલોકમાં દસ પ્રકારની વેદના ભોગવવા માટે જીવોને નારકી કેમ થવું પડે છે? તેની વાત શાસ્ત્રકાર પ્રથમ કરે છે. પ્રથમ, દ્વિતીય વર્ગ ઃ નિરયાવલિકા, કલ્પવતસિકા :
તે પહેલા વર્ગનાં દસ અધ્યયનોનું આપણે ઊંડાણપૂર્વક અવલોકન કરતાં નિરીક્ષણ કરશં. આ જીવ, અનાદિકાળથી મિથ્યાત્વ. અવત. પ્રમાદ, કષાય અને યોગથી અનુજ
ત થઈ; કર્મધારી હોવાથી જડ નથી છતાં એ જડ જેવો બની ગયો છે. રાગ કેસરી રાજાના રાજ્યમાં રહેવાથી તેના બંધનમાં બંધનગ્રસ્ત હોવાથી, તેનો જ મહાવરો હોવાથી તેવા સંસ્કારથી વાસિત થઈ ગયો છે. તે છે તો આત્મા, પરમ પરિણામિક ભાવથી ભરેલો, પરંતુ તેણે ભાવ ચેતનાનો વિકાસ ન કરતાં કર્મચેતનાનો વિકાસ કર્યો છે, તે પણ શુદ્ધ પારિણામિક ભાવની એક અશુદ્ધ-વૈભાવિક અવસ્થા છે. જીવ દ્રવ્ય નિત્ય હોવા છતાં પર્યાયે અનિત્ય છે. તે પણ બે રીતે વિભાજિત થાય છે– શુભ અને અશુભ. શુભ કર્મના સંયોગથી સારી વૃત્તિના પરિણામ હોય ત્યારે શુભ નિમિત્તનો સંયોગ પ્રાપ્ત થતાં શુભકર્મ બંધાય છે અને અશુભ કર્મના ઉદયથી નરસી વૃતિના પરિણામે હોય ત્યારે અશુભ સંયોગનું નિમિત્ત મળતા અશુભ કર્મ બંધાય છે. તે કર્મબંધની સ્થિતિ પરિપક્વ થતાં, તેનાં ફળો ઉદિત થાય છે. તેમાંથી કર્મ પ્રમાણે જીવના અધ્યવસાય આંદોલિત થાય છે. તે જીવની સામે જેવા નિમિત્તથી જેવું જીવાજીવની સાથે બાંધેલું કર્મ હોય તેવું હાજર થાય છે. તેના આશ્રયે રહીને, જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જઈને નવા કર્મ ઉપાર્જન કરે છે. વૃત્તિ પાપમય હોય ત્યારે તેનું પોષણ કરનાર વ્યક્તિ કે વસ્તુ ઉપસ્થિત થઈ જાય છે. તેની સહાયથી આ ભવમાં, પરભવમાં કે ભવોભવમાં જીવ જૂના કર્મ સાથે નવા કર્મનો બંધ પાડે છે. આ છે જીવની અનાદિકાળની દયનીય સ્થિતિ. તે
Page #33
--------------------------------------------------------------------------
________________
સ્થિતિનો પૂર્ણ ચિતાર આ અધ્યયનમાં જોવા મળે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિવરના સમાગમે બોધ પામ્યા હતા. ત્યાર પછી તેને ભગવાન મહાવીર સ્વામી મળ્યા તેમના સમાગમે અવિહડ શ્રદ્ધા બળે, તીર્થંકર નામકર્મ બાંધવાના વીસ બોલની યથાયોગ્ય આરાધના કરતાં તેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. તે પહેલાં ક્યારેક એક તાપસને પારણાનું આમંત્રણ આપી અને ભૂલી ગયા હતા; બે થી ત્રણ વાર આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તાપસનો અભિગ્રહ ફળ્યો નહોતો તેથી તે ક્રોધે ભરાણો અને સંથારો લઈ તેમાં રાજા શ્રેણિક પ્રત્યે નિયાણુ કરી મૃત્યુ પામ્યો. તે નિયાણાના પ્રભાવે તે ચેલણાની કુક્ષીએ કોણિક બની અવતાર પામી ગયો. નિદાન કરીને આવ્યો હતો તેથી તેની કલુષિત લોભવૃત્તિ પ્રગટ થઈ, પૂર્ણ આત્મા લોભ કષાયમાં ઘેરાણો.
વૃત્તિનું કોકરૂં આકાશ જેવડું લાંબુ અને પૃથ્વી જેવડું પહોળું હોય છે. અશુદ્ધ પારિણામિક ભાવમાં તે નાનું થઈને બેઠું છે. તે કોકડું ઉખળે છે ત્યારે સાગરના તોફાનની જેમ મોજા ઉછાળે છે, અનેકની ઉથલ પાથલ કરી નાંખે છે. કોણિકે પેંતરો રચ્યો. નાના ભાઈઓને પાસે બોલાવી તેઓને લાલચમાં લપટાવ્યા. લલચાવેલા ભાઈઓને આ બધું ગમી ગયું.
પિતાજી કાળ પામી જાય તો જલદી ગાદી મળે તેવી દુષ્ટ વૃત્તિનો ચેતનના આંગણે સુકાલ થયો. પિતાજી વૃદ્ઘ થયા છે, મૃત્યુ પામતા નથી તો હવે મહાકાળ બની તેનું છિદ્ર જોયા કરું તેવી મલિન−કાળી કૃષ્ણ લેશ્યાથી લેપાયો. અતિ સુકૃષ્ણ વર્ણના પુદ્ગલો ગ્રહણ કરીને મહાકૃષ્ણ લેશ્યાવાળો બની ગયો, તેનું હીર–નીર વીરકૃષ્ણ લેશ્યામય બની આર્તધ્યાનની ધુણી ધગાવતો કોણિકનો આતમ રામકૃષ્ણ લેશ્યા સહિત રૌદ્ર– ધ્યાનમાં લીન બની પિતૃ મરતા નથી તો તેમને કેદમાં પૂરવા, ગાદી ઉપરથી હટાવવા મહાકૃષ્ણ લેશ્યામય બુરખો ઓઢીને પરાક્રમ કરું, તેવી મલીન ક્રૂર ભાવનાથી ઉપરોક્ત દસે ય ભાઈઓનો સાથ સાધી કાર્ય કરવા તત્પર બન્યો. આ રીતનો પાપમય સહિયારો સાથ મળતાં કાર્ય સિદ્ધ કર્યું. રાજા શ્રેણિકને નાનકડી ભૂલના પરિણામે પાછલી ઉંમરે કેદમાં પૂરાઈ, મૃત્યુ પામી, કાપોત લેશ્યાના ભાવમાં પહેલી નરકે જવું પડ્યું. આ છે ગહન ગતિ કર્મની.
રાજ્યગાદી ઉપર રાજા કોણિક આવ્યા અને રાજ્યના અગિયાર ભાગ પાડી ભાઈઓ રહેવા લાગ્યા પરંતુ લોભવૃત્તિનું મોજું વિશેષ ઉછળ્યું. ઉછળતાં ઉછળતાં વાવાઝોડું સર્જાયું. તેમાં પણ પદ્માવતી રાણીની ઈર્ષાએ વડવાનળ સળગાવ્યો. નાના
27
Page #34
--------------------------------------------------------------------------
________________
સ્થિતિનો પૂર્ણ ચિતાર આ અધ્યયનમાં જોવા મળે છે.
રાજા શ્રેણિક અનાથી મુનિવરના સમાગમે બોધ પામ્યા હતા. ત્યાર પછી તેને ભગવાન મહાવીર સ્વામી મળ્યા તેમના સમાગમે અવિહડ શ્રદ્ધા બળે, તીર્થકર નામકર્મ બાંધવાના વીસ બોલની યથાયોગ્ય આરાધના કરતાં તેણે તીર્થકર નામકર્મ બાંધ્યું. તે પહેલાં ક્યારેક એક તાપસને પારણાનું આમંત્રણ આપી અને ભૂલી ગયા હતા; બે થી ત્રણ વાર આવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. તાપસનો અભિગ્રહ ફળ્યો નહોતો તેથી તે ક્રોધે ભરાણો અને સંથારો લઈ તેમાં રાજા શ્રેણિક પ્રત્યે નિયાણ કરી મૃત્યુ પામ્યો. તે નિયાણાના પ્રભાવે તે ચેલણાની કુક્ષીએ કોણિક બની અવતાર પામી ગયો. નિદાન કરીને આવ્યો હતો તેથી તેની કલુષિત લોભવૃત્તિ પ્રગટ થઈ, પૂર્ણ આત્મા લોભ કષાયમાં ઘેરાણો.
વૃત્તિનું કોકડૂ આકાશ જેવડું લાંબુ અને પૃથ્વી જેવડું પહોળું હોય છે. અશુદ્ધ પારિણામિક ભાવમાં તે નાનું થઈને બેઠું છે. તે કોકડું ઉખળે છે ત્યારે સાગરના તોફાનની જેમ મોજા ઉછાળે છે, અનેકની ઉથલ પાથલ કરી નાખે છે. કોણિકે પેંતરો રચ્યો. નાના ભાઈઓને પાસે બોલાવી તેઓને લાલચમાં લપટાવ્યા. લલચાવેલા ભાઈઓને આ બધું ગમી ગયું.
પિતાજી કાળ પામી જાય તો જલદી ગાદી મળે તેવી દુષ્ટ વૃત્તિનો ચેતનના આંગણે સુકાલ થયો. પિતાજી વૃદ્ધ થયા છે, મૃત્યુ પામતા નથી તો હવે મહાકાળ બની તેનું છિદ્ર જોયા કરું તેવી મલિન-કાળી કૃષ્ણ લેશ્યાથી લેપાયો. અતિ સુકૃષ્ણ વર્ણના પુદ્ગલો ગ્રહણ કરીને મહાકૃષ્ણ લેશ્યાવાળો બની ગયો, તેનું હીર–નીર વીરકૃષ્ણ લેશ્યામય બની આર્તધ્યાનની ધુણી ધગાવતો કોણિકનો આતમ રામકૃષ્ણ લેશ્યા સહિત રૌદ્ર- ધ્યાનમાં લીન બની પિત મરતા નથી તો તેમને કેદમાં પૂરવા, ગાદી ઉપરથી હટાવવા મહાકૃષ્ણ લેશ્યામય બુરખો ઓઢીને પરાક્રમ કરું, તેવી મલીન ક્રૂર ભાવનાથી ઉપરોક્ત દસે ય ભાઈઓનો સાથ સાધી કાર્ય કરવા તત્પર બન્યો. આ રીતનો પાપમય સહિયારો સાથ મળતાં કાર્ય સિદ્ધ કર્યું. રાજા શ્રેણિકને નાનકડી ભૂલના પરિણામે પાછલી ઉંમરે કેદમાં પૂરાઈ, મૃત્યુ પામી, કાપોત લેશ્યાના ભાવમાં પહેલી નરકે જવું પડ્યું. આ છે ગહન ગતિ કર્મની.
રાજ્યગાદી ઉપર રાજા કોણિક આવ્યા અને રાજ્યના અગિયાર ભાગ પાડી ભાઈઓ રહેવા લાગ્યા પરંતુ લોભવૃત્તિનું મોજું વિશેષ ઉછળ્યું. ઉછળતાં ઉછળતાં વાવાઝોડું સર્જાયું. તેમાં પણ પદ્માવતી રાણીની ઈર્ષાએ વડવાનળ સળગાવ્યો. નાના
28
Page #35
--------------------------------------------------------------------------
________________
પામી ગયા. તેનું વિશદ વર્ણન આ બીજા વર્ગના દસ અધ્યયનમાં છે. આ વર્ગમાંથી હિત શિક્ષા એ જ પ્રાપ્ત થાય છે કે શ્રેણિક રાજાના પૌત્ર દુર્દશાવાળી ઘટનાના ઘટક નહીં બનતાં માતાપિતાની આજ્ઞા લઈ ભગવાન મહાવીર પાસે જઈ ધર્મધ્યાનની આહલેક જગાડી દીધી, તેથી તરી ગયા. તેઓ સુખમાં સુખ ભોગવતાં દેવલોકનો ભવ પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષ પામશે. ત્રીજો વર્ગ : પુષ્પિકા :
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજો વર્ગ છે 'પુષ્પિકા'. તેના પણ દસ અધ્યયન છે. પુષ્પ માત્ર એક જ ન હોય, અલગ અલગ છોડના અલગ અલગ પુષ્પ હોય છે. તેમ આ વર્ગના દસે દસ અધ્યયનના નાયક જુદા-જુદા સ્થળે સાધના સાધી, સંયમ વિરાધી કોઈ ચંદ્ર કે સૂર્ય કે શુક્ર વગેરે બને છે. આ વર્ગના અધ્યયનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે સાધના શ્રાવકોની હોય અથવા સાધુ-સાધ્વીની હોય પણ તેના વિચારોનો પલટો કેમ થાય છે; કયારેક ઉલટા વિચાર કરનાર દેશ વિરતિ શ્રાવક સમકિત ભ્રષ્ટ બની, સંત સમાગમ નહીં મળવાથી સત્સંગ ભૂલી, કુસંગમાં રંગાઈ, ફળ-ફૂલ-કંદ ખાનાર તાપસ બની જાય છે. તેને પણ દેવ આવી, દુ:પ્રવ્રજ્યા કહી, વારંવાર સંબોધન કરી પાછા સુપ્રવ્રજિત કરે છે. આ છે ખૂબી પ્રભુ પારસનાથ દેવાધિદેવના શાસનની. બલિહારી હો જૈન શાસનની. દેવો પણ પ્રભુના શાસનની રક્ષા કરે છે અને ભૂલા પડેલા ઉન્માર્ગે જતાં શ્રાવક–સાધુ ભગવંતોને પ્રેરણા આપી પાછા સંયમ સ્થાનમાં સ્થિર કરે છે. ત્રીજા વર્ગના ત્રીજા અધ્યયનનું આ વર્ણન વિચારણીય, ચિંતનીય, મનનીય છે. ખુદ પાર્શ્વનાથ ભગવાનની સમીપે સોમિલ બ્રાહ્મણે છળપૂર્વક પ્રશ્ન કર્યા પરંતુ જવાબ કેવળ જ્ઞાનીના સચોટ સાચા મળ્યા, તેથી બોધ પામી દેશવિરતિ શ્રમણોપાસક બની ગયા. તેઓ અવસરે પડિવાઈ થયા, દેવે સ્થિર કર્યા અને જ્યોતિષી દેવમાં શુક્ર નામના દેવ થયા.
આ વર્ગના ચોથા અધ્યયનમાં એક અતૃપ્ત વાસનાથી વાસિત આત્માનું વર્ણન છે. તે માતૃત્વના યોગે બાળકોની ક્રીડા વગેરેમાં સાધક દશા ગુમાવી, સ્વાધ્યાય છોડી, સંયમ વિરાધી, બહુપુત્રિકા દેવી થઈ, મનુષ્યાણીમાં આવીને કેવી વિચિત્ર દશા પામે છે; તે હુબહુ ચરિત્રને ચરિતાર્થ કરનાર નાનકડું અધ્યયન દાદ માંગી લે છે. વામનમાં વિરાટતા સમાયેલી છે. અહીં આ રીતે દસેકસ અધ્યયનનો વિસ્તાર વાંચી વિચારી, બોધ પ્રાપ્ત કરી, જીવનને અર્વ ધૂનથી અંગે અંગમાં, હાડે હાડની મજ્જામાં વાસિત કરીએ તો 'ચંદ્ર' સમી શીતલતા 'સૂર્ય' સમી તપની તેજસ્વિતા પ્રગટ થાય અને પોતાના
Page #36
--------------------------------------------------------------------------
________________
"શુક' અર્થાત્ વીર્યનો પ્રયોગ બહુપુત્રિકા'રૂપ મોહ સંતતિ હાસ્ય, ક્રીડા કુતૂહલ ઉત્પન્ન કરનાર નોકષાય મોહનીય નાશ કરવામાં જો થાય તો પૂર્ણ શુદ્ધ, સહજ સુખવાળો હું આત્મા છું તેવું ભાન સહજમાં થાય. તે ભાન દ્વારા'મણિ તુલ્ય ભદ્ર પરિણામે મળેલા માનવભવની સાર્થકતા સાધવા ધર્મમાં 'દત્ત' ચિત્તવાળો થાય, તેમજ શિવ ગતિને વરવા વૈર્ય કેળવી સમ્યમ્ બળ પુરુષાર્થ ઉપાડી અનાદૂત' કાળજાને આદૂત કોમળ દયામય બનાવી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે જ અનંત ગુણોની પુષ્પિકા ચેતનના આંગણામાં પાંગરી જાય.
ઉપરોક્ત દસે દસ અધ્યયનના નામ વાક્યમાં વણી લીધા છે; તે જુદા જુદા સ્થળના દેવ-દેવી છે. તે બધા પ્રભુ પાર્શ્વનાથના શાસનકાળમાં થયેલા છે. તેમની પૂર્વભવની કથા ભગવાન મહાવીરે વર્ણવી છે. તે કથા સાંભળી ગૌતમે પ્રશ્ન કર્યો છે કે પ્રભુ! તેઓનો મોક્ષ કયારે થશે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું છે– મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યભવ પામી, સંયમ આરાધના દ્વારા કર્મક્ષય કરી મોક્ષપ્રાપ્ત કરશે. ચોથો વર્ગ : પુષ્પચૂલિકા :
આ વર્ગના દસ અધ્યયનો છે. તે દસ અધ્યયનના જીવોએ મનુષ્ય જન્મમાં સ્ત્રી વેદ પ્રાપ્ત કર્યો છે. સુકોમળ અંગવાળી કાયાની માયા કેવી હોય છે. માયા માત્ર રાગમાંથી જન્મ ધારણ કરે છે. રાગ સંપૂર્ણ સંસારનું બીયારણ છે. રાગમાં જ ‘ષની આગ ભારેલી છે. રાગની રાખ જરાક દૂર થાય કે દ્વેષની આગ પ્રગટ થાય છે. આ રીતે સંસાર વૃદ્ધિ પામતાં, નવા દેહ ધારણ કરતા હોવાથી તેના અધ્યાસ (લક્ષ્ય)વધતાં જીવ શરીર સૌંદર્યમાં જ સર્વ સુખ માને છે. તેવું કાયાની માયાનું વર્ણન આ અધ્યયનમાં જોવા મળશે. જેને શરીર બાલુશી નામથી નવાજવામાં આવેલ છે. પ્રભુ મહાવીરના દર્શન કરવા દસ દેવીઓ આવે છે. ત્યારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે અને પ્રભુ તેના પ્રત્યુતરમાં એમ કહે છે કે હે ગૌતમ! દસ દેવીઓએ પૂર્વભવમાં પુરુષાદાનીય પ્રભુ પાર્શ્વનાથના શ્રી મુખે દીક્ષા ધારણ કરેલી અને પુષ્પચૂલિકા પ્રમુખ આર્યાજીના હાથમાં શિક્ષિત થયેલી તે દસ બા.. સુશિષ્યા હતી.
દેવાધિદેવ જેવા જેને નાથ મળ્યા, ઉચ્ચ કોટિનું ચારિત્ર મળ્યું, છત્ર છાયા આપે તેવા પૂષ્પગુલ્લાનું શરણ ચરણ પ્રાપ્ત થયું. અગિયાર અંગશાસ્ત્રના પાઠી થયાં. ઉપવાસ છઠ અઠ્ઠમ વગેરે તપ ઘણા કર્યા તેમ છતાં એક કાયાની માયાએ ભાન ભૂલાવ્યું. તે શરીરની સફાઈ કરવા લાગી, હાથ-પગ મુખ ધોવું, ગુહ્ય સ્થાનો સાફ કરવા, જે જગ્યા
30
Page #37
--------------------------------------------------------------------------
________________
પર બેસે ત્યાં પાણી છાંટવું વગેરેની ક્રિયા, તેની ગુપ્તિ ધારણ કરવામાં બાધક બની ગઈ. ગુણીની હિત શિક્ષા તેના હૈયામાં ન વસી. તેથી એકલી રહેવા લાગી. સ્વછંદી બનતાં પાપની આલોચના ન કરતાં, ચારિત્ર વિરાધક બનવાના કારણે તે સર્વે પહેલા દેવલોકમાં એક પલ્યોપમની સ્થિતિવાળી દેવીઓ બની ગઈ છે. ગૌતમસ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યોપ્રભુ ! તેમનો મોક્ષ થશે? હા, ગૌતમ! મનુષ્ય ભવ પામીને તે મોક્ષમાં અવશ્ય જશે.
આ અધ્યયનનો મર્મ એ જ છે કે શરીર બાકુશી નહીં બનતા મળેલી દીક્ષાને દિવ્ય બનાવવા ત્યાગ વૈરાગ્યપૂર્વક જીવન વિતાવવા અને કેવળજ્ઞાનરૂપ શ્રી પામવા ડ્રી (લજ્જા)મય નેત્ર બનાવી, ધી(બુદ્ધિ)ને સ્થિર કરી, કીર્તિની કામના કર્યા વિના બુદ્ધિને સ્વ સ્વરૂપમાં જોડી, મનને લક્ષમીની લાલચથી મુક્ત રાખી, ઈલા સમાન ક્ષમા સહિષ્ણુતા કેળવી, બે સુરા શબ્દ રસ અને ગંધ ઉપર વિજય મેળવી દૈવિક ભાવથી આત્માને ભાવિત કરતાં સંયમને સાર્થક સુસફલ બનાવવો જોઈએ.
પહેલાંના બે વર્ગનાં કથા નાયકોના વાહક પ્રભુ મહાવીર છે તો પછીના બે વર્ગનાં કથા નાયકોના વાહક પ્રભુ પાર્શ્વનાથ છે. આ રીતે ચાર વર્ગ પૂરા થતાં વ્યુત્ક્રમથી પ્રાપ્ત બાવીસમાં તીર્થકર અરહંત અરિષ્ટનેમિના શાસન દીક્ષિત તેઓના જ વૃષ્ણિકુળ ના મુક્તાત્માઓના વર્ણનનો પ્રારંભ પાંચમા વર્ગમાં થાય છે. વર્ગ પાંચમો : વૃષ્ણિદશા :
આ પાંચમો વર્ગ વૃષ્ણિદશા નામનો છે. તેમાં સર્વજીવો પ્રતિ વાત્સલ્યની ગંગા વરસાવતું, યથાર્થ આરાધભાવથી વાસિત થતું, બાર અધ્યયનમય વર્ણન છે.
તે અધ્યયનોમાં ચારિત્ર નાયકના વાહક, શાસક, શાસનપતિ યદુકુલભૂષણ અરિષ્ટનેમી બાવીસમાં તીર્થંકર પરમાત્મા છે. તેમને પ્રશ્ન પૂછનાર મુનિપુંગવ ગણધર ભગવંત શ્રી વરદત્ત મુનિરાજ છે.
ભગવાન નેમનાથના દર્શન કરવા આવનાર પુણ્યશાળી આત્માઓ જ્યારે દેશવિરતિપણું ધારણ કરે છે ત્યારે તેમને માટે પ્રશ્ન થયા છે. પ્રભુએ તેના જવાબમાં પૂર્વભવની કથા સંભળાવી છે; કયા કારણે જીવ ક્યાં જાય તે વાત સમજાવી સમસ્યાનું સમાધાન કર્યું છે. ધાર્મિક, માર્મિક વાતો આ અધ્યયનમાં દર્શાવવામાં આવી છે. તે બાર આત્માને વાક્યમાં ઉપસાવી સંક્ષિપ્તસાર કહીશ. વધુ વિસ્તારનું આ આગમમાંથી વાચકવર્ગે વાંચન કરી લેવું. આ બધા આત્માઓ હળુકર્મી પુણ્યશાળી પુરુષો છે, જેથી તેઓએ સંસારવર્ધક ક્રિયાઓનો નિષધ કરી, કષાયરૂપ માનીને મારી, સુખા વહ
Page #38
--------------------------------------------------------------------------
________________
તથા વીર મુખે વહેતી જિનવાણીના માર્ગમાં પ્રગતા' થઈ જ્ઞાનની યુક્તિ મેળવીને, દસવિધ યતિ ધર્મના દશરથ માં બેસી, અસ્થિર મનરૂપ ઘોડાને યમ નિયમની લગામ દ્વારા દરથમાં જોડી, સંયમ યાત્રાનું પર્ણ પાલન કર્યું. કષાયો સામે તંદ્ર ખેલવા મહાવ્રતરૂપ મહાધન્વા બની કેસરીયા કર્યા. પાંચ ઈન્દ્રિયના વિષયને જીતવા, આહાર સંજ્ઞાને નાથવા સપ્ત પિડેષણારૂપ સપ્ત ધન્વા બની આસક્તિને વીંધી નાખી. પ્રમાદને પતિત કરવા દસ સમાચારીના દશ ધન્વા બની આઠમદ, નિદ્રા અને વિકથાની કંચકીને ભેદી નાખી. જ્યારે મોહરાજાએ હુમલો કર્યો ત્યારે શતધન્વા બની ભવોભવના અશુભ કર્મના સુભટોને જમીન દોસ્ત કર્યા, અણારંભી શુભ પુણ્યના પુંજને એકઠા કરી, કાળના અવસરે સંલેખનાપૂર્વક કાળધર્મ પામી, જેના સર્વ અર્થ સિદ્ધ એવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી, દીક્ષા ગ્રહણ કરી, પરમ શુદ્ધ પારિણામિક ભાવ જાગૃત કરી, અપ્રમત દશા પ્રાપ્ત કરી, ક્ષપક શ્રેણિ માંડી, ધૈર્યનું ધનુષ્ય ધારણ કરી, મોહરાજાના રાજ્યમાં પ્રલયકાળ સર્જી સંપૂર્ણ સંસારના જન્મ મરણની જંજાળને ટાળી નાંખશે.
આ પાંચ વર્ગાત્મક ઉપાંગ સૂત્રમાં પહેલાં નરકનું વર્ણન, ત્યાર પછી દેવલોકનું વર્ણન, ત્યાર પછી જ્યોતિષી દેવોનું વર્ણન, ત્યારપછી પ્રથમ વૈમાનિક દેવલોકમાં દેવીઓને ઉત્પન્ન થવાનું વર્ણન અને અંતે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન કર્યું છે. આ રીતે કર્મના ભારથી ભરેલો જીવ અધોગતિવાળો હોય તેથી અધોલોકથી લઈને ઉર્ધ્વલોક સુધીનું વર્ણન કરતાં સૂત્રકારે પાપની પંક્તિ પ્રથમ દર્શાવી ત્યાર પછી પુણ્યની પંક્તિ દર્શાવી છે.
પ્રસ્તુત સૂત્ર વાંચનમાં બહુ અલ્પ છે. પરંતુ તેમાં સાંયોગિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક સમસ્યાને હલ કરવાનું સામર્થ્ય ભરચક ભર્યું છે. આ સૂત્ર વિવિધ આશ્વાસન આપવાની તાકાત ધરાવે છે. તેમજ આ શાસ્ત્ર શારીરિક બીમારીને તથા જન્મ, મરણ રૂપને આત્મ દુઃખોને નાશ કરવાનું ઔષધ અને આત્મશુદ્ધિ રૂપ સંજીવની જડીબુટ્ટી છે. આત્મબંધુ! આ શાસ્ત્રનું જે પ્રમાણે તમે મનન કરશો અને ઉપયોગ કરશો તે પ્રમાણે ઉપયોગી બનશે. અસ્તુ શુભ ભવતુ. આભાર : સાધુવાદ : ધન્યવાદ :
પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા પ્રશિષ્યા દઢ મનોબળી દીર્ઘ અને ઉગ્ર તપસ્વિની શ્રમણી વિદ્યાપીઠની વિદ્યાર્થિની વિદુષી કિરણબાઈ મ. જેમણે અનુવાદ
Page #39
--------------------------------------------------------------------------
________________
Th( 5.
સ્વાધ્યાય કરવાનો જે પુરુષાર્થ ઉપાડ્યો તે ઘણો ઘણો પ્રશંસનીય છે. હું તેઓની કદર કરું છું, ધન્યવાદ આપી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું અને શુભ કામના કરતાં કહું છું કે તમે આગમનું ઊંડું અવલોકન કરી, અરિહંત બની જવા નિબંધ સંયમ યાત્રાનું નિર્વહન કરતા રહો, એ જ ભાવના.
આ આગમને સુશોભિત બનાવનાર, આગમના પાઠ પ્રમાણે વાસ્તવિક અર્થ કરી સુંદર હાર્દના ભાવભરી અલંકૃત કરનાર સમયજ્ઞ આગમમનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને શતકોટિ વંદના.
સહ સંપાદિકા ડૉ. વિદુષી સાધ્વી આરતી શ્રી એવં વિદુષી સાધ્વી સબોધિકાશ્રીને અનેકશઃ ધન્યવાદ. અમારા આ આગમ અવગાહન કરાવનાર સહયોગી દરેક સાધ્વીવૃંદને સાધુવાદ.
શ્રમણોપાસક મુકુંદભાઈ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવથી ભરેલા ભામાશા શ્રીયુત ૨મણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢસંકલ્પી તપસ્વિની વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદ ભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક
સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણો, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા તેમના સહયોગી રામાનુજભાઈ, જીગ્નેશભાઈ, નીતાબેન અને સાબીરભાઈ અને આગમના દાનદાતાઓ વગેરેને અભિનંદન સાથે અનેકશઃ ધન્યવાદ.
આ આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા, પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશક, સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ.
આગમ અવગાહન કરવામાં ઉપયોગ શૂન્યતાના યોગે તૂટી રહી જવા પામી હોય, જિનવાણી વિરુદ્ધ લખાયું કે છપાયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ પુનઃ ક્ષમાપના. મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના.
પ. પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ. ના સુશિષ્યા – આર્યા
લીલમ.
Page #40
--------------------------------------------------------------------------
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
અનાદિકાળના અનંતાનંત જીવોના પરિભ્રમણમાં અનંતકાળે અનંતાનંત જીવોમાંથી કોઇ એકાદ જીવને જિનવાણી શ્રવણનો યોગ મળે છે. તેવા અનંત જીવોમાંથી કોઇ એકાદ જીવને જિનવાણી શ્રવણ પછી તેની શ્રધ્ધા પ્રગટ થાય છે. જિનવાણીનું શ્રવણ કર્યા પછી તે ભાવોને સમજીને આગમ સંપાદનના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવા મળે તે ખરેખર અમારા માટે પરમ સૌભાગ્ય છે... આ એક સોનેરી તક છે. ગુરુકૃપાએ આ તક અમોને સાંપડી અને અમે અત્યંત પ્રસન્નભાવે શ્રધ્ધાપૂર્વક તકને વધાવી તે દિશામાં ગતિશીલ
બન્યા.
ક્રમશઃ એક પછી એક આગમનું સંપાદન કરતાં શ્રી નિરયાવલિકા સૂત્રનું સંપાદન કરવાનો સુઅવસર આવ્યો. કથાનુયોગ પ્રધાન શ્રી નિરયાવલિકા સૂત્ર નામથી પ્રસિધ્ધ આ આગમમાં પાંચ ઉપાંગ સૂત્રોનો સમાવેશ થાય છે.
શાસ્ત્રપાઠ અનુસાર આ શાસ્ત્રનું નામ ‘ઉપાંગસૂત્ર' છે અને નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્પિકા, પુષ્પરુલિકા અને વૃષ્ણિદશા, આ પાંચ તેના વર્ગ છે. સમળેળ માવયા મદાવીરેળ... ૩વડાળ પંચ વળ્યા પળત્તા, તં નહીં... રિયાલિયાઓ...
સમય વ્યતીત થતાં આ પાંચ વર્ગ ભિન્ન ભિન્ન પાંચ આગમ રૂપે પ્રસિધ્ધ થઇ ગયા છે. બાર ઉપાંગ સૂત્રોની ગણનામાં આ પાંચે વર્ગની પાંચ આગમ રૂપે ગણના થઇ છે. સંપાદન દરમ્યાન પ્રશ્ન થયો કે આ શાસ્ત્રને આપણે કર્યુ નામ આપવું ? સંપાદક મંડળે સાથે મળીને વિચારણા કરીને નિર્ણય કર્યો કે શાસ્ત્રના પાઠ અનુસાર મૂળભૂત ‘ઉપાંગ સૂત્ર’ નામ જળવાઇ રહેવું જોઇએ તેથી શાસ્ત્રની ઉપર ‘ઉપાંગ સૂત્ર’ લખીને તેની નીચે પરંપરાથી પ્રચલિત ‘શ્રી નિરયાવલિકા સૂત્ર’ લખ્યું છે. આ રીતે શાસ્ત્રોની મૌલિકતા અને પરંપરાનો સમન્વય કર્યો છે.
પ્રથમ વર્ગ – શ્રી નિરયાવલિકા સૂત્રમાં માતા ચેલણાના દોહદનું વર્ણન છે તેમાં ચરવતિમંસૃત્તિ – ઉદરાવલિમાંસ અર્થાત્ ‘પેટના અંદરના આંતરડા' શબ્દનો પ્રયોગ છે.
–
34
Page #41
--------------------------------------------------------------------------
________________
પરંતુ અર્ધમાગધી કોષમાં આ શબ્દનો અર્થ “કલેજાનું માંસ કર્યો છે. ટીકાકારે આ શબ્દનો અર્થ કર્યો નથી. પરંપરામાં આ અર્થ જ પ્રચલિત છે. તેમ જ ચલણારાણીને રાજા શ્રેણિકના કલેજાનું માંસ ખાવાનો દોહદ થયો હતો તથા પ્રકારની કથા પ્રચલિત છે તેથી અમે પણ પ્રચલિત અર્થને સ્વીકાર્યો છે.
કલ્પવતંસિકા આદિ ચારે વર્ગમાં ક્રમશઃ દશ, દશ, દશ, બાર અધ્યયન છે. દરેક અધ્યયનોમાં એક-એક વ્યક્તિના પૂર્વ-પશ્ચાદ્ભવ સહિત ત્રણ-ત્રણ ભવનું વર્ણન છે. અમે પાઠકોની સરળતા માટે દરેક અધ્યયનોની કથા પ્રારંભમાં આપી છે.
પરિશિષ્ટમાં પાંચ વર્ગની સંપૂર્ણ વિગત કોષ્ટક રૂપે આપી છે જેનાથી વાચકો સંપૂર્ણ શાસ્ત્રને સરળતાથી સ્મૃતિપટ પર અંકિત કરી શકે છે.
પ્રથમ વર્ગ શ્રી નિરયાવલિકામાં પાઠકોને કથાનું સાતત્ય જળવાઇ રહે અને રસવૃધ્ધિ થાય, તે માટે શ્રેણિકરાજાને પ્રાપ્ત થયેલા દિવ્ય હારની ઘટના અન્ય ગ્રંથોના આધારે પ્રગટ કરી છે. રાજા કોણિક અને ચેડારાજાના હૃદયદ્રાવક યુધ્ધના વર્ણન પાછળ શાસ્ત્રકારનો આશય શું છે ? તે અધ્યયનના અંતે ઉપસંહાર રૂપે પ્રસ્તુત કર્યું છે. કથાના માધ્યમથી શાસ્ત્રકારે સંસારનું સ્વરૂપ, ભૌતિક પદાર્થોનું આકર્ષણ અને તેના દારૂણ પરિણામોની સાથે કર્મસિધ્ધાંતને સ્પષ્ટ કર્યો છે.
પુપિકા વર્ગમાં અંગતિકુમારની મૃત્યુ પછીની ગતિના વર્ણન પ્રસંગે શાસ્ત્રકારે વિરદિય સામvો શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રાસંગિક રીતે વિવેચનમાં સંયમ વિરાધના એટલે શું ? તે વિષયને સ્પષ્ટ કર્યો છે. આ રીતે વિવેચનમાં પ્રસંગોનુસાર કથાનકોથી સંબંધિત તાવિક વિષયોને પણ સમજાવ્યા છે.
કથાનકોના માધ્યમથી વૈરાગ્ય તરફ ગતિ કરાવે તેવું શ્રી નિરયાવલિકા સૂત્ર સાધકોને અંતર્મુખ બનાવી વૈરાગ્યને દઢતમ બનાવે છે.
શાસ્ત્ર સંપાદનના નિમિત્તથી માત્ર શાસ્ત્રવાંચન જ નહીં પરંતુ શાસ્ત્રના ભાવોની અનુપ્રેક્ષા કરવાનો સુયોગ પ્રાપ્ત કરી અમે ધન્યાતિધન્ય બની ગયા છીએ.
તેના માટે અનંત ઉપકારી પૂ. ગુરુવર્યોના ઉપકારનો સ્વીકાર કરી તેઓશ્રીના પાવન ચરણોમાં સાદર વંદન કરી વિરામ પામીએ છીએ.
35
Page #42
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી, અધિક, વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ ગુરુણીશ્રી !
શરણું રહ્યું પૂ. મુકત - લીલમ- વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
36
Page #43
--------------------------------------------------------------------------
________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી કિરણબાઈ મ.
જૈન સાહિત્યનો પ્રાચીનતમ વિભાગ આગમ છે. આ + ગમ = આપ્ત પુરુષો—તીર્થંકરો દ્વારા આપેલું ગમ = જ્ઞાન આગમ કહેવાય છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી, સર્વજ્ઞ સર્વદર્શી થયા પછી પ્રવચન દ્વારા જીવ અજીવ આદિનું સ્વરૂપ પ્રગટ કરતાં કર્મબંધ, બંધહેતુ, મોક્ષ અને મોક્ષના હેતુનું રહસ્ય ઉદ્ઘાટિત કર્યું.
ભગવાન મહાવીર સ્વામીના પાવન પ્રવચનો અર્થાગમ કહેવાય અને ગણધરો દ્વારા કરેલી સૂત્રરચના સુત્તાગમ કહેવાય છે.
આ આગમસાહિત્ય આચાર્યો માટે નિધિ સમાન છે તેથી તેનું નામ ગણિપિટક રાખવામાં આવ્યું. તેના મૌલિક વિભાગ બાર છે, જેને દ્વાદશાંગી કહેવાય છે.
આગમ વિભાજનમાં પ્રસ્તુત આગમ ઃ
પ્રાચીનકાળથી આગમોનું વિભાજન અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના રૂપે છે. અંગસાહિત્યની રચના ગણધરોએ કરી છે અને અંગ બાહ્ય સાહિત્યના રચયિતા સ્થવિર ભગવંતો છે. ત્યાર પછી કાલાંતરે એટલે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સેંકડો વર્ષો પછી અંગબાહ્ય આગમોના ઉપાંગ, મૂલ અને છેદ કે ચૂલિકાશાસ્ત્ર એવા નામો પ્રચલિત થયા અને ત્યાર પછી આ ઉપાંગ આદિની સંખ્યાઓ નિશ્ચિત્ત થવા લાગી. જોકે તેની સંખ્યાનો કોઈ મૌલિક આધાર નથી. છતાં સ્થાનકવાસી પરંપરામાં ૧૨ ઉપાંગ, ૪ મૂલ અને ૪ છેદ શાસ્ત્રોની માન્યતા પ્રચલિત છે. પ્રસ્તુત આગમની ગણના ઉપાંગ વિભાગમાં થાય
છે.
ઉપાંગ સૂત્ર : નામબોધ :
નિરયાવલિકા નામથી પ્રસિદ્ધ આ શાસ્ત્રનું આગમિક નામ ઉપાંગ સૂત્ર છે. તે
37
Page #44
--------------------------------------------------------------------------
________________
કે પહેલાં ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. જ્ઞાતાધર્મકથામાં મેઘકુમારની માતા શ્રેણિકની (૨૪મી) રાણી ધારિણી હતી તેવો ઉલ્લેખ છે. દશાશ્રુતસ્કન્ધમાં (૨પમી) મહારાણી ચેલણાનું વર્ણન છે. તે અત્યંત રૂપવાન હતી. તેના દિવ્ય રૂપને જોઈને ભગવાન મહાવીર સ્વામીના સાધ્વીજીઓ સ્તબ્ધ થઈ ગયા અને નિદાન કરવા માટે તત્પર થઈ ગયા. નિશીથચૂર્ણિમાં શ્રેણિકની એક રાણીનું નામ અફતગંધા પણ મળે છે પરંતુ આ નામ બહુપ્રસિદ્ધ નથી. બૌદ્ધ સાહિત્યમાં વિનયપિટક નામના ગ્રંથમાં રાજા શ્રેણિકની પાંચસો રાણીઓનો ઉલ્લેખ છે. શ્રેણિકના પુત્ર – આગમમાં શ્રેણિકરાજાના છત્રીસ પુત્રોનો ઉલ્લેખ મળે છે. તે છત્રીસ નામ આ પ્રમાણે છે– (૧) જાલી (ર) માલી (૩) ઉવયાલી (૪) પુરિષણ (૫) વારિસેણ (૬) દીહદંત (૭) લષ્ટદંત (૮) વેહલ્લ (૯) વેહાયસ (૧૦) અભયકુમાર (૧૧) દીઘુસેન (૧૨) મહાસેન (૧૩) લષ્ટદંત (૧૪) ગૂઢદંત (૧૫) શુદ્ધદંત (૧૬) હલ્લા (૧૭) દુમ (૧૮) દુમસેન (૧૯) મહાદુમસેન (૨૦) સીહ (૨૧) સિંહસેન (૨૨) મહાસિંહસેન (૨૩) પુણ્યસેન (૨૪) કાલકુમાર (૫) સુકાલકુમાર (૨૬) મહાકાલકુમાર (૨૭) કૃષ્ણકુમાર (૨૮) સુકૃષ્ણકુમાર (૨૯) મહાકૃષ્ણકુમાર (૩૦) વીરકૃષ્ણકુમાર (૩૧) રામકૃષ્ણકુમાર (૩૨) પિતૃસેનકૃષ્ણકુમાર (૩૩) મહાસેનકૃષ્ણકુમાર (૩૪) મેઘકુમાર (૩૫) નંદીસણ (૩૬) કોણિક.
તેમાંથી અનુત્તરોપપાતિક સૂત્રાનુસાર જાલી આદિ ૨૩ રાજકુમારો દીક્ષા લઈ સંયમધર્મની આરાધના કરી અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. જ્ઞાતાસૂત્ર અનુસાર મેઘકુમાર પણ શ્રમણધર્મ સ્વીકારી અંતે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. નંદીસૂત્રની ટીકા અનુસાર નંદીષેણ પણ સંયમી બની સાધનાના પંથે આગળ વધ્યા. આ પ્રમાણે ૨૫ રાજકુમારોએ દીક્ષા લીધી. શેષ અગિયાર(કોણિક અને કાલકુમાર આદિ ૧૦) રાજકુમારો સંયમ ગ્રહણ કર્યા વિના મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થયા. દ્વિતીય વર્ગઃ કલ્પાવતસિકા :
કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અશ્રુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થયો છે. દેવલોકમાં ઉત્પન્ન થનારા જીવોનું જેમાં વર્ણન છે તે વર્ગ કલ્પાવતંસિકા છે. દેવલોક તે પુણ્ય ભોગવવાનું સ્થાન છે.વ્રત-નિયમ ધારણ કરનાર, શુભ ભાવથી પુણ્યના કાર્ય કરનાર દેવગતિ પામે છે. આ વર્ગમાં વર્ણિત (૧) પદ્મ (૨) મહાપદ્મ (૩) ભદ્ર
38
Page #45
--------------------------------------------------------------------------
________________
આ સૂત્રના મૂળપાઠથી સ્પષ્ટ છે. ઉપાંગ નામનું આ સૂત્ર એક શ્રુતસ્કંધ રૂપ છે. નિરયાવલિકા આદિ પાંચ તેના વર્ગ છે. પાંચ વર્ગોના નામ આ પ્રમાણે છે– (૧) નિરયાવલિકા (૨) કલ્પાવતંસિકા (૩) પુષ્પિકા (૪) પુષ્પચૂલિકા અને (૫) વૃષ્ણિદશા. પાંચ વર્ગના બાવન અધ્યયન છે. સંપૂર્ણ સૂત્રનું પરિમાણ ૧૧૦૯ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે.
પ્રથમવર્ગ નિરયાવલિકા :
આ વર્ગ–વિભાગમાં નરકમાં જનારા જીવોનું(શ્રેણિક પુત્રનું) ક્રમશઃ વર્ણન છે. તેથી તેનું સાર્થક નામ નિરયાવલિકા છે. આ વર્ગમાં દસ અધ્યયન છે.
સમ્રાટ શ્રેણિક એક અધ્યયન :- પ્રાચીન મગધના ઈતિહાસને જાણવા માટે આ વર્ગ ઘણો જ ઉપયોગી છે. તેમાં સમ્રાટ શ્રેણિકના રાજ્યકાલનું વર્ણન કરેલું છે. સમ્રાટ શ્રેણિકનું જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં અનુક્રમે શ્રેણિક ભિંભિસાર અને શ્રેણિક બિંબિસાર નામ મળે છે. જૈન દષ્ટિએ શ્રેણીઓની સ્થાપના કરવાના કારણે તેનું નામ શ્રેણિક પડ્યું. બૌદ્ધ દષ્ટિએ તેના પિતાએ તેને અઢાર શ્રેણીઓનો માલિક બનાવ્યો હતો તેથી તે શ્રેણિક નામથી પ્રસિદ્ધ થયા. જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં શ્રેણીઓની સંખ્યા અઢાર જ છે. શ્રેણીઓના નામમાં પણ પરસ્પર ઘણી જ સમાનતા છે. જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં નવના અને નવકારુ તે અઢાર શ્રેણીઓના ભેદોનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ બૌદ્ધ સાહિત્યમાં શ્રેણીઓના નામ આ પ્રમાણે વ્યવસ્થિત રૂપે મળતાં નથી. 'મહાવસ્તુમાં શ્રેણીઓના ત્રીસ નામ મળે છે. તેમાંથી ઘણા નામો તો જંબદ્વીપ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલ નામોની સમાન છે. કેટલાયે વિદ્વજ્જનોનું મંતવ્ય છે કે રાજા શ્રેણિકની પાસે ઘણી મોટી સેના હતી અને તે સેનિય ગોત્રના હતા, તેથી તેનું નામ શ્રેણિક પડ્યું.
રાજા શ્રેણિકની મહારાણીઓ :- આગમ વર્ણન અનુસાર શ્રેણિક રાજાને પચ્ચીસ રાણીઓ હતી, તેના નામ આ પ્રમાણે છે– (૧) નંદા (૨) નંદમતી (૩) નંદોત્તરા (૪) નંદશ્રેણિકા (૫) મરુતા (૬) સુમરુતા (૭) મહામરુતા (૮) મરુદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમના (૧૩) ભૂતદત્તા (૧૪) કાલી (૧૫) સુકાલી (૧૬) મહાકાલી (૧૭) કૃષ્ણા (૧૮) સુકૃષ્ણા (૧૯) મહાકૃષ્ણા (૨૦) વીરકૃષ્ણા (૨૧) રામકૃષ્ણા (રર) પિતૃસેનકૃષ્ણા (૨૩) મહાસેનકૃષ્ણા. આ રાણીઓએ સમ્રાટ શ્રેણિકના મૃત્યુ પછી
5
39
Page #46
--------------------------------------------------------------------------
________________
નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવ સૂરીએ દીર્ઘદશા શાસ્ત્ર અજ્ઞાત છે, તે પ્રમાણે કથન કર્યું છે, તેમ છતાં દીર્ઘદશાના અધ્યયનો સંબંધી કેટલીક સંભાવનાઓ પ્રગટ કરી છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તે શાસ્ત્રનો ઉલ્લેખ નથી.દીર્ઘદશામાં આવેલા પાંચ અધ્યયનોનું નામ સામ્ય આ શાસ્ત્રની સાથે છે. યથા– ચંદ્ર, સૂર્ય, શુક્ર અને શ્રીદેવી બહુપુત્રી મંદરા.
આચાર્ય અભયદેવસૂરિએ સ્થાનાંગવૃત્તિમાં નિરયાવલિકાના નામ સામ્યવાળા આ પાંચ અને બીજા બે અધ્યયનોનું સંક્ષિપ્ત વિવરણ કર્યું છે અને શેષ ત્રણ અધ્યયનોને અપ્રતીત કહ્યા છે. આચાર્ય અભયદેવસૂરિના સ્થાનાંગ સૂત્રના વિવેચન અને પ્રસ્તુત આગમના કથાનકોમાં ઘણી સામ્યતા છે. ચોથો વર્ગઃ પુષ્પચૂલા – આ વર્ગના પણ દશ અધ્યનન છે. આ દશ અધ્યયનોના નામ આ પ્રમાણે છે. (૧) શ્રીદેવી (૨) હ્રીદેવી (૩) ધૃતિદેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિદેવી (૬) લક્ષ્મીદેવી (૭) ઈલાદેવી (૮) સુરાદેવી (૯) રસદેવી (૧૦) ગંધદેવી. આ દશે દેવીઓ પૂર્વભવમાં પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં પુષ્પચૂલા સાધ્વીજી પાસે પ્રવ્રજિત થઈ હતી. તેથી આ વર્ગનું નામ પુષ્પચૂલા છે. સંયમનું પાલન કરતાં દેહાધ્યાસ જાગૃત થયો અને તે શરીર શુશ્રુષામાં લીન બની, શરીર બાકુશિકા થઈ, વિરાધકપણે કાલધર્મ પામી દેવીરૂપે ઉત્પન્ન થઈ છે.
ઐતિહાસિક દષ્ટિએ આ વર્ણન અત્યધિક મહત્ત્વનું છે. વર્તમાન યુગમાં પણ સાધ્વીજીઓના ઈતિહાસ જાણવા–મેળવવા કઠિન છે. ત્યારે આ વર્ગમાં પાર્શ્વનાથ ભગવાનના યુગની સાધ્વીજીઓનું વર્ણન છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી આદિ લોકમાં જે વિશિષ્ટ શક્તિઓ પ્રસિદ્ધ છે તેની અધિષ્ઠાત્રી દેવીઓનું અસ્તિત્વ હોય છે. પાંચમો વર્ગઃ વૃષ્ણિદશા – નંદી ચૂર્ણિ અનુસાર પ્રસ્તુત વર્ગનું નામ અંધકવૃષ્ણિદશા હતું. આજે આ વૃષ્ણિદશા નામથી પ્રસિદ્ધ છે. તેમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન, બાર અધ્યયનોમાં છે. તે અધ્યયનોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે– (૧) નિષકુમાર (૨) માતલીકુમાર (૩) વહકુમાર (૪) વકુમાર (૫) પ્રગતિકુમાર (૬)
જ્યોતિકુમાર (૭) દશરથકુમાર (૮) દેઢરથકુમાર (૯) મહાધનુકુમાર (૧૦) સપ્તધનુકુમાર (૧૧) દશધનુકુમાર (૧૨) શતધનુકુમાર. આ સર્વે પુણ્યાત્માઓ અરહંત અરિષ્ટનેમિ પાસે સંયમ ગ્રહણ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. પ્રસ્તુતમાં
40
)
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪) સુભદ્ર (૫) પદ્મભદ્ર (૬) પાસેન (૭) પદ્મગુલ્મ (૮) નલિનીગુલ્મ (૯) આણંદ (૧૦) નંદન આદિ દસે ય દેવગતિ પામ્યા હતા.
નિરયાવલિકા વર્ગમાં જે શ્રેણિક રાજાના પુત્ર કાલકુમાર, સુકલકુમાર વગેરે દશ રાજપુત્રોનું વર્ણન છે, તેના જ દશ પુત્રોનું વર્ણન કલ્પાવતંસિકા વર્ગના દશ અધ્યયનમાં છે. દશે રાજકુમાર(શ્રેણિકના પૌત્ર) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળીને શ્રમણ બન્યા, અંગ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો, ઉગ્રતાની સાધના કરી અને અંતે પંડિતમરણ પ્રાપ્ત કરીને વૈમાનિક જાતની દેવગતિને પામ્યા. આ પ્રમાણે બીજા વર્ગમાં વ્રતાચરણથી જીવનશુદ્ધિની પ્રક્રિયા પર પ્રકાશ પાથર્યો છે. જ્યાં પિતા કષાયને વશ થઈને નરકમાં ગયા, ત્યાં તેના જ પુત્ર સુકૃત્યો કરીને દેવલોકમાં ગયા. ઉત્થાન અને પતન મનુષ્યના સ્વયંના કર્મો પર આધાર રાખે છે. મનુષ્ય સાધનાથી ભગવાન બની શકે છે, તે જ રીતે વિરાધનાથી નરકના દુઃખ પણ ભોગવી શકે છે. ત્રીજો વર્ગ : પુષ્પિકા -
ઉપાંગ સૂત્રનો તૃતીય વર્ગ પુષ્પિકા છે. આ વર્ગમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદત આ દસ અધ્યયન છે.
પ્રથમ બે અધ્યયનમાં ક્રમશઃ ચંદ્રદેવ અને સૂર્યદેવના પૂર્વભવનું નિરૂપણ છે. ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહના પૂર્વભવનું વર્ણન છે.
ચોથા અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ–પશ્ચાદ્ભવની વિટંબણાઓથી ભરેલી વિચિત્ર કથા છે. આ કથામાં સાંસારિક મોહ-મમતા કેવા પ્રકારની હોય તેનું સ્પષ્ટ ચિત્ર આલેખ્યું છે. કથાના માધ્યમથી પુનર્જન્મ અને કર્મ ફળના સિદ્ધાંતને પણ પ્રતિપાદિત કર્યા છે. શેષ છ અધ્યયનોમાં પૂર્ણભદ્રાદિનું પૂર્વભવ સહિત વર્ણન છે. સ્થાનાંગમાં વર્ણિત દીર્ઘ દશાશાસ્ત્રના અધ્યયનો સાથે આ વર્ષની તુલના :સ્થાનાંગસત્રના ૧૦મા સ્થાનમાં દીર્ઘદશા નામક શાસ્ત્રના દશ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) શુક્ર (૪) શ્રીદેવી (૫) પ્રભાવતી (૬) દ્વીપ દ્વિીપસમુદ્રોત્પત્તિ (૭) બહુપુત્રી મંદરા (૮) સ્થવિર સંભૂતિવિજય (૯) સ્થવિર પક્ષ્મ (૧૦) ઉચ્છવાસ- નિઃશ્વાસ.
41
Page #48
--------------------------------------------------------------------------
________________
મહારાજ દ્વારા સંસ્કૃત વ્યાખ્યા તેમજ તેના હિન્દી અને ગુજરાતી અનુવાદ.
(૭) શ્રમણ સંઘીય યુવાચાર્ય શ્રી મધુકરમુનિજીના કુશળ નેતૃત્વમાં આગમ પ્રકાશન સમિતિ બાવર દ્વારા ૩ર આગમો વિવેચન સાથે પ્રકાશિત થયા, તેમાં પણ આ સૂત્રના હિન્દી અનુવાદનું વિવેચન સાથે પ્રકાશન થયું. (૮) ઈ.સ. ૧૯૭૭માં આચાર્ય તુલસી દ્વારા સંપાદિત, વિશ્વભારતી લાડગૂંથી પ્રકાશિત ટિપ્પણ સહિત સંશોધિત મૂલપાઠ. (૯) ઈ. સ. ૧૯૯૦માં આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિ દ્વારા સંપાદિત, આગમ નવનીત પ્રકાશન સમિતિ, સિરોહીથી પ્રકાશિત સંક્ષિપ્ત સારાંશ .
આ જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મૂળ, ભાવાર્થ, વિવેચન સહિત પ્રસ્તુત ઉપાંગ સૂત્રને પ્રકાશિત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ. પ્રસ્તુત સંસ્કરણ : ત્રણસ્વીકાર :
પૂર્વના પ્રકાશનોને આધારભૂત માનીને પ્રસ્તુત સંસ્કરણ તૈયાર કર્યું છે. મૂળ પાઠ, સરળ ભાવાર્થ, આવશ્યક વિવેચનથી આગમને સરળ અને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અંતે પરિશિષ્ટમાં સંપૂર્ણ આગમને આવરી લેતા ચાર્ટ બનાવ્યા છે, જે વાંચકો માટે અત્યંત ઉપયોગી છે.
સંયમી જીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા હોય છે. જ્ઞાનના આભૂષણથી સંયમના સ્વાંગ સવિશેષ શોભી ઊઠે છે. આ સૂત્ર અમારી વૈરાગ્ય અવસ્થામાં જ દીક્ષાદાતા તપસમ્રાટ પૂ. ગુરુદેવે તેમજ ગુણીમૈયા પૂ. મુક્તલીલમ–ઉષાબાઈ મ. એ અમને સમજાવેલ હતું. તે સૂત્રને જીવનમાં વણવાનો પુરુષાર્થ અમારો ચાલુ હતો; સંયમી જીવનમાં સ્વાધ્યાયની સરગમ નિશદિન મધુરા સૂરે વહાવતી હતી તે સૂરને વધારે સુમધુર બનાવવાનો સુવર્ણ અવસર મને પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયો અને તે સુવર્ણક્ષણ એટલે દાદા ગુરુની જન્મ શતાબ્દીનો સુઅવસર...
જન્મશતાબ્દીને આગમ બત્રીસીનો ગુજરાતી અનુવાદ કરીને ઉજવીએ, જેનું વાંચન કરીને ગુજરાતી સમાજ પણ જ્ઞાનથી સભર બને અને ભાવી પેઢી આ શોર્ટ એન્ડ
0
42
Page #49
--------------------------------------------------------------------------
________________
નિષધકુમારનું પૂર્વભવ સાથે વિસ્તૃત વર્ણન છે. શેષ અગિયાર કુમારોના માત્ર નામ જ મળે છે.
ઉપરોક્ત પાંચ વર્ગાત્મક આ એક સૂત્ર છે પરંતુ કાલક્રમે આ એક જ સૂત્ર પાંચ સૂત્રના રૂપમાં ગણાવા લાગ્યું. તેમ છતાં આ સૂત્રને આજ સુધી વિભાજિત કર્યા વિના એકી સાથે એક શ્રુતસ્કંધ રૂપે જ રાખેલ છે. તેથી તેની મૌલિક એકસૂત્રતા આજે પણ સુરક્ષિત છે. વ્યાખ્યા સાહિત્ય :
પ્રસ્તુત સૂત્ર કથાપ્રધાન હોવાના કારણે તેના પર નિયુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ લખાઈ નથી. શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃત ભાષામાં આ સૂત્ર પર સંક્ષિપ્ત અને શબ્દાર્થ સ્પર્શી વૃત્તિ લખી છે. શ્રી ચંદ્રસૂરિનું જ બીજું નામ પાર્ષદેવગણિ હતું. તે શીલભદ્રસૂરિના શિષ્ય હતા. વૃત્તિનું ગ્રંથમાન ૬૦૦ શ્લોક પ્રમાણ છે.
બીજી સંસ્કૃત ટીકાનું નિર્માણ સ્થાનકવાસી જૈન પરંપરાના આચાર્ય ઘાસીલાલજી મહારાજે કર્યું હતું. તેની ટીકા સરળ અને સુબોધ છે. તે ટીકામાં કોણિકરાજાના પૂર્વભવનું પણ વર્ણન છે. બીજા પણ ઘણા પ્રસંગો છે.
વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રના પ્રકાશિત સાહિત્ય આ પ્રમાણે છે(૧) સન. ૧૯૨૨માં આગમોદય સમિતિ સુરત દ્વારા ચંદ્રસૂરિકૃત વૃત્તિ. (૨) સન. ૧૮૮૫માં બનારસથી ચંદ્રસૂરિકૃત વૃત્તિ અને ગુજરાતી વિવેચન. (૩) વિ.સં. ૧૯૯૦માં જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર દ્વારા મૂળ અને ટીકા તેમજ તેના ગુજરાતી અર્થ. (૪) સન. ૧૯૩૪માં ગુર્જરગ્રંથ કાર્યાલય અમદાવાદથી ભાવાનુવાદ. (૫) વીર સં. ૨૪૪૫માં હૈદરાબાદથી આચાર્ય અમોલખ ઋષિજી દ્વારા હિન્દી અનુવાદ. (૬) સન. ૧૯૬૦માં શાસ્ત્રોદ્ધારક સમિતિ રાજકોટથી આચાર્ય ઘાસીલાલજી
43
Page #50
--------------------------------------------------------------------------
________________
સ્વીટ વિવેચનનો લાભ લઈ જૈનદર્શનના હાર્દને સમજે, તેવી અંતઃસ્ફુરણા મમ ગુરુણીમૈયા પૂ. ઉષાબાઈ મ. ને થઈ. તે ભાવનાને પૂ. ગુરુવર્યોએ સાકાર સ્વરૂપ આપ્યું. મહત્ પુણ્ય યોગે મને શ્રી નિરયાવલિકા સૂત્રનો અનુવાદ કરવાની આજ્ઞા થઈ. ગુર્વાશાને સહર્ષ શિરોધાર્ય કરીને કાર્યનો પ્રારંભ કર્યો. શ્રુત અવગાહન કરતાં મને ખરેખર અનેરો આનંદ પ્રાપ્ત થયો છે.
આ અનુવાદમાં પૂર્વ પ્રકાશિત આગમોનો આધાર લીધો છે. તેના રચિયતા પૂર્વાચાર્યોને ભાવવંદન કરીને તેઓનો આભાર વ્યક્ત કરું છું.
સહુ પ્રથમ મમ સફળતાના સુકાની અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવને સ્મૃતિ પટ પર લાવી ભાવવંદન કરું છું.
અપ્રમત યોગી, નિષ્કામ શ્રુતસેવક એવા પૂ. ત્રિલોકમુનિ. મ. ને કેમ ભૂલાય ? જેઓશ્રીએ ખંતથી અને પ્રેમથી પોતાના શાસ્ત્રજ્ઞાનનો અમોને લાભ આપી, આ અનુવાદનું શુદ્ધિકરણ કરી આપેલ છે. તેમની આ શ્રુતસેવાની પ્રતિપળ અનુમોદના કરું છું.
પ્રત્યક્ષ ને પરોક્ષ પ્રેરણાસ્રોત વહાવતા એવા પૂ. જયંતગિરિ—જનક-જગ– હસુ-ગજ-નમ્ર મુનિ મ. સા. તેમજ અમારા સહુના શિરછત્ર પૂજ્યવરા પૂ. શ્રી મુક્તાબાઈ મ.; આ સહુને ભાવવંદન કરું છું.
મારા જ્ઞાનદાત્રી પરમ ઉપકારી એવા વડીલ ગુરુણીમૈયા પૂ. સાહેબજીની શ્રુતરુચિ તો અવર્ણનીય છે. જેઓશ્રીએ સદા બાહ્ય જગતથી વિમુખ રહીને, પોતાની સાધનાના અમૂલ્ય સમયનું યોગદાન આપી, સતત પરિશ્રમ ઉઠાવીને, અનુવાદનું અક્ષરશઃ અવલોકન કરીને, લેખનને સરસ ઓપ આપ્યો છે, તેઓશ્રીના ચરણકમલમાં શત્ શત્ વંદન..
મારા સંયમી જીવનના શિલ્પકાર એવા અનંત ઉપકારી ગુરુણીમૈયા વિદુષી પૂ. ઉષાબાઈ મ. નો ઉપકાર માનવાની શક્તિ મારામાં નથી છતાં પણ તેઓએ મને અનુવાદ કરવાની પ્રેરણા આપી, યોગ્ય માર્ગદર્શન આપ્યું; તેઓની હું ખૂબ જ ઋણી છું.
સહસંપાદિકા ડો. શ્રી આરતીબાઈ મ.(પી.એચ.ડી.) અને વિદુષી સાધ્વીશ્રી સુબોધિકાબાઈ મ. એ અનુવાદને સરળ બનાવેલ છે. તેમના પુરુષાર્થને ધન્યવાદ.
44
Page #51
--------------------------------------------------------------------------
________________
સંયમીજીવનના સહયોગી મારા ગુરુબેનો તેમજ નાના સતીજીઓને પણ આ તકે યાદ કરું છું. જેઓએ આ કાર્યમાં મને સુંદર સહકાર આપ્યો છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ ઉત્સાહથી આ કાર્યને આગળ વધાર્યું છે. શ્રી મુકુંદભાઈ, શ્રી ધીરુભાઈએ પૂર્ણતયા સહકાર આપ્યો છે. ભાઈશ્રી નેહલભાઈએ પ્રિન્ટિગ કાર્ય કર્યું છે. તે બદલ સહુનો આ સમયે આભાર વ્યક્ત કરું છું.
અનુવાદમાં છદ્મસ્થાવસ્થાને કારણે, પ્રમત્તયોગે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય, કાંઈ પણ ક્ષતિ રહેલ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.....
મુમુક્ષુ ભવ્યાત્માઓ આ શ્રુતસાગરમાં ડૂબકી મારીને જ્ઞાનમોતી સહજ ભાવે મેળવી આત્માનંદ અનુભવે એ જ મંગલ ભાવના....
45
પૂ. મુક્ત–લીલમ ગુરુણીના પ્રશિષ્યા અને વિદૂષી પૂ. ઉષાબાઈ સ્વામીના શિષ્યાસાધ્વી કિરણ
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૨ સ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
ક્રમ
વિષય
અસ્વાધ્યાય કાલ
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી
બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર
એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૧ ૧૨-૧૩
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય
શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય
કરા પડે
ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય
ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ
[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય].
ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ
સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં
યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર
ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને
ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી
૨૧-૨૮]
સંપૂર્ણ દિવસ–રાત્રિ
એક મુહૂર્ત
૨૯-૩ર
[નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]
46
Page #53
--------------------------------------------------------------------------
________________
श्री पांग सूत्र श्री श्री पांगसूत्र
भूत्र श्री उपांग सूत्रोण भी उपांग सत्र श्री धांस यी यांग सूत्र श्री यांग सूत्रांग सांग सूत्र श्री यांग सूत्र
श्री पांग
व श्री Gधांग सूत्र श्री Gधांग सूत्र श्री Gधांग सूत्र श्री राधांग सूत्र श्री Gधांग सूत्र सूत्र श्री उधांग सूत्रांग श्री पांग सूत्र श्री पांग
ઉપાંગ
श्री यांग सूत्र
મૂત્ર
ટHટી :
૨ રચિત 6
श्री यांग सूत्र श्री यांग सूत्र श्री उपांग की
વિર )
પાંગસુત્ર શ્રી ભાગ સ
નિરયાવલિકા શ્રી ઉપરા મુત્ર શ્રી ઉપાંગ સૂ શ્રી ઉગ કલ્પાવતંસિકા, પુષ્પિકા,
પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા
મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ
ની કિટ
અનુવાદિક છે કિરણ
આ કાલિકસૂત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે.
Page #54
--------------------------------------------------------------------------
Page #55
--------------------------------------------------------------------------
________________
પુષ્ટિકા વર્ગ
ત્રીજો વર્ગ
પુષ્પા
Fe
પરિચય :
પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારિકજનોનું જીવન વૃત્તાંત છે. જ્યારે ત્રીજા વર્ગમાં કોઈ પણ એક પરિવારના વ્યક્તિઓનું નિરૂપણ નથી. તેમજ દસે અધ્યયનના દર્સ વ્યક્તિઓનો પરસ્પર સાંસારિક કોઈ સંબંધ પણ નથી. તે સર્વે વિખરાયેલા સ્લની જેમ જુદા-જુદા હોવાથી આ વર્ગનું નામ પુષ્પિકા છે. દસે અઘ્યયનનો સાર સ્વતંત્ર રીતે અધ્યયનના પ્રારંભમાં આપ્યો છે.
દશ અધ્યયનમાં ક્રમશઃ (૧) જ્યોતિષી ચંદ્રદેવના ત્રણ ભવ (૨) સૂર્યદેવના ત્રણ ભવ (૩) મહાગ્રહ શુક્રદેવના ત્રણ ભવ (૪) બહુપુત્રિકા દેવીના પાંચ ભવનું વર્ણન છે. અંતે (૫–૧૦) પૂર્ણભદ્ર આદિ દરેકના ત્રણ-ત્રણ ભવનું સંક્ષપ્ત વર્ણન છે.
પ્રથમ અધ્યયન
પ્રસ્તુત અધ્યયન ચન્દ્રદેવના પૂર્વભવનું જીવનદર્શન છે.
ઃ
ચંદ્રદેવ :- એકદા ચંદ્રદેવ પ્રભુ મહાવીરના દર્શનાર્થે ભરતક્ષેત્રમાં આવ્યા. પ્રભુના દર્શન કરીને ૩ર પ્રકારની નાટયવિધિ બતાવીને તથા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરીને સ્વસ્થાને ગયા. ત્યારપછી ગૌતમ સ્વામીની જિજ્ઞાસાના સમાધાનાર્થે પ્રભુએ ચંદ્રદેવનો પૂર્વ ભવ કર્યો.
પૂર્વભવ ! – શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામના ધનસંપન્ન શેઠ રહેતા હતા. તે અનેક લોકોને આલંબનભૂત, આધારભૂત અને માર્ગદર્શક હતા.
એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. ધર્મદેશના સાંભળી, સંસારથી વિરક્ત થયા. પુત્રને કુટુંબનો ભાર સોંપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગનો અભ્યાસ કર્યો. વિવિધ તપશ્ચર્યાઓ કરી. તપસંયમની સાધનાના અંતે પંદર દિવસનો સંથારો કરી, આયુષ્ય પૂર્ણ થતાં ચંદ્ર વિમાનમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં કંઈક ઉણપ રહેવાથી વિરાધક થયા.
વર્તમાનમાં આપણે જે વિમાનને જોઈએ છીએ, તેમાં આ અંગતિનો જીવ ઈન્દ્ર રૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી દેવી, ૪૦૦૦ સામાનિક દેવ, ૧૦૦૦ આત્મરક્ષક દેવ આદિ ઋદ્ધિ છે.
ચંદ્રદેવ પોતાની એક લાખ વર્ષ સાધિક એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે.
નાક કામ ક
Page #56
--------------------------------------------------------------------------
________________
[ ૭૦]
શ્રી નિરયાવલિકા સૂત્ર
' ત્રીજો વર્ગ : પુષ્પિકા
પ્રથમ અધ્યયન : ચંદ્રદેવ
અધ્યયન પ્રારંભ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं दोच्चस्स वग्गस्स कप्पवडिसियाणं अयमढे पण्णत्ते, तच्चस्स णं भंते ! वग्गस्स पुप्फियाणं के अढे पण्णत्ते ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं तच्चस्स वग्गस्स पुप्फियाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा
चंदे सूरे सुक्के, बहुपुत्तिय पुण्ण माणिभद्दे य । दत्ते सिवे बले य, अणाढिए चेव बोद्धव्वे ॥
ભાવાર્થ :- હે ભગવન! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના બીજા વર્ગ કલ્પાવર્તાસિકાનો આ ભાવ પ્રતિપાદિત કર્યો છે, તો હે ભગવન્! તૃતીય વર્ગ પુષ્યિકામાં ક્યા ભાવ પ્રરૂપિત કર્યા છે?
હે જંબૂ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના તૃતીયવર્ગ પુષ્પિકાના દશ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) શુક્ર (૪) બહુ પુત્રિકા (૫) પૂર્ણભદ્ર (૬) મણિભદ્ર (૭) દત્ત (૮) શિવ (૯) બલ (૧૦) અનાદત.
વિવેચન :
પહેલાં અને બીજા વર્ગમાં ૧૦–૧૦ અધ્યયનોમાં શ્રેણિકના પુત્ર અને પૌત્રોનું વર્ણન છે. તે સર્વે કથાનક અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના શાસનના છે.
- પ્રસ્તુત સૂત્રમાં ત્રીજા વર્ગના દશ અધ્યયનોનો નામ નિર્દેશ છે. આ દશે જીવો પૂર્વ ભવમાં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં ધર્મનો બોધ પામ્યા હતા. તેઓનો વર્તમાન ભવ દેવરૂપે વર્ણિત છે અને ભવિષ્યમાં તે દશ મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. | २ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं
Page #57
--------------------------------------------------------------------------
________________
| yपि
[-3: अध्य.-१
| ७१
दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेण भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ :- હે ભગવન! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા નામના ત્રીજા વર્ગના દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવન્! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ અધ્યયનમાં કયા ભાવોનું नि३५५ र्यु छ ?
જ્યોતિષેન્દ્ર ચંદ્રનું રાજગૃહમાં આગમન :| ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे वण्णओ । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया।
तेणं कालेणं तेणं समएणं चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए चंदसि सीहासणंसि चउहिं सामाणीयसाहस्सीहिं जाव विहरइ । इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे पासइ, पच्छा समणं भगवं महावीरं । एवं जहा सूरियाभे तहा आभिओगं देवं सद्दावेत्ता जाव सुरिंदाभिगमणजोग्गं करेत्ता तमाणत्तियं पच्चप्पिणति । सुस्सरा घंटा जाव विउव्वणा, णवरं जाणविमाणं जोयणसहस्सवित्थिण्णं अद्धतेवट्ठिजोयणमूसियं, महिंदज्झओ पणुवीसंजोयणमूसिओ, सेसंजहा सूरियाभस्स जाव आगओ । णट्टविही । तहेव पडिगओ ।
भंते ! त्ति भगवं गोयमे समणं भगवं पुच्छा । कूडागारसाला दिद्रुतो । सरीरं अणुपविट्ठा । पुव्वभव पुच्छा । ભાવાર્થ :- હે જંબુ ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શનાર્થે नीजी.
તે કાળે તે સમયે જ્યોતિષીઓના રાજા, જ્યોતિર્મેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધર્માસભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર બેસીને ચાર હજાર સામાનિક દેવો સહિત કાવતુ સુખપૂર્વક રહેતા હતા. ત્યારે તેણે પોતાના વિપુલ અવધિ જ્ઞાનથી સંપૂર્ણ જંબૂદ્વીપને જોયો અને શ્રમણ ભગવાન મહાવીરને પણ જોયા. ત્યાર પછી તેણે સૂર્યાભદેવની જેમ પોતાના અભિયોગિક(સેવક) દેવોને બોલાવ્યા યાવત રાજગૃહી નગરીને દેવ-દેવેન્દ્રોના ગમનાગમનને યોગ્ય કરવાની આજ્ઞા આપી અને તે પ્રમાણે કાર્ય થઈ જવાની સૂચના આપવા કહ્યું. આભિયોગિક દેવોએ તે પ્રમાણે કર્યું.
Page #58
--------------------------------------------------------------------------
________________
[
૭૩ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ત્યારપછી પોતાના પદાતીસેના નાયકને આજ્ઞા આપી કે સુસ્વરા ઘંટાને વગાડીને સર્વ દેવદેવીઓને ભગવાનના દર્શન માટે આવવાની સૂચના કરો. તે સેના નાયકે પણ તે પ્રમાણે જ કર્યું કાવત્ સૂર્યાભદેવની જેમ યાન વિમાનની વિદુર્વણા કરી. પરંતુ વિશેષતા એ છે કે તે વિમાન એક હજાર યોજના વિસ્તારવાળું હતું અને દરર યોજન ઊંચુ હતું. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ ૨૫ યોજનાની હતી. તે સિવાય શેષ વર્ણન સૂર્યાભદેવની જેમ જાણવું જોઈએ થાવ તે ભગવાનની પાસે આવ્યા, નાટયવિધિ કરીને પાછા ગયા.
હે ભગવનું ! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને દેવની ઋદ્ધિ સંબંધમાં પ્રશ્ન પૂછ્યો. ભગવાને કૂટાકાર શાળાના દષ્ટાંત દ્વારા સમજાવ્યું કે તે સર્વ દિવ્ય ઋદ્ધિ આદિ તેના શરીરમાં અંતહિત થઈ ગઈ. ત્યાર પછી ગૌતમ સ્વામીએ તે ચંદ્ર દેવના પૂર્વભવની પૃચ્છા કરી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રના ભગવાન સમીપે થયેલા ચન્દ્ર દેવના આગમનનું સંક્ષિપ્ત વર્ણન છે. દેવો પોતાની ઋદ્ધિ દેખાડવા સેંકડો રૂપોની વિકર્વણા કરી વિવિધ નાટક દેખાડે છે. પછી તે બધા રૂપો શરીરમાં અંતહિત થઈ જાય છે.
કુટાકાર શાળાનું દષ્ટાંતઃ- કોઈ અંદર–બહાર છાણથી લીંપેલી, બહારથી ચારે બાજુ કોટથી ઘેરાયેલી, ગુપ્ત ધારો વાળી, મજબૂત ધારવાળી, દરવાજામાંથી પવનનો પ્રવેશ થવો પણ અશક્ય હોય તેવી વિશાળ કુટાકાર શાળા(શિખરના આકારવાળી શાળા) હોય અને તે કૂટાકાર શાળાની નજીક એક મોટો જનસમૂહ બેઠો હોય તે પોતાની તરફ આવતાં ખૂબ મોટા મેઘપટલને અથવા પાણી વરસાવે તેવા વાદળાને અથવા પ્રચંડ વાવાઝોડાને આકાશમાં જોઈને તરત જ પોતાની સુરક્ષા માટે જનસમૂહ તે કૂટાકારશાળામાં પ્રવેશ કરી જાય છે. તે જ રીતે વિદુર્વણા કરેલી તે દિવ્ય દેવદ્ધિ આદિ શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે.
પુષ્યમવ પુચ્છા :- ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવને જાણવાનો પાઠ અહીં વિશબ્દથી સંક્ષિપ્ત છે. તેનો વિસ્તૃત પ્રશ્ન આ પ્રમાણે જાણવો. હે ભગવન્!તે દેવને આ પ્રકારની દિવ્યઋદ્ધિ યાવતું દિવ્ય દેવપ્રભાવ તેને કેવી રીતે મળ્યા? કેવી રીતે પ્રાપ્ત થયા? પૂર્વભવમાં તે કોણ હતા? તેનું શું નામ અને કયું ગોત્ર હતું? કયા ગામ, નગર, નિગમ(વ્યાપાર પ્રધાન નગર), રાજધાની, ખેડ, કર્બટ(નીચા નીચા ઘરવાળું ગામ), મડબ(જેની આસપાસ ચારે બાજુ એક યોજન સુધી બીજું કોઈ ગામ ન હોય), પત્તન(સમુદ્રની નજીકનું ગામ-નગર), દ્રોણમુખ(જલ અને સ્થલ માર્ગ સાથે જોડાયેલું નગર), આકર, આશ્રમ, સબાહ (યાત્રીઓ, પથિકોને વિશ્રામ યોગ્ય ગ્રામ અથવા નગર), સન્નિવેશ (સાધારણ મનુષ્યોની વસતી)નો નિવાસી હતો? તેણે એવું કહ્યું દાન દીધું, કયા પુણ્યના કાર્યો કર્યા કે જેથી તે દેવે તે દિવ્યદ્ધિ થાવત દૈવિક પ્રભાવ પ્રાપ્ત કર્યા છે? ચંદ્રનો પૂર્વભવ : અંગતિ ગાથાપતિ :| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था ।
Page #59
--------------------------------------------------------------------------
________________
| धुपि4-3मध्य.-१
| 93 कोट्ठए चेइए । तत्थ णं सावत्थीए णयरीए अङ्गई णामं गाहावई होत्था- अड्डे दित्ते वित्ते वित्थिण्णविउलभवण-सयणासण-जाणवाहणे बहुधणबहुजायरूवरयए आओग-पओगसंपउत्ते विच्छड्डियपउरभत्तपाणे बहुदासीदासगोमहिसगवेलगप्पभूए बहुजणस्स अपरिभूए ।
तए णं से अङ्गई गाहावई सावत्थीए णयरीए बहूणं णगरणिगम सेट्ठिसेणावइसत्थवाह-दूय-संधिवालाणं बहुसु कज्जेसु य कारणेसु य कुडुंबेसु मंतेसु य य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे, सयस्स वि य णं कुडुंबस्स मेढी, पमाणं, आहारे, आलंबणं, चक्खु; मेढीभूए जाव चक्खुभूए सव्व- कज्जवड्ढावए यावि होत्था । ભાવાર્થ :- હે ગૌતમ! તે કાલ અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામનું ઉદ્યાન હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા. તે ધનાઢય, તેજસ્વી, સર્વ પ્રકારે संपन्न, विशाणसने घएघर, शय्या, आसन, रथ, गाडी, घोड, पई धन, सोना-यांही साहिन मालिक હતા અને વ્યાપાર દષ્ટિથી ધનનું આદાન-પ્રદાન કરતા હતા. જમ્યા પછી પણ તેના ઘરમાં પુષ્કળ ખાદ્ય પદાર્થ વધતા હતા. જે અનાથ-ગરીબ મનુષ્યો તથા પશુ-પક્ષીઓને આપી દેવાતા હતા. તેના ઘરમાં ઘણા દાસ-દાસી, ગાય-ભેંસ, બળદ, બકરાં આદિ હતાં. તે સમૃદ્ધિ આદિના કારણે અપરિભૂત-પ્રતિષ્ઠા પ્રાપ્ત હતા અર્થાત પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે તેનું કોઈ અપમાન, તિરસ્કાર કે અનાદર કરી શકતું नतुं.
તે અંગતિ ગાથાપતિ(આનંદ શ્રાવકની જેમ) શ્રાવસ્તી નગરીના ઘણાં નગરજનો, વ્યાપારી, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલક– સીમારક્ષક આદિના અનેક કાર્યોમાં, કારણોમાં, મંત્રણાઓમાં, પારિવારિક સમસ્યાઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યોમાં નિર્ણયો લેવામાં, સામાજિક વ્યવહારોમાં પૂછવા યોગ્ય અને વિચાર-વિમર્શ કરવા યોગ્ય હતા. તે સિવાય પોતાના કુટુંબ પરિવારના કેન્દ્ર સ્થાનભૂત– મેઢીભૂત, આધારભૂત, આલંબનરૂપ, ચક્ષુભૂત, માર્ગદર્શક તથા બધા પ્રકારના કાર્યોને આગળ વધારનાર હતા. ભગવાન પાર્શ્વનાથનું પદાર્પણ :| ५ तेणं कालेणं तेणं समएणं पासे णं अरहा पुरिसादाणीए आइगरे एवं जहा उववाइए महावीरो, णवरं णवहत्थुस्सेहे सोलसेहिं समणसहस्सेहि अट्ठतीसाए अज्जियासहस्सेहिं जाव सुहं सुहेणं विहरमाणे सावत्थीए णयरीए कोट्ठए चेइए समोसढे । परिसा णिग्गया । ભાવાર્થ :- કાલે અને તે સમયે પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાન ધર્મની આદિ કરનારા
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
ઈત્યાદિ ઉવવાઈ સૂત્ર વર્ણિત શ્રમણ ભગવાન મહાવીરની સમાન વિશેષણોથી યુક્ત પરંતુ વિશેષતા એ છે કે તે નવ હાથની અવગાહનાવાળા અને સોળ હજાર શ્રમણો તથા આડત્રીસ હજાર સાધ્વીઓના સમુદાયની સાથે વિહાર કરતાં યાવત્ કોષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ દર્શનાર્થે નીકળી. |६ तए णं से अङ्गई गाहावई इमीसे कहाए लद्धटे समाणे हटे, जहा कत्तिओ सेट्ठी तहा णिग्गच्छइ जाव पज्जुवासइ । धम्म सोच्चा णिसम्म, जं णवरं देवाणुप्पिया! जेट्टपुत्तं कुटुंबे ठावेमि, तए णं अहं देवाणुप्पियाणं अंतिए जाव पव्वयामि । जहा गङ्गदत्ते तहा पव्वइए जाव गुत्तबंभयारी । ભાવાર્થ :- ત્યાર પછી તે અંગતિ ગાથાપતિ ભગવાન પાર્શ્વનાથના પદાર્પણના સમાચાર સાંભળી, હર્ષિત થયા. કાર્તિકશેઠની જેમ પોતાના ઘરેથી નીકળ્યા યાવત્ વંદન–નમસ્કાર કરી ભગવાનની પર્યપાસના કરી, ધર્મને સાંભળીને, હૃદયમાં ધારીને તેણે ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરી- હે ભગવન્! હું મારા મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને આપની પાસે સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારપછી ભગવતી સૂત્રવર્ણિત ગંગદત્તની જેમ તેણે દીક્ષા લીધી યાવતું ગુપ્ત બ્રહ્મચારી અણગાર થઈ ગયા.
અંગતિ અણગારનો દેવ રૂપે જન્મ :
७ तए णं से अङ्गई अणगारे पासस्स अरहओ तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अङ्गाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ जाव विचित्तेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए सलेहणाए तीस भत्ताइ अणसणाए छेइत्ता विराहियसामण्णे कालमासे कालं किच्चा चंदवडिसए विमाणे उववाय सभाए देवसयणिज्जसि देवदूसंतरिए चंदे जोइसिंदत्ताए उववण्णे ।
तए णं से चंदे जोइसिंदे जोइसियराया अहुणोववण्णे पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, तं जहा- आहारपज्जत्तीए सरीरपज्जत्तीए इंदियपज्जत्तीए सासोसास- पज्जत्तीए भासमणपज्जत्तीए । ભાવાર્થ :- ત્યારપછી અંગતિ અણગારે અહંત પાર્શ્વનાથના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને ચતુર્થભક્ત (ઉપવાસ) આદિ વિવિધ તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં ઘણા વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને, અર્ધમાસિક સંલેખના– પૂર્વક અનશનદ્વારા ત્રીસ ભક્ત(ભોજન)નો ત્યાગ કરીને, મૃત્યુ સમયે કાળ કરીને સંયમ વિરાધનાના કારણે ચંદ્રાવતંસક વિમાનની ઉપપાત સભામાં દેવદૂષ્યથી આચ્છાદિત દેવશયામાં જ્યોતિષે ચંદ્ર રૂપે ઉત્પન્ન થયા.
Page #61
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૧
[ ૭૫]
ત્યારપછી તે તુરંત ઉત્પન્ન થયેલા જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્ઠરાજ ચંદ્ર પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા, યથા– આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ અને ભાષામન:પર્યાપ્તિ . |८ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! पलिओवमं वाससयसहस्सब्भहियं ।
एवं खलु गोयमा ! चंदस्स जोइसिंदस्स जोइसरण्णो सा दिव्वा देविड्डी जाव अभिसमण्णागया । ભાવાર્થ - હે ભગવન્! જ્યોતિર્મેન્દ્ર, જ્યોતિષ્ઠરાજ ચંદ્રની કેટલી સ્થિતિ છે? હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ કહી છે.
હે ગૌતમ! આ પ્રમાણે તે જ્યોતિષરાજ ચંદ્ર તે દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી છે.
'વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંગતિ અણગારની આદર્શ તપ-સંયમ સાધનાનું પ્રતિપાદન છે.
તેમણે તીર્થંકર પાસે દીક્ષિત થઈને, સ્થવિરો પાસે અગિયાર અંગનું અધ્યયન કર્યું; માસખમણ સુધીની વિવિધ અને વિચિત્ર તપસ્યા કરી; અંતે ૧૫ દિવસનો સંથારો કર્યો અને કાલધર્મ પામી જ્યોતિષી દેવમાં ચંદ્રદેવ તરીકે ઉત્પન્ન થયા.
ભગવતી સૂત્રાનુસાર સંયમીની ગતિ વૈમાનિકદેવની જ થાય છે. પરંતુ અંગતિ અણગાર જ્યોતિષી દેવ તરીકે ઉત્પન્ન થયા. શાસ્ત્રકારે તેના સમાધાન માટે વિદિય સાપ શબ્દનો પ્રયોગ કર્યો છે.
નિરાદિ સામw :- સંયમની વિરાધના કરીને. સંયમની વિરાધના આ શબ્દ ઘણો ગંભીર અને વિશાળ છે. તેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેની વિરાધના સમાવિષ્ટ થઈ જાય છે.
ચારિત્રના મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરનાર બકુશ કે પ્રતિસેવના નિગ્રંથો કાળધર્મ પામીને વૈમાનિકની ગતિ પામે છે. પરંતુ ચારિત્રની વિરાધના સાથે દર્શન વિરાધક જ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વી મનુષ્યો જ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધે
આયુષ્ય બંધના ઉપરોક્ત સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે કે અંગતિ અણગારે પૂર્વે મિથ્યાત્વાવસ્થામાં જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધ્યું હોય, તો જ તેની જ્યોતિષી દેવમાં ઉત્પત્તિ સંભવે છે.
સૂત્રમાં અંગતિ અણગારની ઉચ્ચ પ્રકારની તપ-સંયમ સાધનાના વર્ણન સાથે તેને માટે વિદિય
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
સામળે' શબ્દ પ્રયોગ છે. પરંતુ તેણે કયા નિમિત્તથી, કેવી રીતે દર્શનની, જ્ઞાનની કે ચારિત્રના મૂળગુણ અથવા ઉત્તરગુણની વિરાધના કરી, તે વાતની સૂત્રમાં કોઈ સ્પષ્ટતા જણાતી નથી. તેમ છતાં વિાહિય સામળે. એક જ શબ્દ પ્રયોગના કારણે અને જ્યોતિષીમાં ઉત્પન્ન થયા તેથી નિશ્ચિત થાયછે કે તેઓએ સમકિતની અને ચારિત્રની કોઈ અક્ષમ્ય વિરાધના અવશ્ય કરી હતી.
ચંદ્રદેવનું ભવિષ્ય :
९ चंदे णं भंते ! जोइसिंदे जोइसराया ताओ देवलोगाओ आउक्खएणं जाव चइत्ता कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहि ।
ભાવાર્થ :- હે ભગવન્ ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
અધ્યયનનો ઉપસંહાર ઃ
१० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फयाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । -ત્તિ નેમિ । ભાવાર્થ :- હે જંબૂ ! આ પ્રમાણે મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા વર્ગના પ્રથમ અધ્યયનનો આ ભાવ કહ્યો છે.
|| વર્ગ-૩ અધ્ય.-૧ સંપૂર્ણ |
Page #63
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૨
[ ૭૭]
વર્ગ-૩ અધ્ય. ર
પરિચય :
આ અધ્યયનમાં સૂર્યદેવના પૂર્વભવનું જીવન વૃત્તાંત છે.
એકદા જ્યોતિર્મેન્દ્ર સૂર્યદેવ પ્રભુના દર્શનાર્થે આવ્યા. પોતાની ઋદ્ધિ આદિનું પ્રદર્શન કરીને સ્વસ્થાને ગયા. ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો. સૂર્યદેવનો પૂર્વભવ – શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગતિની સમાન જાણવું અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધનાદિ અંગતિના પ્રથમ અધ્યયન સમાન જ છે. આયુષ્ય પૂર્ણ કરીને તે જ્યોતિષેન્દ્ર સૂર્યદેવ થયા. તેની ઋદ્ધિ પણ ચંદ્રદેવની સમાન છે.
સૂર્યદેવ પોતાની એક હજાર વર્ષ સાધિક એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી, તપ-સંયમનું પાલન કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે.
Page #64
--------------------------------------------------------------------------
________________
७८
વર્ગ-૩ અધ્ય.-ર
સૂર્યદેવ
શ્રી નિરયાવલિકા સૂત્ર
અધ્યયન પ્રારંભ :
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फयाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ : – હે ભગવન્ ! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા નામક ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનના પૂર્વોક્ત ભાવોનું નિરૂપણ કર્યું છે, તો હે ભગવન્ ! તેઓએ બીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ? સૂર્યદેવનું સમવસરણમાં આગમન :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे । गुणसीलए चेइए । सेणिए राया । समोसरणं । जहा चंदो तहा सूरो वि आगओ जाव णट्टविहिं उवदंसित्ता पडिगओ । पुव्वभवपुच्छा । सावत्थी णगरी । सुपइट्ठे णामं गाहावई होत्था- अड्डे जहेव अङ्गई जाव विहरइ । पासो समोसढो । जहा अङ्गई तहेव पव्वइए, तहेव विराहियसामण्णे जाव महाविदेहे वासे सिज्झिहिइ ।
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. જેવી રીતે ચંદ્રદેવ દર્શનાર્થે આવ્યા હતા, તેમ સૂર્ય ઈન્દ્ર પણ આવ્યા. નૃત્યવિધિ બતાવીને ચાલ્યા ગયા.
ત્યાર પછી ગૌતમ સ્વામીએ સૂર્યના પૂર્વભવના વિષયમાં પૂછ્યું; ભગવાને ઉત્તર આપ્યો– શ્રાવસ્તી નામની નગરી હતી. તેમાં ધન–વૈભવ આદિથી સંપન્ન સુપ્રતિષ્ઠ નામના ગાથાપતિ રહેતા હતા. તે પણ અંગતિની જેવા જ ધનાઢ્ય અને પ્રભાવશાળી હતા. ત્યાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. અંગતિની જેમ તે પણ પ્રવ્રુજિત થયા અને તે જ પ્રમાણે સંયમની વિરાધના કરી, મૃત્યુના અવસરે મૃત્યુ પામીને સૂર્યવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે ત્યાંથી ચ્યવીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે.
Page #65
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૨
|| ૭૯ ]
અધ્યયનનો ઉપસંહાર :| ३ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
-તિ નેમિના ભાવાર્થ – હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના બીજા અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. ઉપસંહારઃ- વૈજ્ઞાનિકો જ્યોતિષેન્દ્ર સૂર્યદેવના વિમાનને અગ્નિનો ગોળો સમજે છે અને ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. જ્યારે જૈન સિદ્ધાંતમાં તેને રત્નોના વિમાન કહ્યાં છે. આ વિમાનો જ્યોતિષેન્દ્ર ચંદ્રદેવ અને સૂર્યદેવના સંપૂર્ણ પરિવારના નિવાસ સ્થાન અને જન્મ સ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. સૂર્યવિમાન સમભૂમિથી ૮00 યોજન ઊંચે રહેતાં નિરંતર ભ્રમણ કરે છે અને ચંદ્રવિમાન ૮૮૦ યોજન ઊંચે રહેતાં ભ્રમણ કરે છે.
ને વર્ગ-૩ અધ્ય.-ર સંપૂર્ણ છે
Page #66
--------------------------------------------------------------------------
________________
८०
વર્ગ-૩ અધ્ય. ૩
શ્રી નિરયાવલિકા સ્ત્ર
પરિચય :
આ ઉદ્દેશકમાં શુક્ર નામના મહાગ્રહ દેવના પૂર્વભવ સોમિલ બ્રાહ્મણનું જીવન વૃત્તાંત છે.
એકદા શુક્ર દેવ પ્રભુ દર્શનાર્થે આવ્યા. પોતાની ઋદ્ધિ, નાટકનું પ્રદર્શન કરી પાછા ચાલ્યા ગયા. ત્યારપછી ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો.
શુક્રદેવનો પૂર્વભવ ઃ– વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક વૈદિક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. એક વખત તે નગરીમાં પ્રભુ પાર્શ્વનાથ પધાર્યા. પ્રભુનું પદાર્પણ થયું છે એમ જાણીને સોમિલ બ્રાહ્મણ પણ પોતાના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રભુ સમીપે ગયા. પ્રભુએ તેની શંકાઓનું સમાધાન કર્યું. પ્રભુના સમાગમે તેણે જૈન ધર્મ અને શ્રાવકના બાર વ્રતનો સ્વીકાર કર્યો.
સમય વ્યતીત થતાં સંત સમાગમના અભાવે તેની ધર્મશ્રદ્ધા ઘટી ગઈ. તેના આચાર વિચારમાં પરિવર્તન આવ્યું. તેણે અનેક આમ્રાદિ ફળોનાં ઉદ્યાન બનાવ્યા. કાલાન્તરે તેમણે દિશા પ્રોક્ષિક તાપસ પ્રવ્રજ્યા અંગીકાર કરી અને દિચક્રવાલ તપની આરાધના શરૂ કરી. તેમાં તે છઠના પારણે છઠની તપસ્યા અને પારણાના દિવસે ક્રમશઃ એક એક દિશાનું પૂજન કરી, તે દિશાના સ્વામી લોકપાલ દેવની આજ્ઞાપૂર્વક કંદ, મૂળ આદિ ગ્રહણ કરીને, આહાર કરતા હતા. તેણે વર્ષો સુધી તાપસ પ્રવ્રજ્યાનું પાલન કરીને મહામૃત્યુ માટે પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો અને સંકલ્પ કર્યો કે "મારે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જવું અને રસ્તામાં જ્યાં પડી જાઉં ત્યાંથી ઊઠવું નહીં." આ પ્રમાણે અભિગ્રહ કરી તેણે ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કર્યું. આખો દિવસ ચાલીને સાંજે યોગ્ય સ્થાને વૃક્ષ નીચે નિયમાનુસાર વિધિ વિધાન કરી, કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધી ધ્યાનસ્થ બની ગયા. રાત્રે એક દેવે પ્રગટ થઈને કહ્યું– હે સોમિલ ! તારી પ્રવ્રજયા દુષ્પ્રવ્રજ્યા છે.
સોમિલે દેવના વચનની અવગણના કરીને, બીજે, ત્રીજે, ચોથે દિવસે પણ ચાલવાનું ચાલુ રાખ્યું, ચોથી રાત્રે પુનઃ દેવ પ્રગટ થયા અને સોમિલને પૂર્વવત્ સૂચન કર્યું.
પાંચમી રાત્રે પણ પૂર્વવત્ ઘટના ઘટી. ત્યારે સોમિલે પૂછ્યું, હે દેવ ! મારી પ્રવ્રજ્યાને દુષ્પ્રવ્રજ્યા શા માટે કહો છો ? મારે તેમાં શું પરિવર્તન કરવું ?
તેના ઉત્તરમાં દેવે તેને ફરીવાર શ્રાવક ધર્મ સ્વીકારવાનું સૂચન કર્યું. દેવની સૂચનાનુસાર સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ત્યારપછી ઉપવાસથી લઈને માસમાખણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક
Page #67
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૩.
[ ૮૧]
વર્ષો સુધી શ્રાવક વ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, આલોચના આદિ કર્યા વિના મૃત્યુ પામી શુક્રાવતંસક વિમાનમાં શુક્રમહાગ્રહ દેવપણે ઉત્પન્ન થયા.
વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે સોમિલ વિરાધક થઈ, જ્યોતિષીમાં ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
Page #68
--------------------------------------------------------------------------
________________
[ ૮૨]
શ્રી નિયાવલિકા સત્ર
'વર્ગ-૩ અધ્ય.-૩
મહાશુક
અધ્યયન પ્રારંભ :| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेण पुफियाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, तच्चस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- જંબૂ સ્વામીએ આર્ય સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભગવન્! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા વર્ગના બીજા અધ્યયનનો આ ભાવ કહ્યો છે, તો હે ભગવન્! તેઓએ ત્રીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે. પ્રભુ દર્શને મહાશુક્ર દેવનું આગમન :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया ।
ભાવાર્થ - હે જંબૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉધાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ ધર્મદેશના સાંભળવા નીકળી.
| ३ तेणं कालेणं तेणं समएणं सुक्के महग्गहे सुक्कवडिसए विमाणे सुक्कसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं जाव विहरइ एवं जहेव चंदो तहेव आगओ, णट्टविहिं उवदंसित्ता पडिगओ । भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं पुच्छा । कूडागारसाला दिद्रुतो । पुव्वभव पुच्छा । ભાવાર્થ :- કાળે અને તે સમયે શુક્ર મહાગ્રહ દેવ શુક્રાવતુંસક વિમાનમાં, ચાર હજાર સામાનિક (ઈન્દ્રસમાન ઋદ્ધિવાળા)દેવોથી પરિવૃત્ત થઈને, શુક્ર સિંહાસન ઉપર બેઠા હતા. તે મહાશુક્ર દેવ, ચંદ્રની જેમ ભગવાનના દર્શન કરવા સમવસરણમાં આવ્યા, નૃત્યવિધિ બતાવીને ચાલ્યા ગયા.
Page #69
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૩
.
[ ૮૩]
હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરી ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તે શુક્ર મહાગ્રહની દૈવિક ઋદ્ધિ અંતર્લીન થયાના સંબંધમાં પૂછ્યું. ભગવાને કુટાકારશાલાના દાંતથી ગૌતમનું સમાધાન કર્યું. ગૌતમે પુનઃ તેના પૂર્વભવ વિષે પૂછ્યું. વિવેચન :
આકાશમાં જે પ્રકાશમાન સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા દેખાય છે, તે પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના વિમાન છે. સર્વ જ્યોતિષી દેવોના વિમાન–આવાસ આ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર છે. અઢીદ્વિીપમાં આ વિમાનો ચાલતા જ રહે છે. તેમ છતાં દેવ તે વિમાનોમાં રહેલી શય્યામાં જન્મે છે. રહે છે. અઢીદ્વીપ બહાર જ્યોતિષીઓના વિમાનો સ્થિર છે. આ વિમાનોના આકાર, પ્રકાર આદિ વિસ્તૃત વર્ણન જૈનાગમોમાં છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનો સાતમો વક્ષસ્કાર અને સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર. પ્રસ્તુત અધ્યયનમાં શુક્રનામના મહાગ્રહદેવનું વર્ણન છે. શુક્ર મહાગ્રહનો પૂર્વભવ-સોમિલ બ્રાહ્મણ :| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी होत्था। तत्थ णं वाणारसीए णयरीए सोमिले णामं माहणे परिवसइ । अड्डे जाव अपरिभए: रिउव्वेय-जउव्वेय-सामवेयाथव्वाणं इतिहासपंचमाणं णिघंटुछट्ठाण संगोवंगाणं सरहस्साणं सारए वारए धारए पारए सडङ्गवी सद्विततविसारए सखाणे सिक्खाकप्पे वागरणे छदे णिरुत्ते जोइसामयणे अण्णेसु य जाव बहुसु बंभण्णए सु सत्थेसु सुपरिणिट्ठिए । पासे समोसढे । परिसा पज्जुवासइ । ભાવાર્થ :- હે ગૌતમ! તે કાળ તે સમયે વારાણસી નામની નગરી હતી. ત્યાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ધન-ધાન્ય આદિથી સંપન્ન-સમૃદ્ધ અપરાભૂત હતો. તે અન્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદ, પાંચમો ઈતિહાસ, છઠ્ઠો નિઘંટુ(કોશ)ને સાંગોપાંગ રહસ્ય સહિત જાણતો હતો તથા તે વેદ શાસ્ત્રોનો સારક(વેદ પાઠોને સ્મરણ કરાવનાર પાઠક), વારક(અશુદ્ધ પાઠ બોલતા રોકનાર), ધારક(વેદ આદિ ધારણ કરનાર, વેદાદિને નહીં ભૂલનાર) અને પારક(વેદાદિ શાસ્ત્રોનો પારગામી) હતો. આ રીતે તે ષષ્ટાંગવિ હતો અને સાંખ્ય શાસ્ત્રમાં વિશારદ-પ્રવીણ હતો. ગણિતશાસ્ત્ર, શિક્ષા, કલ્પ(તથા પ્રકારના આચાર શાસ્ત્ર બતાવનાર), વ્યાકરણ, છંદ શાસ્ત્ર, નિરુક્ત શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રમાં નિપુણ હતો. તથા બીજા ઘણાં બ્રાહ્મણશાસ્ત્રો સંબંધી નીતિ અને દર્શનશાસ્ત્ર આદિમાં અત્યંત નિષ્ણાત હતો. તે નગરીમાં પુરુષાદાનીય અહેતુ પાર્શ્વપ્રભુ પધાર્યા. પરિષદ નીકળી અને પર્યાપાસના કરવા લાગી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સોમિલ બ્રાહ્મણનો સંક્ષિપ્ત પરિચય છે. સોમિલ બ્રાહ્મણ વેદ વેદાંગનો જ્ઞાતા હતો.
Page #70
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
રિલબ્ધ – બ્રાહ્મણ મતમાં છ અંગ કહ્યા છે જેમાં ઋગ્વદ આદિ ચાર વેદ, પાંચમું અંગ ઈતિહાસ ગ્રંથ અને છઠ્ઠો ગ્રંથ નિઘંટુ નામનો કોશ છે. આ છ અંગોના જાણનાર માટે અહંકાવી = ષષ્ટાંવિ શબ્દ પ્રયોગ થાય છે.
વાપી :- શાસ્ત્રમાં વારલી અને વારાણસી બે શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સૂત્રમાં વાલ પાઠ સ્પષ્ટ છે. ગુજરાતી ભગવદ્ ગોમંડલ કોશમાં વારાણસી શબ્દ છે અને અભિધાન રાજેન્દ્ર કોશ અને અર્ધમાગધી કોશમાં વાઈરફી શબ્દ છે. નગરીના નામ કરણ માટે કોશોમાં સ્પષ્ટ કર્યું છે કે વાર અને અલી નામની બે નદીઓની વચ્ચે વસેલી હોવાથી તે નગરીનું નામ વાર+આરી = વાપાળવા પડ્યું છે. વર્તમાનમાં આ નગરીનું નામ બનારસરૂપે પ્રસિદ્ધ છે. તે ઉત્તર પ્રદેશમાં છે.
સોમિલ બ્રાહ્મણ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :| ५ तए णं तस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लद्धट्ठस्स समाणस्स इमे एयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु पासे अरहा पुरिसादाणीए पुव्वाणुपुट्वि चरमाणे जाव अप्पाणं भावेमाणे विहरइ । तं गच्छामि णं पासस्स अरहओ अंतिए पाउब्भवामि, इमाइं च णं एयारूवाई अट्ठाई हेऊइं पसिणाई कारणाई वागरणाइं पुच्छिस्सामि एवं जहा पण्णत्तीए सोमिलो तहा णिग्गओ जाव संबुद्धे, सावगधम्म पडिवज्जित्ता पडिगए । तए णं पासे अरहा अण्णया कयाइ वाणारसीओ णयरीओ अंबसालवणाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી ભગવાન પધાર્યા છે, તે સમાચાર જાણીને સોમિલ બ્રાહ્મણના મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો- "પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાન પૂર્વાનુપૂર્વી અનુક્રમથી વિહાર કરતાં થાવ આમ્રપાલવનમાં બિરાજી રહ્યા છે, તેથી હું જાઉં અને પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં પહોંચીને મારા મનમાં મુંઝવતા શબ્દોના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ અને વ્યાખ્યા પૂછું." આ રીતે ભગવતી સૂત્ર વર્ણિત સોમિલની જેમ પ્રશ્નો પૂછળ્યા અને પ્રભુના યથોચિત ઉત્તર સાંભળી, બોધ પામી, શ્રાવકધર્મ સ્વીકારીને પાછો ફર્યો. ત્યાર પછી કોઈ સમયે ભગવાન પાર્શ્વનાથ વારાણસી નગરીના આદ્મશાલ ઉધાનમાંથી બહાર નીકળ્યા, નીકળીને બહારના દેશમાં વિચારવા લાગ્યા.
દષ્ટિ પરિવર્તન-મિથ્યાત્ત્વની પ્રાપ્તિ :| ६ तएणं से सोमिले माहणे अण्णया कयाइ असाहुदंसणेण य अपज्जुवासणयाए य मिच्छत्तपज्जवेहिं परिवड्डमाणेहिं परिवड्डमाणेहिं सम्मत्तपज्जवेहि परिहायमाणेहिं
Page #71
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૩
[૮૫]
परिहायमाणेहिं मिच्छत्तं पडिवण्णे । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ક્યારેક અસાધુદર્શન– મહાવ્રતધારી સાધુઓના દર્શન અને તેમની પર્યાપાસના ન કરવાથી તથા મિથ્યાત્વ પર્યાય વધવાથી અને સમ્યકત્વ પર્યાય ઘટવાથી મિથ્યાત્વ (વિપરીત શ્રદ્ધા)ને પ્રાપ્ત થયો.
વિવેચન :
સોમિલ, બ્રાહ્મણ સમાજમાં અગ્રણીય વિદ્વાન હોવા છતાં તે નગરીમાં પ્રભુ પાર્શ્વનાથ પધાર્યા ત્યારે પ્રસન્ન ભાવે દર્શન અને પ્રશ્નોના સમાધાન માટે ગયો. ધર્મદેશના સાંભળીને બાર વ્રતધારણ કરવા રૂપ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પરંતુ પૂર્વ સંસ્કારોની પ્રગાઢતા અને નૂતન સ્વીકૃત વીતરાગ ધર્મના સંસ્કારોની પુષ્ટીનું નિમિત્ત ન મળતાં તે શ્રાવકધર્મ વિસરીને શ્રદ્ધાવિહીન બની ગયો. ઉત્તરા. અ. ૨૮માં ઉત્તરાધ્યયન સૂત્ર ર૮માં શ્રદ્ધાની સુરક્ષા માટે શ્રદ્ધાના ચાર અંગ કહ્યા છે, યથા–
परमत्थ संथवो वा, सुदिट्ठ परमत्थ सेवणा वावि ।
वावण्ण कुदसण वज्जणा, इय सम्मत्त सद्दहणा ॥ આ ગાથાનું તાત્પર્ય એ છે કે સમ્યકત્વ-શ્રદ્ધાનને સુરક્ષિત રાખવા માટે (૧) પરમાર્થ પરિચયજિનભાષિત તત્ત્વનો, પરમાર્થને પામેલી વ્યક્તિનો પરિચય કરવો. (૨) પરમાર્થ સેવા–પરમાર્થને પામેલા જ્ઞાની શ્રમણોનું સત્સંગ, ધર્મદેશના વગેરેનો લાભ લેવો; સેવા, પર્યાપાસના કરવી. (૩) વાવન્ન– જેની શ્રદ્ધા પ્રરૂપણા વિકૃત થઈ ગઈ હોય તે વ્યક્તિઓના સંગનો ત્યાગ કરવો. (૪) કુદર્શન વર્જના- કુદર્શનીજિન માર્ગથી વિપરીત પ્રરૂપણા કરનાર મિથ્યાત્વીઓના સંગનો ત્યાગ કરવો. આ ચારે અંગના સેવનથી શ્રદ્ધાની સંપૂર્ણ સુરક્ષા અને સ્થિરતા જળવાઈ રહે છે.
સોમિલ બ્રાહ્મણ સાક્ષાત્ ભગવાન પાર્શ્વનાથ પ્રભુની પાસે પ્રતિબોધિત થયો હતો છતાં સત્સંગના અભાવે શ્રાવકધર્મથી ટ્યુત થઈ ગયો. સોમિલ દ્વારા ઉધાન નિર્માણ :| ७ तए णं तस्स सोमिलस्स माहणस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुंबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं वाणारसीए णयरीए सोमिले णामं माहणे अच्चतमाहणकुलप्पसूए । तएणं मए वयाई चिण्णाई, वेया य अहीया, दारा आहुया, पुत्ता जणिया, इड्डीओ समाणीयाओ, पसुबंधा कया, जण्णा जट्ठा, दक्खिणा दिण्णा, अतिही पूइया, अग्गी हूया, जूवा णिक्खित्ता । तं सेयं खलु मम इयाणि कल्लं जाव जलते
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
वाणारसीए णयरीए बहिया बहवे अंबारामा रोवावित्तए; एवं माउलिङ्गा बिल्ला कविट्ठा चिंचा पुप्फारामा रोवावित्तए; एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते वाणारसीए णयरीए बहिया अंबारामे जाव पुप्फारामे य रोवावेइ ।
८५
ભાવાર્થ :- ત્યાર પછી એક વખત મધ્યરાત્રિમાં કુટુંબ જાગરણ કરતાં તે સોમિલ બ્રાહ્મણને આ પ્રકારનો આંતરિક સંકલ્પ થયો. કે "હું વારાણસી નગરીમાં રહેનારો અને અત્યંત શુદ્ધ બ્રાહ્મણકુળમાં જન્મેલો છું. મેં વ્રત ગ્રહણ કર્યા છે, વેદનો અભ્યાસ કર્યો, લગ્ન કર્યા, વંશ પરંપરાની વૃદ્ધિ માટે પુત્રવાન બન્યો, સમૃદ્ધિ ભેગી કરી–અર્થોપાર્જન કર્યું, પશુબંધ કર્યા– ગાય, ભેંસોનું પાલન કર્યું, યજ્ઞ કર્યા, દક્ષિણા આપી, અતિથિ પૂજા—સત્કાર કર્યા, અગ્નિમાં આહુતિ આપી, યજ્ઞ સ્થંભ નાંખ્યા વગેરે ગૃહસ્થ સંબંધી સર્વ કાર્ય કરી લીધા છે. હવે મારે માટે યોગ્ય છે કે કાલે સૂર્યોદય થતાં વારાણસી નગરીની બહાર આંબાનાં वृक्षोनो जगीयो जनावुं तथा भातुसिंग - जिभेरा, जिला, डोठा, थिंया - आमसी तथा सोनी वाडी जनावु." આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને, રાત્રિ પૂર્ણ થતાં, સૂર્યોદય થતાં જ તેણે વારાણસી નગરીની બહાર આંબાના ઘણાં બગીચાથી લઈને ફૂલની વાડી સુધીનાં પૂર્વોક્ત સર્વ સ્થળો બનાવરાવ્યા.
८ तए णं बहवे अंबारामा य जाव पुप्फारामा य अणुपुव्वेणं सारक्खिज्जमाणा संगोविज्जमाणा संवड्डिज्जमाणा आरामा जाया किण्हा किण्होभासा जाव रम्मा महामेह णिकुरंबभूया पत्तिया पुष्फिया फलिया हरियगरेरिज्जमाणा सिरीए अईव - अईव उवसोभेमाणा उवसोभेमाणा चिट्ठति ।
ભાવાર્થ :- ત્યાર પછી તે આમ્રવન યાવત્ પુષ્પવાડી વગેરે ધીમે ધીમે અનુક્રમથી સંરક્ષિત–જીવાદિકના ભયથી રક્ષણ કરાતાં, સંગોપિત–વાયુ આદિથી ગુપ્ત કરાતાં, સંવર્ધિત–પાણી સિંચન દ્વારા વિકાસ કરાતાં વૃદ્ધિ પમાડાતાં, દર્શનીય બની ગયા. તે લીલાછમ, લીલીછમ કાન્તિવાળા, પાણીથી ભરેલાં વાદળા હોય તેવા ઘનીભૂત રંગવાળા, પત્ર તથા પુષ્પોવાળા અને ફળોવાળા, હરિયાળા અને અત્યંત સુશોભિત થઈ ગયા. સોમિલનો ગૃહત્યાગ વિચાર :
९ तए णं तस्स सोमिलस्स माहणस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुडुंबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं वाणारसीए णयरीए सोमिले णामं माहणे अच्चतमाहणकुलप्पसूए । तए णं मए वयाइं चिण्णाई जाव जूवा णिक्खित्ता । तए णं मए वाणारसीए णयरीए बहिया बहवे अंबारामा जाव पुप्फारामा य रोवाविया । तं सेयं खलु मए इयाणि कल्लं जाव जलते सुबहुं लोहकडाहकडुच्छुयं तंबियं तावसभण्डं घडावेत्ता विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता मित्तणाइणियगसंबंधिपरिजणं आमंतेत्ता
Page #73
--------------------------------------------------------------------------
________________
પુપિકા વર્ગ–૩: અધ્ય.-૩ .
[ ૮૭ ] तं मित्तणाइ णियगसंबंधिपरिजणं विउलेणं असणपाणखाइमसाइमेणं वत्थगंध मल्लालंकारेण य सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइणियगसंबधिपरिजणस्स पुरओ जेट्ठपुत्तं कुटुंबे ठवित्ता तं मित्तणाइणियगसंबंधिपरिजणं जेट्ठपुत्तं च आपुच्छित्ता सुबहुं लोहकडाहकडुच्छयं तंबियं तावसभण्डगं गहाय जे इमे गङ्गाकूला वाणपत्था तावसा भवंति, तं जहा- होत्तिया पोत्तिया कोत्तिया जण्णई सड्डई थालई हुंबउट्ठा दंतुक्खलिया उम्मज्जगा संमज्जगाणिमज्जगा संपक्खालगा दक्खिणकूला उत्तरकूला संखधमा कूलधमा मियलुद्धया हत्थितावसा उद्दडा दिसापोक्खिणो वक्कलवासिणो बिलवासिणोजलवासिणोरुक्खमूलिया अंबुभक्खिणो वाउभक्खिणोसेवाल भक्खिणो मूलाहारा कंदाहारा तयाहारा पत्ताहारा पुप्पाहारा फलाहारा बीयाहारा परिसडियकंदमूलतय-पत्तपुप्फफलाहारा जलाभिसेयकढिणगायभूया आयावणाहिं पंचग्गितावेहि इंगालसोल्लियं कंदुसोल्लियं पिव अप्पाणं करेमाणा विहरति । तत्थ णं जे ते दिसापोक्खिया तावसा तेसिं अंतिए दिसापोक्खियत्ताए पव्वइत्तए । ભાવાર્થ :- ત્યાર પછી કોઈ સમયે કુટુંબ જાગરણ કરતાં તે સોમિલ બ્રાહ્મણને આ પ્રકારનો અધ્યવસાયઆત્મવિચાર ઉત્પન્ન થયો કે– વારાણસી નગરીનો વાસી હું સોમિલ અત્યંત શુદ્ધ-પ્રસિદ્ધ બ્રાહ્મણકુળમાં જન્મેલો છું. મે વ્રતોનું પાલન કર્યું. વેદોનો અભ્યાસ કર્યો, યજ્ઞસ્થંભ રોપાવ્યા અને ત્યાર પછી વારાણસી નગરીની બહાર આંબાના ઘણાં બગીચા અને ફૂલવાડી બનાવ્યા. હવે મારે માટે યોગ્ય છે કે કાલે પ્રાતઃ કાલ થતાં જ લોઢાની કડાઈ, કડછી, તામ્રપાત્ર આદિ તાપસો માટેના અનેક ઉપકરણ બનાવીને તથા અશન, પાન, ખાદિમ, સાદિમ આદિ પદાર્થો વિપુલ માત્રામાં તૈયાર કરાવીને,મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ અને પરિચિતોને આમંત્રિત કરી; વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર–સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ અને પરિચિતોની સામે જ્યેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપીને તથા મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, પરિચિતોને અને જ્યેષ્ઠ પત્રને પૂછીને તે લોઢાની કડાઈ, કડછી આદિ તાપસોના ઉપકરણો લઈને, જે ગંગાતટ વાસી વાનપ્રસ્થ તાપસ છે, જેમ કે– (૧) હોત્રિક–અગ્નિહોત્રી (૨) પોતિક–વસ્ત્રધારી (૩) કૌત્રિક-ભૂમિશાયી (૪) યાજ્ઞિક-યજ્ઞ કરનારા (૫) શ્રાદ્ધક-શ્રાદ્ધ કરનારા (૬) સ્થાલકી–પાત્ર ધારણ કરનારા (૭) હુંડિકા–એક કમંડળને જ ધારણ કરનારા (૮) દંતોખલિક-દાંતથી ધાન્યને ફોતરા રહિત કરીને માત્ર ચાવીને ખાનારા (૯) ઉન્મસ્જક–શરીર પર એક વાર પાણી નાંખી સ્નાન કરનાર (૧૦) સમસ્જક – વારંવાર પાણી નાખી સ્નાન કરનાર (૧૧) નિમજ્જક–પાણીમાં ડૂબકી મારી સ્નાન કરનાર (૧૨) સંપ્રક્ષાલક- માટીથી શરીરને ચોળીને સ્નાન કરનારા (૧૩) દક્ષિણકૂલવાસી–ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનારા (૧૪) ઉત્તરકૂલવાસી (૧૫) શંખધૂમા-શંખ વગાડીને ભોજન કરનારા અર્થાત્ શંખનો અવાજ સાંભળીને કોઈ અતિથિ આવે તો તેને જમાડીને પછી જમનારા (૧૬) કૂલધ્યા-કિનારા ઉપર ઊભા રહીને અવાજ કર્યા
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
પછી ભોજન કરનારા (૧૭) મૃગ લુબ્ધક–હરણનું માંસ ખાઈ જીવન વ્યતીત કરનારા (૧૮) હસ્તીતાપસહાથીનું માંસ ખાઈ જીવન વ્યતીત કરનારા (૧૯) ઉદંડક–દંડને ઊંચો ઉપાડી ચાલનારા (૨૦) દિશાપ્રોક્ષિક–પાણી છાંટીને દિશાઓની પૂજા કરનારા (ર૧) વલ્કલવાસી–વૃક્ષની છાલને પહેરનારા (રર) બિલવાસી-ભૂમિની નીચેની ગુફામાં-ભોયરામાં રહેનારાં (૨૩) જલવાસી–જલમાં રહેનારા (૨૪) વૃક્ષમૂલિક–વૃક્ષના થડ પાસે જ રહેનારા (૨૫) જલભક્ષી–માત્ર જલનો જ આહાર કરનારા (૨૬) વાયુભક્ષી-વાયુ માત્રથી જ જીવનારા (૨૭) સેવાળભક્ષી (૨૮) મૂલાહારી (૨૯) કંદહારી (૩૦) ત્વચાહારી (૩૧) પન્નાહારી-બિલીપત્ર આદિ પાંદડાં ખાનારા (૩૨) પુષ્પાહારી (૩૩) ફલહારી (૩૪) બીજાહારી (૩૫) સરી ગયેલાં કંદમૂળ, છાલ, પાન, ફૂલ તથા ફલને ખાનારા (૩૬) જલના અભિષેકથી કઠણ શરીરવાળા (૩૭) સૂર્યની આતાપના અને પંચાગ્નિ તાપથી પોતાના દેહને અંગારપક્વ(અંગારામાં પકાવેલ) અને કંપન્વ(કડાઈમાં શેકેલ)ની જેમ તપાવનાર અર્થાતુ પોતાના શરીરને ઉપરોક્ત કષ્ટ આપનારા; આમ અનેક વાનપ્રસ્થ તાપસો વિચરે છે, તેમાંથી જે દિશાપ્રોક્ષિક તાપસ છે, તેની પાસે હું દિશાપોષિક રૂપે પ્રગ્રંજિત બનવાની ઈચ્છા રાખું છું. |१० पव्वइए वियणं समाणे इमं एयारूवं अभिग्गहं अभिगिण्हिस्सामि-कप्पइ मे जावज्जीवाए छटुंछद्रेणं अणिक्खित्तेणं दिसाचक्कवालेणं तवोकम्मेणं उर्ल्ड बाहाओ पगिज्झिय पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते सुबहुं लोहकडाह जाव दिसा- पोक्खियतावसत्ताए पव्वइए । पव्वइए वि य णं समाणे अभिग्गह अभिगिण्हित्ता पढम छट्ठक्खमणं उवसंपज्जित्ताणं विहरइ ।।
ભાવાર્થ :- પ્રવજિત થયા પછી પણ હું આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ કે– "જ્યાં સુધી જીવું ત્યાં સુધી નિરંતર છઠ–છઠ કરતો દિશા ચક્રવાલ તપસ્યા કરીને, સૂર્યની સામે બે હાથ ઊંચા રાખીને આતાપના ભૂમિમાં આતાપના લઈશ," તેણે આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને સૂર્યોદય થતાં લોઢાની કડાઈ, કડછી આદિ તાપમોચિત વિવિધ ઉપકરણો સાથે દિશા પ્રોક્ષિક તાપસ રૂપે પ્રવ્રજિત થયો. તાપસ થઈને, પૂર્વોક્ત અભિગ્રહ ધારણ કરીને પ્રથમ છઠ તપ સ્વીકારી વિચરવા લાગ્યો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શ્રાવક વ્રતથી ભ્રષ્ટ થયેલા સોમિલ બ્રાહ્મણની લૌકિક રુચિનું અને ત્યાર પછી તાપસી પ્રવ્રજ્યા માટે ગૃહત્યાગની ઉત્કટ ભાવનાનું દિગ્દર્શન કરાવ્યું છે.
નવમા સુત્રમાં વિવિધ પ્રકારની તાપસ પ્રવ્રજ્યાનો નિર્દેશ કર્યો છે જેની સંખ્યા સાડત્રીસ થાય છે. તેમાંથી સોમિલ દિશા પ્રોક્ષિક તાપસી પાસે પ્રવ્રજિત થયો અને તેમાં પણ આજીવન છઠ–છઠના તપનો સ્વીકાર કર્યો. આ વર્ણનથી તેની ધર્મ પ્રત્યેની અને તપ સાધના પ્રત્યેની ઉત્કૃષ્ટ ભાવના પ્રગટ થાય છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
| धुपि
-3 मध्य.-3
| ८९
સોમિલની દિશાપોષિક સાધના :|११ तए णं सोमिले माहणरिसी पढमछट्ठक्खमणपारणंसि आयावणभूमीए पच्चोरुहइ. पच्चोरुहित्ता वागलवत्थणियत्थे जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिणसंकाइयं गेण्हइ, गेण्हित्ता पुरत्थिमं दिसिं पोक्खेइ पोक्खेत्ता एवं वयासी- अहो णं पुरत्थिमाए दिसाए सोमे महाराया! पत्थाणे पत्थियं अभिरक्खउ सोमिल- माहणरिसिं, अभिरक्खउ सोमिलमाहणरिसिं । जाणि य तत्थ कंदाणि य मूलाणि य तयाणि य पत्ताणि य पुप्फाणि य फलाणि य बीयाणि य हरियाणि य ताणि अणुजाणउ त्ति कटु पुरत्थिमं दिसं पसरइ, पसरित्ता जाणि यतत्थ कंदाणि य जावहरियाणि यताइंगेण्हइ, गेण्हित्ता किढिणसंकाइयगं भरेइ, भरित्ता दब्भे य कुसे य पत्तामोडं च समिहाओ कट्ठाणि य गेण्हेइ, गेण्हित्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिणसंकाइयगं ठवेइ, ठवेत्ता वेई वड्डेइ, वड्वेत्ता उवलेवणसम्मज्जणं करेइ, करेत्ता दब्भकलस-हत्थगए जेणेव गंगा महाणई तेणेव उवागच्छइ उवागच्छित्ता गंगं महाणई ओगाहइ ओगाहित्ता जलमज्जणं करेइ, करेत्ता जलकिडं करेइ, करेत्ता जलाभिसेयं करेइ, करेत्ता आयंते चोक्खे परमसुइभूए देवपिउकयकज्जे दब्भकलसहत्थगए गंगाओ महाणईओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भे य कुसे य वालुयाए य वेइं रएइ, रएत्ता सरयं करेइ, करेत्ता अरणिं करेइ, करेत्ता सरए णं अरणिं महेइ, महेत्ता, अग्गि पाडेइ, पाडेत्ता अग्गि संधुक्केइ, संधुक्कित्ता समिहा कट्ठाणि पक्खिवइ, पक्खिवित्ता अग्गि उज्जालेइ, उज्जालेत्ता अग्गिस्स दाहिणे पासे सत्तंगाई समादहे, तं जहा
सकथं वक्कलं ठाणं, सेज्जभंडं कमंडलुं । दण्डदारूं तहप्पाणं, अह ताई समादहे ॥ १ ॥
महुणा य घएण य तंदुलेहि य अग्गि हुणइ । चळं साहेइ, साहित्ता बलि वइस्सदेवं करेइ, करेत्ता अतिहिपूयं करेइ, करेत्ता तओ पच्छा अप्पणा आहारं आहारेइ । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણે પ્રથમ છઠના પારણાના દિવસે આતાપના ભૂમિથી નીચે
Page #76
--------------------------------------------------------------------------
________________
૯૦ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
ઊતરીને વલ્કલ(છાલ)નાં વસ્ત્ર પહેર્યા અને જ્યાં પોતાની કુટિર હતી, ત્યાં આવ્યો, આવીને કાવડ લીધી અને પૂર્વ દિશાનું જલથી સિંચન કર્યું અને કહ્યું- હે પૂર્વ દિશાના લોકપાલ સોમ મહારાજ ! સાધનામાર્ગમાં પ્રસ્થિત(પ્રવૃત્ત) એવા આ સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરો અને અહીં(પૂર્વ દિશામાં) જે કાંઈ કંદ, મૂળ, છાલ, પાંદડા, પુષ્પ, ફલ, બીજ અને લીલોતરી આદિ છે તે લેવાની આજ્ઞા આપો" એમ કહીને પૂર્વ દિશામાં ગયો. ત્યાં જઈને જે કાંઈ કંદ, મૂલ, આદિ હતાં તે ગ્રહણ કર્યા અને પોતાની કાવડમાં રાખ્યાં; પછી ડાભ, કુશ, તોડેલાં પાંદડા અને સમિધ(હોમનાં કાષ્ઠ) લઈને, જ્યાં પોતાની કુટિર હતી ત્યાં આવ્યો અને કાવડ નીચે રાખી. પછી તેણે વેદિકા(દેવને પૂજવાનું સ્થાન)ને સાફ કરી, લીપીને શુદ્ધ બનાવી, દર્ભ તથા કલશને હાથમાં લઈને ગંગા નદી હતી ત્યાં આવ્યો અને તેમાં પ્રવેશ કરીને સ્નાન કર્યું, જલક્રીડા કરી અને શરીર પર પાણીનું સિંચન કર્યું, પછી આચમન કરીને સ્વચ્છ અને અત્યંત શુદ્ધ થઈને દેવતા, પિતૃ સંબંધી કાર્ય(તર્પણ વગેરે) કરીને, દર્ભ તથા કલશને હાથમાં લઈ, ગંગા નદીમાંથી બહાર નીકળ્યો અને પોતાની કુટીરમાં આવ્યો, આવીને ડાભ(મૂળ સહિત હોય તે દર્ભ), કુશ(મૂળ રહિત હોય તે) અને રેતીથી વેદી બનાવી, શરક–જે અગ્નિ ઉત્પન્ન કરવા માટે ઘસવામાં આવતું કાષ્ઠ અને અરણિ–જેના ઉપર શરક કાષ્ઠ ઘસાય તે; આ બંને કાષ્ઠને તૈયાર કર્યા પછી અગ્નિ પ્રજ્વલિત કરવા માટે શરકથી અરણિ કાષ્ઠને ઘસ્યું, ઘસીને તેમાંથી અગ્નિ પ્રગટ કર્યો, ફૂંક મારી તેને પ્રગટાવ્યો. તેમાં સમિધનાં કાષ્ઠ નાખીને વધારે પ્રજ્વલિત કર્યો. પછી અગ્નિની જમણી બાજુ સાત વસ્તુઓ રાખી (૧) સકત્થ(તાપસીનું ઉપકરણ વિશેષ) (૨) વલ્કલ (૩) સ્થાન(આસન) (૪) શય્યાભાંડ (૫) કમંડળ (૬) લાકડીનો દંડ (૭) પોતાનું શરીર, પછી મધ, ઘી અને ચોખાથી અગ્નિમાં હવન કર્યો. ઘી ચોપડીને હાંડલીમાં ચોખા રાંધ્યા, અગ્નિ દેવતાને બલિતર્પણ કરીને, અતિથિને જમાડીને પછી પોતે ભોજન ગ્રહણ કર્યું. १२ तए णं सोमिले माहणरिसी दोच्चं छटुक्खमणपारणगंसि, तं चेव सव्वं भाणियव्वं जाव आहारं आहारेइ । णवरं इमं णाणत्तं दाहिणं दिसिं पोक्खेइ पोक्खेत्ता एवं वासी- अहो णं दाहिणाए दिसाए जमे महाराया ! पत्थाणे पत्थियं अभिरक्खउ सोमिलं माहणरिसिं, अभिरक्खउ सोमिलं माहणरिसिं । जाणि य तत्थ कंदाणि य जाव हरियाणि य, ताणि अणुजाणउ त्ति कटु दाहिणं दिसिं पसरइ । एवं पच्चत्थिमेणं वरुणे महाराया जाव पच्चत्थिमं दिसिं पसरइ । उत्तरेणं वेसमणे महाराया जाव उत्तरं दिसिं पसरइ । पुव्वदिसागमेणं चत्तारि वि दिसाओ भाणियव्वाओ जाव आहारं आहारेइ । ભાવાર્થ :- ત્યારપછી સોમિલ બ્રાહ્મણે બીજો છઠ કર્યો. બીજા છઠના પારણાના દિવસે પણ આતાપના ભૂમિથી નીચે ઊતર્યો. વલ્કલના વસ્ત્ર પહેર્યા વગેરે પ્રથમ પારણામાં જે વિધિ કરી હતી તે જ પ્રમાણે બીજા પારણામાં પણ સર્વ વિધિ કરીને પછી આહાર કર્યો. તેમાં વિશેષતા એ છે કે તેણે દક્ષિણ દિશામાં જઈને કહ્યું- હે દક્ષિણ દિશાના લોકપાલ યમ મહારાજ! સાધના માટે પ્રવૃત્ત સોમિલ બ્રહ્મર્ષિની રક્ષા કરો અને તે દિશામાં જે કંદમૂલ આદિ છે તે લેવાની આજ્ઞા આપો. આ પ્રમાણે કહીને દક્ષિણ દિશામાં ગયો.
તે જ રીતે ત્રીજા છઠના પારણે પશ્ચિમના લોકપાલ વરુણ મહારાજાની આજ્ઞા લઈ પશ્ચિમ દિશામાં
Page #77
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૩.
[ ૯૧]
ગયો અને ચોથા છઠના પારણે ઉત્તરદિશાના લોકપાલ વૈશ્રમણ મહારાજની આજ્ઞા લઈ ઉત્તર દિશામાં કંદમલ આદિ સામગ્રી લેવા માટે ગયો. આ રીતે પૂર્વ દિશાના વિસ્તૃત વર્ણન પ્રમાણે ચારે ય દિશા સંબંધી વિધિનું કથન કરવું જોઈએ કાવત અંતે તે બ્રહ્મર્ષિએ અતિથિને જમાડી સ્વયં ભોજન કર્યું. વિવેચન :કિસાહિત્ય :- દિશાપ્રોક્ષિક તાપસી પ્રવ્રજ્યામાં દિશાની પ્રમુખતાથી તેના અધિપતિ દેવોની પૂજા ભક્તિ કરવામાં આવે છે અને તેઓની આજ્ઞાથી તે દિશામાંથી યજ્ઞ સામગ્રી અને ખાધ સામગ્રી ગ્રહણ કરવામાં આવે છે. ચારે ય દિશાઓના અધિપતિ દેવ શકેંદ્રના લોકપાલ સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ છે.
વિવિધ સંય કાવડ, વરું = હાંડલી, મટકી, વરું સાદે = હાંડલીમાં ચોખા પકાવ્યા. ન રેનં- વૈશ્વદેવ. અગ્નિદેવતા. વહિં વસેવં રે= અગ્નિદેવતાને ભોજન સામગ્રી તર્પણ કરી.
સોમિલનું મહાપ્રયાણ માટે પ્રસ્થાન :|१३ तए णं तस्स सोमिलमाहणरिसिस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि अणिच्चजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं वाणारसीए णयरीए सोमिले णाममाहणरिसी अच्चंतमाहणकुलप्पसूए । तए णंमए वयाइं चिण्णाइं जावजूवा णिक्खित्ता । तए णंमए वाणारसीए णयरीए बहिया जाव पुप्फारामा य रोविया । तए णं अहं जाव दिसापोक्खिय तावसत्ताएपव्वइए । पव्वइए वि य णं समाणे छठें छट्टेणं जाव विहरिए।
__ तं सेयं खलु ममं इयाणिं कल्लं जाव जलंते बहवे तावसे दिट्ठाभट्टे य पुव्वसंगइए य परियायसंगइए य आपुच्छित्ता आसम-संसियाणि य बहूई सत्तसयाई अणुमाणइत्ता वागलवत्थणियत्थस्स किढिणसंकाइयगहियसभण्डोवगरणस्स कट्ठमुद्दाए मुहं बंधित्ता उत्तरदिसाए उत्तराभिमुहस्स महापत्थाणं पत्थावेत्तए । ભાવાર્થ :- ત્યાર પછી એક વખત મધ્યરાત્રિએ અનિત્ય જાગરણ કરતાં સોમિલ બ્રહ્મર્ષિને આ પ્રકારનો વિચાર આવ્યો કે- હું વારાણસી નગરીનો રહેવાસી, અત્યંત ઊંચા કુળમાં જન્મેલો, સોમિલ નામનો બ્રહ્મર્ષિ છું. મેં ગૃહસ્થાશ્રમમાં વ્રત પાલન કર્યા છે, યજ્ઞ આદિથી લઈ યજ્ઞસ્થંભ રોપાવ્યા સુધીના કાર્ય કર્યા છે. ત્યાર પછી મેં વારાણસી નગરીની બહાર આમ્રવનથી ફૂલોના બાગ બનાવવા સુધીના કાર્ય કર્યા છે. ત્યાર પછી હું દિક્ષાપ્રોક્ષિક તાપસરૂપે પ્રવ્રજિત થયો અને તે દિવસથી જ નિરંતર છઠ છઠ તપશ્ચર્યા સ્વીકારીને વિચારું છું.
પરંતુ હવે મારા માટે એ યોગ્ય છે કે કાલે સૂર્યોદય થતાં જ અનેક દષ્ટ–ભાષિત (પૂર્વે જોયેલા કે
Page #78
--------------------------------------------------------------------------
________________
૯૨ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
વાતચીતના પ્રસંગમાં આવેલા), પૂર્વ સંગતિક-ગૃહસ્થ જીવનના સાથી અને પર્યાય સંગતિક-તાપસ પર્યાયના સાથીઓને પૂછીને, આશ્રમમાં રહેનારા અનેક સેંકડો પ્રાણીઓને વચન આદિથી સન્માન આપી, વલ્કલ વસ્ત્ર પહેરીને, કાવડમાં પોતાના ભંડોપકરણ લઈને તથા કાષ્ઠમુદ્રાથી મોઢાને બાંધીને, ઉત્તરાભિમુખ થઈ ઉત્તર દિશામાં મૃત્યુ માટે મહા પ્રસ્થાન કરું.
१४ एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभाए रयणीए जाव कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता अयमेयारूवं अभिग्गहं अभिगिण्हइ- जत्थेव णं अहं जलसि वा थलंसि वा दुग्गंसि वा णिण्णंसि वा पव्वयंसि वा विसमंसि वा गाए वा दरीए वा पक्खलिज्ज वा पवडिज्ज वा, णोखलु मेकप्पइ पच्चुट्टित्तए त्ति अयमेयारूवं अभिग्गहं अभिगिण्हइ, अभिगिण्हित्ता उत्तराए दिसाए उत्तराभिमुहं महापत्थाणं पत्थिए ।
ભાવાર્થ :- આ પ્રમાણે વિચાર કરીને સોમિલે બીજા દિવસે સૂર્યોદય થતાં રાત્રિએ વિચાર્યા પ્રમાણે સર્વ વિધિ કરી, કાષ્ઠમુદ્રા વડે પોતાનું મોટું બાંધ્યું અને એવો અભિગ્રહ લીધો કે હું ચાલતાં ચાલતાં જ્યાં જળ, સ્થળ, દુર્ગ(વિકટ સ્થાન), નીચો પ્રદેશ, પર્વત, વિષમભૂમિ, ખાડો કે ગુફા; ગમે તે સ્થાનમાં હું અલના પામું કે પડી જાઉં, તો મારે ત્યાંથી ઊઠવું કલ્પ નહીં અર્થાત્ ત્યાંથી ઊઠીશ નહીં, આ પ્રમાણે અભિગ્રહ કર્યો. ત્યાર પછી ઉત્તરાભિમુખ થઈ મહાપ્રસ્થાન માટે સોમિલબ્રહ્મર્ષિએ ઉત્તરદિશા તરફ પ્રયાણ કર્યું. १५ तए णं से सोमिले माहणरिसी पच्छावरण्हकालसमयंसि जेणेव असोगवरपायवे तेणेव उवागए, असोगवरपायवस्स अहे किढिणसंकाइयं ठवेइ, ठवित्ता वेई वड्डेइ, वेड्डित्ता उवलेवणसंमज्जणं करेइ, करित्ता दब्भकलसहत्थगए जेणव गङ्गा महाणई, जहा सिवो जावगङ्गाओ महाणईओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भेहि य कुसेहि य वालुयाए य वेइं रएइ, रएत्ता सरगं करेइ करित्ता जाव बलिं वइस्सदेवं करेइ, करित्ता कट्ठमुद्दाए मुह बंधइ, बधित्ता तुसिणीए सचिट्ठइ । ભાવાર્થ - ત્યાર પછી ચાલતાં ચાલતાં તે સોમિલ બ્રહ્મર્ષિ દિવસના ત્રીજા પ્રહરમાં જ્યાં સુંદર અશોકવૃક્ષ હતું ત્યાં આવ્યો. તે અશોકવૃક્ષની નીચે પોતાની કાવડ રાખી; ત્યારપછી વેદિકા (બેસવાની જગ્યા) સાફ કરી, તે લીંપી(પોતી)ને સ્વચ્છ બનાવી; પછી ડાભ સહિત કલશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં આવ્યો અને શિવરાજર્ષિની જેમ તે ગંગામહાનદીમાં સ્નાન આદિ ક્રિયા કરી ત્યાંથી બહાર નીકળ્યો; જ્યાં અશોકવૃક્ષ હતું ત્યાં આવીને ડાભ કુશ અને રેતીથી વેદી બનાવી; શરક તથા અરણીથી અગ્નિ પ્રજવલિત કર્યો વગેરે પૂર્વોક્ત વિધિ અનુસાર કાર્ય કરી, વૈશ્વદેવને તર્પણ કરી, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધી, મૌન ધારણ કરીને બેસી ગયો.
Page #79
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૩
૯૩ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિશાપ્રોક્ષિક તાપસ પ્રવ્રજ્યાધારી સોમિલ બ્રહ્મર્ષિના સંલેખના-સંથારા સંબંધી વર્ણન છે. છઠ-છઠના પારણા યુક્ત ઉગ્ર તપશ્ચર્યા કરતાં તે બ્રહ્મર્ષિને સંથારો–અંતિમ પ્રસ્થાન (મહાપ્રસ્થાન) કરવાનો સંકલ્પ થયો. આ પ્રમાણે સોમિલ બ્રહ્મર્ષિના પરિણામોમાં તપ અને ત્યાગના ભાવો ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા જોઈ શકાય છે.
મિદ્ – દષ્ટ + આભૃષ્ટ = જોયેલા અને વાતચીત કરેલા. બ્રહ્મર્ષિના ચલ સંથારાની વિશેષતાઓ - કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને વિહાર કરવો. પ્રતિદિન ઉત્તર દિશામાં ચાલવું. ત્રીજા પ્રહરમાં રોકાઈને સ્નાન, હવન વગેરે સર્વ યજ્ઞવિધિ કરવી. પછી અગ્નિદેવતાને બલિ તર્પણ કરી કાષ્ઠમદ્રાથી મુખ બાંધી મૌન ધારણ કરી ધ્યાનમાં બેસી જવું. બીજે દિવસે ફરી એ જ ક્રમથી દિનચર્યા કરવી. દેવ દ્વારા સોમિલને પ્રતિબોધ :१६ तए णं तस्स सोमिलमाहणरिसिस्स पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाउब्भूए । तए णं से देवे अंतलिक्खपडिवण्णे सोमिलमाहणं एवं वयासीहं भो सोमिलमाहणा ! पव्वइया दुप्पव्वइयं ते । तए णं से सोमिले तस्स देवस्स एयमटुं णो आढाइ, णो परिजाणइ, अणाढायमाणे अपरिजाणमाणे तुसिणीए સવિદ્દા
तएणं से देवे सोमिलं माहणं दोच्चंपि तच्चपि एवं वयासी-हं भो सोमिल माहणा ! पव्वइया दुप्पव्वइयं ते । तए णं से सोमिले तस्स देवस्स दोच्चंपि तच्चपि एवं वुत्ते समाणे णो आढाइ जाव तुसीणीए संचिट्ठइ । तए णं से देवे सोमिलेणं माहणरिसिणा अणाढाइज्जमाणे जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं પડિયા ભાવાર્થ :- ત્યાર પછી મધ્યરાત્રિના સમયે સોમિલ બ્રહ્મર્ષિની સમક્ષ એક દેવ પ્રગટ થયો. તે દેવે આકાશમાં રહીને સોમિલ બ્રહ્મર્ષિને આ પ્રમાણે કહ્યું- હે સોમિલ બ્રાહ્મણ! તમારી આ પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. સોમિલ બ્રહ્મર્ષિએ તે દેવની વાતનો આદર કર્યો નહીં, તેના કહેવા પર ધ્યાન આપ્યું નહીં, દેવના કથન પર આદર અને ધ્યાન ન આપતાં તે મૌન જ રહ્યો.
ત્યાર પછી દેવે બીજી અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું- હે સોમિલ બ્રાહ્મણ ! તમારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. ત્યારે સોમિલે બીજી ત્રીજીવાર પણ દેવની આ વાત પર ધ્યાન આપ્યું નહીં, મૌન
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
રહ્યો. ત્યાર પછી સોમિલ બ્રહ્મર્ષિ દ્વારા અનાદર પામેલો તે દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો.
८४
१७ तए णं से सोमिले कल्लं जाव जलते वागलवत्थणियत्थे किढिणसंकाइयं गहाय गहियभण्डोवगरणे कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए ।
ભાવાર્થ :- ત્યાર પછી બીજે દિવસે સૂર્યોદય થતાં વલ્કલ વસ્ત્રધારી સોમિલે કાવડ, ભંડોપકરણ આદિ લઈને, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને, ઉત્તરાભિમુખ થઈ, ઉત્તરદિશા તરફ પ્રયાણ કર્યું.
१८ तए णं से सोमिले बिइयदिवसम्मि पच्छावरण्हकालसमयंसि जेणेव सत्तिवण्णे तेणेव उवागए । सत्तिवण्णस्स अहे किढिणसंकाइयं ठवेइ, ठवित्ता वेइं वड्डेइ, एवं जहा असोगवरपायवे जाव अरिंग हुणइ, कट्ठमुद्दाए मुहं बंधइ, तुसिणीए संचिट्ठइ ।
तए णं तस्स सोमिलस्स पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाब्भू । तए णं से देवे अंतलिक्खपडिवण्णे जहा असोगवरपायवे जाव पडिगए । तए णं से सोमिले कल्लं जाव जलंते वागलवत्थणियत्थे किढिणसंकाइयं गेण्हइ, गिण्हित्ता कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए ।
ભાવાર્થ :- ત્યાર પછી બીજા દિવસના અપરાહ્નકાલના અંતિમ પ્રહરમાં (સાંજે) સોમિલબ્રહ્મર્ષિ જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે સપ્તપર્ણ વૃક્ષની નીચે કાવડ રાખીને વેદિકા—બેસવાના સ્થાનને સાફ કર્યું ઈત્યાદિ જેવી રીતે અશોકવૃક્ષની નીચે પહેલાં જે વિધિ કરી હતી તે સર્વ વિધિ અહીં પણ કરી યાવત્ અગ્નિમાં આહુતિ આપી અને કાષ્ઠમુદ્રાથી પોતાનું મુખ બાંધી બેસી ગયો.
ત્યારે મધ્યરાત્રિમાં સોમિલ બ્રહ્મર્ષિની સમક્ષ ફરીથી દેવ પ્રગટ થયો અને આકાશમાં રહીને અશોકવૃક્ષની નીચે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે ફરીથી કહ્યું. પરંતુ તે દેવની વાત પર સોમિલે કાંઈ ધ્યાન ન આપ્યું અને મૌન જ રહ્યો યાવત્ તે દેવ ફરીથી પાછો ગયો.
ત્યાર પછી ત્રીજે દિવસે વલ્કલ વસ્ત્રધારી સોમિલે સૂર્યના પ્રકાશિત થવા પર પોતાનાં કાવડ આદિ ઉપકરણ લીધાં અને કાષ્ઠમુદ્રાથી મુખને બાંધીને, ઉત્તર તરફ મુખ રાખીને ઉત્તર દિશામાં પ્રસ્થાન કર્યું.
१९ तए णं से सोमिले तइयदिवसम्मि पच्छावरण्हकालसमयंसि जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवरपायवस्स अहे किढिणसंकाइयं ठवेइ, ठवित्ता जाव कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता तुसिणीए संचिट्ठइ ।
Page #81
--------------------------------------------------------------------------
________________
| धुपि4-3: अध्य.-3
| ४५ तए णं तस्स सोमिलस्स पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं पाउन्भवित्था, तं चेव भणइ जाव पडिगए ।
तए णं से सोमिले कल्लं जावजलंते वागलवत्थणियत्थे किढिणसंकाइयं गहाय गहियभंडोवगरणे कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રહ્મર્ષિ ત્રીજા દિવસે ત્રીજા પ્રહરમાં જ્યાં ઉત્તમ અશોકવૃક્ષ હતું. ત્યાં આવ્યો, આવીને તે અશોકવૃક્ષની નીચે કાવડ રાખી વગેરે પૂર્વવત્ સર્વ વિધિ કરી, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને મૌન બેસી ગયો.
ત્યાર પછી મધ્યરાત્રિમાં સોમિલની સમક્ષ પુનઃ એક દેવ પ્રગટ થયો. તેણે તે જ પ્રમાણે કહ્યું થાવત તે દેવ પાછો ગયો.
ત્યાર પછી સૂર્યોદય થયો ત્યારે તે સોમિલ બ્રહ્મર્ષિએ વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા, કાવડ અને ભંડોપકરણ લઈને તથા કાષ્ઠમુદ્રાથી મુખને બાંધીને ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યો. २० तए णं से सोमिले चउत्थे दिवसे पच्छावरणहकालसमयंसि जेणेव वडपायवे तेणेव उवागए । वडपायवस्स अहे कढिणसंकाइयं ठवेइ जाव कट्ठमुद्दाए मुहं बंधइ, बंधित्ता तुसिणीए संचिट्ठइ ।
तए णं तस्स सोमिलस्स पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं पाउब्भवित्था, तं चेव भणइ जाव पडिगए । तए णं से सोमिले माहणे कल्लं जाव उत्तराए दिसाए उत्तराभिमुहे संपत्थिए ।
ભાવાર્થ :- ત્યાર પછી ચાલતાં ચાલતાં સોમિલ બ્રહ્મર્ષિ ચોથા દિવસના ત્રીજા પ્રહરમાં જ્યાં વડનું વૃક્ષ હતું ત્યાં આવ્યો, આવીને વડના વૃક્ષની નીચે કાવડ રાખીયાવત્ પૂર્વવત્ સંપૂર્ણ વિધિ કરીને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું અને મૌન થઈને બેઠો.
ત્યાર પછી મધ્યરાત્રિના સમયે સોમિલની સમક્ષ તે દેવ પુનઃ પ્રગટ થયો અને તેને પહેલાંની જેમ કહીને વાવત અંતર્ધાન થઈ ગયો. રાત્રિ વ્યતીત થયા પછી બીજા દિવસે તે સૂર્યોદય થયા પછી તે સોમિલ પૂર્વવત્ ઉત્તરાભિમુખ થઈને ઉત્તરદિશામાં ચાલવા લાગ્યો. २१ तए णं से सोमिले पंचमे दिवसे पच्छावरण्हकालसमयंसि जेणेव उंबरपायवे तेणेव उवागच्छइ । उंबरपायवस्स अहे किढिणसंकाइयं ठवेइ जावकट्ठमुद्दाए मुहं
Page #82
--------------------------------------------------------------------------
________________
|
શ્રી નિરયાવલિકા સૂત્ર
बंधइ, बंधित्ता तुसीणीए संचिट्ठइ ।
तए णं तस्स सोमिलमाणहस्स पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं पाउब्भूए । तए णं से देवे अंतलिक्खपडिवण्णे सोमिलमाहणं एवं वयासी- हंभो सोमिला ! पव्वइया दुप्पव्वइयं ते । तएणं से सोमिले जावतुसिणीए संचिट्ठइ । तए णं से देवे सोमिलं माहणं दोच्चं पि तच्चं पि एवं वयइ-हभो सोमिला ! पव्वइया दुप्पव्वइयं ते । तए णं से सोमिले तेणं देवेणं दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे तं देवं एवं वयासी- कहं णं देवाणुप्पिया ! मम दुप्पव्वइयं? ભાવાર્થ :- ત્યાર પછી તે સોમિલ બ્રહ્મર્ષિ પાંચમા દિવસના ત્રીજા પ્રહરમાં જ્યાં ઉંબરાનું વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે ઉંબરાના વૃક્ષની નીચે કાવડ રાખી વાવ, કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું અને મૌન થઈને બેસી ગયો.
ત્યાર પછી મધ્યરાત્રિમાં પુનઃ સોમિલ બ્રાહ્મણની સમક્ષ એક દેવ પ્રગટ થયો અને તેણે આકાશમાં રહીને જ સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું– સોમિલ ! તમારી આ પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. તે દેવની વાણી સાંભળીને સોમિલ મૌન રહ્યો. ત્યાર પછી દેવે બીજી અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું– હે સોમિલ! તમારી આ પ્રવજ્યા દુષ્પવ્રજ્યા છે. દેવે બીજી, ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, ત્યારે સોમિલે દેવને પૂછ્યું- હે દેવાનુપ્રિય! મારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા કેમ છે? |२२ तए णं से देवे सोमिलं माहणं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! तुमं पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतियं पंचाणुव्वए सत्तसिक्खावए दुवालसविहे सावगधम्मे पडिवण्णे । तए णं तव अण्णया कयाई असाहुदंसणेणं जाव पुव्वरत्ता- वरत्तकालसमयंसि कुडुंबजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झथिए एवं पुव्व- चिंतियं देवो उच्चारेइ जावजेणेव असोगवरपायवे तेणेव उवागच्छसि, उवागच्छित्ता किढिणसंकाइयं ठवेइ जाव तुसिणीए संचिट्ठसि । तए णं अहं पुव्वरत्तावरत्तकाले तव अंतियं पाउब्भवामि, हंभो सोमिला ! पव्वइया दुप्पवइयं ते, तह चेव देवो णियवयणं भणइ जाव पंचमदिवसम्मि पच्छावरण्हकालसमयंसि जेणेव उंबरपायवे, तेणेव उवागए किढिणसंकाइयं ठवेसि वेई वड्डेसि, उवलेवणं सम्मज्जणं करेसि, करेत्ता कट्ठमुद्दाए मुहं बंधेसि, बंधित्ता तुसिणीए संचिट्ठसि । तं एवं खलु देवाणुप्पिया! तव दुप्पव्वइयं । ભાવાર્થ - ત્યારે તે દેવે સોમિલને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે પહેલાં પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંત પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કર્યો
Page #83
--------------------------------------------------------------------------
________________
પુષ્પિકા વર્ગ–૩ : અધ્ય.—૩
હતો પરંતુ ત્યાર પછી સુસાધુઓના દર્શન તથા ઉપદેશ આદિનો સંયોગ નહીં મળવાથી અને અસાધુઓના દર્શન તથા ઉપદેશનો સંયોગ મળવાથી, તેમજ મિથ્યાત્વ પર્યાય વધવાથી, સ્વીકારેલા શ્રાવકધર્મને છોડી દીધો. ત્યાર પછી એકદા રાત્રિમાં કુટુંબ સંબંધી વિચાર કરતાં તમારા મનમાં વિચાર આવ્યો, વગેરે સર્વ હકીકત દેવે કહી યાવત્ જ્યાં અશોકવૃક્ષ હતું ત્યાં આવ્યા અને કાવડ રાખી યાવત્ મૌન બેસી ગયા. ત્યાર પછી તે પ્રથમ દિવસે જ મધ્યરાત્રિના સમયમાં હું તમારી પાસે આવ્યો અને તમને પ્રતિબોધિત કર્યા— હે સોમિલ ! તમારી આ પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે પરંતુ તમે તેના પર ધ્યાન ન આપ્યું અને મૌન જ રહ્યા. આ પ્રમાણે મેં તમને ચાર દિવસ સુધી સમજાવ્યા. પરંતુ તમે વિચાર ન કર્યો. આજે પાંચમા દિવસે ત્રીજા પ્રહરમાં તમે આ ઉંબરાના વૃક્ષની નીચે આવ્યા અને કાવડ રાખી, બેસવાના સ્થાનને સાફ કર્યું લીંપી પોતીને સ્વચ્છ કર્યું, અગ્નિમાં હવન કર્યો અને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધીને, તમે મૌન થઈને બેસી ગયા. આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! તમારી પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા છે.
વિવેચન :
૯૭
પ્રસ્તુત સૂત્રોમાં સોમિલની મહાપ્રયાણ વિહાર યાત્રાના પાંચ દિવસોનું વર્ણન છે. વિહાર સમયે અને હવન પછીના મૌન ધ્યાનના સમયે તે સોમિલ કાષ્ઠમુદ્રા મુખ પર બાંધતો હતો. તે સિવાય સ્નાન, દિશા પૂજન, હવન અને અગ્નિદેવતાને તર્પણ આપતો હતો. પરંતુ આ પાંચ દિવસોના વર્ણનમાં અતિથિ ભોજન અને સ્વયંના ભોજનનું વર્ણન નથી. તેથી અને મહાપ્રયાણ પ્રસ્થાન શબ્દથી સ્પષ્ટ થાય છે કે આ તેની ચલ સંઘારાની એક પ્રકારની વિધિ હતી.
દેવે પાનમૂર્રે :– સોમિલની મહાપ્રયાણ યાત્રાથી આકૃષ્ટ થઈ કોઈ સમ્યગ્ દૃષ્ટિ દેવ તેના રાત્રિધ્યાનના
સમયે આવી આકાશવાણી કરતો હતો. પાંચ દિવસના પ્રયત્ન પછી તે દેવ સોમિલના ભાવને ચલિત કરી શક્યો. પ્રસ્તુત પ્રસંગ સોમિલની દઢતા અને સાધનાની મસ્તીને સૂચિત કરે છે. જે દેવલોકના દેવના સૂચનથી પણ ચંચળ બન્યો નહીં. પરંતુ પાંચ પાંચ દિવસના પ્રયત્ન પછી સોમિલનું ચિત્ત ક્ષુભિત બન્યું અને પોતાની ભૂલને જાણવા માટે તેણે દેવને પ્રતિપ્રશ્ન કર્યો. અહીં સૌમિલની સત્યને પામવાની યોગ્યતા જણાય છે. પ્રભુ પાર્શ્વનાથ અને તેની પાસે સ્વીકારેલા વ્રત ગ્રહણના સ્મરણથી તેના પરિણામોમાં પરિવર્તન થયેલું જણાય છે.
પાતળમારવીર્ ગાવ ગતંત્તે :- આ સૂત્રથી જણાય છે કે તે જમાનામાં તાપસ પણ સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે અર્થાત્ દિવસે જ વિહાર કરતા હતા અને રાત્રિએ શાંત, મૌન, ધ્યાનમાં લીન રહેતા હતા. સોમિલ દ્વારા પુન: શ્રાવકધર્મ ગ્રહણ :
२३ तए णं से सोमिले तं देवं एवं वयासी कहं णं देवाणुप्पिया ! मम सुप्पव्वइयं ?
तए णं से देवे सोमिलं एवं वयासी- जइ णं तुमं देवाणुप्पिया !
Page #84
--------------------------------------------------------------------------
________________
| ૯૮]
શ્રી નિરયાવલિકા સત્ર
इयाणिं पुव्वपडिवण्णाइं पंच अणुव्वयाई सयमेव उवसंपज्जित्ताणं विहरसि, तो णं तुज्झ इयाणिं सुपव्वइयं भवेज्जा । तएणं से देवे सोमिलं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए।
तए णं से सोमिले माहणरिसी तेणं देवेणं एवं वुत्ते समाणे पुव्वपडिवण्णाइं पंच अणुव्वयाइं सयमेव उवसंपज्जित्ताणं विहरइ । ભાવાર્થ :- આ પ્રમાણે બધુ સાંભળીને સોમિલે દેવને કહ્યું- હે દેવાનુપ્રિય! હવે આપ જ બતાવો કે હું કેવી રીતે સુપ્રવ્રજિત બનું? અર્થાત્ મારી પ્રવ્રજ્યા સુપ્રવ્રજ્યા કેવી રીતે થાય?
તેના જવાબમાં દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે પૂર્વે ગ્રહણ કરેલા પાંચ અણુવ્રતને સ્વયમેવ સ્વીકારીને વિચરો તો તમારી આ પ્રવ્રજ્યા સુપ્રવ્રયા થશે.
ત્યાર પછી દેવે સોમિલ બ્રાહ્મણને વંદન-નમસ્કાર કર્યા અને જે દિશામાંથી તે આવ્યો હતો તે જ દિશામાં અંતર્ધાન થઈ ગયો.
તે દેવના અંતર્ધાન થયા પછી તેના કહેવા પ્રમાણે સોમિલ બ્રહ્મર્ષિ પૂર્વે સ્વીકારેલાં પાંચ અણુવ્રતોનો સ્વીકાર કરીને વિચરણ કરવા લાગ્યો.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવનું સન્માર્ગદર્શન અને તેનો સોમિલે કરેલો સ્વીકાર, તે વિષયનું પ્રતિપાદન છે.
સોમિલને સત્ય તત્ત્વને પામવાની તમન્ના હતી, તેથી દેવના સૂચનને તરત જ સ્વીકારીને, પુનઃ અણુવ્રત રૂપે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો.
મૂળપાઠમાં દેવના ઉત્તરમાં પાંચ અણુવ્રત ધારણ કરવાનો સંદેશ છે અને સોમિલ દ્વારા સ્વીકાર કરવાના પાઠમાં પણ પાંચ અણુવ્રતનો ઉલ્લેખ છે. પૂર્વ સૂત્રમાં સોમિલે ભૂતકાળમાં પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂ૫ બારવ્રત ગ્રહણ કર્યાનો ઉલ્લેખ છે, તેના આધારે અહીં ઉપલક્ષણથી બાર વ્રત ગ્રહણ કરી શકાય.
મધ્યમના બાવીસ તીર્થકરોના શાસનમાં સાધુઓ માટે ચાતુર્યામ ધર્મ હોય છે. શ્રાવકો માટે તો દરેક શાસનમાં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર વ્રતો જ હોય છે. ચાતુર્યામ ધર્મ શ્રમણના ચાર મહાવ્રતની અપેક્ષાએ જ કહેવાય છે. તેથી સોમિલે પાંચ અણુવ્રત સહિત બાર વ્રત ધારણ કર્યા હતા. સોમિલની શુક્ર મહાગ્રહમાં ઉત્પત્તિ :२४ तए णं से सोमिले बहूहिं चउत्थछट्टट्ठमं जाव मासद्धमासखमणेहिं
Page #85
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૩
[ ૯૯]
विचित्तेहिं तवोवहाणेहि अप्पाणं भावेमाणे बहूई वासाई समणोवासगपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ, झूसित्ता तीसं भत्ताइ अणसणाए छेदेइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अपडिक्कते विराहियसम्मत्ते कालमासे कालं किच्चा सुक्कवडिसए विमाणे उववायसभाए देवसयणिज्जसि देवदूसतरिए अगुलस्स असखेज्जइ भागमित्ताए ओगाहणाए सुक्कमहग्गहत्ताए उववण्णे ।
तए णं से सुक्के महग्गहे अहुणोववण्णे समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्ति- भावमुवगए जाव भासामणपज्जत्तीए ।
एवं खलु गोयमा ! सुक्केणं महग्गहेणं सा दिव्वा देविड्डी जाव अभिसमण्णा- गए । एगं पलिओवमं ठिई । ભાવાર્થ - ત્યાર પછી સોમિલે ઘણા ઉપવાસ, છઠ, અઠ્ઠમ યાવતુ અર્ધમા ખમણ, મા ખમણ રૂપ વિવિધ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યું. અંતે અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માની આરાધના કરી અને ત્રીસ ભક્ત(ભોજન)નો અનશન દ્વારા ત્યાગ કરી, તે પૂર્વકૃત પાપસ્થાન (દુષ્પવ્રજ્યારૂપ કરેલા પ્રમાદ)ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના સમ્યકત્વની વિરાધનાના કારણે કાળના સમયે કાળ કરીને, શુક્રાવતંસક વિમાનની ઉપપાત સભામાં દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યા પર દેવદુષ્યની અંદર અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાથી શુક્ર મહાગ્રહ દેવરૂપે રૂપ ઉત્પન્ન થયા.
તત્કાલ ઉત્પન્ન થઈને તે શુક્ર મહાગ્રહ દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પામ્યા. યથા– આહાર પર્યાપ્તિ યાવત્ ભાષા–મન પર્યાપ્તિ.
અંતે પોતાના કથનનો ઉપસંહાર કરતાં ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે ગૌતમ ! આ શુક્રમહાગ્રહ દેવે આ તથા પ્રકારની દિવ્ય દેવ ઋદ્ધિ, ધૃતિ યાવત દિવ્ય પ્રભાવ પ્રાપ્ત કર્યા છે. ત્યાં તેની એક પલ્યોપમની સ્થિતિ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સોમિલના જીવનનો અંત અને તેના પરિણામ સ્વરૂપે થયેલી તેની ગતિનું દિગ્દર્શન છે.
શ્રાવક ધર્મનું પાલન કરનારની ગતિ વૈમાનિક દેવની થાય છે. સોમિલે દેવની પ્રેરણાથી અંતે વ્રત ધારણ કર્યા પરંતુ સમ્યગુદર્શનની શુદ્ધિ કરી નહીં. મૂળપાઠમાં 'વિરાય નમ' શબ્દ પ્રયોગ છે, સમ્યકત્વની વિરાધના કરીને, પૂર્વકૃત પાપની આલોચનાદિ કર્યા વિના જ કાલધર્મ પામ્યા. તેથી તે જ્યોતિષી દેવોમાં શુક્ર મહાગ્રહદેવરૂપે ઉત્પન્ન થયા. અહીં સમ્યગદર્શન-શ્રદ્ધાની મહત્તા પ્રતીત થાય છે. સમ્યગદર્શન વિનાનું ચારિત્રપાલન સફળ થતું નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
ગ્રહ અઠ્યાસી હોય છે. તેમાં નવ ગ્રહોની ગણતરી મહાગ્રહમાં થાય છે. સોમિલ બ્રહ્મર્ષિ તપના પ્રભાવે ઋદ્ધિશાળી મહાગ્રહ દેવ થયા છે.
શુકમહાગ્રહ દેવનું ભવિષ્ય :| २५ सुक्के णं भंते ! महग्गहे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव सव्वदुक्खाणं अंतं काहिइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે શુક્રમહાગ્રહ દેવ આયુક્ષય, ભવ ક્ષય અને સ્થિતિનો ક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! તે શક્રમહાગ્રહ દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણા કરીને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :| २६ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
-ત્તિ મા ભાવાર્થ - હે જંબૂ! આ પ્રમાણે મુક્તિપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાવર્ગના ત્રીજા અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે.
તે વર્ગ-૩ અધ્ય-૩ સંપૂર્ણ છે
Page #87
--------------------------------------------------------------------------
________________
પુષ્પિકા વર્ગ-૩ : અધ્ય.-૪
વર્ગ-૩ અધ્ય. ૪
૧૦૧
પરિચય :
આ ઉદ્દેશકમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ–પશ્ચાદ્ પાંચ ભવનું નિરૂપણ કરીને, આસક્તિભાવની પરંપરા અને તેના ફળનું પ્રતિપાદન કર્યું છે.
એકદા પ્રથમ દેવલોકની બહુપુત્રિકા નામની દેવી પ્રભુ મહાવીરના સમવસરણમાં આવી. તેણે પોતાની બંને ભુજાઓમાંથી ૧૦૮ બાળક અને ૧૦૮ બાલિકાઓ કાઢ્યા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિકુર્વણા કરી, નાટયવિધિ બતાવી, વૈક્રિય લબ્ધિનું સંહરણ કરીને, સ્વસ્થાને ગઈ. ત્યાર પછી શ્રી ગૌતમ સ્વામીના સંશયના સમાધાન રૂપે પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો.
(૧) પૂર્વભવ : સુભદ્રા :– વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું. પૂર્વના કર્મયોગે તે વંધ્યા હતી. પુત્ર ન થવાથી તે અત્યંત દુઃખી રહેતી હતી. સંતાન ઉત્પત્તિ માટે અનેક પ્રયત્નો કરવા છતાં તેને સફળતા મળી નહીં. તેને સંતાન પ્રાપ્તિની તીવ્રતમ ઝંખના હતી.
એકદા સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પધાર્યા. સુભદ્રાએ તેમને આહાર–પાણી વહોરાવી, વિદ્યા, મંત્ર, ઔષધ વગેરેથી સંતાનોત્પત્તિનો ઉપાય પૂછ્યો. સાઘ્વીજીઓએ પોતાના સાઘ્વા– ચારના નિયમ અનુસાર મંત્ર-તંત્ર ઔષધ ઉપચાર દ્વારા પુત્ર પ્રાપ્તિનો ઉપાય ન બતાવતાં ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ શ્રવણ કરી તે શ્રમણોપાસિકા બની.
કેટલોક સમય પસાર થયા પછી તેણે સંયમ અંગીકાર કર્યો પરંતુ સંતાન પ્રાપ્તિની અતૃપ્ત ઈચ્છાથી બાળક–બાલિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાળક–બાલિકાઓની સાથે સ્નેહ, ક્રીડા, શ્રૃંગાર, શુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી.
ગુરુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા તે પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં અને સમજાવવા છતાં, તેની ઉપેક્ષા કરી તે અન્ય સ્થાન(ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, અંતે પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક બનીને, કાળધર્મ પામી, પ્રથમ દેવલોકમાં બહુપુત્રિકા દેવીપણે ઉત્પન્ન થઈ.
(૨) વર્તમાન ભવ : : બહુપુત્રિકા દેવી ઃ– સુભદ્રા સાર્થવાહી ચારિત્ર પાલનના અભાવે સૌધર્મ દેવલોકના બહુપુત્રિક વિમાનમાં, બહુપુત્રિકા દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તે બહુપુત્રિકા નામના સિંહાસન ઉપર ૪૦૦૦ સામાનિક દેવો વગેરે સહિત સૂર્યાભદેવની સમાન દિવ્ય ઋદ્ધિનો અનુભવ કરે છે. ત્યાં તેની ચાર પલ્યોપમની
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
સ્થિતિ છે.
તે પૂર્વભવની સંતાન પ્રાપ્તિની અતૃપ્ત કામનાને વિવિધ પ્રકારની વિક્રિયા દ્વારા પૂર્ણ કરે છે, અનેક બાલક–બાલિકાના રૂપોની વિકુવર્ણા કરતી, દેવસભામાં આમોદ-પ્રમોદ કરતી બહુપુત્રિકા નામને સાર્થક કરે છે. વાસ્તવમાં દેવોને સંતાનોત્પત્તિ હોતી નથી.
(૩) આગામી ભવ: સોમા - બહુપુત્રિકા દેવી દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે જન્મ ધારણ કરશે. યુવાવસ્થામાં પ્રવેશતાં માતા-પિતા પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના લગ્ન કરશે. પૂર્વભવમાં સંતાન પ્રાપ્તિની તીવ્ર તમન્ના સાથે સંયમ તપનું પાલન કરવાના કારણે લગ્ન થયાં પછી પ્રતિવર્ષ સોમા બે-બે બાળકોને તેમ સોળ વર્ષમાં કુલ બત્રીસ બાળકોને જન્મ આપશે.
એક સાથે આટલા બાળકોનો ઉછેર કરતાં તે હેરાન થઈ જશે. તેમાંથી કેટલાંક નાચશે, કૂદશે, રડશે, હસશે, એક બીજાનું ભોજન છીનવી લેશે અને કેટલાંક સોમાના શરીર ઉપર વમન કરશે, તો કોઈ મળમૂત્ર કરશે અને તે દુઃખી-દુઃખી થઈ જશે.
ત્યારપછી ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે સોમા પોતાના દુઃખનું વર્ણન કરશે અને પ્રત્યુત્તરમાં તે સાધ્વીઓ પાસેથી ધર્મશ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઈચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાલાંતરે સંયમ ગ્રહણ કરી શુદ્ધ આરાધના કરશે. અંતે એક માસનો સંથારો કરી, આલોચનાદિ કરીને સમાધિભાવે કાલધર્મને પ્રાપ્ત કરશે.
(૪) દેવ ભવઃ સોમા :- સોમા સાધ્વી આયુષ્ય પૂર્ણ કરીને પ્રથમ દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંની બે સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરશે.
(૫) મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય ભવ - દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય રૂપે જન્મ ધારણ કરી, સંયમ–તપની સાધના દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
આ રીતે બહુપુત્રિકા દેવીની ભવ પરંપરાથી કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે તેમજ આસક્તિની પરંપરા તૂટે, ત્યાર પછી જ મોક્ષ સુધીનો આત્મવિકાસ થઈ શકે છે, તેમ સમજાય છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
| yपि
[-: अध्य.-४
| १०3 |
वर्ग-3 मध्य.-४ - બહુપત્રિકાદેવી
मध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेण भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं तच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, चउत्थस्स णं भंते ! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ - જંબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભગવન્! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના ત્રીજા અધ્યયનના ભાવનું આ પ્રમાણે વર્ણન કર્યું છે તો હે ભગવન્! તે મુક્તિપ્રાપ્ત ભગવાન મહાવીરે પુષ્પિકાના ચોથા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? ભગવાન મહાવીરનું પદાર્પણ :|२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया । ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તે નગરમાં રાજા શ્રેણિક નિવાસ કરતા હતા. એકદા ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ ધર્મદેશના સાંભળવા નીકળી. બહુપુત્રિકાદેવીનું દર્શનાર્થે આગમન :| ३ तेणं कालेणं तेणं समएणं बहुपुत्तिया देवी सोहम्मे कप्पे, बहुपुत्तिए विमाणे, सभाए सुहम्माए, बहुपुत्तियंसि सीहासणंसि, चउहिं सामाणियसाहस्सीहिं चउहिं महत्तरियाहिं एवं जहा सूरियाभे जाव विहरइ; इमं च णं केवलकप्पं जंबुद्दीवं विउलेणं ओहिणा आभोएमाणी आभोएमाणी पासइ, पासित्ता य समणं भगवं महावीरं, जहा सूरियाभो जाव णमसित्ता सीहासणवरसि पुरत्थाभिमुहा सण्णिसण्णा। ભાવાર્થ :- કાળે અને તે સમયે સૌધર્મકલ્પના બહુપુત્રિક વિમાનની સુધર્માસભામાં બહુપુત્રિકા દેવી
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
હતી. તે બહુપુત્રિક સિંહાસન ઉપર, ચાર હજાર સામાનિક દેવીઓ અને ચાર હજાર મહત્તરિકા–મુખ્ય દેવીઓની સાથે યાવત્ સૂર્યાભદેવની જેમ સુખ ભોગવતી રહેતી હતી. તે સમયે તેણે પોતાના વિપુલ અવધિજ્ઞાનથી આ સંપૂર્ણ જંબુદ્રીપ નામના દ્વીપને જોયો અને સાથે રાજગૃહનગરમાં પધારેલા ભગવાન મહાવીર સ્વામીને જોયા, જોઈને સૂર્યાભદેવની જેમ સિંહાસન ઉપરથી ઊભી થઈ અને તે દિશામાં સાત આઠ પગલાં જઈને, પ્રભુને વંદના નમસ્કાર કરીને, પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને બેઠી.
૧૦૪
४ तए . णं तीसे बहुपुत्तियादेवीए इमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पण्णे जाव आभिओगे देवे सद्दावेइ, एवं जहा सूरियाभे णवरं जोयणसहस्स– वित्थिण्णं जाणविमाणं विउव्वइ जाव उत्तरिल्लेणं णिज्जाणमग्गेण जोयणसाहस्सिए
विग्गहिं आगया जाव विणएणं पंजलिउडा पज्जुवासइ । धम्मकहा समत्ता । ભાવાર્થ :- ત્યાર પછી તે બહુપુત્રિકા દેવીને પ્રભુ દર્શનના ભાવ જાગૃત થયા તેમજ મનોગત સંકલ્પ વગેરે ઉત્પન્ન થયા. તેણે આભિયોગિક(સેવક) દેવોને બોલાવ્યા. આ રીતે સૂર્યાભદેવની જેમ પ્રભુ દર્શન માટે જવાનું સંપૂર્ણ કથન ક૨વું. વિશેષતા એ છે કે તેની આજ્ઞા પ્રમાણે આભિયોગિક દેવોએ હજાર યોજનના વિમાનની વિષુવર્ણા કરી અને દેવલોકથી નીકળવાના ઉત્તરદિશાના માર્ગેથી નીકળીને હજારો યોજનની વિગ્રહ–અંતરાલ ગતિએ ચાલતાં યાન—વિમાન દ્વારા તે દેવી ભગવાનના સમવસરણમાં આવી યાવત્ વિનયપૂર્વક હાથ જોડીને પ્રભુની પર્યુપાસના કરવા લાગી. ભગવાને ધર્મદેશના આપી; ધર્મદેશના પૂર્ણ થઈ.
५ तए णं सा बहुपुत्तिया देवी जहा सूरियाभे जाव " अणुजाणउ मे भगवं" त्ति कटटु जाव दाहिणं भुयं पसारेइ, पसारित्ता देवकुमाराणं अट्ठसयं, देवकुमारियाण य वामाओ भुयाओ अट्ठसयं णिग्गच्छइ । तयाणंतरं च णं बहवे दारगा य दारियाओ य डिम्भए य डिम्भियाओ य विउव्वइ । णट्टविहिं जहा सूरियाभो तहा उवदंसेइ जाव जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।
ભાવાર્થ :- ત્યાર પછી તે બહુપુત્રિકા દેવીએ સૂર્યાભ દેવની સમાન પ્રભુની સમક્ષ પોતાની નાટય પ્રદર્શનની ઈચ્છા પ્રગટ કરી. પ્રભુ તરફથી કોઈ ઉત્તર ન મળતાં "હે ભગવન્ ! આપની આજ્ઞા છે,' એમ કહીને યાવત્ પોતાની જમણી ભુજા(હાથ)ને ફેલાવીને તેમાંથી એકસો આઠ દેવકુમારોને કાઢ્યા અને ડાબી ભુજાને ફેલાવી એકસો આઠ દેવકુમારીઓને કાઢી, ત્યાર પછી તે દેવીએ ઘણાં દા૨ક અને દારિકાઓ– મોટી ઉંમરના છોકરા, છોકરીઓ અને ડિમ્ભક, ડિકિાઓ–નાની ઉંમરના બાલક બાલિકાઓને વૈક્રિય– શક્તિથી બનાવ્યા. ત્યાર પછી સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવીને, ભગવાનને વંદના નમસ્કાર કરીને પોતાના યાન—વિમાનમાં બેસીને જે દિશામાંથી આવી હતી તે દિશામાં અર્થાત્ સ્વસ્થાને પાછી ગઈ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બહુ પુત્રિકા દેવીની જિન ધર્મ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિનું દિગ્દર્શન છે. દેવલોકના
Page #91
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
| ૧૦૫ |
દિવ્ય ભોગની વચ્ચે પણ અવધિજ્ઞાન દ્વારા પ્રભુના દર્શન થતાં જ, સિંહાસન ઉપરથી નીચે ઉતરવું, સાત આઠ કદમ પ્રભુની દિશામાં જવું, દેવલોકમાંથી જ પ્રભુને ભાવ વંદન કરવા, ત્યાર પછી તુરંત જ સાક્ષાત્ પ્રભુના દર્શનાર્થે આવવાની તૈયારી વગેરે પ્રત્યેક ક્રિયા તેની જિન ભક્તિનું સૂચન કરે છે
બહુપુત્રિકા દેવીએ સંયમની વિરાધના કરી હતી. તેથી તે સ્ત્રીરૂપે-બહુપુત્રિકા દેવીરૂપે ઉત્પન્ન થઈ હતી. તેમ છતાં તપ-સંયમના પ્રભાવે તેણીએ સૂર્યાભ દેવની સમાન દિવ્ય ઋદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમાં વિશેષતા એ છે કે સંયમ વિરાધનામાં પણ તેની ધર્મની શ્રદ્ધા ભક્તિ અને નિષ્ઠા સુરક્ષિત હતી; તેથી તે વૈમાનિક દેવી રૂપે ઉત્પન્ન થઈ અને ત્યાં પણ તેની ધર્મભાવના યથાવત્ રહી હતી. તેથી જ તે પ્રભુના દર્શન કરવા આવી.
બહુપુત્રિકાદેવી-પૂર્વભવ સુભદ્રા :
६ भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ जाव પુછી I સૂડીરસાત વિકતો ! ભાવાર્થ :- દેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા અને હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરી તે બહુપુત્રિકાદેવીની ઋદ્ધિના વિલીન થવાના સંબંધમાં પ્રશ્ન કર્યો. ભગવાને કૂટાકારશાળાના દષ્ટાંતથી સમજાવ્યું. તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. | ७ बहुपुत्तियाए णं भंते ! देवीए सा दिव्वा देविड्डी किण्णा लद्धा पत्ता अभि- समण्णागया? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બહત્રિકા દેવીને આ પ્રકારની દિવ્ય-દેવઋદ્ધિ આદિ કેવી રીતે મળી, કેવી રીતે પ્રાપ્ત થઈ અને કેવી રીતે તેના ઉપભોગમાં આવી છે?
८ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी होत्था। अंबसालवणे चेइए । तत्थ तं वाणारसीए णयरीए भद्दे णामं सत्थवाहे होत्था- अड्डे जाव अपरिभूए । तस्स ण भद्दस्स सत्थवाहस्स सुभद्दा णाम भारिया सुउमाला वंझा अवियाउरी जाणुकोप्परमाया यावि होत्था । ભાવાર્થ :- ઉત્તર- હે ગૌતમ ! તે કાળે અને તે સમયે વારાણસી નામની નગરી હતી. તે નગરીમાં આમ્રપાલવન નામનું ઉદ્યાન હતું. તે વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તે ધનધાન્યાદિથી સમૃદ્ધ થાવ બીજાઓથી અપરિભૂત હતો. તે ભદ્ર સાર્થવાહને સુભદ્રા નામની પત્ની હતી. તે અત્યંત સુકમાર અંગોપાંગવાળી હતી પરંતુ વંધ્યા હોવાથી તેણીએ એક પણ સંતાનને જન્મ આપ્યો ન હતો. તે માત્ર જાતુકર્પરમાતા હતી અર્થાત તેના સ્તનોને કેવળ ગોઠણ અને કોણીઓ જ સ્પર્શ કરતી હતી,
Page #92
--------------------------------------------------------------------------
________________
| १०
શ્રી નિરયાવલિકા સૂત્ર
સંતાન નહીં. સુભદ્રાને સંતાનપ્રાપ્તિની ઝંખના :| ९ तए णं तीसे सुभद्दाए सत्थवाहीए अण्णया कयाई पुव्वरत्तावरत्तकाले कुडुंबजागरियं जागरमाणीए इमेयारूवे अज्झथिए पत्थिए चिंतिए मणोगयसंकप्पे समुप्पजित्था- एवं खलु अहं भद्देणं सत्थवाहेणं सद्धिं विउलाई भोगभोगाइं भुंजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारियं वा पयाया। तं धण्णाओ णं ताओ अम्मयाओ, सपुण्णाओ णं ताओ अम्मयाओ, कयत्थाओ णं ताओ अम्मयाओ, सुलद्धे णं तासि अम्मयाणं मणुयजम्मजीवियफले, जासिं मण्णे णियकुच्छिसंभूयगाई थणदुद्धलुद्धगाई महुरसमुल्लावगाणि मम्मणप्पजपियाणि थणमूलकक्खदेसभागं अभि- सरमाणगाणि पण्हयंति, पुणो य कोमलकमलोवमेहिं हत्थेहिं गिण्हिऊणं उच्छङ्ग-णिवेसियाणि देति, समुल्लावए सुमहुरे पुणो पुणो मम्मणप्पभणिए । अहं णं अधण्णा अपुण्णा एत्तो एगमवि ण पत्ता । ओहय मणसंकप्पा जाव झियाइ ।
ભાવાર્થ :- ત્યાર પછી ક્યારેક પૂર્વ કે અપરાત્રિના સમયે સાંસારિક વિચારણા કરતા સુભદ્રાને આ પ્રકારનો અધ્યવસાય-આત્મભાવ, ઈચ્છા-અભિલાષા, ચિંતન-વિચારણા અને મનોગત સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થયો કે હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગોને ભોગવતી સમય વ્યતીત કરું છું પરંતુ આજ સુધીમાં મેં એક પણ સંતાનને જન્મ આપ્યો નથી. તે માતાને ધન્ય છે, તે માતા પુણ્યશીલ છે, તે માતા કૃતાર્થ છે, તે માતાઓને પોતાના મનુષ્ય જન્મ અને જીવનનું ફળ સુંદર રીતે પ્રાપ્ત થયું છે કે જે માતાઓ પોતાના ઉદરથી ઉત્પન્ન થયેલા અને સ્તનના દૂધમાં લુબ્ધ બનેલાં, કર્ણપ્રિય વાણી બોલતાં, તોતડું બોલતાં, સ્તનમૂળ અને કાંખના વચલા ભાગમાં અભિસરણ કરતાં(સરકતા)સંતાનને દૂધ પીવડાવે છે. પછી કમળ જેવા કોમળ હાથથી લઈને તેને ખોળામાં બેસાડે છે. કર્ણપ્રિય મધુર મધુર શબ્દોથી મનોરંજન કરે છે. પરંતુ હું ભાગ્યહીન, પુણ્યહીન છું કે સંતાન સંબંધી એક પણ સુખ મને મળ્યું નથી. આ પ્રકારના વિચારોથી નિરુત્સાહ થઈને આર્તધ્યાન કરવા લાગી.
સુવતા આર્યાનું વારાણસીમાં આગમન :१० तेणं कालेणं तेणं समएणं सुव्वयाओ णं अज्जाओ इरियासमियाओ भासा- समियाओ एसणासमियाओ आयाणभंडमत्तणिक्खेवणासमियाओ उच्चार पासवण खेलजल्लसिंघाणपारिट्ठावणा समियाओ मणगुत्तीओ वयगुत्तीओ कायगुत्तीओ गुतिंदियाओ गुत्तबंभयारिणीओ बहुस्सुयाओ
Page #93
--------------------------------------------------------------------------
________________
| yपि
[-3 : अध्य.-४
| १०७ |
बहुपरिवाराओ पुव्वाणुपुव्वि चरमाणीओ गामाणुगामं दूइज्जमाणीओ जेणेव वाणारसी णयरी तेणेव उवागयाओ, उवागच्छित्ता अहापडिरूवं उग्गह ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणीओ विहरति । ભાવાર્થ :- કાળે અને તે સમયે ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર-પ્રસવણશ્લેષ્મ-જલ્લ–સિંઘાણ પરિષ્ઠાપના સમિતિ તે પાંચ સમિતિ અને મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ તે ત્રણ ગુપ્તિથી યુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનારા, ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા(ઘણાં શાસ્ત્રોમાંનિષ્ણાત) અને વિશાળ પરિવારના ધારક સુવ્રતા નામના આર્યા અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જ્યાં વારાણસી નગરી હતી ત્યાં આવ્યા, આવીને સંયમ કલ્પાનુસાર યથાયોગ્ય સ્થાન-ઉપાશ્રયની આજ્ઞા લઈને ત્યાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં રહેવા લાગ્યા. સુભદ્રાની જિજ્ઞાસા : આર્યાઓનો ઉત્તર :११ तए णं तासिं सुव्वयाणं अज्जाणं एगे संघाडए वाणारसी णयरीए उच्चणीय मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे भद्दस्स सत्थवाहस्स गिह अणुप्पविढे । तए णं सुभद्दा सत्थवाही ताओ अज्जाओ ए ज्जमाणीओ पासइ, पासित्ता हट्ठतुट्ठा खिप्पामेव आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता सत्तट्ठ पयाइं अणुगच्छइ, अणुगच्छित्ता वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता विउलेण असणपाणखाइमसाइमेण पडिलाभेत्ता एवं वयासीભાવાર્થ :- ત્યાર પછી તે સુવ્રતા આર્યાનો એક સંઘાડો–બે સાધ્વીજીઓ વારાણસી નગરીના સામાન્ય, મધ્યમ અને ઉચ્ચકુળોમાં સામૂહિક ભિક્ષા માટે ફરતાં ફરતાં ભદ્ર સાર્થવાહના ઘેર ગયા. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓને આવતાં જોયા, જોઈને તે ખુશ થઈ, સંતુષ્ટ થઈ અને તુરત જ પોતાના આસનેથી ઊઠી, ઊઠીને સાત-આઠ પગલાં સામે ગઈ અને વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહારને વહોરાવીને આ પ્રમાણે કહ્યું– | १२ एवं खलु अहं अज्जाओ ! भद्देणं सत्थवाहेणं सद्धिं विउलाई भोगभोगाई भुजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारियं वा पयायामि । तं धण्णाओ णं ताओ अम्मयाओ जाव एत्तो एगमवि ण पत्ता ।
तं तुब्भेणं अज्जाओ ! बहुणायाओ बहुपढियाओ बहूणि गामागरणगर जाव सण्णिवेसाई आहिंडह, बहूणं राईसरतलवर जाव सत्थवाहप्पभिईणं गिहाई अणुपविसह, अत्थि से केइ कहिचि विज्जापओए वा मंतप्पओए वा वमणं वा विरेयणं वा वत्थिकम्मे वा ओसहे वा भेसज्जे वा उवलद्धे, जेणं अहं दारगं वा
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
दारियं वा पयाएज्जा? ભાવાર્થ :- હે સાધ્વીજીઓ! ભદ્ર સાર્થવાહની સાથે અનેક પ્રકારના વિપુલ ભોગ ભોગવી રહી છું, પરંતુ આજ સુધી મેં એક પણ સંતાનને જન્મ આપ્યો નથી. તે માતાઓને ધન્ય છે, તે પુણ્યશીલ છે જે સંતાનનું સુખ ભોગવે છે યાવતુ હું અધન્યા, પુણ્યહીના છું જેથી મેં સંતાનના એક પણ સુખને પ્રાપ્ત કર્યું નથી.
હે દેવાનુપ્રિયો ! આપ ઘણા જ્ઞાની છો, ઘણા શિક્ષિત છો અને ઘણા ગામ, નગર યાવત દેશોમાં વિચરો છો. અનેક રાજા, ઈશ્વર, તલવર સાર્થવાહ આદિના ઘરોમાં ભિક્ષા લેવા માટે પ્રવેશ કરો છો, તો શું કોઈ વિદ્યાપ્રયોગ, મંત્ર પ્રયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ અથવા ભેષજ એવું કાંઈ જાણો છો કે જેથી હું પુત્ર કે પુત્રીને જન્મ આપું? |१३ तए णं ताओ अज्जाओ सुभदं सत्थवाहिं एवं वयासी- अम्हे णं देवाणुप्पिए! समणीओ णिग्गंथीओ इरियासमियाओ जावगुत्तबंभयारिणीओ। णो खलु कप्पइ अम्हं एयमटुं कण्णेहि वि णिसामेत्तए किमङ्ग पुण उद्दिसित्तए वा समायरित्तए वा? अम्हे णं देवाणुप्पिए ! णवरं तव विचित्तं केवलिपण्णत्तं धम्म परिकहेमो । ભાવાર્થ - ત્યારે સાધ્વીજીઓએ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથી શ્રમણીઓ-સાધ્વીજીઓ છીએ. ઈર્યાસમિતિ આદિ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનારા, ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. અમોને આવી વાતો કાનથી સાંભળવી પણ કલ્પતી નથી તો પછી તેનો ઉપદેશ અથવા આચરણ કેવી રીતે કરીએ ? પણ હે દેવાનુપ્રિયે ! અમે તમને કેવળી પ્રરૂપિત દાન–શીલ આદિ અનેક પ્રકારના ધર્મનો ઉપદેશ સંભળાવી શકીએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાર્થવાહીની સાંસારિક મનોવૃત્તિનું અને સાધ્વીજીઓની સંયમભાવની પરિપક્વતાનું દિગ્દર્શન છે.
ગૃહસ્થો સાધુ-સાધ્વીઓ પ્રતિ શ્રદ્ધા અને ભક્તિ ભાવ રાખે છે, તેમની યથા યોગ્ય સેવા પણ કરે છે, પરંતુ ક્યારેક તેઓ ભાવાવેગમાં વિવેકને ભૂલી જાય છે અને સંસાર ત્યાગી, આત્મભાવમાં રમણ કરતા સંત સતીજીઓને ગૃહસ્થ જીવન સંબંધિત અનેક પ્રશ્નો પૂછે છે. પોતાની સમસ્યાનું સમાધાન ઈચ્છે છે. આ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીઓએ કેવી રીતે સાવધાન રહેવું જોઈએ તે સુભદ્રા સાર્થવાહી અને સુવ્રતા આર્યા વચ્ચેના વાર્તાલાપથી સમજી શકાય છે.
સુભદ્રાને સંતાન પ્રાપ્તિની તીવ્રતમ ઝંખના હતી. સાધ્વીજીને આહાર દાન આપીને, ત્યાં જ સંતાન પ્રાપ્તિ માટેના મંત્ર, તંત્ર, ઔષધ, ભેષજ આદિ ઉપાય પૂછી લીધા, ત્યારે સંયમમાં સાવધાન સાધ્વીજીએ
Page #95
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૪.
[ ૧૦૯ ]
વિવેકપૂર્વક સાધ્વાચારને ઉચિત ઉત્તર આપ્યો અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ત્તિ હેવની પૂUUત્ત ધઃ - વિચિત્રનો અર્થ છે વિશિષ્ટ, અદ્ભુત, વિવિધ, આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર. કેવલી ભાષિત અહિંસા પ્રધાન, દયા પ્રધાન અને અનેક વિશેષતાઓથી યુક્ત હોય છે. તેમાં ગતાનુગતિક સંસારી લોકોને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા તત્ત્વો અને આચરણના સિદ્ધાંતો હોવાથી તેને અહીં વિચિત્ર વિશેષણથી સૂચિત કર્યો છે. કેવલી પ્રરૂપિત ધર્મના બે પ્રકાર છે- સાધ્વાચાર અને શ્રાવકાચાર. શ્રાવકાચારની વિચિત્રતાઓ–વિશેષતાઓ - કેવલી પ્રજ્ઞપ્ત શ્રાવકાચારનું પાલન કરનાર ગૃહસ્થના વિચાર વર્તન ખાનપાન, જીવન વ્યવહારમાં ક્રમશઃ અનેક પ્રકારની વિશેષતા આવી જાય છે. તેઓની ભાષા પણ વિવેકપૂર્ણ થઈ જાય છે. જ્ઞાતાધર્મકથા સૂત્રમાં વર્ણિત સુબુદ્ધિ પ્રધાનના દષ્ટાંતથી સમજાય છે કે શ્રાવકો ક્યારે ય સારી ચીજની પ્રશંસા અનુમોદના અને ખરાબ ચીજની નિંદા ઘણાપણ કરે નહીં પરંતુ તટસ્થ રહે છે. શ્રાવક વ્રતોમાં ઊંડે ઉતરેલ વ્યક્તિની સાંસારિક વૃત્તિ વિલીન થઈ જાય છે અર્થાતુ સાંસારિક રુચિ ઓછી થઈ જાય છે. તેઓનું જીવન વ્યવહાર વૈરાગ્યયુક્ત થઈ જાય છે. તેથી હરવા–ફરવા, સેલ સપાટા, મોજ-શોખ, દર્શનીય સ્થળો જોવા વગેરે પ્રવૃત્તિઓમાં તે ઉદાસીન થઈ જાય છે. કર્મબંધનાં ઘણાં કાર્યોથી તે સાવધાન બની જાય છે. ક્રમિક વિકાસ કરતાં ઉપર ઉઠતાં તે શ્રાવક સ્નાન ત્યાગી, કુશીલ ત્યાગી અને ભિક્ષા જીવી પડિમાધારી શ્રાવક થઈ જાય છે. તેમાં એક અવસ્થા એવી પણ આવી જાય છે કે કોઈ દેવ તેની સામે તેના પુત્રોની હત્યાનો દેખાવો કરી દે અને ધર્મવ્રત છોડવાનું કહે તો પણ તે નિશ્ચલ રહે છે. આવી અનેક બાબતોથી લોકમાં શ્રાવક ધર્મની વિચિત્રતા અર્થાતુ વિશેષતા સહેજે સમજાય જાય છે. સાધ્વાચારની વિચિત્રતાઓ–વિશેષતાઓ - જૈન સાધ્વાચાર તો લોકોની દષ્ટિમાં અનેકાનેક વિશેષતાઓ અર્થાતુ આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવા આચરણોથી અને વ્યવહારોથી પરિપૂર્ણ છે જ. તે જૈન શ્રમણોની ચાલવાની, બોલવાની, રહેવાની, ખાવાની, મળ-મૂત્ર ત્યાગવાની, ગૌચરી ગવેષણાની, પ્રતિલેખન પ્રમાર્જનની પ્રવૃત્તિ વગેરે અનેક રીત-ભાત લોકોમાં નૂતન અને આશ્ચર્યકારી હોય છે. તે સિવાય આજીવન બ્રહ્મચર્ય પાલન, સ્નાન ત્યાગ, પગરખા ત્યાગ, વાહન ત્યાગ, પરિગ્રહ ત્યાગ, અગ્નિ અને
સ્ત્રી આદિના સંઘટાનો ત્યાગ, દાઢી-મૂંછ અને મસ્તકના વાળોના લોચ કરવો, સદા મુખ પર મુખવસ્ત્રિકા બાંધીને રહેવું, રાત્રિમાં ખાવા-પીવાનો આજીવન ત્યાગ, જીવનભર પગપાળા વિહાર, વર્ષામાં ગોચરી ન જવું વગેરે કેટલાય નિયમ ઉપનિયમો સામાન્ય લોકોને માટે આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા હોય છે.
આ કારણે શાસ્ત્રોમાં અનેક સ્થળે વિત્ત વિશેષણ દ્વારા કેવલી પ્રરૂપિત ધર્મનું માહાભ્ય દર્શાવવામાં આવ્યું છે. સુભદ્રાનું શ્રાવકવૃત ગ્રહણ :|१४ तए णं सा सुभद्दा सत्थवाही तासिं अज्जाणं अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा ताओ अज्जाओ तिक्खुत्तो वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं अज्जाओ ! णिग्गंथं पावयणं, पत्तियामि णं
Page #96
--------------------------------------------------------------------------
________________
| ११० ।
શ્રી નિરયાવલિકા સૂત્ર |
अज्जाओ ! णिग्गंथं पावयणं, रोएमि णं अज्जाओ ! णिग्गंथं पावयणं । एवमेयं तहमेयं अवितहमेयं जाव से जहेयं तुब्भे वयह । इच्छामि णं अहं तुब्भं अंतिए सावगधम्म पडिवज्जित्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंध करेह ।
तए णं सा सुभद्दा सत्थवाही तासिं अज्जाणं अंतिए सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता ताओ अज्जाओ वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पडिविसज्जेइ । तए ण सा सुभद्दा सत्थवाही समणोवासिया जायाअभिगयजीवाजीवा जाव पडि- लाभेमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે સુભદ્રા સાર્થવાહી સાધ્વીજીઓ પાસેથી ધર્મ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થઈ અને તે સાધ્વીજીઓને ત્રણ વાર વંદન–નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! હું નિગ્રંથ-પ્રવચન પર શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, નિગ્રંથ પ્રવચન પર મારી રુચિ થઈ છે યાવત આપે જે ઉપદેશ આપ્યો છે તે સત્ય છે, તથ્ય છે અને નિઃસંદેહ–સર્વથા સત્ય છે. હું આપની પાસે શ્રાવકધર્મનો સ્વીકાર કરવા ઈચ્છું છું. તે આર્યાઓએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! આપને જેમ સુખ થાય તેમ કરો પરંતુ ધર્મ કાર્યમાં પ્રમાદ ન કરો.
ત્યાર પછી સુભદ્રા સાર્થવાહીએ તે આર્યાઓની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને તે આર્યાઓને વંદન-નમસ્કાર કરીને વિદાય આપી. આ રીતે તે સુભદ્રા સાર્થવાહી શ્રમણોપાસિકા-શ્રાવિકા બની ગઈ; જીવાજીવની જાણકાર થઈ યાવત શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતી રહેવા લાગી. સુભદ્રાનો દીક્ષાનો સંકલ્પ :१५ तए णं तीसे सुभद्दाए समणोवासियाए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकाल- समयसि कुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं भद्देणं सत्थवाहेणं विउलाई भोगभोगाई भुंजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारियं वा पयामि । तं सेयं खलु ममं कल्लं जाव जलते भदं सत्थवाहं आपुच्छित्ता सुव्वयाणं अज्जाणं अंतिए मुंडा भवित्ता अगाराओ वा अणगारियं पव्वइत्तए; एवं संपेहेइ, संपेहित्ता जेणेव भद्दे सत्थवाहे तेणेव उवागया, करयल परिग्गहियं जाव एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया ! तुब्भेहिं सद्धिं बहूई वासाई विउलाई भोगभोगाइं भुंजमाणी विहरामि, णो चेव णं दारगं वा दारियं वा पयामि । तं इच्छामि णं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी सुव्वयाणं अज्जाणं अंतिए जाव पव्वइत्तए ।
Page #97
--------------------------------------------------------------------------
________________
પુષ્પિકા વર્ગ-૩ : અઘ્ય.-૪
ભાવાર્થ :- ત્યાર પછી તે સુભદ્રા શ્રાવિકાને એક વાર મધ્યરાત્રિએ સાંસારિક ચિંતન કરતાં આ પ્રકારનો અધ્યવસાય– વિચાર આવ્યો કે— 'હું ભદ્રસાર્થવાહની સાથે વિપુલ ભોગોને ભોગવતી સમય વ્યતીત કરું છું પરંતુ આજ સુધી મને એક પણ સંતાન થયું નથી. મારે માટે તે જ શ્રેષ્ઠ છે કે હું કાલે સૂર્યોદય થાય ત્યારે ભદ્ર સાર્થવાહને પૂછીને સુવ્રતા સાધ્વીજીની પાસે ગૃહત્યાગ કરી, મુંડિત થઈ દીક્ષા અંગીકાર કરું.' તેણે આવો વિચાર કર્યો, વિચાર કરીને ભદ્ર સાર્થવાહની પાસે આવી અને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું– "હે દેવાનુપ્રિય ! હું આપની સાથે ઘણાં વર્ષોથી વિપુલ ભોગોને ભોગવી રહી છું. પરંતુ મેં એક પણ બાળકને જન્મ આપ્યો નથી. તેથી હું આપની આજ્ઞા લઈને સુત્રતા આર્યાજીની પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા રાખું છું."
૧૧૧
१६ तए णं से भद्दे सत्थवाहे सुभद्दं सत्थवाहिं एवं वयासी- मा णं तुमं देवाणुप्पिए ! मुंडा जाव पव्वयाहि । भुंजाहि ताव देवाणुप्पिए ! मए सद्धिं विउलाई भोगभोगाई, तओ पच्छा भुत्तभोई सुव्वयाणं अज्जाणं जाव पव्वयाहि ।
तणं सुभद्दा सत्थवाही भद्दस्स एयमट्ठे णो आढाइ णो परियाणइ । दोच्चं पि तच्चं पि भद्दं सत्थवाहं एवं वयासी- इच्छामि देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी जाव पव्वइत्तए ।
तए णं से भद्दे सत्थवाहे जाहे णो संचाएइ बहूहिं आघवणाहि य, पण्णवणाहि य सण्णवणाहि य विण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा, सण्णवित्तए वा विण्णवित्तए वा, ताहे अकामए चेव सुभद्दाए णिक्खमणं अणुमण्णित्था ।
ભાવાર્થ :- ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહે સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયે ! તમે હમણાં મુંડિત યાવત્ પ્રવ્રુજિત ન થાઓ પરંતુ મારી સાથે વિપુલ ભોગોને ભોગવો અને ભુક્તભોગી થઈને ત્યાર પછી સુવ્રતા આર્યાની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી, પ્રવજ્યા અંગીકાર કરજો.
ન
સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહના આ વચનો માન્યા નહી,સ્વીકાર્યા નહીં અને બીજીવાર, ત્રીજીવાર પણ ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા લઈને હું દીક્ષા અંગીકાર કરવાની ઈચ્છા રાખું છું.
ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહ અનેક પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ઘણી યુક્તિઓથી, પ્રજ્ઞપ્તિઓથી (પ્રવજિત ન થાઓ, સંયમ માર્ગ કઠિન છે તેવા વિશેષ કથનથી) સંજ્ઞપ્તિથી (ભોગ ભોગવ્યા પછી સંયમ સહજ બને એમ સમજાવવાથી) અને વિજ્ઞપ્તિઓથી(સંયમની દઢતાની પરીક્ષારૂપ કથનથી) તેને સમજાવવામાં, મનાવવામાં સમર્થ ન થયો તેથી તેણે અનિચ્છાએ સુભદ્રાને પ્રવ્રુજિત થવાની આજ્ઞા આપી.
Page #98
--------------------------------------------------------------------------
________________
| ११२ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાર્થવાહીના આત્મભાવોની વિશુદ્ધિ પ્રગટ થાય છે. તેણીએ ધર્મશ્રવણ અને સત્સંગના પ્રભાવે શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યો. વ્રતપાલન કરતાં કરતાં તેના સર્વ સંગ ત્યાગના ભાવ પરિપક્વ બન્યા અને પતિની આજ્ઞા મેળવી સંયમ માર્ગે પ્રયાણ કરવા કટિબદ્ધ બની. सुभद्रानी दीक्षा विधि :| १७ तए णं से भद्दे सत्थवाहे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्तणाइ जावआमतेइ । तओ पच्छा भोयण वेलाए जावमित्तणाइ सक्कारे सम्माणेइ। सुभदं सत्थवाहिं ण्हायं जावसव्वालंकारविभूसियं पुरिससहस्सवाहिणिं सीयं दुरूहेइ।
तएणं से भद्दे सत्थवाहे मित्तणाइ जाव सद्धिं संपरिखुडे सव्विड्डीए जाव रवेणं वाणारसीणयरीए मज्झमज्झेणं जेणेव सुव्वयाणं अज्जाणं उवस्सए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुरिससहस्सवाहिणिं सीयं ठवेइ, सुभदं सत्थवाहिं सीयाओ पच्चोरुहेइ। ભાવાર્થ :- ત્યાર પછી ભદ્ર સાર્થવાહે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ભોજન તૈયાર કરાવ્યું અને પોતાના સર્વ મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ, પરિચિતોને આમંત્રણ આપ્યું અને ભોજનના સમયે ભોજન કરાવી તે મિત્રો આદિનો સત્કાર-સન્માન કર્યો અને સ્નાન કરી સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી સુભદ્રા સાર્થવાહીને હજાર પુરુષો વહન કરી શકે તેવી પાલખીમાં બેસાડી. ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહ મિત્ર, જ્ઞાતિજન, સ્વજન-સંબંધીઓથી પરિવૃત્ત, ભવ્ય ઋદ્ધિ-વૈભવ સાથે થાવત્ ભેરી આદિ વાદ્યોના નાદ સહિત વારાણસી નગરીની મધ્યમાં થઈને જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો ત્યાં આવ્યો, આવીને તે હજાર પુરુષોએ ઉપાડેલી તે શિબિકાને ઊભી રાખી અને સુભદ્રા સાર્થવાહીને શિબિકામાંથી નીચે ઉતારી. | १८ तए णं भद्दे सत्थवाहे सुभदं सत्थवाहिं पुरओ काउं जेणेव सुव्वया अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुव्वयाओ अज्जाओ वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सुभद्दा सत्थवाही ममं भारिया इट्ठा कंता, जाव एस णं देवाणुप्पिया ! संसारभउव्विग्गा, भीया जम्ममरणाणं; देवाणुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वयाइ । तं एयं णं अहं देवाणुप्पियाणं सीसिणिभिक्खं दलयामि । पडिच्छंतु णं देवाणुप्पिया ! सीसिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । ભાવાર્થ :- ત્યાર પછી ભદ્ર સાર્થવાહ સુભદ્રાસાર્થવાહીને આગળ કરીને સુવ્રતા આર્યાની પાસે આવ્યો,
Page #99
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૪ .
[ ૧૧૩]
આવીને સુવ્રતા આર્યાને વંદન-નમસ્કાર કર્યા; વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આ સુભદ્રા સાર્થવાહી મારી પત્ની છે તે મને અત્યંત ઈષ્ટ અને કાંત(પ્રિય) છે યાવતુ હે દેવાનુપ્રિયે ! હવે તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને, જન્મ મરણથી ભયભીત થઈને, આપની પાસે ખંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, દીક્ષિત થવા માટે તત્પર થઈ છે. તેથી હે દેવાનુપ્રિયે ! હું આપને આ શિષ્ટારૂપ ભિક્ષા આપી રહ્યો છું. હે દેવાનુપ્રિયે ! આ શિષ્યારૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.
ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે સુવ્રતા આર્યાએ કહ્યું- હે દેવાનુપ્રિયે! આપને સુખ ઉપજે તેમ કરો, શુભ કાર્યમાં વિલંબ ન કરો. |१९ तए णं सा सुभद्दा सत्थवाही सुव्वयाहिं अज्जाहिं एवं वुत्ता समाणी हट्ठतुट्ठा जाव सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव सुव्वयाओ अज्जाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुव्वयाओ अज्जाओ तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
आलित्ते णं भंते ! लोए, पलित्ते णं भंते ! लोए, आलित्त-पलित्तेणं भंते ! लोए, जराए मरणेणं य एवं जहा देवाणंदा तहा पव्वइया जाव अज्जा जाया इरिया- समिया जाव गुत्तबंभयारिणी। ભાવાર્થ - સુવ્રતા સાધ્વીજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે સુભદ્રા સાર્થવાહી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ અને તેણે એક બાજુ જઈને સ્વયમેવ વસ્ત્ર, માળા અને આભૂષણોને ઉતાર્યા, ઊતારીને સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, લોચ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતાં ત્યાં આવી, આવીને સુવ્રતા આર્યાને ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણાપૂર્વક(આવર્તનપૂર્વક) વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભંતે ! આ સંસાર આદીપ્ત-જન્મ, જરા, મરણ રૂપ અગ્નિથી બળી રહ્યો છે, પ્રદીપ્ત—અત્યંત બળી રહ્યો છે ઈત્યાદિ, આ રીતે દેવાનંદાની જેમ તે સુવ્રતા આર્યાની પાસે પ્રવ્રજિત થઈ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, ઈન્દ્રિયોને નિગ્રહ કરનારી, ગુપ્ત બ્રહ્મચારિણી સાધ્વી બની ગઈ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રાની દીક્ષા વિધિનું કંઈક સંક્ષિપ્ત અને કંઈક વિસ્તૃત કથન છે. તેમજ આ સૂત્રોમાં તત્કાલીન સમાજ અને જૈન ધર્મમાં સ્ત્રીગૌરવ તથા સ્ત્રી સન્માનના ભાવનું નિદર્શન છે. ગઇ રેવાવા - ભગવાન મહાવીર પાસે માતા દેવાનંદાએ દીક્ષા ગ્રહણ કરી હતી. તે પ્રસંગનું વિસ્તૃત વર્ણન શ્રી ભગવતી સૂત્ર શતક-૩૩ માં છે, તે પ્રમાણે અહીં જાણવું. અહીં તેના પાઠનો અતિદેશ કર્યો છે. વિસ્તાર માટે જુઓ – ભગવતી સૂત્ર ભાગ-૩.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
પ્રસ્તુત સૂત્રોથી જૈન સાધ્વીજીઓનું વિચરણ, ધર્મોપદેશ, ધર્મ પ્રભાવના, દીક્ષા પ્રદાન, શ્રાવક દ્વારા સાધ્વીજીઓને વંદન વગેરે વ્યવહારો સ્પષ્ટ થાય છે.
૧૧૪
ભારતીય સંસ્કૃતિના લોક વ્યવહાર આદિ કારણોથી પ્રભુના શાસનમાં પુરુષ જ્યેષ્ઠ કલ્પનો સ્વીકાર કર્યો છે, સાધુને વંદન વ્યવહાર, વિશેષ પદ પ્રદાન વગેરેમાં પુરુષ જ્યેષ્ઠતા છે.
તેમ છતાં જિન શાસનના સમગ્ર વ્યવહારોમાં સ્ત્રી જાતિને સમાન હક છે. જૈન શાસ્ત્રોમાં મુક્તિ પર્યંતની સર્વ યોગ્યતા જણાવીને સ્ત્રી જાતિની મહત્તા પ્રદર્શિત કરી છે. દરેક તીર્થંકરના શાસનમાં સાધ્વીજીઓની સંખ્યા અધિક છે. અનેક શાસ્ત્રોમાં સાધ્વીજીઓના જીવન વર્ણન છે. પ્રસ્તુત શાસ્ત્રમાં પણ ગુરુણીની આજ્ઞા વિના સ્વતંત્ર વિચરનાર સાધ્વીજીઓના શિથિલાચાર અને તેનું પરિણામ બતાવ્યા પછી તેના મોક્ષ પર્યંતનું વર્ણન સન્માનપૂર્વક કર્યું છે. શ્રી જ્ઞાતા સૂત્રમાં સ્ત્રી તીર્થંકર પ્રભુ મલ્લિનાથનું પ્રભાવશાળી વિસ્તૃત જીવન ચરિત્ર વર્ણિત છે. તેમાં પણ સ્ત્રી જાતિનું ગૌરવ દર્શાવેલ છે.
આ પ્રકારના અનેક ઉદાહરણોથી જણાય છે કે જૈનશાસ્ત્રોમાં સ્ત્રીઓના સમ્માન અને આદરથી ભરેલા વર્ણનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
સુભદ્રા આર્યાની બાળકોમાં અનુરાગવૃત્તિ ઃ
| २० तणं सा सुभद्दा अज्जा अण्णया कयाइ बहुजणस्स चेडरूवेसु मुच्छिया गिद्धा गढिया अज्झोववण्णा अब्भंगणं च उव्वट्टणं च फासुयपाणं च अलत्तगं च कंकणाणि य अंजणं च वण्णगं च चुण्णगं च खेल्लणगाणि य खज्जल्लगाणि य खीरं च पुप्फाणि य गवेसइ, गवेसित्ता बहुजणस्स दारए य दारिया य कुमारे य कुमारियाओ य डिंभए य डिंभियाओ य, अप्पेगइयाओ अब्भंगेर, अप्पेगइयाओ उव्वट्टेइ, अप्पेगइयाओ फासुयपाणएणं ण्हावेइ, एवं पाए रयइ, ઓટ્ટે યજ્ઞ, અાભિ અંગે, સુ રેફ, તિલમ્ રેફ, વિનિવલર્ રેફ, पंतियाओ करेइ, छिज्जाई करेइ, वण्णएणं समालभइ, चुण्णएणं समालभइ, खेल्लणगाई दलयइ, खज्जलगाई दलयइ, , खीर भोयणं भुंजावेइ, पुप्फाई ओमुयइ, पाएसु ठवेइ, जंघासु ठवेइ, एवं उरूसु उच्छंगे कडीए पिट्टे उरंसि खंधे सीसे य ठवेइ, करयलपुडेणं गहाय हलउलेमाणी हलउलेमाणी आगायमाणी आगायमाणी परिगायमाणी परिगायमाणी पुत्तपिवासं च धूयपिवासं च णत्तुयपिवासं च णत्तिपिवासं च पच्चणुभवमाणी विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી સુભદ્રા આર્યા ક્યારેક ગૃહસ્થના બાળકોમાં મૂર્છિત, વૃદ્ધ, અત્યંત અનુરાગ– વાળી અને આસક્ત થઈને તે બાળકોને ચોળવા માટે તેલ, શરીરનો મેલ દૂર કરવા માટે પીઠી, પીવા માટે
Page #101
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
૧૧૫]
પ્રાસુક પાણી, તે બાળકોનાં હાથ–પગ રંગવા માટે મહેંદી આદિ રંજક દ્રવ્ય, કંકણ-હાથમાં પહેરવાના કડાં, અંજન-કાજળ આદિ, વર્ણક–ચંદન, અબીલ આદિ, ચૂર્ણક–સુગંધિત દ્રવ્ય(પાઉડર), ખેલનકરમકડા, ખાવા માટે ખાજાં આદિ મિષ્ટાન્ન, ખીર, દૂધ અને પુષ્પમાળા (અચેત પુષ્પની માળા) આદિ પદાર્થોની ગવેષણા કરવા લાગી.
પછી તે ગૃહસ્થોનાં છોકરાં-છોકરીઓને, કુમાર-કુમારિકાઓને, બાળક–બાળિકાઓને કોઈને તેલનું માલીશ કરતી હતી, કોઈને પીઠી ચોળતી હતી, કોઈને પ્રાસુકજળથી સ્નાન કરાવતી હતી, કોઈના પગ રંગતી હતી, કોઈના હોઠ રંગતી હતી, કોઈને આંજણ આંજતી હતી, કોઈના લલાટે તિલક કરતી હતી, કોઈને કેશરનું તિલક-બિન્દી(ચાંદલો) લગાડતી હતી, કોઈ બાળકને હીંચકા નાખતી હતી અને કેટલાંક બાળકોને પંક્તિમાં ઊભા રાખતી, કેટલાંક બાળકોને જુદા-જુદા ઊભા રાખતી હતી, કોઈના શરીરે ચંદન લગાવતી હતી, તો કોઈના શરીરે સુગંધિત પાવડર લગાડતી હતી, કોઈને રમકડાં દેતી, કોઈને ખાવા માટે ખાજા આદિ મિષ્ટાન દેતી, કોઈને દૂધ પીવડાવતી, કોઈના ગળામાં પહેરેલી પુષ્પમાળાને ઉતારતી, કોઈને પોતાના પગ ઉપર બેસાડતી, કોઈને જંઘા ઉપર બેસાડતી, કોઈને સાથળ ઉપર, કોઈને ખોળામાં, કોઈને કમ્મરમાં, પીઠ ઉપર, છાતી પર, ખંભા પર, માથા ઉપર બેસાડતી તો કોઈને હાથેથી પકડીને હુલરાવતી, હાલરડાં ગાતી, ઊંચા અવાજે ગાતી, પુચકારતી તે પુત્ર પુત્રીની પિપાસા અને પૌત્ર-પૌત્રીઓની લાલસાની પૂર્તિનો અનુભવ કરતી રહેવા લાગી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાધ્વીજીની અતૃપ્ત કામનાનું નિદર્શન છે. સર્વસંગ પરિત્યાગ કરવા છતાં અંતરમાં છુપાયેલી સંતાન પ્રાપ્તિની કામના, તેના પરની આસક્તિના સંસ્કાર પુનઃ જાગૃત થતાં તે સુભદ્રા સાધ્વી સંયમી જીવનમાં પણ યેનકેન પ્રકારે પોતાની કામનાની પૂર્તિ કરવામાં નિઃસંકોચપણે પ્રવૃત્ત થઈ ગઈ.
સુભદ્રા આર્યાનો ગચ્છ ત્યાગ :२१ तए णं ताओ सुव्वयाओ अज्जाओ सुभदं अज्जं एवं वयासी- अम्हे णं देवाणु प्पिए ! समणीओ णिग्गंथीओ इरियासमियाओ जाव गुत्तबंभयारिणीओ, णो खलु अम्हं कप्पइ जातककम्मं करेत्तए । तुमं च णं देवाणुप्पिए ! बहुजणस्स चेडरूवेसु मुच्छिया जाव अज्झोववण्णा अब्भङ्गणं जाव णत्तुयपिवासं वा पच्चणुभवमाणी विहरसि । तं णं तुमं देवाणुप्पिए ! एयस्स ठाणस्स आलोएहि जाव पायच्छित्तं पडिवज्जाहि । ભાવાર્થ :- તેનું આ પ્રકારનું વર્તન જોઈને સુવ્રતાઆર્યાએ સુભદ્રા આર્યાને કહ્યું- હે દેવાનુપ્રિયે ! આપણે સાંસારિક વિષયોથી વિરકત, ઈર્ષા સમિતિ આદિથી યુક્ત યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
શ્રમણીઓ છીએ તેથી બાળકોનાં લાલન–પાલન, બાલક્રીડા આદિ કૃત્યો આપણા માટે કલ્પનીય નથી. હે દેવાનુપ્રિયે ! તમે ગૃહસ્થના બાળકોમાં આસકત, મૂર્છિત અને અનુરાગી થઈને તેના માલિશ આદિ અકલ્પનીય કાર્ય કરો છો યાવત્ પુત્ર-પુત્રી, પૌત્ર-પૌત્રી આદિની લાલસાપૂર્તિનો અનુભવ કરો છો તેથી હે દેવાનુપ્રિયે ! તમે આવા અકલ્પનીય કાર્યની આલોચના કરો યાવત્ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો.
૧૧૬
२२ सभा अज्जा सुव्वयाणं अज्जाणं एयमट्ठ णो आढाइ, णो परिजाणइ, अणाढायमाणी अपरिजाणमाणी विहरइ । तए णं ताओ समणीओ णिग्गंथीओ सुभद्दं अज्जं हीलेंति, णिदंति, खिसंति, गरहंति अभिक्खणं अभिक्खणं एयमट्ठ णिवारेति ।
ભાવાર્થ :– સુવ્રતા આર્યા દ્વારા આ રીતે અકલ્પનીય કાર્યોનો નિષેધ કરવા છતાં પણ તે સુભદ્રા આર્યાએ તે વાતને માની નહીં કે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં પરંતુ તે વાતની ઉપેક્ષા કરતી તે જ પ્રકારે વ્યવહાર કરતી રહી.
ત્યારે અન્ય નિગ્રંથ શ્રમણીઓ સુભદ્રા આર્યાની હીલના(તિરસ્કાર) કરતી, નિંદા કરતી, ઠપકો આપતી, ગર્હા કરતી—ભર્ત્યના કરતી અને તેને વારંવાર તે કાર્યો માટે રોકતી હતી.
२३ तए णं तीए सुभद्दाए अज्जाए समणीहिं णिग्गंथीहिं हीलिज्जमाणीए जाव अभिक्खणं अभिक्खणं एयमट्ठ णिवारिज्जमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पज्जित्था - जया णं अहं अगारवासं वसामि तया णं अहं अप्पवसा, जप्पभिरं च णं अहं मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, तप्पभिदं च णं अहं परवसा; पुव्विं च मम समणीओ णिग्गंथीओ आर्ढेति परिजार्णेति, इयाणिं णो आढेंति णो परिजार्णेति, तं सेयं खलु मे कल्लं जाव जलते सुव्वयाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ताणं विहरित्तए, एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव जलते सुव्वयाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता पाडिएक्कं उवस्सयं उवसंपज्जित्ताणं विहरइ ।
तए णं सा सुभद्दा अज्जा अणोहट्ठिया अणिवारिया सच्छंदमई बहुजणस्स चेडरूवेसु मुच्छिया जाव णत्तिपिवासं च पच्चणुभवमाणी विहरइ ॥
ભાવાર્થ :- નિગ્રંથી આર્યાઓ દ્વારા પૂર્વોક્ત પ્રકારે હીલના આદિ કરવાથી અને વારંવાર રોકવાથી તે સુભદ્રા આર્યાને આ પ્રકારનો અધ્યવસાય યાવત્ માનસિક વિચાર ઉત્પન્ન થયો કે જ્યારે હું મારા ઘેર હતી ત્યારે સ્વતંત્ર હતી, હવે જ્યારે ઘર છોડી મુંડિત થઈ, અણગારિક પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે ત્યારથી હું પરતંત્ર થઈ ગઈ છું. પહેલાં જે નિગ્રંથ શ્રમણીઓ મારો આદર કરતી હતી, મારી સાથે પ્રેમપૂર્વક આલાપ–
Page #103
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪ .
[૧૧૭]
સંલાપ વ્યવહાર કરતી હતી; તે આજે મારો નથી તો આદર કરતી કે નથી મારી સાથે પ્રેમથી બોલતી. તેથી કાલે પ્રાતઃકાલે સૂર્યોદય થવા પર સુવ્રતા આર્યા પાસેથી નીકળીને પૃથક સ્થાન ગ્રહણ કરીને વિચરું, જુદા ઉપાશ્રયમાં રહું, તે મારા માટે યોગ્ય છે. તેણે આ પ્રકારનો સંકલ્પ કર્યો, સંકલ્પ કરીને બીજે દિવસે સૂર્યોદય થતાં તે સુવ્રતા આર્યાને છોડીને નીકળી ગઈ અને અલગ ઉપાશ્રયમાં જઈને એકલી જ રહેવા લાગી.
ત્યાર પછી તે સુભદ્રા આર્યા, ગુણી આદિનો અંકુશ ન રહેવાથી, નિરકુંશ અને રોકટોક વિના સ્વેચ્છાચારી થઈને ગૃહસ્થનાં બાળકોમાં આસક્ત—અનુરક્ત થઈને યાવત પોતાની પુત્ર-પૌત્ર આદિની લાલસા પૂર્તિનો અનુભવ કરતી રહેવા લાગી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાધ્વીજીની સ્વચ્છેદ વૃત્તિ અને તેનું પરિણામ દર્શાવ્યું છે. સંયમી જીવનમાં પણ પોતાની ઈચ્છા તૃપ્તિમાં અન્ય વ્યક્તિ બાધકરૂપ લાગી ત્યારે તેણે એકાંતનો આશ્રય લઈ પોતાની દુવૃત્તિનું પોષણ કર્યું.
સંયોગોનું સર્જન થતાં વ્યક્તિના બાહ્ય જીવનનું પરિવર્તન થાય પરંતુ સંસ્કાર પરંપરાનો જ્યાં સુધી પૂર્ણરૂપે અંત આવતો નથી ત્યાં સુધી તે પ્રવૃત્તિઓ ફરીથી ક્યારેક ચાલુ થઈ જાય છે. સુભદ્રા આર્યાની સંલેખના સાથે દેવગતિ :२४ तए णं सा सुभद्दा अज्जा पासत्था पासत्थविहारी, ओसण्णा ओसण्णविहारी, कुसीला कुसीलविहारी, संसत्ता संसत्तविहारी, अहाछंदा अहाछंदविहारी, बहूई वासाइ सामण्णपरियागं पाउणई, पाउणित्ता अद्धमासियाए सलेहणाए अत्ताण झूसेइ झूसित्ता तीसं भत्ताइ अणसणेणं छेदित्ता, तस्स ठाणस्स अणालोइय अपडिकता कालमासे कालं किच्चा सोहम्मे कप्पे बहुपुत्तियाविमाणे उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरियाए अंगुलस्स असंखेज्जइभागमेत्ताए ओगाहणाए बहुपुत्तियदेवित्ताए उववण्णा ।
तए णं सा बहुपुत्तिया देवी अहुणोववण्णमेत्ता समाणी पंचविहाए पज्जत्तीए जाव भासमणपज्जत्तीए । एवं खलु गोयमा ! बहुपुत्तियाए देवीए सा दिव्वा देविड्डी जाव अभिसमण्णागया । ભાવાર્થ :- ત્યાર પછી તે સુભદ્રા આર્યા પાસત્થા, પાસસ્થવિહારી (શિથિલાચારી), અવન, અવસગ્ન- વિહારી(ખંડિતવ્રતવાળી), કુશીલ, કુશલવિહારી(આચાર ભ્રષ્ટ), સંસક્ત, સંસક્તવિહારી (ગૃહસ્થો સાથે સંપર્ક રાખનારી) અને સ્વચ્છંદ, સ્વચ્છંદવિહારી(નિરકંશ) થઈ ગઈ. તેણે ઘણાં વર્ષો સુધી
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
સંયમ પર્યાયનું પાલન કર્યું, પાલન કરીને અર્ધમાસિક સંલેખનાથી આત્માને ભાવિત કરીને, ત્રીસ ભક્ત (ભોજન)ને અનશન દ્વારા છોડીને અને અકરણીય કાર્યોની, સંયમમાં લાગેલા દોષોની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના જ કાલના સમયે કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકના બહુપુત્રિકા વિમાનની ઉપપાત સભાની અંદર દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યા પર અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહનાથી બહુપુત્રિકાદેવી રૂપે ઉત્પન્ન થઈ.
ત્યાર પછી ઉત્પન્ન થતાં જ તે બહુપુત્રિકાદેવીએ ભાષા–મનઃપર્યાપ્તિ પર્વતની પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત અવસ્થાને પ્રાપ્ત કરી. હે ગૌતમ! આ પ્રમાણે બહુપત્રિકાદેવીએ તે દિવ્ય દેવઋદ્ધિ આદિને પ્રાપ્ત કરી છે. ગૌતમની પુનઃ જિજ્ઞાસા :| २५ से केणद्वेणं भंते ! एवं वुच्चइ- बहुपुत्तिया देवी, बहुपुत्तिया देवी ?
गोयमा ! बहुपुत्तिया णं देवी जाहे जाहे सक्कस्स देविंदस्स देवरण्णो उवत्थाणियं करेइ, ताहे ताहे बहवे दारए य दारियाओ य डिभए य डिभियाओ य विउव्वइ, विउव्वित्ता जेणेव सक्के देविंदे देवराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता सक्कस्स देविंदस्स देवरण्णो दिव्वं देवि४ि दिव्वं देवज्जुई दिव्वं देवाणुभावं उवदंसेइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- बहुपुत्तिया देवी बहुपुत्तिया देवी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે બહુપુત્રિકા દેવી, બહુપુત્રિકા દેવી કહેવાય છે?
હે ગૌતમ! બહુપુત્રિકાદેવી જ્યારે જ્યારે દેવોના રાજા શકેન્દ્રની પાસે નાટક કરવા જાય છે ત્યારે ત્યારે તે ઘણાં છોકરાં-છોકરી અને બાળક–બાલિકાઓની વિદુર્વણા કરે, વિદુર્વણા કરીને જ્યાં દેવેન્દ્રદેવરાજ શક્ર બેઠા હોય, ત્યાં જઈને તે દેવેન્દ્ર શુક્રની સમક્ષ પોતાની દિવ્ય દેવઋદ્ધિ (પરિવારાદિ), દિવ્ય દેવદ્યુતિ (શરીર અને આભરણાદિની કાંતિ) અને દિવ્ય દેવાનુભાવ(અદ્ભુત વૈક્રિય શરીરાદિની શક્તિ)- પ્રભાવતેજને બતાવે છે. હે ગૌતમ! તેથી તે બહુપુત્રિકાદેવી કહેવાય છે. २६ बहुपुत्तियाणं भंते ! देवीणं केवइयं कालं ठिई पण्णता ? गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- હે ભગવન્! બહુપુત્રિકાદેવીની સ્થિતિ કેટલી કહી છે? હે ગૌતમ ! બહુપુત્રિકાદેવીની સ્થિતિ ચાર પલ્યોપમની છે. બહુપુત્રિકાનો ભાવી ભવ : સોમા :| २७ बहुपुत्तिया णं भंते ! देवी ताओ देवलोगाओ आउक्खएणं भवक्खए
Page #105
--------------------------------------------------------------------------
________________
पुष्पिडा वर्ग-3 : अध्य.-४
णं ठिइक्खएणं अनंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ? गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले विभेलसण्णिवेसे माहणकुलंसि दारियत्ताए पच्चायाहिइ ।
૧૧૯
तए णं तीसे दारियाए अम्मापियरो एक्कारसमे दिवसे वीइक्कंते जाव अयमेयारूवं णामधेज्जं करेंति - होउ णं अम्हं इमीसे दारियाए णामधेज्जं सोमा । ભાવાર્થ :- હે ભગવન્ ! તે બહુપુત્રિકાદેવી આયુઇલિક, ભવનિબંધક કર્મ અને સ્થિતિનો ક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં જન્મ ધારણ કરશે ?
હે ગૌતમ ! બહુપુત્રિકાદેવી આ જંબુદ્વીપના ભારતવર્ષમાં વિંધ્યપર્વતની તળેટીમાં વિભેલ સન્નિ– વેશમાં બ્રાહ્મણકુળમાં પુત્રી રૂપે જન્મ ધારણ કરશે. ત્યાર પછી તેના માતાપિતા અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમે દિવસે આ પ્રમાણે નામકરણ કરશે—"અમારી આ પુત્રીનું નામ સોમા રહેશે અર્થાત્ તે પોતાની બાળાનું નામ સોમા રાખશે."
સોમાનું રાષ્ટ્રકૂટ સાથે પાણિગ્રહણ :
२८
सोमा उम्मुक्कबालभावा विण्णायपरिणयमेत्ता जोव्वणगमणुप्पत्ता रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा या वि भविस्सइ ।
तए णं तं सोमं दारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमेत्तं जोव्वण- गमणुप्पत्तं पडिरूविएणं सुक्केणं पडिरूविएणं विणएणं णियगस्स भाइणेज्जस्स रट्ठकूडस्स भारियत्ताए दलइस्सइ ।
सा णं तस्स भारिया भविस्सइ इट्ठा कंता जाव भंडकरण्डगसमाणा तेल्लकेला इव सुसंगोविया चेलपेला इव सुसंपरिहिया रयणकरंडओ विव सुसारक्खिया सुसंगोविया, मा णं सीयं जाव विविहा रोगायंका फुसंतु ।
ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બાલ્યાવસ્થા છોડી, વિષય સુખના પરિજ્ઞાનવાળી યૌવન અવસ્થાને પ્રાપ્ત કરી, રૂપયૌવન લાવણ્યથી અત્યંત ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થશે.
માતા–પિતા તે સોમા બાલિકાને વ્યતીત બાલ્યાવસ્થાવાળી, પરિજ્ઞાત વિષયસુખવાળી અને યૌવન અવસ્થામાં આવેલી જાણીને, યથાયોગ્ય ગૃહસ્થોપયોગી ઉપકરણો, ધન, આભૂષણો અને સંપત્તિની સાથે પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટની સાથે તેના લગ્ન કરશે.
તે સોમા ભાર્યા તે રાષ્ટ્રકૂટને ઈષ્ટ, કાન્ત થશે યાવત્ તે આભૂષણોની પેટીની સમાન, તેલના સુંદર
Page #106
--------------------------------------------------------------------------
________________
| १२० ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
વાસણની જેમ યત્નપૂર્વક તેની રક્ષા કરશે, વસ્ત્રોની પેટીની જેમ સારી રીતે સચવાયેલી અને રત્નના કરંડિયાની જેમ સુરક્ષિત તેને શીત, ઉષ્ણ, વાત, પિત્ત, કફ અને સન્નિપાતજન્ય રોગો અને આતંક પણ સ્પર્શ ન કરી શકે તે રીતે હંમેશાં તેની રક્ષા કરશે. બહુ સંતાનથી પીડિત સોમા :|२९ तए णं सा सोमा माहणी रटुकूडेणं सद्धि विउलाई भोगभोगाइं भुंजमाणी सवच्छरे संवच्छरे जुयलगं पयायमाणी, सोलसेहिं संवच्छरेहिं बत्तीसं दारगरूवे पयाहिइ । तए णं सोमा माहणी तेहिं बहूहिं दारगेहि य दारियाहि य कुमारेहि य कुमारियाहि य डिभएहि य डिभियाहि य अप्पेगइएहिं उत्ताणसेज्जएहि य अप्पेगइए हिं थणियाएहि य अप्पेगइएहिं पीहगपाएहिं अप्पेगइएहिं परंगणएहिं, अप्पेगइए हिं परक्कममाणेहिं अप्पेगइएहिं पक्खोलणएहिं अप्पेगइएहिं थणं मग्गमाणेहिं, अप्पेगइएहिं खीरं मग्गमाणेहिं अप्पेगइएहिं खेल्लणयं मग्गमाणेहिं, अप्पगइएहिं खज्जगं मग्गमाणेहिं, अप्पेगइएहिं कूरं मग्गमाणेहिं, एवं पाणियं मग्गमाणेहिं हसमाणेहिं रूसमाणेहिं अक्कोस-माणेहिं अक्कुस्समाणेहिं हणमाणेहिं हम्ममाणेहिं विप्पलायमाणेहिं, अणुगम्ममाणेहिं रोयमाणेहिं कंदमाणेहिं विलवमाणेहिं कूवमाणेहिं उक्कूवमाणेहिं णिद्धायमाणेहिं पलंब- माणेहिं दहमाणेहिं दंसमाणेहिं वममाणेहिं छेरमाणेहिं मुत्तमाणेहिं मुत्तपुरीसवमिय-सुलित्तोवलित्ता मइलवसणपुच्चडा असुहबीभच्छा परमदुग्गंधा णो संचाएइ र?कूडेणं सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणी विहरित्तए । ભાવાર્થ :- ત્યાર પછી સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવતી દર વરસે એક એક સંતાનના જોડલાંને જન્મ આપશે. સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી ઘણાં નાના, મોટાં બાળકોથી તંગ થઈ જશે. તેના દીકરા, દીકરી, બાળક, બાળાઓ, કુમાર, કુમારિકાઓમાંથી કોઈ લાંબા કાળ સુધી સૂતાં રહેશે, કોઈ રાડો પાડીને રોવા લાગશે, કોઈ ચાલવાની ઈચ્છા કરશે, કોઈ બીજાના ફળીયામાં જતું રહેશે, કોઈ ગોઠણિયા ભર ચાલશે અથવા કોઈ પગ પર ઊભા રહેવા પ્રયત્ન કરશે, કોઈ ચાલતાં ચાલતાં પડી જશે, કોઈ સ્તનને શોધશે, કોઈ દૂધ માંગશે, કોઈ રમકડાં માંગશે, કોઈ ખાજાં આદિ મીઠાઈ માંગશે, કોઈ ભાત માંગશે, કોઈ પાણી માંગશે, કોઈ હસતું રહેશે, કોઈ રીસાઈ જશે, કોઈ ગુસ્સો કરશે, કોઈ કડવાં વચન કહેશે, કોઈ ઝગડો કરશે, પરસ્પર મારપીટ કરશે, મારીને ભાગી જશે, કોઈ તેનો પીછો કરશે, કોઈ મોટા અવાજે રૂદન કરશે, કોઈ ચીસો પાડી પ્રલાપ કરશે, કોઈ આર્ત સ્વરથી રુદન કરશે, કોઈ અવ્યક્ત (ન સમજાય તેવું) બોલ્યા કરશે, કોઈ જોરથી અવાજ કરશે, કોઈ સૂતાં રહેશે, કોઈ લટકશે, કોઈ અગ્નિમાં દાઝશે, કોઈ બટકા ભરશે, કોઈ ઊલટી-વમન કરશે, કોઈ ઝાડા કરીને બધુ ભરી મૂકશે, કોઈ પેશાબ કરશે, આ પ્રમાણે તે બાળકોનાં મળમૂત્ર, વમનથી ખરડાયેલા
Page #107
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
[ ૧૨૧ ]
શરીરવાળી તથા મેલાં કપડાંથી કાંતિહીન, અશુચિથી ભરેલી, જોવામાં બીભત્સ અને અત્યંત દુર્ગધિત થઈ જવાથી રાષ્ટ્રકૂટની સાથે વિપુલ કામભોગોને ભોગવવા માટે અસમર્થ બની જશે. બહુ સંતાનથી અધન્યતાનો વિચાર :|३० तए णं तीसे सोमाए माहणीए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुंबजागरियं जागरमाणीए अयमेयारूवे अज्झत्थिए जाव मणोगयसंकप्पे समुप्पज्जिहिइ एवं खलु अहं इमेहिं बहूहिं दारगेहि य जाव डिभियाहि य अप्पेगइए हिं उत्ताणसेज्जएहि य जाव परमदुग्गंधा णो संचाएमि रट्ठकूडेणं सद्धिं जाव भुंजमाणी विहरित्तए । तं धण्णाओ णं ताओ अम्मयाओ जावजीवियफले, जाओ णं वंझाओ अवियाउरीओ जाणुकोप्परमायाओ सुरभिसुगंधगंधियाओ विउलाई माणुस्सगाई भोगभोगाइं जमाणीओ विहरति । अहंणं अधण्णा अपुण्णा अकयपुण्णा णो संचाएमि रट्ठकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी विहरित्तए ।
ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બ્રાહ્મણીને એક વાર રાત્રિના પાછલા પ્રહરમાં સાંસારિક વિચારણા કરતાં આ પ્રકારનો વિચાર આવશે કે હું આ ઘણાં નાનાં-મોટાં અને નવાં જન્મેલાં બાળક–બાલિકાઓ, કુમાર-કુમારિકાઓથી ત્રસ્ત થઈ રહી છું. તેમાંથી કોઈ લાંબા કાળ સુધી સૂતાં જ રહે છે યાવત કોઈ પેશાબ કરતા જ રહે છે. તેના મળ-મૂત્ર વમન આદિથી ખરડાયેલી રહેવાના કારણે અત્યંત દુર્ગધવાળી થઈ જવાથી હું રાષ્ટ્રકૂટની સાથે ભોગ ભોગવી શકતી નથી. તે માતાઓ ધન્ય છે યાવત્ તેઓએ મનુષ્યજન્મ અને જીવનનું સુંદર ફળ પ્રાપ્ત કર્યું છે કે જે વંધ્યા છે, બાળકને જન્મ નહીં આપવાથી, જાનુકુર્પરમાતા બની, સુગંધી દ્રવ્યોથી સુવાસિત થઈને, વિપુલ મનુષ્ય સંબંધી ભોગોને ભોગવતી સમય વ્યતીત કરે છે. પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન અને નિર્ભાગી છું કે રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવી શકતી નથી.
સુવતા આર્યાનું બિભેલ સન્નિવેશમાં આગમન :|३१ तेण कालेणं तेणं समएणं सुव्वयाओ णामं अज्जाओ इरियासमियाओ जाव बहुपरिवाराओ पुव्वाणुपुद्वि चरमाणीओ गामाणुगाम दुइज्जमाणीओ जेणेव विभेले सण्णिवेसे तेणेव उवागच्छिर्हिति उवागच्छित्ता अहापडिरूवं उग्गहं जाव विहरिस्सति ।
ભાવાર્થ :- કાળે તે સમયે ઈર્યા આદિ સમિતિઓથી યુક્ત યાવતુ ઘણાં સાધ્વીજીઓ સાથે સુવ્રતા નામના આર્યાજી અનુક્રમથી ગ્રામાનુગ્રામ વિચરતાં તે બિભેલ સન્નિવેશ(ગામ)માં આવશે અને શ્રમણોચિતસાધુને યોગ્ય ઉપાશ્રયમાં ઉતરવાની આજ્ઞા લઈને ત્યાં રહેશે.
Page #108
--------------------------------------------------------------------------
________________
| १२२ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
રાષ્ટ્રકૂટના ઘેર ગોચરી અને ધર્મોપદેશ :३२ तए णं तासिं सुव्वयाणं अज्जाणं एगे संघाडए विभेले सण्णिवेसे उच्चणीय मज्झिमाइंकुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे रटकूडस्स गिहं अणुपविस्सिहिइ । तए णं सा सोमा माहणी ताओ अज्जाओ एज्जमाणीओ पासिहिइ, पासित्ता हट्ठा खिप्पामेव आसणाओ अब्भुढेहिइ, अब्भुट्टित्ता सत्तट्ठपयाई अणुगच्छहिइ, अणुगच्छित्ता वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता विउलेणं असणपाणखाइम- साइमेणं पडिलाभेहिइ एवं वइस्सइ
एवं खलु अहं अज्जाओ ! रटुकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी संवच्छरे संवच्छरे जुगलं पयामि, सोलसहिं संवच्छरेहिं बत्तीसंदारगरूवे पयाया। तए णं अहं तेहिं बहूहिं दारएहि य जाव डिभिंयाहि य अप्पेगइएहिं उत्ताणसेज्जएहिं जाव णो संचाएमि रटुकूडेणं सद्धिं विउलाई भोग भोगाई भुंजमाणी विहरित्तए । तं इच्छामि णं अहं अज्जाओ ! तुम्हं अंतिए धम्मं णिसामेत्तए ।
तए णं ताओ अज्जाओ सोमाए माहणीए विचित्तं केवलिपण्णत्तं धम्म परिकहेहिति। ભાવાર્થ :- ત્યાર પછી તે સુવ્રતા આર્યાનો એક સંઘાડો બિભેલ સન્નિવેશના ઉચ્ચ, નિમ્ન અને મધ્યમ કુળમાં સામુદાનિક ભિક્ષા માટે ફરતાં ફરતાં રાષ્ટ્રકૂટના ઘરે આવશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી તે સાધ્વીજીઓને આવતાં જોઈને હર્ષિત થશે, હર્ષિત થઈને શીધ્ર પોતાના આસન ઉપરથી ઊભી થશે, ઊઠીને સાત-આઠ પગલાં સામે જશે, જઈને વંદન-નમસ્કાર કરશે અને પછી વિપુલ આહાર, પાણી, મેવા, મીઠાઈ, મુખવાસ આદિ ભોજનથી પ્રતિલાભિત કરશે (વહોરાવશે), પછી તેમને આ પ્રમાણે કહેશે
હે આર્યાઓ! રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગોને ભોગવતા મેં પ્રતિવર્ષે જોડકાં બાળકને જન્મ આપ્યો છે. સોળવર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપ્યો છે. જેથી હું તે ઘણા બાળક–બાલિકાઓ થાવત્ કુમારકુમારિકાઓની લાંબા કાળ સુધી શયન યાવત્ પેશાબ આદિ ક્રિયાઓથી; તે બાળકોના મળ-મૂત્ર, વમન આદિથી ખરડાયેલી રહેતી હોવાથી; અત્યંત દુર્ગંધિત શરીરે મારા પતિ રાષ્ટ્રકૂળની સાથે ભોગ ભોગવી શકતી નથી. હે આર્યાઓ ! હું આપની પાસે ધર્મ સાંભળવા માંગુ છું.
સોમાની આ વાત સાંભળીને તે આર્યાઓ સોમા બ્રાહ્મણીને વિવિધ પ્રકારનો કેવળી પ્રરૂપિત ધર્મ સંભળાવશે. सोभानुं परिवर्तन : धर्मभाव :३३ तए णं सा सोमा माहणी तासिं अज्जाणं अंतिए धम्म सोच्चा णिसम्म
Page #109
--------------------------------------------------------------------------
________________
| धुपि40-3: अध्य.-४
| १२३ |
हट्ठतुट्ठ जाव विसप्पमाणहियया ताओ अज्जाओ वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता एवं वइस्सइ- सद्दहामि णं अज्जाओ ! णिग्गंथं पावयणं जाव अब्भुट्टेमि णं अज्जाओ ! णिग्गंथं पावयणं, एवमेयं अज्जाओ ! जाव से जहेयं तुब्भे वयह। जं णवरं अज्जाओ ! रटुकडं आपुच्छामि, तए णं अहं देवाणुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वयामि । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंध ।
तए णं सा सोमा माहणी ताओ अज्जाओ वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता पडिविसज्जिहिइ । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી તે આર્યાઓ પાસેથી ધર્મ સાંભળીને હૃદયમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈને યાવત્ અત્યંત આનંદિત હૃદયથી તે આર્યાઓને વંદન-નમસ્કાર કરશે. વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહેશે- હે આર્યાઓ! હું નિગ્રંથ-પ્રવચન પર શ્રદ્ધા કરું છું. યાવતુ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર છું. હે દેવાનુપ્રિયે! જે આપ કહો છો તે તે જ પ્રમાણે છે, તે જ સત્ય છે. હું રાષ્ટ્રકૂટને પૂછીશ, ત્યાર પછી આપની પાસે મુંડિત થઈને પ્રવ્રજિત થઈશ.
ત્યારે આર્યાઓ કહેશે– જેમ તમને સુખ થાય તેમ કરો; શુભ કાર્યમાં વિલંબ ન કરો. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી તે આર્યાઓને વંદન-નમસ્કાર કરીને વિદાય આપશે. દીક્ષા માટે પતિને નિવેદન :३४ तए णं सा सोमा माहणी जेणेव रटुकूडे तेणेव उवागच्छिस्सइ करयल परिग्गहियं जाव एवं वइस्सइ- एवं खलु मए देवाणुप्पिया ! सुव्वयाणं अज्जाणं अंतिए धम्मे णिसंते, से वि य णं धम्मे इच्छिए जाव अभिरुइए । तए णं अहं देवाणुप्पिया ! तुब्भेहिं अब्भणुण्णाया सुव्वयाणं अज्जाणं अंतिए जाव पव्वइत्तए ।
तए णं से रटुकूडे सोमं माहणिं एवं वइस्सइ- मा णं तुमं देवाणुप्पिए ! इयाणिं मुंडा भवित्ता जाव पव्वयाहि । भुजाहि ताव देवाणुप्पिए ! मए सद्धि विउलाई भोगभोगाई, तओ पच्छा भुत्तभोई सुव्वयाणं अज्जाणं अतिए मुंडा जाव पव्वयाहि । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટની પાસે જઈને બંને હાથ જોડી આવર્તનપૂર્વક મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે કહેશે- હે દેવાનુપ્રિય! મેં સાધ્વીજી પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે. તે ધર્મ મને પ્રિયકર અને રુચિકર લાગ્યો છે. તેથી હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા લઈને હું સુવ્રતા આર્યા પાસે સંયમ સ્વીકારવાની ભાવના રાખું છું.
Page #110
--------------------------------------------------------------------------
________________
। १२४ ।
શ્રી નિરયાવલિકા સૂત્ર
ત્યારે રાષ્ટ્રકૂટ સોમા બ્રાહ્મણીને કહેશે- હે દેવાનુપ્રિયે! હમણાં તું મુંડિત થઈને યાવત ગૃહત્યાગ કરી પ્રવ્રજિત ન બન. પરંતુ હે દેવાનુપ્રિયે ! હમણાં મારી સાથે વિપુલ ભોગોને ભોગવ; ત્યાર પછી ભુક્તભોગી થઈને, સુવ્રતાઆર્યાની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી પ્રવ્રજિત થજે. ३५ तए णं सा सोमा माहणी हाया जाव विभूसिय सरीरा चेडियाचक्कवालपरिकिण्णा साओ गिहाओ पडिणिक्खमिस्सइ, पडिणिक्खमित्ता विभेलं संणिवेसं मज्झमज्झेणं जेणेव सुव्वयाणं अज्जाणं उवस्सए, तेणेव उवागच्छहिइ, उवागच्छित्ता सुव्वयाओ अज्जाओ वंदिस्सइ, णमंसिस्सइ, पज्जुवासिहिइ ।
तए णं ताओ सुव्वयाओ अज्जाओ सोमाए माहणीए विचित्तं केवलिपण्णत्तं धम्मपरिकहेहिति । तए णंसासोमा माहणी सुव्वयाणं अज्जाणं अतिए दुवालसविह सावगधम्म पडिवज्जिहिइ पडिवज्जित्ता सुव्वयाओ अज्जाओ वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता जामेव दिसिं पाउब्भविस्सइ तामेव दिसि पडिगमिस्सइ ।।
तए णं सा सोमा माहणी समणोवासिया भविस्सइ अभिगयजीवाजीवा जावबहूहिं सीलव्वयगुणवेरमणपच्चक्खाणपोसहोववासेहि य अप्पाणं भावेमाणी विहरिस्सइ ।
तएणं ताओ सुव्वयाओ अज्जाओ अण्णया कयाइ विभेलाओ सण्णिवेसाओ पडिणिक्खमिस्संति पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरिस्संति । ભાવાર્થ :- ત્યારે તે સોમા બ્રાહ્મણી સ્નાન કરીને વાવત વસ્ત્રાલંકારથી અલંકૃત બનીને દાસીઓના સમૂહ સાથે પોતાના ઘરેથી નીકળી, બિભેલ સન્નિવેશના મધ્યભાગમાં થઈને સુવ્રતા આર્યાના ઉપાશ્રયમાં આવશે અને સુવ્રતા આર્યાને વંદન-નમસ્કાર કરીને તેમની પર્યાપાસના કરશે.
ત્યાર પછી તે સુવ્રતા આર્યા સોમા બ્રાહ્મણીને વિવિધ પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપશે. ત્યારે તે સોમા બ્રાહ્મણી તે સુવ્રતા આર્યા પાસેથી બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરશે અને પછી વંદન-નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી જશે.
આ રીતે તે સોમા બ્રાહ્મણી શ્રાવિકા બનશે. તે જીવ–અજીવ આદિ તત્ત્વની જાણકાર થશે યાવત્ વિધિપૂર્વક ગ્રહણ કરેલાં વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને ભાવિત १२ती २३शे.
ત્યાર પછી તે સુવ્રતા આર્યા કોઈવારબિભેલ સન્નિવેશમાંથી વિહાર કરીને બીજા દેશમાં ક્ષેત્રમાંવિચરશે. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં સુવ્રતા આર્યાના સમાગમે સોમા બ્રાહ્મણી શ્રાવક વ્રતોનો સ્વીકાર કરશે. તે વિષયનું
Page #111
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૪.
૧૨૫]
પ્રતિપાદન છે.
શ્રાવકના બાર વ્રતમાં અહિંસા, સત્ય, અચૌર્ય, સ્વદાર સંતોષ અને પરિગ્રહ પરિમાણ વ્રત આ પાંચ અણવ્રત છે. તેમાં હિંસા આદિ પાપકાર્યો અને સાવધયોગોનો આંશિક ત્યાગ હોવાથી તે અત્રત કહેવાય છે.
સાત શિક્ષાવ્રતના બે પ્રકાર છે– ગુણવત અને શિક્ષાવ્રત. ગુણવ્રત ત્રણ છે અને શિક્ષાવ્રત ચાર છે. આ બંનેના અભ્યાસ અને સાધનાથી પાંચ અણુવ્રતોની પુષ્ટી થાય છે. અણુવ્રત આદિ બાર પ્રકારના શ્રાવક ધર્મની વિશેષ જાણકારી માટે જુઓ- શ્રીઉપાસકદશાંગ સુત્ર.
સાધ્વીઓનું પુનરાગમન ઃ સોમાની પ્રવજ્યા :३६ तए णं ताओ सुव्वयाओ अज्जाओ अण्णया कयाइ पुव्वाणुपुट्वि चरमाणीओ जाव विहरिस्संति । तए णं सा सोमा माहणी इमीसे कहाए लट्ठा समाणी हट्ठा ण्हाया तहेव णिग्गया जाव वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता धम्म सोच्चा जाव ज णवर रट्टकूडं आपुच्छामि, तए णं पव्वयामि । अहासुहं । ભાવાર્થ :- ત્યાર પછી તે સુવ્રતા આર્યા પૂર્વાનુપૂર્વી વિહાર કરતાં કરતાં, ફરી એક વાર બિભેલ સન્નિવેશમાં પધારશે. ત્યારે સોમબ્રાહ્મણી આ વાતને સાંભળીને હૃષ્ટ–તુષ્ટ થઈ, સ્નાન કરી, વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ, પહેલાની જેમ દાસીઓ સાથે દર્શન કરવા નીકળશે યાવત્ વંદન-નમસ્કાર કરશે વંદનનમસ્કાર કરીને, ધર્મ સાંભળીને સુવ્રતા આર્યાને કહેશે- હું રાષ્ટ્રકૂટને પૂછીને આપની પાસે મુંડિત થઈ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું.
ત્યારે સુવ્રતાઆર્યા તેને કહેશે- હે દેવાનુપ્રિયે ! તમને જેમ સુખ થાય તેમ કરો પરંતુ શુભ કાર્યમાં વિલંબ ન કરો. ३७ तए णं सा सोमा माहणी सुव्वयाओ अज्जाओ वंदिस्सइ णमंसिस्सइ, वंदित्ता णमंसित्ता सुव्वयाणं अज्जाणं अंतियाओ पडिणिक्खमिस्सइ पडिणिक्खमित्ता जेणेव सए गिहे जेणेव टुकडे, तेणेव उवागच्छिस्सइ, उवागच्छित्ता करयल परिग्गहिया तहेव आपुच्छिस्सइ जाव पव्वइत्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं ।
तए णं रटुकडे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ; मित्तणाइ जाव आमंतेइ, एवं जहेव पुव्वभवे सुभद्दा जाव अज्जा जाया इरियासमिया जाव गुत्तबंभयारिणी। ભાવાર્થ :- ત્યાર પછી સોનાબ્રાહ્મણી તે સુવ્રતા આર્યાઓને વંદન-નમસ્કાર કરીને તેની પાસેથી
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૨૬ |
શ્રી નિરયાવલિકા સત્ર
નીકળશે અને પોતાના ઘરે રાષ્ટ્રકૂટ પાસે આવશે, આવીને બંને હાથ જોડીને, પહેલાની જેમ પૂછશે કે આપની આજ્ઞા લઈને હું દીક્ષા લેવા ઈચ્છું છું.
આ વાતને સાંભળીને રાષ્ટ્રકૂટ કહેશે- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. પરંતુ શુભકાર્યમાં વિલંબ ન કરો.
ત્યાર પછી રાષ્ટ્રકૂટ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચારે પ્રકારનાં ભોજન તૈયાર કરાવીને પોતાના મિત્ર, જ્ઞાતિબંધુ, સ્વજન, સંબંધીઓને આમંત્રણ આપશે; તેનો સત્કાર–સન્માન કરશે ઈત્યાદિ જે રીતે પૂર્વભવમાં સુભદ્રા સાર્થવાહીની પ્રવ્રજ્યાનું વર્ણન છે તે રીતે અહીંયા પણ તે પ્રવ્રજિત થશે અને શ્રમણી બનીને ઈર્યાસમિતિ આદિ સમિતિઓ અને ગુપ્તિઓથી યુક્ત થઈને ભાવતું ગુપ્ત બ્રહ્મચારિણી થશે. સોમા આર્યાની દેવગતિ :३८ तए णं सा सोमा अज्जा सुव्वयाणं अज्जाणं अंतिए सामाइयमाइयाई एक्कारस अङ्गाई अहिज्जिस्सइ, अहिज्जित्ता बहूई चउत्थछट्ठट्ठमदसमदुवालस जाव भावेमाणी बहूहिं वासाइं सामण्णपरियागं पाउणिस्सइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झोसेत्ता सद्धि भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा सक्कस्स देविंदस्स देवरण्णो सामाणियदेवत्ताए उववज्जिहिइ।
तत्थ णं अत्थेगइयाणं देवाणं दो सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं सोमस्स वि देवस्स दो सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ - ત્યાર પછી તે સોમા આર્યા સુવ્રતા આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કરશે. ઘણાં ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ, દ્વાદશભક્ત–પાંચ ઉપવાસ આદિ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતી ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરશે. ત્યાર પછી એક મહિનાનો સંથારો કરી આત્માને શુદ્ધ કરી, અનશનથી સાઠ(0) વખતના ભોજનને છોડી, આલોચના, પ્રતિક્રમણપૂર્વક સમાધિભાવે મૃત્યુના અવસરે મૃત્યુ પામીને દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવ રૂપે ઉત્પન્ન થશે.
ત્યાં કેટલાક દેવોની બે સાગરોપમની સ્થિતિ હોય છે તેમ આ સોમદેવની પણ બે સાગરોપમની સ્થિતિ થશે. સોમાની મુક્તિ :|३९ से णं भंते ! सोमे देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव चयं चइत्ता कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! महाविदेह वासे जाव अंतं काहिसि ।
Page #113
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૪
૧૨૭
ભાવાર્થ :- હે ભગવન્! તે સોમદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે?
હે ગૌતમ! મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :४० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं चउत्थस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । –ત્તિ નેમિ ! ભાવાર્થ :- હે આયુષ્યમાન્ જંબૂ! આ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના ચોથા અધ્યયનનો આ ભાવ દર્શાવ્યો છે.
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ અને પશ્ચાત્ ભવનું નિરૂપણ છે. તે પાંચ ભવોનો પરિચય અધ્યયનના સારમાં આપેલ છે. ઉપસંહાર – સંસારી જીવો અપ્રાપ્ત વસ્તુઓની અને સંયોગોની ઈચ્છા કરીને દુઃખી થાય છે. વસ્તુની પ્રાપ્તિ પુણ્યને આધીન છે અને સુખની પ્રાપ્તિ વ્યક્તિની સમજણને આધીન છે. પરંતુ વ્યક્તિ આ વાસ્તવિકતાને સમજી કે સ્વીકારી શકતા નથી અને દુઃખી થાય છે. કોઈને સંપત્તિના અભાવનું દુઃખ; કોઈને અઢળક સંપત્તિની વચ્ચે પણ અશાંતિનું દુઃખ; કોઈને સંતાનના અભાવનું દુઃખ; કોઈને પ્રતિકૂળ સંતાનનું દુઃખ હોય છે. આ રીતે સમજણના અભાવે વસ્તુની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ બને દુ:ખજનક બને છે.
જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ગૂંચવણોને દૂર કરવાની અપેક્ષાઓ રાખે છે અને તે માટે યંત્ર-મંત્ર, ઔષધ–ભેષજની આશા રાખે છે; તેઓએ ઉપરોક્ત અધ્યયનમાંથી શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાધુના આચારથી વિપરીત છે. વીતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજીઓ કેવળ આત્મકલ્યાણના માર્ગનો તથા તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે છે. તેઓ અન્ય લૌકિક પ્રવૃત્તિમાં રસ લઈ શકતા નથી.
તેથી જ્ઞાની પુરુષો કહે છે કે સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી જ મનુષ્યને સુખ–શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ એ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એમ જાણી પ્રત્યેક સુખેચ્છએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ; ઈચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ; એ જ આગમ જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે.
ને વર્ગ-૩ અધ્ય.-૪ સંપૂર્ણ
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી નિરયાવલિકા સૂત્ર
| વર્ગ-૩ અધ્ય. ૫ થી ૧૦
પરિચય :
અધ્યયન પાંચમું :
આ અધ્યયનમાં પૂર્ણભદ્ર દેવના પૂર્વ પશ્ચાદ્ ભવનું નિરૂપણ છે.
એકદા ભગવાન મહાવીરના સમવસરણમાં પૂર્ણભદ્ર દેવ દર્શનાર્થે આવ્યા, તે પોતાની ઋદ્ધિ, નાટકનું પ્રદર્શન કરી પાછા ચાલ્યા ગયા. ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ પૂર્ણભદ્ર શેઠ - આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણ– ભદ્ર નામના શેઠ રહેતા હતા. તેણે બહુશ્રુત સ્થવિર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કર્યો, અગિયાર અંગો કંઠસ્થ કર્યા, ઉપવાસથી માસખમણ સુધીની અનેક તપશ્ચર્યાઓ દ્વારા કર્મની નિર્જરા કરતાં અનેક વર્ષોની સંયમ પર્યાયનું પાલન કર્યું.
અંતે એક માસના અનશનની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં તેઓ પૂર્ણભદ્ર દેવ તરીકે ઉત્પન્ન થયા. તે દેવ દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુક્ત થશે.
છ થી દસ અધ્યયન :
અંતિમ પાંચ અધ્યયનમાં ક્રમશઃ મણિભદ્ર શેઠ, દત્ત, શિવ, બલ અને અનાદત શેઠનું જીવન વૃત્તાંત પૂર્ણભદ્રની સમાન હોવાથી સંક્ષિપ્ત રૂપે છે. દેવ અને પૂર્વભવના નામ એક જ છે. તે સર્વે તપ સંયમનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થયા છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ થશે.
આ વર્ગમાં ૪ જીવ સંયમના વિરાધક થયા છે. શેષ છે જીવ આરાધક થઈ વૈમાનિક દેવગતિમાં ગયા છે. દસમાંથી નવ જીવ એકાવતારી છે અર્થાત્ એક ભવ મનુષ્યનો કરી મોક્ષ પ્રાપ્ત કરશે. બહુપુત્રિકા દેવી ત્રણ ભવ કરી મોક્ષે જશે.
Page #115
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૫
[ ૧૨૯]
વર્ગ-૩ આધ્ય.-૫
પૂર્ણભદ્ર દેવ
અધ્યયન પ્રારંભ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं चउत्थस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, पंचमस्स णं भंते ! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા વર્ગના ચોથા અધ્યયનમાં પૂર્વોક્ત ભાવોનું વર્ણન કર્યું છે તો હે ભગવન્! પાંચમા અધ્યયનમાં ભગવાને કયા ભાવોનું નિરૂપણ કર્યું છે? પૂર્ણભદ્ર દેવનું નાટ્ય-પ્રદર્શન :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसरिए । परिसा णिग्गया । ભાવાર્થ – ઉત્તર-હે જંબૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ દર્શન કરવા નીકળી. | ३ तेणं कालेणं तेणं समएणं पुण्णभद्दे देवे सोहम्मे कप्पे पुण्णभद्दे विमाणे सभाए सुहम्माए पुण्णभद्दसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं, जहा सूरियाभो जाव बत्तीसइविहं पट्टविहिं उवदसित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसि पडिगए । कूडागारसाला दिट्ठतो । पुव्वभवपुच्छा । ભાવાર્થ :- કાળે અને તે સમયે સૌધર્મકલ્પમાં પૂર્ણભદ્ર વિમાનની સુધર્મા સભામાં પૂર્ણભદ્ર સિંહાસન ઉપર પૂર્ણભદ્ર દેવ ચાર હજાર સામાનિકદેવો આદિની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યા હતા. વાવ, સૂર્યાભ દેવની જેમ બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા.
ત્યારે ગૌતમ સ્વામીએ ભગવાનને તે દેવની દિવ્ય દેવઋદ્ધિ અંતર્ધાન થઈ ગઈ તે વિષયમાં
Page #116
--------------------------------------------------------------------------
________________
| १३० ।
શ્રી નિયાવલિકા સૂત્ર
પૂછ્યું– ભગવાને કૂટાકારશાળાના દષ્ટાંતથી સમાધાન કર્યું. ત્યાર પછી ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને તેના પૂર્વભવના વિષયમાં કહ્યું| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे मणिवइया णाम णयरी होत्था वण्णओ । ताराइण्णे चेइए । चंदो राया । तत्थ णं मणिवइयाए णयरीए पुण्णभद्दे णामं गाहावई परिवसइ, वण्णओ । ભાવાર્થ :- હે ગૌતમ ! તે કાળે અને તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધન-વૈભવ ઈત્યાદિથી સમૃદ્ધ મણિપદિકા નામની નગરી હતી. ત્યાં તારાકીર્ણ નામનું ઉદ્યાન હતું. તે નગરીમાં ચંદ્ર નામના રાજા રાજ્ય કરતાં હતા. તે મણિપદિકા નગરીમાં પૂર્ણભદ્ર નામના ગાથાપતિ રહેતા હતા. નગરી, રાજા, ઉદ્યાન અને ગાથાપતિનું વર્ણન પૂર્વવત્ સમજવું. | ५ तेणं कालेणं तेणं समएणं थेरा भगवंतो जाइसंपण्णा जावजीवियासमरणभयविप्पमुक्का बहुस्सुया बहुपरिवारा पुव्वाणुपुट्विं चरमाणे जाव समोसढा । परिसा णिग्गया । ભાવાર્થ :- કાળે અને તે સમયે જાતિસંપન્ન વગેરે ગુણોથી યુક્ત તથા જીવનની આકાંક્ષા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત સ્થવિર ભગવંત વિશાળ શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મણિપદિકા નગરીમાં પધાર્યા. જનસમૂહ તેમની દેશના સાંભળવા ગયો. પૂર્ણભદ્ર અણગારની સાધના-આરાધના :
६ तए णं से पुण्णभद्दे गाहावई इमीसे कहाए लद्धढे समाणे हद्वतुढे जाव जहा पण्णत्तीए गङ्गदत्ते तहेव णिग्गच्छइ जावणिक्खंतो जाव गुत्तबंभयारी । ભાવાર્થ :- ત્યાર પછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ તે સ્થવિર મુનિરાજના આગમનને જાણીને, હૃષ્ટ–તુષ્ટ થયા તથા ભગવતી સૂત્ર કથિત ગંગદત્તની જેમ દર્શન કરવા માટે ગયા યાવતું તેની પાસે પ્રવ્રજિત થયા. ઈર્યાસમિતિ આદિથી યુક્ત યાવત્ ગુપ્તબ્રહ્મચારી સાધુ થયા. | ७ तए णं से पुण्णभद्दे अणगारे थेराणं भगवंताणं अंतिए सामाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्टट्ठम जाव भावित्ता बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता मासियाए सलेहणाए अप्पाण झोसेत्ता सर्टि भत्ताइ अणसणाए छेदित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे पुण्णभद्दे विमाणे उववायसभाए देवसयणिजंसि जाव भासमणपज्जत्तीए।
Page #117
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ-૩ અધ્ય.-૫
[ ૧૩૧ ]
एवं खलु गोयमा ! पुण्णभद्देणं देवेणं सा दिव्वा देविड्डी लद्धा पत्ता अभि-समण्णागया। ભાવાર્થ :- ત્યાર પછી પૂર્ણભદ્ર અણગારે તે સ્થવિર ભગવંતોની પાસે સામાયિકાદિથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કર્યો અને ઘણાં ઉપવાસ છઠ અઠ્ઠમ વગેરે માસખમણ પર્યત વિવિધ તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતાં અનેક વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરી, માસિક સંલેખનાપૂર્વક સાઠ ભક્તનું અનશન દ્વારા છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પૂર્વક મૃત્યુના અવસરે મૃત્યુ પામીને, સૌધર્મ દેવલોકના પૂર્ણભદ્ર વિમાનની ઉપપાત સભામાં રહેલી દેવશય્યામાં દેવરૂપે ઉત્પન્ન થયા. યાવત ભાષા-મન પર્યાપ્તિથી પર્યાપ્તભાવને પ્રાપ્ત થયા.
હે ગૌતમ! આ રીતે પૂર્ણભદ્ર દેવે સરાગ-સંયમ, તપ દ્વારા દિવ્યઋદ્ધિ લબ્ધ પ્રાપ્ત અને અધિગત (સ્વાધીન) કરી છે.
८ पुण्णभद्दस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! दो सागरोवमाइं ठिई पण्णत्ता । ભાવાર્થ હે ભગવન્!પૂર્ણભદ્ર દેવની સ્થિતિ કેટલા સમયની છે? હે ગૌતમ!તેની બે સાગરોપમની સ્થિતિ છે. પૂર્ણભદ્રનું ભવિષ્ય :| ९ पुण्णभद्दे णं भंते ! देवे ताओ देवलोगाओ जाव कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પૂર્ણભદ્ર દેવ, તે દેવલોકમાંથી અવીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે યાવત સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :| १० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं पुफियाणं पंचमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । -त्ति बेमि । ભાવાર્થ - હે જંબૂ! મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે પુષ્પિકાના પાંચમા અધ્યનનો ભાવ કહ્યો છે.
ને વર્ગ-૩ અધ્ય-પ સંપૂર્ણ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૩૨
वर्ग-3 अध्य.
શ્રી નિરયાવલિકા સૂત્ર
થી ૧૦
મણિભદ્ર દેવ આદિ
अध्ययन प्रारंभ :
| जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुष्फियाणं पंचमस्स अज्झयणस्स अयमठ्ठे पण्णत्ते, छट्ठस्स णं भंते ! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ :- હે ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના પાંચમા અધ્યયનનો આ ભાવ કહ્યો છે, તો હે ભગવન્ ! મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના છઠ્ઠા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ?
મણિભદ્ર દેવના પૂર્વ-પશ્ચાદ્ ભવ :
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसरिए ।
तेणं कालेणं तेणं समएणं मणिभद्दे देवे सभाए सुहम्माए माणिभद्दंसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं एवं जहा पुण्णभद्दो तहेव आगमणं, णट्टविहि, कूडागार - साला दिट्ठतो, पुव्वभवपुच्छा ।
मणिवईया णयरी । मणिभद्दे गाहावई । थेराणं अंतिए पव्वज्जा, एक्कारस अंगाई अहिज्जइ । बहूहिं वासाइं परियाओ । मासिया संलेहणा, सट्ठि भत्ताई । माणिभद्दे विमाणे उववाओ । दो सागरोवमाइं ठिई । महाविदेहे वासे सिज्झिहि । ભાવાર્થ:- હે જંબૂ ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એક વાર ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા.
તે કાળે અને તે સમયે મણિભદ્ર દેવ સુધર્મા સભામાં મણિભદ્ર સિંહાસન ઉપર બેસીને ચાર હજાર સામાનિક દેવ આદિની સાથે બેઠા હતા વગેરે વર્ણન પૂર્ણભદ્ર દેવની જેમ જાણવું. તે પણ ભગવાનના
Page #119
--------------------------------------------------------------------------
________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૬ થી ૧૦
[ ૧૩૩ ]
સમવસરણમાં આવ્યા અને દર્શન કરી નાટક બતાવીને પાછા ગયા. મણિભદ્રદેવના ગયા પછી ગૌતમસ્વામીની પૃચ્છા, ભગવાને આપેલું કૂટાગાર શાળાનું દષ્ટાંત અને શ્રી ગૌતમ દ્વારા પૂર્વભવ પૃચ્છા વગેરે પૂર્વવત્ જાણવું.
તે કાળે અને તે સમયે મણિપદિકા નામની નગરી હતી. તેમાં મણિભદ્ર નામના ગાથાપતિ રહેતા હતા. તેણે સ્થવિરો પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને અગિયાર અંગનો અભ્યાસ કર્યો. ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું અને એક માસનો સંથારો કર્યો. અનશન દ્વારા સાઠ ભક્તનો ત્યાગ કર્યો. સમાધિપૂર્વક કાળ કરીને મણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની બે સાગરોપમની સ્થિતિ છે. દેવલોકથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે.
છ8ા અધ્યયનનો ઉપસંહાર :| ३ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं छट्ठस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
- ત્તિ વેનિયા ભાવાર્થ :- હે જંબૂ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પુષ્પિકા વર્ગના છઠ્ઠા અધ્યયયનનો આ ભાવ કહ્યો છે. શેષ ચાર અધ્યયન :| ४ एवं दत्ते सिवे बले अणाढिए सव्वे जहा पुण्णभद्दे देवे । सव्वेसिं दो सागरोवमाइं ठिई । विमाणा देवसरिसणामा ।
पुव्वभवे दत्ते चंदणाए णयरीए, सिवे मिहिलाए, बले हत्थिणाउरे, अणाढि ए काकदिए । [चेइयाइं जहा संगहणीए ] महाविदेहवासे सिज्झिहिइ । ભાવાર્થ :- જ પ્રમાણે (૭) દત્ત, (૮) શિવ, (૯) બલ અને (૧૦) અનાદત, આ બધા દેવોનું વર્ણન પૂર્ણભદ્ર દેવની જેમ જાણવું જોઈએ. તે સર્વ દેવોની બે-બે સાગરોપમની સ્થિતિ છે. તે દેવોના નામની જેમ જ તેના વિમાનોનાં નામ છે.
પૂર્વભવમાં દત્ત-ચંદના નગરીમાં શિવ-મિથિલા નગરીમાં; બલ-હસ્તિનાપુર નગરમાં અનાદત-કાકંદી નગરીમાં જન્મ્યા હતા. સિંગ્રહણી ગાથા પ્રમાણે ઉધાનોનાં નામ જાણી લેવા જોઈએ.] દેવભવ પૂર્ણ કરી તે સર્વે મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે. વર્ગનો ઉપસંહાર :५ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
दस अज्झयणाणं अयमढे पण्णत्ते ।
- ત્તિ વેIિ . ભાવાર્થ-હેબૂ!નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પુષ્પિકાવર્ગના દસ અધ્યયયનોનો આ ભાવ કહ્યો છે.
વિવેચન :
આ વર્ગના દશ અધ્યયનોમાંથી અંતિમ છ અધ્યયનોના ચરિત્રનાયક પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અનાદત; આ છએ અણગારો શુદ્ધ સંયમ તપનું પાલન કરી, આરાધક થઈ, પ્રથમ દેવલોકમાં ઈન્દ્રની સમાન સ્થિતિવાળા દેવ થયા છે. પૂર્વના ત્રણ અધ્યયનોમાં વર્ણિત ચંદ્ર, સૂર્ય અને શુક્ર દેવ પૂર્વભવે વિરાધક થઈ જ્યોતિષી દેવ થયા છે. ચોથા અધ્યયનમાં વર્ણિત બહુપુત્રિકા દેવી પણ પૂર્વભવમાં વિરાધક થઈવૈમાનિક દેવી બની છે અને આગામી ભવમાં આરાધક થઈદેવ થશે. અંતે તે પ્રત્યેક જીવો મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
| વર્ગ-૩ અધ્ય. ૬ થી ૧૦ સંપૂર્ણ |
Page #121
--------------------------------------------------------------------------
________________
એ 3
ને એ
ગર પ્રાણ આગમ બત્રીસીના
ત સહધ્યોગી દાતાઓ
: પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે
સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી
શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી
સુતાધાર
મુંબઈ
U.S.A.
આકોલા
U.S.A.
મુંબઈ
• માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ
હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર
શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા
શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ)
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી
શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી
હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના
U.S.A.
રાજકોટ
રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ
રાજકોટ
Page #122
--------------------------------------------------------------------------
________________
રાજકોટ
મુંબઈ
મુંબઈ
•
મુંબઈ રાજકોટ મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ ચેમ્બર
માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ
હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા
હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી
હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી
શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ
શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત
શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા,
શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી
માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર
માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર
હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર
કલકત્તા
કલકત્તા
કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ
મુંબઈ કલકત્તા
વડોદરા
કલકત્તા
કલકત્તા
Page #123
--------------------------------------------------------------------------
________________
•
.
.
•
•
·
•
•
•
•
•
.
શ્રુત અનુમોદ શ્રીમતી ડો. ભારતીબેન - ડૉ. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન – શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ
શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી અમિતા હિરેન મોદી,
શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે
શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી
.
માતૃશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા
શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા
માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા
શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ
શ્રી પારિતોષ આર. શાહ
શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ
જૈન જાગૃતિ સેન્ટર
શ્રી મુકુન્દ આર. શેઠ
શ્રી કેતનભાઈ શાહ
• શ્રી સુધીરભાઈ પી. શાહ
શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલચંદ્ર દોમડીયા
શ્રુત સદસ્ય
શ્રી રાજેશ કલ્યાણભાઈ ગાલા
શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી
હરને – સૌ. હીના શૈલેશ સંઘવી, ઔ. સોનલ હિરેન સંઘવી
U.S.A.
U.S.A.
આકોલા
આકોલા
કોલ્હાપુર
મુંબઈ
મુંબઈ
કલકત્તા
મુંબઈ મુંબઈ
વાશી (મુંબઈ)
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
કલકત્તા
Page #124
--------------------------------------------------------------------------
Page #125
--------------------------------------------------------------------------
________________
//////elc7/
22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ
a
l મી રહી
aude છે
//ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re.
WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.''
Page #126
--------------------------------------------------------------------------
________________
Трепа
2ncl2 22112 211
2112
ile 201212
2
112 212 212 12lea
..KAME TRIM
72 Picle 27E dhe ne
22 10 12712 h 2
211212 212 dcl 2277212 2 h
22
Page #127
--------------------------------------------------------------------------
________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org