Book Title: Yogashastram Part_3
Author(s): Hemchandracharya, Jambuvijay, Dharmachandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 16
________________ સ્વાપજ્ઞવૃત્તિસહિત ચાગ શાસ્ત્રના || ૯ || Jain Education Inte 8888888888 આ પુષ્પિકામાં એ વાત છે (૧) આ પુસ્તક લખાવીને જાહિણીએ ચાગી શુભચંદ્રને આપ્યું છે, તથા (૨) સંવત્ ૧૨૮૩ માં સહુઅકીર્તિ માટે પં, વીસલે જ્ઞાનાવનું પુસ્તક લખ્યું છે. આના ઉપરથી કેટલાક એવી સંભાવના કરે છે કે જ્ઞાનાવના કર્તા શુભચંદ્રાચાર્યને જ સ. ૧૨૮૪ માં આ પુસ્તક લખાવીને જાહિણીએ અર્પણ કર્યું છે, એટલે જ્ઞાનાવની રચના આ. શ્રી. હેમચંદ્રસૂરિમહારાજના યોગશાસ્ત્રને આધારે જ થયેલી છે, કારણ કે આ. શ્રી, હેમચંદ્રસૂરિજી મહારાજના સમય વિક્રમ સંવત ૧૧૪૫ થી ૧૨૨૯ નિશ્ચિત જ છે અને જ્ઞાનાવ તથા યોગશાસ્ત્ર અને વૃત્તિના અનેક શ્લોકમાં ઘણું જ શાબ્દિક તથા આર્થિક સામ્ય છે, બીજા વિદ્વાનોનું કહેવું એ છે કે આ યાગી શુભચંદ્ર જ્ઞાનાવના કર્તા શુભચંદ્રાચાર્ય જ છે એમ નક્કી કહી શકાય નહિ, એક નામના અનેક મુનિ હોઈ શકે, બીજી એ પણ સંભાવના છે કે પુષ્પિકાનિદિષ્ટ ચેાગી શુભચંદ્ર જ્ઞાનાવના જ કર્યાં શુભચંદ્ર હાય તો પણ સં. ૧૨૮૪ માં સહસ્રકીતિ માટે આ પુસ્તક લખ્યું છે એના અથ એ હોઈ શકે કે જાહિણીએ ઘણાં વર્ષો પૂર્વે જે પુસ્તક લખાવીને શુભચંદ્રાચાર્યને આપેલું તે જ પુસ્તક ઉપરથી સં. ૧૨૮૪ માં ૫. વીસલે સહસ્રીતિ માટે કોપી કરી આપી છે એટલે જુના પુસ્તકની પ્રશસ્તિ પણ એમાં આવી ગઇ છે. વસ્તુતઃ જ્ઞાનાવની રચના સં. ૧૨૮૪ કરતાં ઘણી પૂર્વેની છે. કારણ કે પં, આશાધરે વિક્રમ સંવત ૧૨૮૫ માં જિનયજ્ઞકલ્પ’ (પ્રતિષ્ઠાસારોદ્ધાર ) નામના ગ્રંથની રચના કરી છે અને તેમાં તેમણે ભગવતી આરાધના ઉપર મૂલારાધનાદર્પણ નામની કરેલી ટીકાના ઉલ્લેખ કર્યો છે. આ ભગવતી આરાધનાની ૧૮૮૭ ગાથાની ટીકા મૂલારાધનાનપણમાં ઉ ચ જ્ઞાનાર્જને વિસ્તરણ એવા ઉલ્લેખથી જ્ઞાનાર્ણવના ૨૧૮૬, ૨૧૮૭, ૨૧૮૯, ૨૧૯૦, ૨૧૯૧ ૨૧૯૩, ૨૧૯૪ આ શ્લોક ઉદ્ધૃત કર્યા છે, એટલે વિક્રમ સંવત્ ૧૨૮૪ પૂર્વે જ વિક્રમની ૧૧ મી શતાબ્દીના ઉત્તરાધ'માં કે ૧૨ મી શતાબ્દીમાં ગમે ત્યારે જ્ઞાનાવની રચના થઈ હોવી જોઈ એ, એવા સંભવ છે. અને જ્ઞાનાવને આધારે અનેક શ્લોકાની રચના ૧ જિનયજ્ઞકલ્પ અમારી સામે નથી. જ્ઞાનાવની પ્રસ્તાવનામાં જિનયજ્ઞકલ્પની રચનાનો સંવત્ ૧૨૮૫ જણાવ્યો છે તે આધારે અમે લખ્યું છે, પરંતુ ભગવતી આરાધનાની પ્રસ્તાવનામાં તેના રચના સંવત્ ૧૨૯૫ જણાવ્યા છે, For Private & Personal Use Only તૃતીય વિભાગની પ્રસ્તાવના || હા jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 632