Book Title: Vividh Vishay Vicharmala Part 05
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 187
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મંદિરના અંદર જોયો ઇત્યાદિ પક્ષપાતરૂપ કોઈ હલકર્મી જીવને સમ્યત્વબીજની પ્રાપ્તિ થાય છે. વળી હું નિર્મલ ઔચિત્યરૂપ નિષ્કલંક માણિકય, સુવર્ણ, પિતલ, ઉપલમય બિંબને કરાવું, આ મંદિરની અંદર સ્થાપન કરું કે જેને દેખીને ગુણરાગી લોકો આ રાગદ્વેષ રહિત છે, રાગદ્વેષના કારણભૂત સ્ત્રી, શસ્ત્ર, પરિગ્રહાદિકથી વિમુક્ત છે-આવો ભાસ બિંબના અવલોકન માત્રથી જ થાય છે, માટે આવા અત્ એ જ દેવાધિદેવ છે. અપર નથી, માટે પરલોકની ઇચ્છા કરનારે આનું જ આરાધન કરવું, ઇત્યાદિક ભગવાનના બહુ ગુણોને માનવાળા કોઇક જીવો પરમાત્માનાં બિંબને દેખવાની ક્ષણે જ બોધિબીજને ઉપાર્જન કરે છે. બીજા કેટલાક જીવો ઉત્તમ પ્રકારના સુગંધી પરિમલથી મહામહાયમાન થયેલા માલતી, ચંપક, ગુલાબ, જાઇ, જુઈ, મોગર આદિ ફુલની વીકસ્વર માલાને પરમાત્માને ચડેલી દેખવાથી બોધિબીજ પામે છે. કોઈક જીવો મરકત, મણિ, પદ્મરાગ, મણિહીરા, માણિકય, મૌતિક, મહાનલાદિ ખચિત ઉત્તમોત્તમ રત્નના વિભૂષણોથી જિનબિંબને વિભૂષિત દેખીને બોધિબીજને પામે છે, કોઈક જીવો ચંદન, કેશર, ઘનસાર, મંડનાદિ મિશ્રિત પૂજાતિશય દેખીને બોધિબીજને પામે છે, અને ચિંતવે છે કે. વીતરાગ પ્રતિમા આવા પ્રકારની પૂજાને યોગ્ય જ હોય છે, અન્ય નહિ. આવી રીતે ગુણ પ્રમોદ અતિશયોથી બોધિબીજને પામે છે. છતાં કોઈ શંકા કરે છે કે, જીવ ગૃહાદિ આરંભમાં પૃથ્વીકાયાદિ જીવોનો બંધ થવાથી ભાવ અનુકંપા તો દૂર રહી પણ દ્રવ્ય અનુકંપા પણ સમ્યગૃષ્ટિ જીવને રહેતી નથી. તે શંકાને દૂર કરવાને માટે કહે છે, ઈહ પણ ખલુ જિનાલય બનાવવામાં ભૂમિ ખોદવાથી, ઇંટો પકાવવાથી, પાણી સિંચવાથી, અવશ્ય પૃથ્વી, અપ, તેલ, વાઉ, M૧૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196