Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 347
________________ શુશ્રૂષાનું ફળ ઉણોદરી વધારે જરૂરી છે. એ ઉણોદરી કરતાં વૃત્તિસંક્ષેપ, ૨સત્યાગ, સંલીનતા એ ઉત્તરોત્તર વધારે જરૂરી છે. આપણે ત્યાં સામાયિક શું છે ? ૪૮ મીનીટ સુધી એકાસને બેસવાનું કહ્યું છે. તેમાં ટેકો ન દેવાય, પગ લાંબા ન કરાય, મેલ ન ઉતારાય, ખણજ ન કરાય, આળસ ન મરડાય, આ પણ આસનનો જ ભેદ છે. ભાષ્યમાં સ્થાનના જે આગાર મૂકયા છે તે અહીં પ્રાપ્ત થઇ શકે છે. પહેલી દૃષ્ટિમાં કેમ ન આવે ? તેનું કારણ જણાવતાં કહે છે કે "નાસ્યાં સત્યામઋતૃષ્ણા” આ દૃષ્ટિમાં બોધ પ્રબળ અને દૃઢ હોય છે. એના સંસ્કારો વર્તે છે માટે અસતૃષ્ણા સ્વભાવથી જ વર્તતી નથી. તેમાં બોધની વિશેષતા એ જ પ્રભાવ છે. नास्यां सत्यामसत्तृष्णा, प्रकृत्यैव प्रवर्त्तते । तदभावाच्च सर्वत्र, स्थितमेव सुखासनम् ॥ ५० ॥ ત્રીજી બલા દૃષ્ટિમાં અસતૃષ્ણા સ્વભાવથી જ વર્તતી નથી અને સત્ તૃષ્ણા હોય છે. ૩૧૬ પ્રશ્ન ઃ તૃષ્ણા અને સત્ હોઇ શકે છે ? ઉત્તર : હા, સતૃષ્ણાનો અર્થ એ છે કે આજીવિકાના નિર્વાહ માટે જે ચીજની, જેટલી ચીજની જરૂર પડે તેની ઇચ્છા જીવને રહ્યા કરે, તૃષ્ણા રહ્યા કરે તે સત્ તૃષ્ણા કહેવાય ૫,૦૦૦/ રૂ. નો ખર્ચ હોય અને તે મેળવવાની તૃષ્ણા હોય તેને જ્ઞાનીઓ સત્ તૃષ્ણા કહે છે. અસત્ તૃષ્ણાના બે ભેદ છે. (૧) જરૂરથી અધિક તૃષ્ણા રાખવી (૨) પુણ્યાઇથી અધિક તૃષ્ણા રાખવી તે. કપાળ ત્રણ આંગળનું હોય ને રાજા બનવાની તૃષ્ણા કરીએ તો કેવું થાય ? પોતાના સ્થાનથી અધિક તૃષ્ણા એ અસતૃષ્ણા છે. જયાં સુધી તૃષ્ણાના સ્વરૂપને સમજશો નહીં ત્યાં સુધી મોક્ષ મળશે નહીં. તૃષ્ણા સાથે લગ્ન કરવા માટે ઉમેદવારી નોંધાવનારા જીવો ઢગલાબંધ છે. તૃષ્ણા સાથે સંબંધ સ્થાપિત કરવા માટે અનંતા જીવો તૈયાર છે. આજ સુધીમાં અનંતાનંત આત્માઓએ તૃષ્ણા સાથે લગ્ન કર્યા છે. પણ તૃષ્ણા કદી રડાતી નથી. તમે બળીને ભલે ખાખ થઈ જાવ પણ તૃષ્ણાને કદી વૈધવ્ય આવતું નથી. તમે જાવ તો બીજા આવશે. તૃષ્ણાની વેદિકા ઉપર અનેક આવ્યાને ખાખ થઇ ગયા. પુણ્યથી અધિક તૃષ્ણાવાળો કદી સુખી થાય નહીં. સૌ એ પોતાનું પુણ્ય માપવું જ જોઇએ. મારું પુણ્ય આટલું જ છે એવું નક્કી કર્યા પછી અધિકની ઇચ્છા કરવી એ વ્યાજબી નથી. પોતાનું પુણ્ય પાંચ હજારનું હોય અને લાખ બે લાખની ઇચ્છા કરવી એ હ૨ગીઝ શોભે નહીં. પુણ્યાઇથી અધિક ઇચ્છા રાખના૨ને તે ચીજ તો મળશે નહી પણ નિરંતર બળાપો, ચિંતા, ભય, દુર્ધ્યાન મળશે. ક્રોધ તો થોડા સમય પછી શાંત થાય છે. લોભ અને તૃષ્ણા તો ચોવીસે કલાક સતત પ્રવર્ત્યા કરે છે માટે તૃષ્ણા ન્યાય છે. તૃષ્ણામાં (૧) અર્થની તૃષ્ણા - પૈસા કેમ મળે ? મળ્યા પછી (૨) ભોગની તૃષ્ણા રહે છે. ભોગ કેમ મળે ? સંસારમાં અર્થ અને કામના સંબંધ વળગેલાં છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398