Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 346
________________ ૩૧૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ શુશ્રૂષાનું ફળ જયા૨થી તત્ત્વ સાંભળવાની ઇચ્છા થઇ ત્યારથી અસંખ્ય ગુણ, અસંખ્ય ગુણ, નિર્જરા થાય છે. ઘરનું પગથીયું ઉતર્યા ત્યારથી અસંખ્યગુણ નિર્જરા થાય છે. પછી ઉપાશ્રય તરફ નીકળ્યા, ઉપાશ્રયે આવ્યા, ગુરુ પાસે આવ્યા, હાથ જોડયા, વંદન કર્યું, સાંભળવા બેઠા આ દરેકમાં અસંખ્ય ગુણાકા૨ે નિર્જરા વધતી જાય છે. સંસારમાં પદાર્થની ઇચ્છા અને પ્રાપ્તિ સુધીમાં અસંખ્ય ગુણાકા૨ે બંધ થાય છે. તેમ અહીં અસંખ્યગુણાકા૨ે નિર્જરા થાય છે. ત્રીજી દૃષ્ટિનો ગુણ એટલો મહાન છે કે તેની કિંમત કેટલી આંકવી ? એ કહી શકાતું નથી, તત્ત્વની ગરજ ઉપર જ તત્ત્વ પરિણામ પામે છે. ગ૨જુ નમ્ર બને, સજજન બને, શાણો બને, કહ્યાગરો બને, તમે શુશ્રુષા વિના સાંભળવા આવતાં હો તો કાર્ય નહીં થાય. પહેલી બે સૃષ્ટિમાં સંસ્કરણ ન હતું. અહીં સંસ્કરણ થાય છે. પહેલી બે દૃષ્ટિમાં વૈરાગ્ય ઝાંખો હતો. અહીં વેગવાળો વૈરાગ્ય છે. અહીં આસન' નામનો યોગાંગ હોવાથી જે કોઇ ધર્મક્રિયા ક૨ે તે સ્થિરાસને, શાંતચિત્તે, એકાગ્રચિત્તે કરે છે. આ દૃષ્ટિ બહુ મજાની છે. આ દૃષ્ટિથી સમ્યક્ત્વની નજીક અવાય છે. ધર્મની શરૂઆત કાયયોગને સ્થિર કરવાથી થાય છે. કારણ કે આત્મપ્રદેશો સ્થિરતાવાળા છે. કાયયોગને સ્થિર ક૨વાથી એટલા પ્રમાણમાં આત્મપ્રદેશો સ્થિરતા પામે છે. કાયયોગ ચંચળ બનતાં આત્મપ્રદેશો પણ ચંચળ બને છે. એનાથી મનોયોગ પણ બગડી જાય છે. પૂર્વે ખાલી જીજ્ઞાસા જ હતી, ઇચ્છા જ હતી પણ ગરજ ન હતી. જે દિવસે તમને ગરજ લાગી જશે ત્યારે તમારો આત્મા ઘરમાં નહીં હોય. જ્યાં તત્ત્વ મળશે ત્યાં દોડશે. પૈસાની ગરજ ઉપર પૈસાની પ્રાપ્તિ છે. પૈસાની ગરજ હોવાથી પૈસા માટે શું શું કરવું ? તેનો ખ્યાલ આવે છે. ઘણા છોકરાઓ મેટ્રિકમાં ભણતા, બોર્ડિંગ કે હોસ્ટેલમાં રહેતા ત્યારે ઘણાં તોફાની હતા, પરણ્યા ને પછી નોકરી એ લાગ્યા પછી ડાહ્યા થયા, કેમ ? મહિને ૫૦૦૦ રૂ. જોઇએ. તો ડાહ્યા અને ઉદ્યમી બન્યા સિવાય તે કેવી રીતે મળે ? પૈસાની ગરજે આટલું ડહાપણ આવતું હોય તો તત્ત્વની ગરજે શું ન આવે ? જેમ જેમ મોહનીય કર્મનો હ્રાસ થાય છે તેમ તેમ આત્મા ઉત્થાન પામે છે. ત્રીજી દ્રષ્ટિમાં યોગનું અંગ આસન પ્રાપ્ત થાય છે. તત્ત્વશુશ્રુષા ગુણ આવે છે અને ‘ક્ષેપ' નામનો દોષ જાય છે. દરેક દૃષ્ટિમાં આ ત્રણ વસ્તુ બને છે. એક ગુણની પ્રાપ્તિ થાય છે. એક દોષનો નાશ થાય છે અને યોગના એક અંગની પ્રાપ્તિ થાય છે. ત્રીજી દૃષ્ટિમાં આસન નામનો યોગાંગ પ્રાપ્ત થાય છે. એનાથી એક આસને સ્થિરતાપૂર્વક બેસી શકાય છે. એ સંલીનતા નામનો તપ છે. ઉપવાસ, આંબેલ, એકાસણાની જેમ એક આસને સ્થિરતાપૂર્વક બેસવું એ પણ તપ છે. અહીં અંગોપાંગ સંકોચીને રહી શકે છે. સુખાસનને સિદ્ધ કરનારો બીજા આસનોની સિદ્ધિ કરી શકે છે. અનશન એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ. આવું કેટલા દિવસ કરી શકશો ? ઉણોદરી તો જીંદગી સુધી થઇ શકે છે. સાધના માટે અણસણ કરતાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398