Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 333
________________ બોઘની સૂક્ષમતા માટે ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન જરૂરી ૩૦૨ ઉત્સર્ગ સાથે અપવાદ ન સમજે તો ન ચાલે. અહીં અપવાદ શું છે? તો જાણવું કે, ખુલ્લા બેસીને સ્વાધ્યાય કરવા સમર્થ નથી. દેહ ઠંડીથી કંપે છે, ધ્રુજારી ચઢે છે. તે રીતે તે સ્વાધ્યાય ન કરી શકતો હોય તો તે સાધુ કાંબળી ઓઢે, કપડો ઓઢે પણ નિરંતર સ્વાધ્યાયમાં રહી, ચિંતન, મનન કરે. નિરંતર સ્વાધ્યાય દ્વારા સમાધિ સમતા પામે-એ લાભ મોટો છે. એના વિના ઉત્સર્ગ જ પકડી રાખવો તે વ્યાજબી નથી. દિગંબરોને આ વિષયમાં ભયંકર એકાંત છે. ઉત્સર્ગ સાથે અપવાદ ન સમજે તો તટસ્થબોધ થઈ શકતો નથી. તૈતનું અવલંબન લઈને આત્માને અદ્વૈત બનાવવો તે મુખ્ય છે. ચૈતનો સંઘર્ષ કરવો એ મુખ્ય નથી. ઠંડીમાં થરથર ધ્રુજતા રહેવું અને વારંવાર ઉપયોગ દેહમાં જાય એ સારું કે બે કપડાં, કાંબળી ઓઢી આત્માના સ્વાધ્યાયમાં, ચિંતનમાં ચિત્તને રાખવું તે વધારે સારું? (૧) શ્રાવકને ઉત્સર્ગકાળે મધ્યાહ્ન કાળની પૂજા મૂકી છે. આ ઉત્સર્ગની સામે દેશ-કાળના અપમાને નહીં તો શું થાય? આ જ ઉત્સર્ગ પકડીએ તો આજના કાળે કેટલા પૂજાથી વંચિત રહે? . સૂર્યોદય પછી જ દહેરાસર ખોલવું એ શાસ્ત્રવિધાન છે. એક સાધુ મહાત્મા મુંબઈમાં પાટ ઉપર બેસી આ પ્રમાણે ઉપદેશ આપે છે, એ બરોબર છે. પણ બીજા દિવસે દહેરાસર જઈને બેઠા કે સૂર્યોદય પહેલાં નહીં જ ખોલવા દઉં. હંમેશા આગ્રહ નુકસાન કરે છે. માર્ગ સમજ્યા વિના એક પણ વચનનો આગ્રહ કષાય તરફ લઈ જાય છે. બીજા મહાપુરુષોની પણ સલાહ લેવી જરૂરી છે. ગીતાર્થ ગુરૂ ભગવંતો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઓળખી શકે છે, સ્યાદ્વાદ દષ્ટિ સંઘર્ષને મટાડે છે. આખા વિશ્વમાં મૈત્રી, પ્રેમ, વાત્સલ્યનું સર્જન કરે છે અને કષાયની નાગચૂડમાંથી મુક્ત કરે છે. અનેકાન્ત કઇ રીતે જગત ઉપર ઉપકાર કરે છે? “એક રાજા છે. મૃત્યુની પથારી પર છે. ત્રણે દીકરાને બોલાવીને મિલકતનો ભાગ વહેચી આપ્યો અને છેલ્લે કહે છે આપણી પાસે જે હાથી છે તેમાંથી અડધો ભાગ મોટા દીકરાને આપવો. વચલા દીકરાને ત્રીજો ભાગ આપવો અને છેલ્લા દીકરાને નવમો ભાગ આપવો. હવે તપાસ કરતાં ૧૭ હાથી જણાયા તેનો અડધો ભાગ ૮૧/, થાય, ત્રીજો ભાગ ૫), ભાગ થાય અને નવમો ભાગ ૧૧, થાય હવે આ રીતે ભાગ પાડી શકાય નહી. વિચક્ષણ મંત્રી પાસે વાત પહોંચી. તેણે કહ્યું કે લાવો હું ભાગ પાડી આપું. બધાએ આ વાત સ્વીકારી. ૧૭ હાથી ઉભા રાખ્યા. પોતે પણ હાથી ઉપર બેસીને આવેલો તે હાથી સામે ઉભો રાખ્યો. હવે ૧૮ હાથી થયા. તેનું અડધું કરતાં ૯ થયા, ત્રીજો ભાગ ૬ થયા, અને નવમો ભાગ રૂપે ૨ હાથી થયા, આમ ૯ + ૬ + ર = ૧૭ હાથીના ભાગ પાડી, પોતે પોતાના હાથી ઉપર પાછા ઘરે ગયા. બસ, આ જ સ્યાદ્વાદની ખૂબી છે. સંઘર્ષ ક્યાંય નહીં અને -- Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398