Book Title: Yogshastra
Author(s): Hemchandracharya, Khushaldas Jagjivandas
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 200
________________ પરિશિષ્ટ-૧ ૧૫ લાગે. એકદા કઈ મિથ્યાત્વી દેવ તેને ધ્યાનમાંથી ચલિત કરવા, કૂર પિશાચનું રૂપ લઈ, તેની પાસે આવ્યો અને ડરાવવા લાગ્યું કે હે માયાવી! તું આ મિથ્યા ઉપાસનાને નહિ છોડે તો હું તારે શિરછેદ કરીશ. બે-ત્રણ વખત કહ્યા છતાંય જ્યારે કામદેવે કાન માંડયા નહિ ત્યારે તેણે હાથીનું રૂપ લઈને તેને આકાશમાં ઉડાડ્યો અને દાંત ઉપર ઝીલીને પગ નીચે ચગદ્યો. પરંતુ ધ્યાનમગ્ન કામદેવ ચલિતચિત્ત ન થયે. વળી, તેણે સર્પનું રૂપ લીધું અને અનેક ડંખ માર્યા, પણ ધીર શ્રાવકે શુભ ધ્યાનને ન છોડયું. . આખરે તેણે દેવરૂપે પ્રગટ થઈને કામદેવની માફી માગી. આવા ઉગ્ર પરીષહ સહ્યા છતાં પિતાને શુભ ભાવ નહિ છેડનાર માણસ કેની પ્રશંસાને પાત્ર ન હોય? આ સાંભળીને વીરપ્રભુએ પણ તેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. ખરેખર, ગુરુઓ. ગુણવત્સલ જ હોય છે. આનંદ–૩–૧૬૨ આ પણ કામદેવની માફક પ્રભુના દશ મહાઉપાસકોમાંના એક હતા. તે વાણિજ્યગ્રામના ગૃહપતિ હતા અને કેલ્લાક સંનિવેશમાં રહેતા હતા. તેમને શિવનંદા નામની પતિપરાયણ પત્ની હતી. તે બાર કરોડ સોનૈયા અને ચાર ત્રના સ્વામી હતા. જ્યારે શ્રીવીરપ્રભુ વાણિજ્યગ્રામમાં વિહાર કરતા પધાર્યા ત્યારે તે તેમના ઉપદેશના શ્રવણાર્થે તેમની પાસે ગયા હતા. તેમણે અને તેમની પત્નીએ કામદેવની માફક ગૃહસ્થનાં ૧૨ વ્રતોને ગ્રહણ કર્યા હતાં. તેઓ શ્રાવક બન્યા પછી ૧૪ વર્ષ ગૃહભાર ઉઠાવતા રહ્યા હતા. પછી તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216