SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ | धुपि4-3मध्य.-१ | 93 कोट्ठए चेइए । तत्थ णं सावत्थीए णयरीए अङ्गई णामं गाहावई होत्था- अड्डे दित्ते वित्ते वित्थिण्णविउलभवण-सयणासण-जाणवाहणे बहुधणबहुजायरूवरयए आओग-पओगसंपउत्ते विच्छड्डियपउरभत्तपाणे बहुदासीदासगोमहिसगवेलगप्पभूए बहुजणस्स अपरिभूए । तए णं से अङ्गई गाहावई सावत्थीए णयरीए बहूणं णगरणिगम सेट्ठिसेणावइसत्थवाह-दूय-संधिवालाणं बहुसु कज्जेसु य कारणेसु य कुडुंबेसु मंतेसु य य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे, सयस्स वि य णं कुडुंबस्स मेढी, पमाणं, आहारे, आलंबणं, चक्खु; मेढीभूए जाव चक्खुभूए सव्व- कज्जवड्ढावए यावि होत्था । ભાવાર્થ :- હે ગૌતમ! તે કાલ અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામનું ઉદ્યાન હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા. તે ધનાઢય, તેજસ્વી, સર્વ પ્રકારે संपन्न, विशाणसने घएघर, शय्या, आसन, रथ, गाडी, घोड, पई धन, सोना-यांही साहिन मालिक હતા અને વ્યાપાર દષ્ટિથી ધનનું આદાન-પ્રદાન કરતા હતા. જમ્યા પછી પણ તેના ઘરમાં પુષ્કળ ખાદ્ય પદાર્થ વધતા હતા. જે અનાથ-ગરીબ મનુષ્યો તથા પશુ-પક્ષીઓને આપી દેવાતા હતા. તેના ઘરમાં ઘણા દાસ-દાસી, ગાય-ભેંસ, બળદ, બકરાં આદિ હતાં. તે સમૃદ્ધિ આદિના કારણે અપરિભૂત-પ્રતિષ્ઠા પ્રાપ્ત હતા અર્થાત પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે તેનું કોઈ અપમાન, તિરસ્કાર કે અનાદર કરી શકતું नतुं. તે અંગતિ ગાથાપતિ(આનંદ શ્રાવકની જેમ) શ્રાવસ્તી નગરીના ઘણાં નગરજનો, વ્યાપારી, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલક– સીમારક્ષક આદિના અનેક કાર્યોમાં, કારણોમાં, મંત્રણાઓમાં, પારિવારિક સમસ્યાઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યોમાં નિર્ણયો લેવામાં, સામાજિક વ્યવહારોમાં પૂછવા યોગ્ય અને વિચાર-વિમર્શ કરવા યોગ્ય હતા. તે સિવાય પોતાના કુટુંબ પરિવારના કેન્દ્ર સ્થાનભૂત– મેઢીભૂત, આધારભૂત, આલંબનરૂપ, ચક્ષુભૂત, માર્ગદર્શક તથા બધા પ્રકારના કાર્યોને આગળ વધારનાર હતા. ભગવાન પાર્શ્વનાથનું પદાર્પણ :| ५ तेणं कालेणं तेणं समएणं पासे णं अरहा पुरिसादाणीए आइगरे एवं जहा उववाइए महावीरो, णवरं णवहत्थुस्सेहे सोलसेहिं समणसहस्सेहि अट्ठतीसाए अज्जियासहस्सेहिं जाव सुहं सुहेणं विहरमाणे सावत्थीए णयरीए कोट्ठए चेइए समोसढे । परिसा णिग्गया । ભાવાર્થ :- કાલે અને તે સમયે પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાન ધર્મની આદિ કરનારા
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy