Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 176
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૯. મેવાડમાં પોરવાડવંશને સ્થાપન કરનાર, હરિભદ્રસૂરિ મહારાજા. ૧૦. ખ્યાશી ગામો રજપૂતોના ને બે ગામો સોનીના કુલ ૮૪ ગામોને જૈન બનાવનાર જિનસેન આચાર્ય મહારાજા. ૧૧. આગ્રા નગરના રાજાના પુત્રોને તથા હજારો લોકોને જૈન બનાવનાર લોહાચાર્ય મહારાજા. ૧૨. ગર્દભિલ્લનું ઉચ્છેદન કરનાર કાલિકાચાર્ય મહારાજા. ૧૩. પ૦૦ પ્રકરણોને કરનાર, ઉમાસ્વાતિ મહારાજા. ૧૪. ૧૪૪૪ ગ્રંથોના બનાવનાર હરિભદ્રસૂરિ મહારાજા. ૧૫. સંસ્કૃત અદ્વિતીય ઉપન્યાસ લખનાર સિદ્ધર્ષિ મહારાજા. ૧૬. તાર્કિકશિરોમણિ મલવાદિ મહારાજા. ૧૭. ગ્રંથોની વિશેષ વ્યાખ્યા કરનાર, મલધારિ હેમચંદ્ર મહારાજા ૧૮. મોટી મોટી ચમત્કારી વિદ્યાઓને ધારણ કરનાર, યશોભદ્રસૂરિ મહારાજા. ૧૯. સિદ્ધરાજની સભાનું અમૂલ્ય રત્ન, અને ૮૪ વાદોમાં જય મેળવનાર, વાદિદેવસૂરિ મહારાજા, ૨૦. સાડાત્રણ કોડ શ્લોકની રચના કરનાર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજા. ૨૧. અકબરને બોધ કરી છ માસનો અમારીનો પડહ વજડાવનાર, હીરસૂરિ મહારાજા, શાન્તિચંદ્રસૂરિ મહારાજા, ૨૨. અકબરના પાસેથી શત્રુંજયાદિક તીર્થના પરવાના મેળવનાર સિદ્ધસૂરિ તથા ભાનુચંદ્રસૂરિ મહારાજા ૧૫ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196