Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 191
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તથા પુસ્તકના દાનાદિક આપવાની જરૂરીયાત છે. તેથી શરીર સ્વસમય પરસમય પ્રબળ પુષ્ટતા કરનારા સાધુથી વીતરાગ દેવ ઉપર ગુણાનુરાગી થાય, માટે જ જિનાલય બંધાવવા અને પુસ્તક લખાવવા અને હું ઉજમાળ થાઉં, એવી અનુકંપા સમ્યગ્દષ્ટિને હોય છે, માટે જ સમ્યગ્દષ્ટિ જીવોને વિધેય મુખ્યતા કહીને હાલમાં નિષેધ કરવાનું છે તે બતાવે છે. વાવ, કુવા, તલાવ, અરઘટ્ટ આદિ લોકોની અનુકંપાથી સમ્યગદષ્ટિ શ્રાવકને કરાવવો કલ્પ નહિ. કોઈ ઉપદેશ કરે કે તૃષાર્ત જીવો જલપાનવડે કરી સ્વાશ્યભાવને પામેલા હોવાથી વાવ્યાદિકને કરાવવાથી અનુકંપા થાય છે. આવું શિક્ષણ પણ આવી શકાય નહિ, કારણ કે અસંખ્યાતા એકેંદ્રિયાદિકથી પંચંદ્રિય પર્યત જીવોના ઘાતવડે કરીને થોડા એવા મનુષ્ય અને તિર્યંચ જીવો જે અલ્પ છે. તેને પાણી પીવાથી પ્રાણરક્ષા નથી થતી, કારણ કે જયારથી નિરંતર કુવા, વાવ ખોદાવવા માંડે છે ત્યારથી મનુષ્ય તિર્યંચોએ ભઠ્યામાન પરસ્પર એવા અગણિત પ્રાણિયોનો સંહારને દેખી થોડા જીવો અનુકંપા માત્ર કરવાથી સમ્યગુદષ્ટિ જીવ કેવા પ્રકારે તપે, કારણ કે ઉન્મત્તાદિ કારણ વિના બહુ જીવ વિનાશયુક્ત કર્મ અલ્પ ફળ માટે કાંઈ કરતું નથી. સર્વ જીવોને વિષે અનુકંપા કરનાર સર્વવિરતિવંત રત્નત્રયયુક્ત એવા સપાત્રને શુદ્ધ દાન આપવાથી ગુણના હેતુભૂત પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરવાનું કારણભૂત બને છે, નતુ અપાત્રાય. યતઃ उचियं खलु कायव्यं, सव्वत्थ सया नरेण बुद्धिमया : इयफलसिद्धि नियमा, एसचिय होई आणात्ति ॥१॥ ભાવાર્થ : બુદ્ધિમાન મનુષ્યોએ નિશ્ચય-નિરંતર સર્વત્ર જગ્યાયે ઉચિત કાર્ય કરવું તે જ લાયક છે, અને ફલસિદ્ધિ પણ નિશ્ચય તે જ ૧૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196