Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 177
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૨૩. પદ્માવતી દેવીથી વરને પામેલા અને વચન પ્રમાણે કાર્યસિદ્ધિ કરનારા, અને પિરોજશાહ સુરત્રાણને બોધ કરનાર ૭૦૦ સ્તોત્રના રચયિતા જિનપ્રભસૂરિ મહારાજા, ૨૪. બૌધરાજાને બોધ કરનાર, વજસ્વામી મહારાજા, ૨૫. સિદ્ધાંતોની ટીકા કરનાર, અભયદેવસૂરિ મહારાજા, ૨૬. પૃથ્વીધરને બોધ કરનાર, શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા, ૨૭. મિથ્યાત્વી થઇ ગયેલ કપર્દિયક્ષને બોધ કરી નવીન કપર્દિયક્ષને સ્થાપન કરનાર શ્રી ધર્મઘોષસૂરિ મહારાજા, ૨૮. દરેક શ્લોકના સો સો અર્થ કરનાર સોમપ્રભસૂરિ મહારાજા. (ઉપશમ વિગેરેનું સ્વરૂપ) ૧. ઉપશમ, ૨. સંવેગ, ૩. નિર્વેદ, ૪ અનુકંપા, ૫. આસ્તિયા, એ પાંચ સમ્યક્ત્વનાં લિંગો કહેલાં છે. તેમાં આગળ ઉપર કથન કરવામાં આવશે તેવા પ્રકારના મિથ્યાભિનિવેશની જે વ્યાવૃત્તિ તે ઉપશમ કહેવાય ૨. તથા ષટખંડની પૃથ્વીના સામ્રાજ્યનું સમગ્ર પ્રાપ્તિપણું હોય પણ તે સમગ્ર દારૂણ, દુઃખમય અને સંસારમાં પરિભ્રમણનું કારણ છે, માટે નિરંતર સંસાર સુખને દુઃખ માની, અત્યંત આનંદમય મુક્તિસુખની અભિલાષા તે સંવેગ કહેવાય છે. ૩. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકાદિક દુઃખોને નિરંતર સ્મરણ કરી તેના અનુભવમય નિરંતર પોતાના આત્માને માનતો, અને આ ચારે દુઃખો મને ક્યારે હવે છોડશે? અગર પ્રગટ નહિ થાય તે દુઃખોથી મન સંબંધી ઉગ કરે તે નિર્વેદ કહેવાય છે. ૧૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196