Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 363
________________ અકબરની શુશ્રૂષો લોધામ:સ્ત્રોતપ્તશ્રેષા, ભિરાતુલ્યા સતા મત્તા 1 अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ॥ ३ ॥ ન સમ્યકત્વ વખતે તત્ત્વના પાણીનો જે અસ્ખલિત પ્રવાહ વહે છે તેના અવય અક્ષય બીજ સમાન આ શુશ્રુષા છે. દા. ત. કૂવો છે. ૨૦૦૦ ફૂટ ખોદો તો પાણી મળે છે. પણ કયાં ખોદીએ તો પાણી મળે ? જયાં વચમાં સેરો ફૂટતી હોય ત્યાં જ ઊંડે જતાં પાણી મળે છે. પણ જયાં સે૨ો ફૂટતી નથી. ત્યાં ઊંડે જવાં છતાં પાણી મળતું નથી. તત્ત્વબોધ રૂપી પાણી પ્રાપ્ત ક૨વા આ શુશ્રુષા પાણીની સે૨ તુલ્ય છે. તત્ત્વ સાંભળતાં કર્યો આત્મા સમ્યકત્વ પામે ? નયસા૨ે જિનવાણી સાંભળી, ગ્રન્થિભેદ થઇ ગયો. આપણે પણ જિનવાણી સાંભળીએ છીએ તો આપણને ગ્રન્થિભેદ કેમ ન થયો ? પ્રભુના આત્મામાં સમકિત હતું તો આપણા આત્મામાં પણ સમકિત સત્તામાં રહેલું જ છે. પણ સેર ફૂટે ત્યાંથી પાણી મળે છે. આપણી સેર જેવી શુશ્રૂષા ઊભી થઇ જાય તો નિશ્ચિત રૂપે સમ્યકત્વ રૂપી પાણી મળશે. હકીકતમાં કૂવો ખોદવામાં શ્રમ તો છે જ. મજૂરી જ ક૨વાની છે. કેટલી માટી કાઢ વાની છે. ? કેટલો પુરૂષાર્થ કરવો પડે છે ? કેટલી ભૂખ વેઠવી પડે છે ? તરસ વેઠવી પડે છે ? પણ અંદ૨માંથી સેર ફૂટે એટલે આનંદ વૃદ્ધિ પામે છે. પછી તો પાણી નીકળે એટલી જ વાર છે. પછી મલિનતા નીકળી જવાની છે, તૃષા પણ શાંત થવાની છે, થાક પણ ઉતરી જવાનો છે. તેમ સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટે આપણા આત્મા ઉપર માટીના-કર્મના થરના થર પડેલા છે. ત્યાં સેર જેવી શુશ્રૂષા ઉભી થઇ જાય તો નિશ્ચિત રૂપે સમ્યકત્વ રૂપી પાણી મળે છે. પ્રશ્ન : આપણને શુશ્રુષા છે કે નહીં? તે કેવી છે ? બળવાન છે કે નહીં ? શેનાથી તે નક્કી થાય ? ૩૩૨ : ઉત્તર ઃ જેમ જેમ તૃષ્ણા નીકળતી જાય અને આનંદ વધતો જાય. જિન વચન સાંભળવાનું ગમે તો સમજવું કે આ સેર ફૂટવા માંડી છે. સાંભળવાથી કોઠે કોઠે દીવા પ્રગટવા જોઇએ. આત્મ પ્રદેશે. આનંદ થવો જોઇએ, જેની પાસે જગતના બધા આનંદ ફીકા લાગવા જોઇએ. ચોળ મજીઠના જેવો શુશ્રૂષાનો રંગ લાગવો જોઇએ. જેમ ચાતકને મેઘનો રંગ લાગ્યો હોય છે તેવો રંગ હોવો જોઇએ. અકબરની શુશ્રુષા જિનવાણીનો રંગ તો અકબરને લાગ્યો હતો. હીરસૂરિ મહારાજ કહે છે કે અમારે ગુજરાત જવું પડે તેમ છે. ચાતક અષાઢ મહિનામાં જેમ મેઘની રાહ જુએ તેમ ગુજરાત અમને ઝંખી રહ્યું છે. અમારે જવું છે તો અનુકૂળતા કરી આપો. ત્યારે અકબરે કહ્યું છે કે આપશ્રીની બીજી બધી વાત સાંભળવા હું તૈયાર છું. પણ આ વાત તો નહીં જ બને, કારણ કે તમે જાવ પછી મારું શું ? મને જિનવાણી કોણ સંભળાવશે ? તેથી હિ૨સૂરિ મ.સા.ને તેમના માટે શાંતિચન્દ્ર ઉપાધ્યાય ને ભાનુચન્દ્ર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398