Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 198
________________ ૧પ૭ પરિશિષ્ટ-૧ કર્મો પર અફસેસ થયે અને છેવટે એક જ્ઞાની સાધુની સલાહથી એણે દીક્ષા અંગીકાર કરી. એમ કહેવાય છે કે શાલિભદ્ર મરીને સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાંથી મનુષ્ય તરીકે જન્મ લઈને મોક્ષે જશે. આ પ્રમાણે મુનિદાનના પ્રભાવથી તે અતુલ સંપત્તિને સ્વામી થયે, એટલું જ નહિ પણ મોક્ષલક્ષ્મીરૂપ શાશ્વતી સંપત્તિને પણ તે સ્વામી થશે. સ્થૂલભદ્ર–૩–૧૩૬ પાટલીપુત્રાધિપતિ નંદના સમયની આ વાત છે. નંદને શકટાલ નામના મહામાત્ય હતા. તેમને સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્ર હતા. નાનો ભાઈ શ્રીયક નંદરાજાના અંગરક્ષક તરીકે કામ કરતે, જ્યારે માટે ભાઈ સ્થૂલભદ્ર, જે ઘણે બુદ્ધિશાળી હતો તે, કેશા નામની વેશ્યાના પ્રેમમાં પડ્યો હતો, તેથી તે ત્યાં જ પડ્યોપાથર્યો રહેતું હતું. કેશાને ત્યાં લગભગ બારેક વર્ષો વીત્યાં હશે તેવામાં શકટાલ અમાત્યનું અવસાન થયું. તેમની પછી રાજા નંદે મોટા પુત્ર સ્થૂલભદ્રને અમાત્યપદ સ્વીકારવાને આગ્રહ કર્યો. વિષયના કીડા સ્કૂલભદ્રને એ રુચ્યું નહિ. તરત તેને થયું કે જે રાજાની સેવા સ્વીકારીશ તે સ્વતંત્ર વિતરણ અને ભોપભેગને સદંતર ત્યાગ કરવો પડશે, અને જે ત્યાગ કરે જ પડે તે રાજસેવાને બદલે આત્મસેવા શા માટે ન સ્વીકારવી ? આમ વિચારમાં ઊતરી જતાં રાજાને બીજે દિવસે જવાબ આપવાનું જણાવ્યું. બીજે દિવસે તે તેઓ સર્વ સંબંધોને છેદીને આત્મસાધના માટે અણગાર બનીને રાજા સમક્ષ કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216