________________
૧૪૦
મw અને દશેય છે. તેઓ વેદોમાં કહેલી હિંસાને હિંસા માનતા નથી, બલ્ક ધર્મ સમજે છે, તેથી તેઓ મધુપર્ણાદિ હિંસા મય વાનીઓથી અતિથિઓને સત્કાર કરે છે, પિતૃઓને તૃપ્ત કરવા હિંસક શ્રાદ્ધ કરે છે અને દેવતાઓને પ્રસન્ન કરવા યજ્ઞમાં માંસની આહુતિઓ પણ આપે છે. ઉક્ત ક્રિયાઓમાં જ રચ્યાપચ્યા રહેવાને કારણે આ લેકે ક્રિયાકડી કે કર્મમીમાંસક પણ કહેવાય છે. તેથી જ આચાર્ય કહ્યું છે કે ધર્મને સ્પષ્ટ ઇન્કાર કરનાર ચાર્વાક સારે, પણ ધર્મને નામે અધર્મનું આચરણ કરનાર જેમિનિ નહિ સારો. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, કુમાર, યમ–૨–૦૯
હિન્દુ લેકે આ પૃથ્વીની ઉત્પત્તિ, રક્ષા અને સંહાર ખાસખાસ વ્યક્તિ દ્વારા થયા કરે છે એમ માને છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા છે. તે પોતે કેઈનાથી ઉત્પન્ન થયેલ નથી, પરંતુ સ્વયં ઉત્પન્ન થયેલ છે, માટે તે “સ્વયંભૂ ” પણ કહેવાય છે.
જગતનું રક્ષણ કરનાર વિષ્ણુ છે. તેઓ યુગેયુગે જરૂર જણાય ત્યારે જુદે જુદે રૂપે જન્મ લે છે. આ જન્મને
અવતાર' કહેવામાં આવે છે. છેલ્લાં તેમણે શ્રીકૃષ્ણરૂપે જન્મ લીધે. શ્રીકૃષ્ણ તો ઐતિહાસિક પુરુષ છે. તેમને સોળ હજાર સ્ત્રીઓ હેવાનું મનાય છે, તેમાં આઠ સ્ત્રીઓ મુખ્ય હતી. તેમનાં આયુધોમાં શંખ, ચક્ર, ગદા મુખ્ય હતાં.
જગતને સંહાર કરનાર શંકર છે. તેઓ શિવ, મહેશ, દ્ર, ત્રિશૂલધારી, ધનુર્ધારી વગેરે નામથી પણ પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org